૮.૨૬

તરલીકરણથી તંબોળી

તરલીકરણ

તરલીકરણ (fluidization) : તરલના પ્રવાહમાં અવલંબિત અને તરલ સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા ઘન કણોને તેઓ પ્રવાહી અવસ્થામાં છે એમ ગણીને  તેમના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક તકનીક. મૂળભૂત રીતે વહી શકવા સમર્થ હોવાથી પ્રવાહી અને વાયુઓને તરલ (fluid) ગણવામાં આવે છે. ઘન પદાર્થો વહી શકતા નથી પણ પ્રવાહી કે વાયુની…

વધુ વાંચો >

તરસ

તરસ : પાણી પીવાની ઇચ્છા થાય તેવી સંવેદના. શરીરમાંની વિવિધ જૈવભૌતિક સ્થિતિઓ તરસની સંવેદના ઉત્પન્ન કરે છે, જેમાં શરીરના પ્રવાહીની સાંદ્રતા (concentration) કે આસૃતિ(osmoticity)નો વધારો મુખ્ય પરિબળ ગણાય છે. તે મુખ્યત્વે બે સ્થિતિમાં થાય છે : શરીરમાંથી પાણી વધુ પ્રમાણમાં નીકળી જાય અથવા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે. શરીરમાંથી પાણી નીકળી…

વધુ વાંચો >

તરસંગ

તરસંગ : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભૂતપૂર્વ દાંતા રાજ્યની જૂની રાજધાની. તે ‘તરસંગ’, ‘તરસંગમ’ કે ‘તરસંગમક’ તરીકે પણ ઓળખાય છે. અંબાજી પાસેના ગબ્બરગઢના કેસરીસિંહે તરસંગિયા ભીલને મારીને આ સ્થળને ઈ. સ. 1269માં રાજધાની તરીકે પસંદ કર્યું હતું. આ સ્થળ દાંતા તાલુકામાં દાંતાથી 17 કિમી. દૂર આવેલ મહુડી ગામ પાસે છે. અલ્લાઉદ્દીન…

વધુ વાંચો >

તરંગ

તરંગ : એક અતિકરુણ હિંદી ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1984, નિર્માણ સંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, પટકથા: કુમાર સહાની અને રોશન સહાની : દિગ્દર્શન :કુમાર સહાની, સંવાદ : વિજય શુકલ, ગીતકાર : સઘુવીર સહાય અને ગુલઝાર, છબીકલા : કે. કે. મહાજન, સંગીત : વનરાજ ભાટિયા, મુખ્ય ભૂમિકા : સ્મિતા…

વધુ વાંચો >

તરંગ (wave)

તરંગ (wave) : સ્થિતિસ્થાપક માધ્યમમાં કણના સ્થાનાંતર વગર, તેમાં ઉદભવતા વિક્ષોભ(disturbance)ની એક બિંદુથી બીજા બિંદુ પ્રતિ થતી ગતિ. સમય (t) અને સ્થાનનિર્દેશાંકો (x, y, z) સાથે કણના બદલાતા જતા સ્થાનાંતરના સંદર્ભમાં તરંગને વ્યક્ત કરવામાં આવે છે. તરંગ સ્થાનાંતરના વર્ણનમાં તરંગસમીકરણના ઉકેલ અને જે તે કિસ્સાને લગતી સીમાશરતો(boundary conditions)નો સમાવેશ થતો…

વધુ વાંચો >

તરંગ અગ્ર

તરંગ અગ્ર : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગ કણ દ્વૈત

તરંગ કણ દ્વૈત : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગ ગતિ

તરંગ ગતિ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગચિહન

તરંગચિહન (ripple mark) : જળપ્રવાહ દ્વારા, મોજાંની ક્રિયામાં પાણીના આગળપાછળના હલનચલન દ્વારા નિક્ષેપદ્રવ્યના છૂટા કણો ઓકળીબદ્ધ ગોઠવાવાથી તૈયાર થતા લાક્ષણિક વળાંકવાળા સપાટી-આકારો. કિનારાના નિક્ષેપોમાં અસર કરતા જળપ્રવાહોના હલનચલન દ્વારા આ પ્રકારની ઓકળીઓ ઉત્પન્ન થતી હોય છે. નીચેની આકૃતિમાં તરંગના જુદા જુદા ભાગોનાં નામ તેમજ પ્રકારો દર્શાવેલાં છે. સરખા આંદોલનકારી પ્રવાહો …

વધુ વાંચો >

તરંગલંબાઈ

તરંગલંબાઈ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરુણાવસ્થા

Jan 26, 1997

તરુણાવસ્થા (adolescence) : બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રાંતિનો સમયગાળો. વયની ર્દષ્ટિએ લગભગ 11 વર્ષથી શરૂ કરીને ૨0 વર્ષની ઉંમર સુધીના સમયગાળાને તરુણાવસ્થા ગણવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને મંથનની આ મૂંઝવણભરી અવસ્થા છે. આ ગાળામાં વૃદ્ધિનો દર ઊંચો રહે છે અને તેની સમાપ્તિ પહેલાં જાતીય પરિપક્વતા આવી જાય છે.…

વધુ વાંચો >

તરૈ મુરૈહળ

Jan 26, 1997

તરૈ મુરૈહળ (1968) : તમિળ સાહિત્યના સ્વાતંત્ર્યોત્તરકાળના પ્રસિદ્ધ નવલકથાકાર નીલ પદ્મનાભનની તમિળ સાહિત્યની પ્રથમ જાનપદી નવલકથા. આ પ્રકારની નવલકથાનો આરંભ ‘તરૈ મુરૈહળ’થી થયો. એમાં તમિળનાડુના ઇરણિયલ નામક શહેરમાં વસતી ચેટ્ટિયાર (વેપારી) જાતિનું સર્વતોમુખી નિરૂપણ છે. એ જાતિના લોકો મોટેભાગે નાનો મોટો ધંધો કરતા હોય છે. એ જાતિના લોકોની રહેણીકરણી, ખાણીપીણી,…

વધુ વાંચો >

તર્કદોષ

Jan 26, 1997

તર્કદોષ : તર્ક કે વિચારપ્રક્રિયામાં પ્રતીત થતા દોષ. માધવાચાર્ય (ચૌદમી સદી) પોતાના ‘સર્વદર્શનસંગ્રહ’માં મુખ્ય પાંચ તર્કદોષ બતાવે છે : (1) વ્યાઘાત (= વિસંવાદ) દોષ, (૨) આત્માશ્રયદોષ, (3) અન્યોન્યાશ્રયદોષ, (4) ચક્રકાશ્રયદોષ અને (5) અનવસ્થાદોષ. આમાંના દરેક તર્કદોષનું સ્વરૂપ નીચે પ્રમાણે સ્પષ્ટ કરી શકાય : (1) વ્યાઘાત (inconsistency) : જ્યારે કોઈક બોલે…

વધુ વાંચો >

તર્કરત્ન રામનારાયણ

Jan 26, 1997

તર્કરત્ન રામનારાયણ (જ. 1822; અ. 1886) : બંગાળી નાટ્યકાર. ઓગણીસમી સદીમાં બંગાળી નાટકને તેમણે નવી દિશા દાખવી. તેમણે કૉલકાતાની સરકારી સંસ્કૃત કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું હતું અને કૉલેજમાં ભણતા હતા ત્યારે જ નાટકો લખવાની અને ભજવવાની શરૂઆત કરેલી. એમની પહેલી કૃતિ ‘રત્નાવલિ’ સંસ્કૃત નાટકનું રૂપાંતર હતું. એ લખાયેલું તો 1854માં…

વધુ વાંચો >

તર્કશાસ્ત્ર

Jan 26, 1997

તર્કશાસ્ત્ર : માનસિક અભિગમો વડે યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારું શાસ્ત્ર. કેટલાક ન્યાયદર્શનના 16 પદાર્થોમાં વૈશેષિક દર્શનના 6 પદાર્થોને સમાવે છે તો કેટલાક વૈશેષિકોના 6 પદાર્થોમાં ન્યાયદર્શનના 16 પદાર્થોને સમાવે છે. વ્યાકરણશાસ્ત્રની જેમ તર્કશાસ્ત્ર પણ સર્વશાસ્ત્રોપકારક એટલે જ્ઞાનની બધી જ શાખાઓમાં ખપ લાગનારું છે. સંસારમાંથી કે તેનાં દુ:ખોમાંથી મોક્ષ મેળવવા જગતનાં…

વધુ વાંચો >

તર્કશાસ્ત્ર (પાશ્ચાત્ય)

Jan 26, 1997

તર્કશાસ્ત્ર (પાશ્ચાત્ય) (અં. લૉજિક. વેસ્ટર્ન) : યોગ્ય વિચારો અને યોગ્ય તર્કો કે દલીલો માટેના માર્ગદર્શક નિયમોનું શાસ્ત્ર. વિવિધ વ્યક્તિઓના વિચારો કે તર્કો કેટલા યોગ્ય છે તે આ નિયમો વડે નક્કી કરી શકાય છે. વિચારો કે દલીલોની બે પ્રકારની યોગ્યતા તપાસવી જરૂરી છે : રૂપગત (‘formal’) યોગ્યતા અને વસ્તુગત (‘material’) યોગ્યતા.…

વધુ વાંચો >

તલ

Jan 26, 1997

તલ : વનસ્પતિના દ્વિદળીવર્ગમાં આવેલ કુળ પિડાલિયેસીની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sesamum indicum Linn. syn. Sesasum orientale Linn. (સં. તિલા; હિં. તિલ; ગુ. તલ તા. જીંગલી; તે. નુગુલ્લુ; મલ. કારુએલ્લુ; ઓ-રાસી; ક. થેલ્લુ; મ. તીળ; પં. તીલ; કે તીલી) છે. ઉદભવ અને વિતરણ : તેના મૂળ નિવાસ વિશે વિવિધ મંતવ્યો…

વધુ વાંચો >

તલ (mole, naevus)

Jan 26, 1997

તલ (mole, naevus) : ચામડીમાંના કાળા રંગના દ્રવ્યવાળા કૃષ્ણ-કોષો(melanocytes)ના સમૂહથી બનતો ચામડી પરનો નાનો ડાઘ. તે બે પ્રકારના હોય છે: (અ) વાહિનીરહિત (avascular) અથવા કૃષ્ણકોષી તલ અને (આ) વાહિનીકૃત (vascular). ચામડીમાં કૃષ્ણકોષોના એકઠા થવાથી થતો તલ વાહિનીરહિત તલ હોય છે. સામાન્ય રીતે તેને જ તલ તરીકે ઓળખવામાં આવે છે. તે…

વધુ વાંચો >

તલત મહેમૂદ

Jan 26, 1997

તલત મહેમૂદ (જ. 24 ફેબ્રુઆરી 1922, લખનૌ; અ. 9 મે 1998, મુંબઈ) : વિખ્યાત ગઝલ ગાયક. શિક્ષણ લખનૌ અને અલીગઢ ખાતે. બાળપણમાં જ ફોઈ મહલકા બેગમે તેમના જન્મજાત ગુણોની પરખ કરીને સંગીત-સાધના  માટે પ્રોત્સાહન આપ્યું હતું. સત્તર વર્ષની ઉંમરે 1939માં આકાશવાણી લખનૌ કેન્દ્ર પરથી તેમનો પ્રથમ કાર્યક્રમ રજૂ થયો. 1941માં…

વધુ વાંચો >

તલમૂદ

Jan 26, 1997

તલમૂદ : યહૂદી ધર્મશાસ્ત્રનો સટીક ગ્રંથ. તલમૂદમાં મિશના તથા ગેમારાનો સમાવેશ થાય છે. મિશના એ મૌખિક કાયદાઓનો સંગ્રહ છે, જ્યારે ગેમારામાં મિશના પર થયેલાં ભાષ્ય અને ચર્ચાઓનો સમાવેશ થાય છે. યહૂદી ધર્મશાસ્ત્રીઓના એક જૂથે પૅલેસ્ટાઇનમાં અને બીજા જૂથે બૅબિલોનમાં સ્વતંત્ર રીતે તલમૂદ તૈયાર કર્યા હતા. બંનેમાં મિશનાનો મૂળ પાઠ એક…

વધુ વાંચો >