૯.૨૯
ધારિતાથી ધ્યાન
ધારિતા
ધારિતા (capacitance) : વિદ્યુતભારિત સુવાહક ઉપર વધુ પ્રમાણમાં વિદ્યુતભાર સંગ્રહી શકાય તે માટેની એક યોજના. આ યોજના અલગ અલગ રીતે કરી શકાય છે. એકબીજાની નજીક યાચ્છિક રીતે (at random) ગોઠવેલા તથા અલગ કરેલા યાચ્છિક આકાર અને કદવાળા બે સુવાહકના તંત્રને વિદ્યુતસંગ્રાહક (condenser કે capacitor) કહે છે. વિદ્યુતભાર Q, તથા તેને…
વધુ વાંચો >ધારિયા, મોહન માણિકચંદ
ધારિયા, મોહન માણિકચંદ (જ. 14 ફેબ્રુઆરી 1925, નાતે, જિ. રાયગઢ; અ. 14 ઑક્ટોબર 2013) : સ્વાતંત્ર્યસૈનિક, કેન્દ્ર-સરકારના માજી પ્રધાન, જાહેર કાર્યકર. જંજીરા રાજ્યનો કબજો બળજબરીથી લઈને 1948માં ભારતીય સંઘમાં તેનું વિલીનીકરણ કરનાર કામચલાઉ સરકારમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે 1962થી 1967 સુધી મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે, 1964 થી…
વધુ વાંચો >ધારી
ધારી : અમરેલી જિલ્લામાં આવેલો તાલુકો, તાલુકામથક અને નગર. નગરનું સ્થાન 21° 20´ ઉ. અ. અને 71° 01´ પૂ. રે. છે. તથા તાલુકાનું સ્થાન આશરે 21° થી 21° 30´ ઉ. અ. અને 71° થી 71° 05´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 1092 ચોકિમી. છે. તાલુકામાં ધારી અને ચલાળા…
વધુ વાંચો >ધાવડી
ધાવડી (વનસ્પતિ) : દ્વિદળી વર્ગની લિથ્રેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Woodfordia fruiticosa Kurz syn. W. floribunda salib (સં. ધાતકી, અગ્નિજ્વાલા; હિં ધવાઈ, ધાય, મ ધાયરી; ગુ. ધાવડી; તે ધાતુકી; બં. ધાઈ; અં. ફાયર-ફ્લેમ બુશ) છે. તે બહુશાખિત (1.5-3.6 મી. ઊંચો, ભાગ્યે જ 7 મી. ની ઊંચાઈ સુધી પહોંચતો) સુંદર…
વધુ વાંચો >ધિરાણ
ધિરાણ : સામાન્યત: પૂર્વનિર્ધારિત વ્યાજના દરે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જરૂરિયાતમંદ વ્યક્તિ કે સંસ્થાને પોતાનાં અથવા થાપણદારનાં નાણાં ઉછીનાં આપવાની પ્રક્રિયા. ભારતમાં આઝાદી પહેલાં ધિરાણની પ્રક્રિયા પર શાહુકારોનું ઘણું વર્ચસ હતું, જે આઝાદી પછી શિથિલ બનતું ગયું છે. ધિરાણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે : (1) ટૂંકા ગાળાનું, (2) મધ્યમ ગાળાનું,…
વધુ વાંચો >ધિલ્લોં, જર્નેલસિંઘ
ધિલ્લોં, જર્નેલસિંઘ (Jarnail Singh Dhillon) (જ. 20 ફેબ્રુઆરી 1936, પનામ, જિ. હોશિયારપુર, પંજાબ; અ. 13 ઑક્ટોબર 2000, વાનકુંવર) : ભારતના આ મહાન ફૂટબૉલ ખેલાડીને બાળપણથી જ ફૂટબૉલમાં રસ હતો. શાળા દરમિયાન પોતાની શાળાનું અને 1954થી 1957 દરમિયાન પંજાબ યુનિવર્સિટીની ફૂટબૉલની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે 1957માં તેમની પસંદગી પંજાબ રાજ્યની ટીમમાં…
વધુ વાંચો >ધિંગરા (ઢિંગરા), મદનલાલ
ધિંગરા (ઢિંગરા), મદનલાલ (જ. 1887, અમૃતસર; અ. 17 ઑક્ટોબર 1909, લંડન) : ભારતના એક અગ્રણી ક્રાંતિકારી દેશભક્ત. પંજાબના ધનિક અને સન્માનનીય કુટુંબમાં જન્મ. પિતા ડૉકટર તથા મોટા ભાઈ વકીલ હતા. 1906માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી ઉચ્ચ અભ્યાસાર્થે ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી સંસ્થામાં દાખલ થયા. ખુદીરામ…
વધુ વાંચો >ધી ‘ઇસ્ટ વિન્ડ’ અંતરીક્ષ કેન્દ્ર
ધી ‘ઇસ્ટ વિન્ડ’ અંતરીક્ષ કેન્દ્ર (The ‘East Wind’ Space Centre) : ચીનનું ઉપગ્રહ-પ્રમોચન-મથક. તે ગોબીના રણના કિનારા પર, મૉંગોલિયાના અંતરાલ ભાગમાં ‘શુઆંગ ચેન્ગ ત્સે’ નામના કસબા પાસે આવેલું છે. (ભૌગોલિક સ્થાન: 40° 25´ ઉ. અ. 99° 50´ પૂ. રે.). 1960ની શરૂઆતમાં ટૂંકા અને મધ્યમ અંતરનાં પ્રક્ષેપાસ્ત્રોના પરીક્ષણ માટે આ મથકે…
વધુ વાંચો >ધીખતી ધરા નીતિ
ધીખતી ધરા નીતિ : યુદ્ધ દરમિયાન લશ્કર દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચના. આ નીતિ વડે ધસી આવતા શત્રુના સૈન્ય સામે પીછેહઠ કરતાં પહેલાં શત્રુને આગળ વધવા માટે ઉપયોગી નીવડે તેવી સાધનસામગ્રીનો નાશ કરવામાં આવે છે અને તે દ્વારા શત્રુની આગેકૂચમાં અવરોધો ઊભા કરવા માટે ભૂમિભાગ પણ વેરાન કરવામાં આવે છે. સામાન્ય…
વધુ વાંચો >ધીર, સંતોકસિંહ
ધીર, સંતોકસિંહ (જ. 2 ડિસેમ્બર 1920, બસ્સી પઠાના, પંજાબ; અ. 8 ફેબ્રુઆરી 2010 ચંડીગઢ, પંજાબ) : પંજાબી કવિ, ટૂંકી વાર્તાલેખક, નવલકથાકાર, પ્રવાસલેખક અને નિબંધકાર. લેખનને વ્યવસાય તરીકે એમણે અપનાવ્યો હતો. તે પૂર્વે થોડો સમય ‘પ્રીતલહરી’ સામયિકમાં કામ કર્યું હતું. એમના ટૂંકી વાર્તાના નવ સંગ્રહો, ચાર નવલકથાઓ, અગિયાર કાવ્યસંગ્રહો પ્રકાશિત થયાં.…
વધુ વાંચો >ધુળે
ધુળે : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. શહેરનું જૂનું નામ ધૂળિયા હતું. ભૌગોલિક સ્થાન : 20° 55´ ઉ. અ. અને 74° 50´ પૂ. રે.. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે ખાનદેશ જિલ્લાનો ભાગ હતો. 1960માં રાજ્યપુનર્રચના થઈ ત્યારે તેનો સ્વતંત્ર જિલ્લો બનાવવામાં આવ્યો. જિલ્લાનો કુલ વિસ્તાર 8,061 ચોકિમી. છે. તે 20°…
વધુ વાંચો >ધૂમકેતુ
ધૂમકેતુ : સામાન્ય પરિભાષામાં ‘પૂંછડિયા તારા’ તરીકે ઓળખાતો ખગોલીય પદાર્થ. આ પદાર્થના મસ્તકના ભાગે તારા જેવું ચમકતું બિંદુ અને તેમાંથી પૂંછડી અથવા તો સાવરણી આકારે આછું પ્રકાશિત વાદળ ઉદભવતું હોય તેવું ર્દશ્ય રચાતું હોવાથી તેને ‘પૂંછડિયો તારો’ કહે છે. આ પ્રકારના પદાર્થો સૂર્યમાળાના જ સદસ્યો છે અને તે બરફીલા ખડકોના…
વધુ વાંચો >ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ)
ધૂમકેતુ (જોશી, ગૌરીશંકર ગોવર્ધનરામ) (જ. 12 ડિસેમ્બર 1892, વીરપુર; અ. 11 માર્ચ 1965, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યસર્જક. બાલ્યાવસ્થામાં એમનું નામ ભીમદેવ અને લાડનું નામ મણિભાઈ. નાનપણમાં અભ્યાસમાં અરુચિ અને શાળાએ જવામાં નિરુત્સાહી પણ ભાભીને ભણાવતાં વિદ્યાનો નાદ લાગ્યો. ગણિતમાં કંટાળો, પણ ઇતિહાસનો રસ જાગ્યો અને વાંચવાનો શોખ વધ્યો. 1906માં આઠમી…
વધુ વાંચો >ધૂમિલ
ધૂમિલ (જ. 9 નવેમ્બર 1936, ખેવલી, ઉ. પ્ર.; અ. 10 ફેબ્રુઆરી 1975, લખનૌ) : જાણીતા હિંદી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કલ સુનાના મુઝે’ (1977) માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું ખરું નામ સુદામા પ્રસાદ પાંડે હતું. એમના પિતાનું નામ શિવનાયક પાંડે અને માતાનું નામ રાજવંતી…
વધુ વાંચો >ધૂમ્રઝાકળ
ધૂમ્રઝાકળ : જુઓ, વાતાવરણ.
વધુ વાંચો >ધૂમ્રપાન
ધૂમ્રપાન : જુઓ, તમાકુસેવન.
વધુ વાંચો >ધૂર્તવિટસંવાદ
ધૂર્તવિટસંવાદ : જુઓ, ચતુર્ભાણી.
વધુ વાંચો >ધૂસરકોષાર્બુદ
ધૂસરકોષાર્બુદ (pheochromocytoma) : મુખ્યત્વે અધિવૃક્ક (adrenal) ગ્રંથિના મજ્જાસ્તરમાં થતી ધૂસરકોષો(cromoffin cells)ની ગાંઠ. બંને મૂત્રપિંડ(વૃક્ક)ના ઉપલા છેડે એક એક – એમ બે નાની ગ્રંથિની જોડ આવેલી છે. તેથી તેને અધિવૃક્ક ગ્રંથિ કહે છે. અધિવૃક્ક ગ્રંથિમાં 2 સ્તર આવેલા છે. બહારના સ્તરને બહિ:સ્તર (cortex) કહે છે. તેમાંથી સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવો (hormones) ઝરે…
વધુ વાંચો >ધૂળમાંની પગલીઓ
ધૂળમાંની પગલીઓ : આત્મકથાત્મક શૈલીમાં લખાયેલાં સ્મૃતિચિત્રોનું ગુજરાતી પુસ્તક. લેખક : ડૉ. ચંદ્રકાન્ત શેઠ. આ પુસ્તકને ભારતીય સાહિત્ય અકાદમીનો 1986નો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. લેખકનાં શૈશવ અને કૈશોર્યના દિવસોનું આમાં આલેખન થયું છે. શિશુકાળ અને કિશોરકાળનાં સ્મરણોનાં રિપ્લે દ્વારા લેખક જાણે પ્રસન્નતા અને માધુર્યથી ભર્યા ભર્યા એ દિવસો સ્મૃતિ સજીવ…
વધુ વાંચો >ધૂંધભરી ખીણ
ધૂંધભરી ખીણ : ઈ. સ. 2000નો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર વીનેશ અંતાણીકૃત ગુજરાતી નવલકથા (1996). લેખક ચંડીગઢમાં આકાશવાણીના સ્ટેશન-ડિરેક્ટર તરીકે બે વર્ષથી વધારે સમય રહેલા. લેખકે નિવેદનમાં નોંધ્યું છે – ‘પંજાબમાં સ્થપાવા લાગેલી શાંતિના સંકેતોની પડછે, વીતેલા લોહિયાળ દાયકાનો ઓથાર પણ મેં ત્યાંના લોકોના ચહેરા પર જોયો હતો અને…
વધુ વાંચો >