૭.૧૩

ચેતાતંત્ર (માનવેતર)થી ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ

ચેતાતંત્ર (માનવેતર)

ચેતાતંત્ર (માનવેતર) બહુકોષી પ્રાણીઓના શરીરમાં આવેલાં વિવિધ અંગોનાં કાર્યનાં નિયમન અને સમન્વય કરતું સ્વયં સંવેદનશીલ તંત્ર. આ સ્વયં સંવેદનશીલ તંત્રનું એકમ છે. ‘ચેતાકોષ’ અને સમગ્ર તંત્રને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શરીરની અંદરના અને બહારના પર્યાવરણમાં થતા ફેરફારો ઉદ્દીપન (stimulus) રૂપે આ ચેતાતંત્રના કોષો ઝીલે છે અને પ્રત્યુત્તર રૂપે અનુરૂપ…

વધુ વાંચો >

ચેતાપીડ, ત્રિશાખી (trigeminal neuralgia)

ચેતાપીડ, ત્રિશાખી (trigeminal neuralgia) : મગજમાંથી નીકળતી પાંચમી કર્પરી ચેતા(carnial nerve)ના ક્ષેત્રનો દુખાવો. પાંચમી કર્પરી ચેતાને 3 શાખાઓ છે અને તેથી તેને ત્રિશાખી ચેતા (trigeminal nerve) કહે છે. તેની ઉપલી શાખા કપાળના ભાગમાંની, વચલી શાખા ચહેરાના ઉપલા જડબાના ભાગમાંની તથા નીચલી શાખા ચહેરાના નીચલા જડબાના ભાગમાંની સંવેદનાઓનું વહન કરે છે.…

વધુ વાંચો >

ચેતારોધ (nerve block)

ચેતારોધ (nerve block) : સ્થાનિક સંવેદનાઓ લઈ જતી ચેતામાં અથવા તેની આસપાસ દવાનું ઇન્જેક્શન આપીને દુખાવો મટાડવો તે. જે વિસ્તારમાં દુખાવો થતો હોય તેની સંવેદનાનું વહન કરતી ચેતા કે ચેતાઓના સમૂહને આ પદ્ધતિ દ્વારા નિષ્ક્રિય કરાય છે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો છે અને તેમને તાનિકા (meninges) કહે છે. તેમનાં નામ…

વધુ વાંચો >

ચેતાવહનવેગ

ચેતાવહનવેગ : જુઓ ચેતાઆવેગ

વધુ વાંચો >

ચેતા-સ્નાયુ-સંગમ (neuro-muscular junction)

ચેતા-સ્નાયુ-સંગમ (neuro-muscular junction) : ચેતાતંતુ (જ્ઞાનતંતુ) અને સ્નાયુકોષ વચ્ચેનું જોડાણ. ચેતામાં વહેતો આવેગ કાં તો બીજા ચેતાતંતુમાં જાય છે અથવા તો તે સ્નાયુકોષ પર જાય છે અને ત્યાં તેના પરિણામ રૂપે, અનુક્રમે ચેતા-આવેગ અથવા સ્નાયુ સંકોચન ઉદભવે છે. બે ચેતાતંતુઓ વચ્ચેના જોડાણને ચેતાગ્રથન અથવા અંતર્ગ્રથન (synapse) કહે છે જ્યારે ચેતાતંતુ…

વધુ વાંચો >

ચેદિ (દેશ)

ચેદિ (દેશ) : મધ્યપ્રદેશના બુંદેલખંડના પૂર્વ ભાગ અને તેની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋગ્વેદ, મહાભારત, બૌદ્ધ સાહિત્ય વગેરેમાં તેનો ઉલ્લેખ છે. ચેદિ રાજાએ યમુનાના દક્ષિણ કિનારે રાજ્ય સ્થાપ્યું હતું. 16 મહાજનપદોનો બૌદ્ધસાહિત્યમાં ઉલ્લેખ છે. તે પૈકી ચેદિ એક જનપદ હતું. બૌદ્ધસાહિત્ય પ્રમાણે કાશી અને ચેદિ એકમેકનાં પડોશી રાજ્યો હતાં અને…

વધુ વાંચો >

ચેદિઓ

ચેદિઓ : વૈદિક સમયની એક પ્રાચીન જાતિ. તે લોકો સંભવત: યમુના નદી અને વિંધ્યાચળ પર્વત વચ્ચેના પ્રદેશમાં રહેતા હતા. તેમના કશુ નામના રાજાએ તેના પુરોહિતને 10 રાજાઓ સેવક તરીકે દાનમાં આપ્યા હતા એવો ‘દાનસ્તુતિ’માં ઉલ્લેખ છે. ચેદિઓ યદુઓમાંથી ઊતરી આવ્યા હતા એવી માહિતી પૌરાણિક સાહિત્યમાંથી મળે છે. યાદવોના નેતા વિદર્ભ…

વધુ વાંચો >

ચેદિ સંવત

ચેદિ સંવત : જુઓ સંવત (કલચુરિચેદિ સંવત)

વધુ વાંચો >

ચૅધામ ટાપુઓ (Chatham Islands)

ચૅધામ ટાપુઓ (Chatham Islands) : ન્યૂઝીલૅન્ડના તાબાના ટાપુઓનું જૂથ. ભૌગોલિક સ્થાન : 43° 55’ દ. અ. અને 176° 30’ પ. રે.. તે ન્યૂઝીલૅન્ડથી પૂર્વમાં આશરે 800 કિમી. દૂર દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા છે. આ ટાપુઓનું કુલ ક્ષેત્રફળ 967 ચોકિમી. જેટલું છે. આ ટાપુઓની ઉત્પત્તિ જ્વાળામુખી પ્રક્રિયાથી થયેલી છે, પણ કેટલાક…

વધુ વાંચો >

ચૅનલ ટાપુઓ

ચૅનલ ટાપુઓ : ‘નોર્મન્ડીના ટાપુઓ’ તરીકે ઓળખાતા ટાપુઓ. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચૅનલ(ખાડી)માં ઇંગ્લૅન્ડના દક્ષિણ કાંઠાથી આશરે 130 કિમી.ના અંતરે અને ફ્રાન્સના કોટેન્ટીન દ્વીપકલ્પની પશ્ચિમે લગભગ 49° 20’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 2° 40’ પ. રેખાંશવૃત્ત પર આવેલા છે. તેમનું કુલ ક્ષેત્રફળ આશરે 194 ચોકિમી. જેટલું છે. આ ટાપુઓના જૂથમાં ઍલ્ડર્ની,…

વધુ વાંચો >

ચેરાપુંજી

Jan 13, 1996

ચેરાપુંજી : ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં પૂર્વ ખાસી ટેકરીઓ નામના જિલ્લામાં આવેલું ભારે વરસાદ માટે પંકાયેલું નગર. તે મેઘાલયના પાટનગર શિલોંગથી 55 કિમી. વાયવ્યે આવેલું છે. દુનિયામાં સૌથી વધુ વરસાદ મેળવતાં સ્થળો પૈકી તેનું બીજું સ્થાન છે. અહીં સરાસરી વાર્ષિક 11,430 મિમી. વરસાદ પડે છે. બંગાળના ઉપસાગર ઉપરથી વાતા નૈર્ઋત્યના…

વધુ વાંચો >

ચેરી

Jan 13, 1996

ચેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેની બે મુખ્ય જાતિઓ છે : (1) Prunus avium Linn (મીઠી ચેરી) અને (2) P. cerasus Linn (ખાટી ચેરી, લાલ ચેરી). મીઠી ચેરીનું વૃક્ષ 24 મી. સુધીની ઊંચાઈ ધરાવતું, ઉન્નત કે પિરામિડ સ્વરૂપનું હોય છે. તેની છાલ રતાશ પડતી કે ભૂરા રંગની…

વધુ વાંચો >

ચેરીની વાડી (‘ધ ચેરી ઑર્ચાર્ડ’)

Jan 13, 1996

ચેરીની વાડી (‘ધ ચેરી ઑર્ચાર્ડ’) : રૂસી વાર્તાકાર અને નાટ્યકાર એન્તોન ચેહફના પ્રખ્યાત ચારઅંકી નાટક ‘વિશ્નોવી સાદ’(1904)નો ગુજરાતી અનુવાદ. પુરાણી જમીનદારી પદ્ધતિના પ્રતિનિધિ જેવાં માદામ રાનેવ્સ્કી વિદેશોમાં ઉડાઉ ખર્ચાળ જીવન જીવે; એની ખોળે લીધેલી દીકરી વાર્યા બાર સાંધતાં તેર તૂટે છતાં માતા રાનેવ્સ્કીના વૈભવી જીવનને ટેકો આપવા મથે; એ બધું…

વધુ વાંચો >

ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ

Jan 13, 1996

ચેરેન્કવ, પાવેલ એલેક્સિયેવિચ (જ. 15 જુલાઈ 1904, વૉરૉનેઝ, રશિયા; અ. 6 જાન્યુઆરી 1990, રશિયા) : ‘ચેરેન્કવ અસર’ની શોધ માટે 1958માં ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર રશિયન ભૌતિકશાસ્ત્રી. તેમનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. 1928માં વૉરૉનેઝ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને સોવિયેટ યુનિયનના મૉસ્કોમાં ‘એકૅડેમી ઑવ્ સાયન્સ’ના ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સંશોધનકાર્ય શરૂ કર્યું.…

વધુ વાંચો >