૮.૨૬

તરલીકરણથી તંબોળી

તરલીકરણ

તરલીકરણ (fluidization) : તરલના પ્રવાહમાં અવલંબિત અને તરલ સાથે ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા ઘન કણોને તેઓ પ્રવાહી અવસ્થામાં છે એમ ગણીને  તેમના સ્થાનાંતર માટે ઉપયોગમાં લેવાતી ઔદ્યોગિક તકનીક. મૂળભૂત રીતે વહી શકવા સમર્થ હોવાથી પ્રવાહી અને વાયુઓને તરલ (fluid) ગણવામાં આવે છે. ઘન પદાર્થો વહી શકતા નથી પણ પ્રવાહી કે વાયુની…

વધુ વાંચો >

તરસ

તરસ : પાણી પીવાની ઇચ્છા થાય તેવી સંવેદના. શરીરમાંની વિવિધ જૈવભૌતિક સ્થિતિઓ તરસની સંવેદના ઉત્પન્ન કરે છે, જેમાં શરીરના પ્રવાહીની સાંદ્રતા (concentration) કે આસૃતિ(osmoticity)નો વધારો મુખ્ય પરિબળ ગણાય છે. તે મુખ્યત્વે બે સ્થિતિમાં થાય છે : શરીરમાંથી પાણી વધુ પ્રમાણમાં નીકળી જાય અથવા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધે. શરીરમાંથી પાણી નીકળી…

વધુ વાંચો >

તરસંગ

તરસંગ : બનાસકાંઠા જિલ્લામાં આવેલ ભૂતપૂર્વ દાંતા રાજ્યની જૂની રાજધાની. તે ‘તરસંગ’, ‘તરસંગમ’ કે ‘તરસંગમક’ તરીકે પણ ઓળખાય છે. અંબાજી પાસેના ગબ્બરગઢના કેસરીસિંહે તરસંગિયા ભીલને મારીને આ સ્થળને ઈ. સ. 1269માં રાજધાની તરીકે પસંદ કર્યું હતું. આ સ્થળ દાંતા તાલુકામાં દાંતાથી 17 કિમી. દૂર આવેલ મહુડી ગામ પાસે છે. અલ્લાઉદ્દીન…

વધુ વાંચો >

તરંગ

તરંગ : એક અતિકરુણ હિંદી ચલચિત્ર. નિર્માણ વર્ષ : 1984, નિર્માણ સંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન, પટકથા: કુમાર સહાની અને રોશન સહાની : દિગ્દર્શન :કુમાર સહાની, સંવાદ : વિજય શુકલ, ગીતકાર : સઘુવીર સહાય અને ગુલઝાર, છબીકલા : કે. કે. મહાજન, સંગીત : વનરાજ ભાટિયા, મુખ્ય ભૂમિકા : સ્મિતા…

વધુ વાંચો >

તરંગ (wave)

તરંગ (wave) : સ્થિતિસ્થાપક માધ્યમમાં કણના સ્થાનાંતર વગર, તેમાં ઉદભવતા વિક્ષોભ(disturbance)ની એક બિંદુથી બીજા બિંદુ પ્રતિ થતી ગતિ. સમય (t) અને સ્થાનનિર્દેશાંકો (x, y, z) સાથે કણના બદલાતા જતા સ્થાનાંતરના સંદર્ભમાં તરંગને વ્યક્ત કરવામાં આવે છે. તરંગ સ્થાનાંતરના વર્ણનમાં તરંગસમીકરણના ઉકેલ અને જે તે કિસ્સાને લગતી સીમાશરતો(boundary conditions)નો સમાવેશ થતો…

વધુ વાંચો >

તરંગ અગ્ર

તરંગ અગ્ર : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગ કણ દ્વૈત

તરંગ કણ દ્વૈત : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગ ગતિ

તરંગ ગતિ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગચિહન

તરંગચિહન (ripple mark) : જળપ્રવાહ દ્વારા, મોજાંની ક્રિયામાં પાણીના આગળપાછળના હલનચલન દ્વારા નિક્ષેપદ્રવ્યના છૂટા કણો ઓકળીબદ્ધ ગોઠવાવાથી તૈયાર થતા લાક્ષણિક વળાંકવાળા સપાટી-આકારો. કિનારાના નિક્ષેપોમાં અસર કરતા જળપ્રવાહોના હલનચલન દ્વારા આ પ્રકારની ઓકળીઓ ઉત્પન્ન થતી હોય છે. નીચેની આકૃતિમાં તરંગના જુદા જુદા ભાગોનાં નામ તેમજ પ્રકારો દર્શાવેલાં છે. સરખા આંદોલનકારી પ્રવાહો …

વધુ વાંચો >

તરંગલંબાઈ

તરંગલંબાઈ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગવઈકહા

Jan 26, 1997

તરંગવઈકહા (તરંગવતી કથા) : પ્રાકૃત કથાગ્રંથ. જૈન આચાર્યોમાં સુપ્રસિદ્ધ પાદલિપ્તસૂરિએ ‘તરંગવઈકહા’ રચીને પ્રાકૃત સાહિત્યમાં નૂતન પરંપરાને જન્મ આપ્યો. પ્રાકૃત કથાસાહિત્યની આ સૌથી પ્રાચીન કથા છે. સંભવત: આ કથા ગદ્યમાં રચાઈ હશે અને વચ્ચે વચ્ચે ક્વચિત્ પદ્ય પણ હશે એવું વિદ્વાનો માને છે. ગુણાઢ્યની બૃહત્કથા પણ મૂળે ગદ્યમાં રચાયેલી એવું મનાય…

વધુ વાંચો >

તરંગવિધેય

Jan 26, 1997

તરંગવિધેય : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગવેગ

Jan 26, 1997

તરંગવેગ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગસંખ્યા

Jan 26, 1997

તરંગસંખ્યા : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરંગસંપુટ

Jan 26, 1997

તરંગસંપુટ : જુઓ, તરંગ.

વધુ વાંચો >

તરાના

Jan 26, 1997

તરાના : ભારતના શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં રજૂ થતી બંદિશનો એક પ્રકાર. આ બંદિશ પ્રકારની વિશેષતા એ છે કે તેમાં તબલાં કે પખવાજના બોલ બંદિશના શબ્દો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દો ના, તા, રે, દાની, ઓદાની, તાનોમ્ યલલી, યલુંમ્, તદરેદાની ઇત્યાદિ છે. પ્રચલિત રાગોના તરાના ખ્યાલોની બંદિશ જેટલા જ…

વધુ વાંચો >

તરાપો

Jan 26, 1997

તરાપો : જુઓ, કેનુ.

વધુ વાંચો >

તરુણ ભારત

Jan 26, 1997

તરુણ ભારત : મરાઠી સાપ્તાહિક. સ્થાપક જાણીતા મરાઠી લેખક ગ. ત્ર્યં. માડખોલકરે 1930માં નાગપુરથી શરૂ કરેલું. એ સાપ્તાહિકમાં પ્રારંભમાં તરુણ લેખકોને અગ્રસ્થાન અપાતું. તે ઉપરાંત એમાં સમકાલીન રાજકીય, સામાજિક, સાંસ્કારિક પરિબળો વિશે પણ આકરી ટીકા થતી. એમાં તંત્રી દ્વારા થતી ચર્ચાઓમાં પત્રકારનું તાટસ્થ્ય નહોતું અને ભાષા પણ ઉગ્ર તેમજ આક્ષેપાત્મક…

વધુ વાંચો >

તરુણવાચસ્પતિ

Jan 26, 1997

તરુણવાચસ્પતિ : દંડીના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ ‘કાવ્યાદર્શ’ પર ટીકા લખનાર. ‘કાવ્યાદર્શ’ પરની તેમની ‘કાવ્યાદર્શટીકા’ ઘણી પ્રાચીન લાગે છે; છતાં તે એટલી બધી પ્રાચીન નથી. તરુણવાચસ્પતિ પોતાની ટીકામાં ‘શૃંગારપ્રકાશ’ના લેખક ભોજ અને ‘દશરૂપક’ના લેખક ધનંજયનો મત ઉદ્ધૃત કરે છે તેથી તરુણવાચસ્પતિ અગિયારમી સદી પછી અર્થાત્ બારમી સદીમાં થઈ ગયા. એમનો આ સમય…

વધુ વાંચો >

તરુણાદિત્યનું મંદિર

Jan 26, 1997

તરુણાદિત્યનું મંદિર : ચાલુક્ય શાસન દરમિયાનનું સૂર્યમંદિર. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળ દરમિયાન ઘણાં સૂર્યમંદિરો હતાં. આ પ્રણાલી સોલંકી કાળ સુધી ચાલુ રહી હતી. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્યોનું રાજ્ય હતું. તેમની રાજધાની નક્ષિસપુર હતી. આ વંશના રાજા બલવર્માએ નક્ષિસપુર ચોર્યાશીનું એક ગામ જયપુર તરુણાદિત્યના મંદિરના નિભાવ માટે આપ્યું હતું. આ મંદિર કર્ણવીરિકા…

વધુ વાંચો >