૯.૧૨

દારૂડીથી દાંત

દાંડેકર, ગોપાલ નીલકંઠ

દાંડેકર, ગોપાલ નીલકંઠ (જ. 8 જુલાઈ 1916, પરતવાડા, જિ. અમરાવતી; અ. 1 જૂન 1998) : મરાઠી લેખક. વાર્તા, નવલકથા, ઇતિહાસ, સંસ્કૃતિના અભ્યાસી તથા કીર્તનકાર. બાળપણમાં જ ઘર અને શાળાનું શિક્ષણ છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. આંદોલન પછી એમણે દેશભરમાં ભ્રમણ કર્યું. ત્યાંના સંત ગાડગે મહારાજના સંપર્કમાં આવ્યા. અને એ સંતે જ એમનું…

વધુ વાંચો >

દાંત (માનવેતર પ્રાણી)

દાંત (માનવેતર પ્રાણી) : અન્ન ચાવવા માટેનો મુખમાં ક્રમબદ્ધ ગોઠવાયેલો સફેદ કઠણ અવયવ. પક્ષીઓ અને કેટલાંક અપવાદરૂપ સસ્તનો સિવાયનાં, માછલીથી માંડીને મનુષ્ય સુધીનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ ખોરાક પકડવા કે ચાવવા માટે વિવિધ પ્રકારના દાંતનો ઉપયોગ કરે છે. દાંત મુખ્યત્વે પાચનતંત્ર સાથે સંકળાયેલ છે, છતાં તે શિકાર, સંરક્ષણ જેવી આક્રમક કે સ્વબચાવ…

વધુ વાંચો >

દારૂડી

Mar 12, 1997

દારૂડી : દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agremone mexicana Linn. (સં. પટુપર્ણી, સ્વર્ણક્ષીરી; મ. પિંવળા; ધોત્રા વિલાયતી ધોત્રા; હિં. સત્યનાશી, ભરેબંદ, પીસોલા; બં. શિયાલકાંટા; ક. દત્તુરીગીડ્ડા, મલા. પોન્નમતં; તા. કુટ્ટીપોત્તી; કુરુક્કુમ; અં. મૅક્સિકન પૉપી, પ્રિકલી પૉપી) છે તે ઉન્નત, કાંટાળી, એક વર્ષાયુ, ફેલાતી શાખાઓવાળી…

વધુ વાંચો >

દારૂબંધી

Mar 12, 1997

દારૂબંધી : ભારતમાં કાયદા દ્વારા દારૂના સેવન પર મુકાતો પ્રતિબંધ. નશાખોરી કોઈ પણ સમાજમાં સદગુણ ગણાતો નથી. દારૂનું વધારે પડતું સેવન અનેક અનિષ્ટોને જન્મ આપે છે. તેનાથી મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ થાય છે. તે રોગોમાં સપડાય છે. દારૂની ટેવ પડી જવાથી તે સંતોષવા આર્થિક રીતે નુકસાન વેઠીને પણ…

વધુ વાંચો >

દારૂવાલા, કેકી એન.

Mar 12, 1997

દારૂવાલા, કેકી એન. (જ. 24 જાન્યુઆરી 1937, લોની, બુરહાનપુર) : અંગ્રેજીમાં લખતા કેન્દ્રીય લેખક. તેમના કાવ્યસંગ્રહ ‘ધ કીપર ઑવ્ ધ ડેડ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. 1958માં તેઓ ભારતીય પોલીસ–સેવામાં જોડાયા. પછી વડાપ્રધાનના ખાસ મદદનીશ બન્યા પછી કૅબિનેટ–સચિવના પદે પહોંચ્યા.…

વધુ વાંચો >

દારેસલામ

Mar 12, 1997

દારેસલામ : ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48’ દ. અ. અને 39° 17’ પૂ. રે..  ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે.  આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર :…

વધુ વાંચો >

દાર્જિલિંગ

Mar 12, 1997

દાર્જિલિંગ : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50’ ઉ અ. અને 88° 20’ પૂ. રે.. …

વધુ વાંચો >

દાલમિયા, રામકૃષ્ણ

Mar 12, 1997

દાલમિયા, રામકૃષ્ણ (જ. 7 એપ્રિલ 1893, ચિરાવા, રાજસ્થાન; અ. 26 સપ્ટેમ્બર 1978, દિલ્હી) : ભારતના અગ્રણી ઉદ્યોગપતિ તથા દાનવીર. દાલમિયાનગરના વતની. પિતા હરજીમલ સામાન્ય વેપારી હતા. કોઈ પણ જાતના ઔપચારિક શિક્ષણ વગર ખાનગીમાં અભ્યાસ કરી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. દસ વર્ષની ઉંમરે પોતાના મામાની પેઢીમાં માસિક રૂ. 10ના વેતન…

વધુ વાંચો >

દાલમેશિયન ટાપુઓ

Mar 12, 1997

દાલમેશિયન ટાપુઓ : એડ્રિયાટિક સમુદ્રના પૂર્વકિનારે આવેલા ટાપુઓ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 17° પૂ. રે.. તે 320 કિમી. કરતાં વધારે લાંબી પણ સાંકડી ભૂમિપટ્ટી પર પથરાયેલા છે. તેનો કુલ વિસ્તાર 4,524 ચોકિ.મી. છે. દાલમેશિયા ક્રોએશિયન પ્રજાસત્તાકનો પ્રદેશ છે. તેમાં મધ્યસાગરકિનારાની પટ્ટી તથા એડ્રિયાટિકના સરહદી ટાપુઓનો સમાવેશ થાય…

વધુ વાંચો >

દાલ સરોવર

Mar 12, 1997

દાલ સરોવર : જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર…

વધુ વાંચો >

દાલેન, નીલ ગુસ્તાવ

Mar 12, 1997

દાલેન, નીલ ગુસ્તાવ (Dalen Nils Gustaf) (જ. 30 નવેમ્બર 1869, સ્ટેમસ્ટૉર્પ, સ્વીડન; અ. 9 ડિસેમ્બર 1937, સ્ટૉકહોમ) : દીવાદાંડી તથા જહાજને પ્રદીપ્ત કરવા, સ્વયંસંચાલિત નિયંત્રક(automatic regulators)ની શોધ માટે, ઈ. સ. 1912ના ભૌતિકશાસ્ત્ર વિષયમાં નોબેલ પુરસ્કાર વિજેતા. ખેડૂતપુત્ર હોવાથી ડેરીઉદ્યોગનો અભ્યાસ કરવા માટે ‘સ્કૂલ ઑવ્ ઍગ્રિકલ્ચર’માં જોડાયા, પરંતુ પાછળથી ગુસ્તાવ દ…

વધુ વાંચો >

દાવર, ફીરોઝ કાવસજી

Mar 12, 1997

દાવર, ફીરોઝ કાવસજી (જ. 16 નવેમ્બર 1892, અહમદનગર; અ. 3 ફેબ્રુઆરી 1978, અમદાવાદ) : જન્મે પારસી અને અંગ્રેજી વિષયના પ્રોફેસર ફીરોઝ કાવસજી દાવર ત્રણેક વિદ્યાર્થીપેઢીના વિદ્યાગુરુ, સંનિષ્ઠ શિક્ષણકાર અને એક વિરલ બહુશ્રુત સારસ્વત હતા. પ્રા. દાવરના પિતા કાવસજી જાહેર બાંધકામ વિભાગના કાબેલ હિસાબનીસ હોઈ એમને નોકરી અર્થે ગામેગામ ફરવાનું થતું.…

વધુ વાંચો >