૬(૨).૦૮
ગુજરાત (પાક્ષિક)થી ગુજરાતી (સામયિક)
ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો
ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો : ગુજરાતમાં સાહિત્યસર્જનના ક્ષેત્રે અપાતા વિવિધ પુરસ્કારો. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાની કદર કરવાની વૃત્તિ સંસ્કારી પ્રજામાં વિકસેલી છે. વિવિધ કલાઓ, સાહિત્ય, શિક્ષણ, સેવા, રમતગમત, શૌર્ય-સાહસ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાની વિશિષ્ટ શક્તિને પ્રમાણીને એનું પોષણ, સંવર્ધન અને પ્રોત્સાહન કરવામાં આવે છે. ગુજરાતમાં…
વધુ વાંચો >ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918)
ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918) : કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. કૃતિ તરીકે સ્વતંત્ર છતાં કથા તરીકે ‘પાટણની પ્રભુતા’ની કથાનું અનુસંધાન છે. નવલકથા ચાર વિભાગોમાં વહેંચાયેલી છે, જે કથાવિકાસની જ ચાર ભૂમિકાઓ છે. લાટનો સુભટ કાક અને કૃષ્ણદેવ નામ ધારણ કરી છદ્મવેશે આવેલો જૂનાગઢનો કુંવર ખેંગાર, પાટણને પાદરે નગરપ્રવેશની રાહ જોતાં…
વધુ વાંચો >ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા
ગુજરાત ફૉરેસ્ટ રેન્જર્સ કૉલેજ, રાજપીપળા : વનવિસ્તારના અધિકારીઓની તાલીમ માટેની સરકાર હસ્તકની સંસ્થા. વનવિસ્તારની તાંત્રિક વ્યવસ્થામાં વનખંડ અધિકારીઓ (rangers) ઘણી અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. તેઓ વનસંરક્ષણમાં, વનવિકાસનાં કામોમાં તેમજ વનવિસ્તરણ માટેની વિવિધ પ્રક્રિયાઓમાં વન અંગેનાં કામો પરની ક્ષેત્રીય કક્ષાની દેખરેખ, તેની તાંત્રિક ચકાસણી, માપચકાસણી, તે માટેની નાણાકીય ચુકવણી, હિસાબી…
વધુ વાંચો >ગુજરાત ભૂગોળ મંડળ
ગુજરાત ભૂગોળ મંડળ : ગુજરાત ભૂગોળ મંડળ (ગુજરાત જિયોગ્રાફિકલ ઍસોસિયેશન – GGA) ગુજરાતના ભૂગોળશાસ્ત્રીઓની એક નોંધાયેલ વ્યાવસાયિક સંસ્થા. જેની સ્થાપના સન 1984માં સ્વર્ગસ્થ પ્રોફેસર અંબુભાઈ દેસાઈ, વી. જી. દલાલ, એન. જી. પરીખ, કે. જે. પટેલ(ગાંધીનગર), પ્રાધ્યાપક ડૉ. અંજના દેસાઈ, કે. એન. જસાણી અને ડૉ. કે. એમ. કુલકર્ણીના અથાગ પ્રયત્નોથી નિર્માણ…
વધુ વાંચો >ગુજરાતમિત્ર
ગુજરાતમિત્ર : સૂરતથી પ્રગટ થતું અગ્રણી ગુજરાતી દૈનિક. તેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1863ના રોજ સૂરતમાં દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પ્રામાણિક અને નિર્ભીક પત્રકારે કરી હતી. પ્રારંભે ‘ગુજરાતમિત્ર’નું નામ ‘સૂરતમિત્ર’ હતું. પણ એક જ વર્ષમાં 11 સપ્ટેમ્બર 1864થી તે ‘ગુજરાતમિત્ર’ બન્યું. દર રવિવારે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર’ ત્યારે સાપ્તાહિક હતું. 1862માં…
વધુ વાંચો >ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ
ગુજરાત મ્યુઝિયમ સોસાયટી, સંસ્કાર-કેન્દ્ર, અમદાવાદ : મધ્યયુગીન ભારતના પહાડી, મુઘલ, સલ્તનત, રાજસ્થાની અને ગુજરાતી લઘુચિત્રો ધરાવતા વિશ્વવિખ્યાત ‘નાનાલાલ ચમનલાલ મહેતા સંગ્રહ’નું કાયમી ધોરણે પ્રદર્શન કરતું અમદાવાદ ખાતેનું મ્યુઝિયમ. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ‘સંસ્કાર-કેન્દ્ર’માં આ મ્યુઝિયમનું ઉદઘાટન 1963માં ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ કર્યું હતું. 1993માં આ મ્યુઝિયમ અમદાવાદના…
વધુ વાંચો >ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ પશ્ચિમ ભારતની એક મોટામાં મોટી યુનિવર્સિટી. સ્થાપના : 1949. જૂના મુંબઈ પ્રાંતે પસાર કરેલ ‘ધ ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ, 1949’ અન્વયે તેનું નિર્માણ થયું. ગુજરાત યુનિવર્સિટીના કૅમ્પસનો કુલ વિસ્તાર 250 એકર છે. ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ (1949) દ્વારા ‘શિક્ષણ તેમજ જોડાણ આપતી’ (teaching and affiliating) યુનિવર્સિટી…
વધુ વાંચો >ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ
ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ : ગુજરાતમાં શાળા, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન અને સંશોધન કરતા શિક્ષકો, અધ્યાપકો તેમજ ગુજરાતના જાહેર જીવનમાં રસ અને નિસબત ધરાવતા નાગરિકોનું બનેલું મંડળ. શરૂઆતમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કરતા કેટલાક મિત્રો અનૌપચારિક રીતે અમદાવાદમાં મળતા ત્યારે ગુજરાતવ્યાપી મંડળ ઊભું કરવાનો વિચાર કેટલાકને સ્ફુર્યો. ડિસેમ્બર 1966માં અખિલ…
વધુ વાંચો >ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી)
ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી) : સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી, 1978માં સ્થપાયેલ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું સંગઠન. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)ના પૂર્વ નિયામક ડૉ. સુધીરભાઈ પંડ્યા, કમ્પ્યૂટર વિભાગના શ્રી સુરેશભાઈ ઠાકોર, ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણવિદ અને ગણિતશાસ્ત્રી ડૉ. પ્ર. ચૂ. વૈદ્ય અને અન્યના સહયોગ તથા માર્ગદર્શન સાથે આ એકૅડેમીની સ્થાપના કરવામાં આવી. તેમાં…
વધુ વાંચો >ગુજરાત (પાક્ષિક)
ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…
વધુ વાંચો >ગુજરાત (માસિક)
ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…
વધુ વાંચો >ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ
ગુજરાત અર્થશાસ્ત્ર મંડળ : અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા આર્થિક સમસ્યાઓ પ્રત્યે ચર્ચા-વિચારણા દ્વારા સભાનતા કેળવતી સંસ્થા. સ્થાપના 1969. ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પ્રો. સી. એન. વકીલ તેના સ્થાપક પ્રમુખ હતા. જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. ડી. ટી. લાકડાવાલા પણ તેના પ્રમુખ ચૂંટાયા હતા. મંડળના ઉદ્દેશોમાં આર્થિક બાબતોને સ્પર્શતું સંશોધન કરવું, ચર્ચાસભાઓ, પરિષદો તથા ઓપ…
વધુ વાંચો >ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute)
ગુજરાત ઇજનેરી સંશોધન સંસ્થા (Gujarat Engineering Research Institute) : ‘ગેરી’ના ટૂંકા નામે ઓળખાતી સિવિલ ઇજનેરી એટલે કે બાંધકામશાસ્ત્ર ક્ષેત્રે સંશોધન અને વિકાસનું કામ કરતી રાજ્ય સરકારની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની મુખ્ય કચેરી વડોદરામાં આવેલી છે. 1960ની સાલમાં ઇજનેરી સંશોધન સંસ્થા તરીકેનો દરજ્જો હાંસલ કર્યો ત્યારથી આજ સુધી આ સંસ્થાએ રાજ્યના…
વધુ વાંચો >ગુજરાત ઇતિહાસ પરિષદ
ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…
વધુ વાંચો >ગુજરાત કેળવણી પરિષદ
ગુજરાત કેળવણી પરિષદ : શિક્ષણની સર્વગ્રાહી વિચારણા માટે ભરાયેલી પરિષદ. પ્રથમ પરિષદ 23 અને 24 ઑક્ટોબર 1916ના દિવસે ચીમનલાલ સેતલવડના પ્રમુખપદે અમદાવાદમાં મળી હતી. મહાત્મા ગાંધી, રણજિતરામ, ઇન્દુલાલ યાજ્ઞિક, સુમંત મહેતા વગેરે કાર્યકરો તથા ગુજરાતનાં દેશી રાજ્યોના વિદ્યાધિકારીઓએ તેમાં હાજરી આપી ચર્ચામાં ભાગ લીધો હતો. આ પરિષદમાં નીચે મુજબના ઠરાવો…
વધુ વાંચો >ગુજરાત કૉલેજ
ગુજરાત કૉલેજ : ગુજરાત પ્રદેશની જૂનામાં જૂની કૉલેજ. સ્થાપના 13 જુલાઈ 1861. 1855ના મે માસના સરકારી ગેઝેટમાં મુંબઈ સરકારે અમદાવાદમાં કૉલેજ સ્થાપવાની જાહેરાત કરેલી. 1856માં મુંબઈ સરકારે ઉત્તર વિભાગના શિક્ષણ નિરીક્ષક તરીકે થિયોડોર હોપની નિમણૂક કરી હતી. 1856ના એપ્રિલની બીજી તારીખે થિયોડોર હોપના પ્રયત્નથી અમદાવાદમાં કૉલેજ સ્થાપવાના પ્રશ્નની ચર્ચા કરવા…
વધુ વાંચો >ગુજરાત ગણિત મંડળ
ગુજરાત ગણિત મંડળ : ગુજરાતમાંના ગણિતના અભ્યાસીઓ તથા ગણિતચાહકોનું મંડળ. આ મંડળની સ્થાપના 1963માં ડૉ. પ્ર. ચુ. વૈદ્યે કરી હતી. મંડળનું ધ્યેય ગુજરાતમાં ગણિતને અભ્યાસના તેમજ શોખના વિષય તરીકે પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિ કરવા, ગણિતક્ષેત્રની સિદ્ધિઓ અને સમાચારોથી સૌને માહિતગાર રાખવા, ગુજરાતની ગાણિતિક પ્રતિભાઓ શોધીને તેમનું સંવર્ધન કરવા અને સામાન્ય…
વધુ વાંચો >ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) : ગુજરાત સરકારની વિવિધ રાજ્ય સેવા માટે અધિકારીઓની પસંદગી કરનારું તંત્ર. કલ્યાણ રાજ્યની વિભાવના અને સમાજવાદી વિચારસરણીની સરકારો દ્વારા થતા અમલને પરિણામે વહીવટી માળખામાં ધરખમ વધારો થાય છે. વહીવટ માટે કાર્યક્ષમ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂરિયાત રહે છે. તેમની પસંદગીમાં લાગવગ, ભ્રષ્ટાચાર કે સગાવાદને સ્થાન ન…
વધુ વાંચો >