૮.૨૬

તરલીકરણથી તંબોળી

તરલીકરણ

તરલીકરણ (fluidization) : તરલના પ્રવાહમાં અવલંબિત અને તરલ સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા ઘન કણોને તેઓ પ્રવાહી અવસ્થામાં છે એમ ગણીને  તેમના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક તકનીક. મૂળભૂત રીતે વહી શકવા સમર્થ હોવાથી પ્રવાહી અને વાયુઓને તરલ (fluid) ગણવામાં આવે છે. ઘન પદાર્થો વહી શકતા નથી પણ પ્રવાહી કે વાયુની…

વધુ વાંચો >

તરસ

તરસ : પાણી પીવાની ઇચ્છા થાય તેવી સંવેદના. શરીરમાંની વિવિધ જૈવભૌતિક સ્થિતિઓ તરસની સંવેદના ઉત્પન્ન કરે છે, જેમાં શરીરના પ્રવાહીની સાંદ્રતા (concentration) કે આસૃતિ(osmoticity)નો વધારો મુખ્ય પરિબળ ગણાય છે. તે મુખ્યત્વે બે સ્થિતિમાં થાય છે : શરીરમાંથી પાણી વધુ પ્રમાણમાં નીકળી જાય અથવા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે. શરીરમાંથી પાણી નીકળી…

વધુ વાંચો >

તરસંગ

તરસંગ : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભૂતપૂર્વ દાંતા રાજ્યની જૂની રાજધાની. તે ‘તરસંગ’, ‘તરસંગમ’ કે ‘તરસંગમક’ તરીકે પણ ઓળખાય છે. અંબાજી પાસેના ગબ્બરગઢના કેસરીસિંહે તરસંગિયા ભીલને મારીને આ સ્થળને ઈ. સ. 1269માં રાજધાની તરીકે પસંદ કર્યું હતું. આ સ્થળ દાંતા તાલુકામાં દાંતાથી 17 કિમી. દૂર આવેલ મહુડી ગામ પાસે છે. અલ્લાઉદ્દીન…

વધુ વાંચો >

તરંગ

તરંગ : એક અતિકરુણ હિંદી ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1984, નિર્માણ સંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, પટકથા: કુમાર સહાની અને રોશન સહાની : દિગ્દર્શન :કુમાર સહાની, સંવાદ : વિજય શુકલ, ગીતકાર : સઘુવીર સહાય અને ગુલઝાર, છબીકલા : કે. કે. મહાજન, સંગીત : વનરાજ ભાટિયા, મુખ્ય ભૂમિકા : સ્મિતા…

વધુ વાંચો >

તરંગ (wave)

તરંગ (wave) : સ્થિતિસ્થાપક માધ્યમમાં કણના સ્થાનાંતર વગર, તેમાં ઉદભવતા વિક્ષોભ(disturbance)ની એક બિંદુથી બીજા બિંદુ પ્રતિ થતી ગતિ. સમય (t) અને સ્થાનનિર્દેશાંકો (x, y, z) સાથે કણના બદલાતા જતા સ્થાનાંતરના સંદર્ભમાં તરંગને વ્યક્ત કરવામાં આવે છે. તરંગ સ્થાનાંતરના વર્ણનમાં તરંગસમીકરણના ઉકેલ અને જે તે કિસ્સાને લગતી સીમાશરતો(boundary conditions)નો સમાવેશ થતો…

વધુ વાંચો >

તરંગ અગ્ર

તરંગ અગ્ર : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગ કણ દ્વૈત

તરંગ કણ દ્વૈત : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગ ગતિ

તરંગ ગતિ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગચિહન

તરંગચિહન (ripple mark) : જળપ્રવાહ દ્વારા, મોજાંની ક્રિયામાં પાણીના આગળપાછળના હલનચલન દ્વારા નિક્ષેપદ્રવ્યના છૂટા કણો ઓકળીબદ્ધ ગોઠવાવાથી તૈયાર થતા લાક્ષણિક વળાંકવાળા સપાટી-આકારો. કિનારાના નિક્ષેપોમાં અસર કરતા જળપ્રવાહોના હલનચલન દ્વારા આ પ્રકારની ઓકળીઓ ઉત્પન્ન થતી હોય છે. નીચેની આકૃતિમાં તરંગના જુદા જુદા ભાગોનાં નામ તેમજ પ્રકારો દર્શાવેલાં છે. સરખા આંદોલનકારી પ્રવાહો …

વધુ વાંચો >

તરંગલંબાઈ

તરંગલંબાઈ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તંત્રનિયમાવલી

Jan 26, 1997

તંત્રનિયમાવલી (manual) : વ્યાવસાયિક વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે અંગે ટૂંકાણમાં વ્યવહારુ અને સ્પષ્ટ સૂચનાઓ આપતી માર્ગદર્શક પુસ્તિકા. ધંધાકીય એકમો વિસ્તૃત બજાર માટે ઉત્પાદન કરતા હોવાથી તેમનાં કદ મોટાં થયાં છે અને તેમનાં કાર્યો અને કાર્યસંબંધો જટિલ બન્યાં છે. તેથી ઉત્પાદન એકમના આયોજનના અમલ અને મૂલ્યાંકનની પ્રક્રિયાઓ ઉપર અંકુશ  અને…

વધુ વાંચો >

તંત્રશાસ્ત્ર

Jan 26, 1997

તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ…

વધુ વાંચો >

તંદ્રા

Jan 26, 1997

તંદ્રા : મનની જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિ. આ અવસ્થા મન અને દેહ ઉભયની વિકૃત-વિશિષ્ટ સંજ્ઞારૂપ છે. મનની ત્રણ સ્થિતિ છે : (1) જાગ્રત (2) સુષુપ્તિ (નિદ્રસ્થ) અને (3) તંદ્રા, જાગ્રત અવસ્થામાં મોટું મન પૂર્ણ જાગ્રત, ચૈતન્યપૂર્ણ હોઈ, ઇંદ્રિયો પોતાના બધા વિષયોને સારી રીતે ગ્રહણ કરી શકે છે. જ્યારે…

વધુ વાંચો >

તંપિ ઈરાસન

Jan 26, 1997

તંપિ ઈરાસન (1782–1856) : મલયાળમ ભાષાના કવિ. ત્રાવણકોરના મહારાજાના નિકટના સંબંધી હતા. નાનપણમાં જ સંસ્કૃતનું ઊંડું અધ્યયન કરેલું. તેઓ નાનપણથી ગીતો લખતા. જાહેરમાં સ્વરચિત ગીતો ગાતા. એમની કવિ તરીકે ખ્યાતિ એટલી પ્રસરેલી કે ત્રાવણકોરના મહારાજા તિરુ પાલે એમને દરબારના રાજકવિ નીમેલા. કેરળનું વિશિષ્ટ નૃત્ય કથકલિ હતું. કથકલિ નૃત્ય વખતે જે…

વધુ વાંચો >

તંપિયાર કુંચન

Jan 26, 1997

તંપિયાર કુંચન (અઢારમી સદી) : મલયાળમ ભાષાના પ્રથમ લોકકવિ. એમણે તુળળન નામના કાવ્યપ્રકારની શરૂઆત કરી. એ ત્રાવણકોરના રાજાઓ માર્તંડ વર્મા તથા ધર્મરાજાની કવિસભાના મુખ્ય કવિ હતા. એમ મનાય છે કે એમણે ‘ચાકયાર કુત્તુ’ કાવ્યસ્પર્ધામાં તુળળન નામના નૃત્યાત્મક કથાકાવ્ય જેવા નવા જ કાવ્યપ્રકારની રચના કરી હતી અને એ કાવ્યો એમણે પોતે…

વધુ વાંચો >

તંપુરાન કોટ્ટયત્તુ

Jan 26, 1997

તંપુરાન કોટ્ટયત્તુ (સત્તરમી સદી) : મલયાળમ ભાષાના કવિ. ઉત્તર કેરળના એક નાના રાજ્યના રાજકુટુંબમાં જન્મ. કિશોરવયમાં જ એમણે રામાયણ-મહાભારતના ગ્રંથોનું પોતાના માટે ખાસ રાખેલા એક પંડિત પાસે અધ્યયન કરેલું. પુરાણો ઉપરાંત, દર્શનશાસ્ત્રોનો પણ એમણે ગહન અભ્યાસ કરેલો. એમણે તે સમયે રાજદરબારમાં યોજાતા નૃત્ય અને નાટકોના સમારંભો જોયેલા અને તેનાથી ઘણા…

વધુ વાંચો >

તંપુરાન કોટ્ટારક્કરા

Jan 26, 1997

તંપુરાન કોટ્ટારક્કરા (સત્તરમી સદી) : મલયાળી લેખક. મલયાળમમાં સત્તરમી સદી પૂર્વે કુત્તુ, કુટિયાટ્ટમ્, કૃષ્ણનાટ્યમ્ ઇત્યાદિ અનેક અભિનેય ગીતોની પરંપરા પ્રવર્તમાન હતી. સત્તરમી સદીમાં  કથકલિ ર્દશ્યકાવ્યો રચવાની પરંપરા શરૂ થઈ. તેના પ્રથમ રચનાકાર તંપુરાન કોટ્ટારક્કરા હતા. એમણે વાલ્મીકિ રામાયણના આધાર પર 8 અટ્ટકથાઓ રચી હતી. અટ્ટકથા એ મલયાળમનાં નાટ્યાભિનયને માટે રચાતાં…

વધુ વાંચો >

તંબોળી

Jan 26, 1997

તંબોળી : જુઓ, પરંપરાગત વ્યવસાયો.

વધુ વાંચો >