૭.૦૧

ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી ચમનલાલ ‘ચમન’

ચતુર્મુખ પ્રાસાદ

ચતુર્મુખ પ્રાસાદ : જૈન મંદિરનું વિશિષ્ટ સ્થાપત્ય-સ્વરૂપ. આમાં મધ્યના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત ચતુર્મુખ જિનમૂર્તિઓનાં સમ્મુખ દર્શન થાય એવી રીતે ચારેય દિશાઓમાં એક એક પ્રવેશદ્વાર ઊભું કરવામાં આવેલ હોય છે. આમાં એક જ તીર્થંકરની ચાર પ્રતિમાઓ અથવા તો જુદા જુદા ચાર તીર્થંકરોની પ્રતિમાઓને પીઠથી એકબીજી સાથે એવી રીતે ગોઠવવામાં આવે છે કે…

વધુ વાંચો >

ચતુર્મુખ રસ

ચતુર્મુખ રસ : ક્ષયરોગમાં વપરાતી આયુર્વેદની પ્રસિદ્ધ ઔષધિ. તેમાં શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, લોહભસ્મ, અભ્રકભસ્મ અને સુવર્ણભસ્મને ખરલમાં ઘૂંટી કુંવારપાઠાનો રસ, ત્રિકટુ ક્વાથ, ત્રિફલા ક્વાથ, સાટોડીનો સ્વરસ, કૌંચાનો ક્વાથ, લવિંગનો ક્વાથ, ચિત્રકમૂળનો ક્વાથ તથા પદ્મકાષ્ઠના ક્વાથની સાથે એક એક દિવસ ભાવના આપી સૂકવીને ચૂર્ણરૂપમાં તૈયાર કરવામાં આવે છે. આ ઔષધની…

વધુ વાંચો >

ચતુર્વેદી, પરશુરામ

ચતુર્વેદી, પરશુરામ (જ. 25 જુલાઈ 1894, જવહી ગાંવ, જિ. બલિયા, ઉ. પ્ર.) : સંત-સાહિત્ય અને ઉત્તર ભારતની સંત પરંપરાના મૂર્ધન્ય વિદ્વાન, આલોચક અને વૈજ્ઞાનિક સમીક્ષા-પદ્ધતિના પ્રયોજક. પિતાનું નામ રામછબીલે ચતુર્વેદી. બચપણથી જ પાઠશાળામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. બલિયામાં મામાને ત્યાં રહી અંગ્રેજી શિક્ષણ લીધું અને 1914માં મૅટ્રિક પાસ થયા. પછીના શિક્ષણ…

વધુ વાંચો >

ચતુર્વેદી, માખનલાલ

ચતુર્વેદી, માખનલાલ (જ. 4 એપ્રિલ 1888, બાબઈ, જિ. હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 30 જાન્યુઆરી 1968, ખંડવા) : હિંદીના પ્રસિદ્ધ કવિ, અગ્રણી પત્રકાર તથા સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતા પંડિત નંદલાલ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે બુંદેલખંડમાં પારંપરિક સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પોતાના પ્રયત્નથી અંગ્રેજી તથા અન્ય ભારતીય ભાષાઓ…

વધુ વાંચો >

ચતુર્વેદી, સુલોચના

ચતુર્વેદી, સુલોચના (જ. 1937, પ્રયાગરાજ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-શૈલીના રામપુર ઘરાનાનાં જાણીતાં ગાયિકા. મૂળ નામ સુલોચના કાલેકર. પિતાનું નામ પંઢરીનાથ તથા માતાનું નામ બિમલાબાઈ. શરૂઆતમાં તેમણે સંગીતની તાલીમ અલ્લાહાબાદના પ્રખર સંગીતકાર તથા ગાયક પંડિત ભોલાનાથ ભટ્ટ પાસેથી મેળવી. તેમણે અંગ્રેજી વિષય સાથે અલ્લાહાબાદ યુનિવર્સિટીની એમ.એ.ની તથા ગંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીતાલંકાર’ની…

વધુ વાંચો >

ચતુષ્કોણ (quadrilateral)

ચતુષ્કોણ (quadrilateral) : યુક્લિડની ભૂમિતિ અનુસાર સમતલમાં દોરેલી ચાર બાજુથી બંધાયેલી આકૃતિ. વ્યાખ્યા : A, B, C અને D ચાર ભિન્ન બિંદુઓ છે. તે પૈકી કોઈ પણ ત્રણ એક જ રેખામાં નથી. વળી AB, BC, CD અને DA રેખાખંડો માત્ર તેમનાં અન્ત્ય બિંદુએ છેદે છે. રેખાખંડોના આવા યોગને ચતુષ્કોણ ABCD…

વધુ વાંચો >

ચતુ:સૂત્રી

ચતુ:સૂત્રી : જુઓ બ્રહ્મસૂત્ર

વધુ વાંચો >

ચદુરંગા

ચદુરંગા (જ. 1 જાન્યુઆરી 1916, કલ્લાહલ્લી, કર્ણાટક; અ. 19 ઑક્ટોબર 1998, મૈસૂર, કર્ણાટક) : જાણીતા કન્નડ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર તેમજ ફિલ્મ-નિર્માતા અને નિર્દેશક. તેમની નવલકથા ‘વિશાખા’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમનું મૂળ નામ એમ. સુબ્રહ્મણ્યરાજ ઉર્સ. 1942માં મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી હતી.…

વધુ વાંચો >

ચન્દ્રયાન 3

ચન્દ્રયાન 3 : ચન્દ્રયાન 2નું અનુગામી અભિયાન ચન્દ્રયાન 3 છે. તેનો મુખ્ય હેતુ ચંદ્રની સપાટી પર હળવેકથી ઉતરાણ કરવાની સુવાંગ ટેકનોલોજીનું નિર્દેશન કરવાનો તેમજ ચાલણગાડીને (Rover) ચાંદ પર લટાર મારવાની ટેકનોલૉજીનું નિર્દેશન કરવાનો હતો જેમાં 100% સફળતા મળી છે. તેમાં વિક્રમ લેંડર અને પ્રજ્ઞાન રોવર હતા. ચન્દ્રયાન 3નું પ્રક્ષેપણ એલવીએમ-3…

વધુ વાંચો >

ચમત્કાર

ચમત્કાર : ભૌતિક પરિબળો કે માનવશક્તિના પ્રભાવથી બની ન શકે તેવો આશ્ચર્યજનક બનાવ. ચમત્કારમાં ભૌતિક તેમજ માનસિક જગતના કુદરતી નિયમોનું કોઈ દૈવી તત્વ દ્વારા અતિક્રમણ થતું જણાય છે. આમ, ચમત્કાર હંમેશાં કોઈ દૈવી તત્વની ચમત્કારિક શક્તિને કારણે બને છે. આ દૈવી તત્વ કોઈ દેવ કે ઈશ્વર પણ હોઈ શકે અથવા…

વધુ વાંચો >

ચઉપ્પન્નમહાપુરિસચરિયં

Jan 1, 1996

ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…

વધુ વાંચો >

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)

Jan 1, 1996

‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…

વધુ વાંચો >

ચકલી

Jan 1, 1996

ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…

વધુ વાંચો >

ચકોર

Jan 1, 1996

ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…

વધુ વાંચો >

ચક્કર (vertigo)

Jan 1, 1996

ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…

વધુ વાંચો >

ચક્ર

Jan 1, 1996

ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…

વધુ વાંચો >

ચક્ર (ફિલ્મ)

Jan 1, 1996

ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…

વધુ વાંચો >

ચક્ર અને ધુરા/ધરી

Jan 1, 1996

ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…

વધુ વાંચો >

ચક્રપાલિત

Jan 1, 1996

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચક્રફેંક

Jan 1, 1996

ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…

વધુ વાંચો >