૫.૦૮
કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન)થી કૃમિમાર્ગો
કૃમિજન્ય રોગો (પશુ)
કૃમિજન્ય રોગો (પશુ) : પશુઓનાં શરીરમાં પરોપજીવી તરીકે જીવતા ગોળ અને ચપટા કૃમિઓ દ્વારા ઉદભવતા રોગો. ગોળ કૃમિઓને ગોળકૃમિ (aschelminthes અથવા nemathelminthes) સમુદાયનાં જ્યારે ચપટાં કૃમિઓને પૃથુકૃમિ (platyhelminthes) સમુદાયનાં ગણવામાં આવે છે. કૃમિઓને લગતા વિજ્ઞાનને કૃમિશાસ્ત્ર (helminthology) કહે છે. ગોળકૃમિઓ દ્વારા ઉદભવતા રોગો : નળાકાર ગોળકૃમિઓ લાંબાં અને બે છેડે…
વધુ વાંચો >કૃમિમાર્ગો
કૃમિમાર્ગો : ખડક-સપાટી પરનાં જળવાઈ રહેલાં પ્રાણીઓનાં પદચિહનો. જળકૃત ખડકોમાં પ્રાચીન કાળનાં પ્રાણીઓ દ્વારા થયેલા હલનચલનના માર્ગો દર્શાવતાં પદચિહનો જેવાં લક્ષણો જોવા મળે છે. આવાં ચિહનોને કૃમિમાર્ગો તરીકે ઓળખાવાય છે. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓનાં આ પ્રકારનાં માર્ગચિહનોને અંગ્રેજીમાં Tracks and Trails કહે છે. જળકૃત ખડકોમાં જોવા મળતાં આ જીવજન્ય લક્ષણોને…
વધુ વાંચો >કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન)
કૃત્રિમ બીજદાન (પશુવિજ્ઞાન) સારા નરનું વીર્ય મેળવી, તેની ચકાસણી કરી, વેતરે આવેલ માદાના ગર્ભાશયમાં મૂકવાની રીત. પશુસંવર્ધનની આ પદ્ધતિ સદીઓ પુરાણી છે અને દિન-પ્રતિદિન તેમાં ઘણા સુધારા થતાં આજે વિશ્વભરમાં પશુપ્રજનનક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ગાયો-ભેંસોનું સરેરાશ દૂધ-ઉત્પાદન દેશની જરૂરિયાત કરતાં અને બીજા વિકસિત દેશોની ગાયોની સરખામણીમાં…
વધુ વાંચો >કૃત્રિમ બુદ્ધિમત્તા
કૃત્રિમ બુદ્ધિમત્તા : માનવબુદ્ધિનાં કાર્યો યંત્ર દ્વારા ગોઠવવાની કુશળતા. યાદ રાખવું, યાદદાસ્ત તાજી કરવી, તર્કથી વિચારવું, વિવિધ વિચારો વચ્ચે સંબંધ જોડવા, નવા વિચાર વિકસાવવા અગર વિચાર-વિસ્તાર કરવો, વ્યૂહરચનાઓ અને કાર્યક્રમ ઘડવા, અનુભવમાંથી શીખવું, પોતે પોતાને સુધારવું વગેરે માનવબુદ્ધિનાં કાર્યો કરવાની શક્તિ જ્યારે કોઈ યંત્ર દ્વારા ગોઠવવામાં આવે ત્યારે તે ‘કૃત્રિમ…
વધુ વાંચો >કૃત્રિમ વરસાદ
કૃત્રિમ વરસાદ : માનવસર્જિત હવામાન-રૂપાન્તરણ દ્વારા વાતાવરણીય સંજોગો અનુકૂળ બનાવીને મેળવાતો વરસાદ. કૃત્રિમ વરસાદ-કાર્યક્રમથી મળતું વર્ષાજળ કૃત્રિમ નથી હોતું. વરસાદના સંજોગો અન્યથા વિપરીત હોવા છતાં માનવહસ્તક્ષેપને કારણે વરસાદની પ્રક્રિયાઓ ફળદાયી થતાં જે વરસાદ પડે છે તે કુદરતી જ હોય છે. જેમાં તાપમાન બધે 0o સે. કરતાં વધારે હોય તેવા વાદળને…
વધુ વાંચો >કૃપાનિવાસ
કૃપાનિવાસ (જ. 1750 – અ.–) : રામોપાસનાના પ્રમુખ આચાર્ય. કૃપાનિવાસ શૃંગારી દ્રવિડ દેશ(દક્ષિણ ભારત)માં ઈ. સ. 1750ની આસપાસ પ્રગટ થયા હતા. તેમના પિતાનું નામ સીતાનિવાસ અને માતાનું નામ ગુણશીલા હતું. તેઓ શ્રીરંગના ઉપાસક હતા. બાળપણમાં રામાનુજીય વૈષ્ણવ સંત આનંદ-વિલાસ પાસે દીક્ષિત થયા અને પંદર વર્ષની વયે ઘરબાર છોડી વિરક્ત થયા.…
વધુ વાંચો >કૃપાલાની જીવતરામ આચાર્ય
કૃપાલાની, જીવતરામ આચાર્ય (જ. 1888, હૈદરાબાદ [સિંધ]; અ. 19 માર્ચ 1982, અમદાવાદ) : મહાત્મા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓમાંના એક પ્રખર દેશભક્ત. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના પહેલી હરોળના નેતા અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કરનાર, સત્તાથી દૂર રહેનાર, સેવાભાવી રાજપુરુષ. જે. બી. (જીવતરામ ભગવાનદાસ) કૃપાલાનીએ મુંબઈની વિલ્સન કૉલેજ, કરાંચીની ડી. જે. સિંધ કૉલેજ અને…
વધુ વાંચો >કૃપાલાની સુચેતા
કૃપાલાની, સુચેતા (જ. 25 જૂન 1908, અંબાલા; અ. 1 ડિસેમ્બર 1974, દિલ્હી) : પ્રખર ગાંધીવાદી મહિલા નેતા અને રાજનીતિજ્ઞ. પિતા મેડિકલ ઑફિસર હતા. વીમેન્સ કૉલેજ, લાહોરમાંથી સ્નાતકની પદવી તથા સેન્ટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હીમાંથી એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. શિક્ષક તરીકે વ્યાવસાયિક કારકિર્દી શરૂ કરી તથા ત્રણ વર્ષ સુધી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં…
વધુ વાંચો >કૃપાલ્વાનંદજી સ્વામી
કૃપાલ્વાનંદજી, સ્વામી (જ. 13 જાન્યુઆરી 1913, ડભોઈ, જિ. વડોદરા) : યોગી અને સંગીતકાર. પિતા જમનાદાસ; ગૃહસ્થી જીવનનું નામ સરસ્વતીચંદ્ર. બાળપણથી સંગીત પ્રત્યે તીવ્ર અભિરુચિ. પિતા તરફથી વૈષ્ણવભક્તિના સંસ્કારો મળેલા. સાત વર્ષના હતા ત્યારે પિતાજીનું મૃત્ય થયું. મોટાભાઈ કૃષ્ણદાસ સંગીતના સારા જાણકાર; તેમની પાસેથી સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. તે સમયે ડભોઈમાં…
વધુ વાંચો >કૃમિ
કૃમિ (worms) : ઉપાંગ વગરનું ગોળ અથવા ચપટું અને મૃદુ શરીર ધરાવતાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ. તેની સાચી શરીરગુહા હોય કે ન પણ હોય. કૃમિ-કાચંડા (worm-lizard) અને કૃમિ-મત્સ્ય (worm-fish) જેવાં પૃષ્ઠવંશી પ્રાણીઓ કૃમિ જેવા આકારનાં હોવા છતાં તે વાસ્તવિક રીતે કૃમિ નથી. કેટલાક કીટકોની ઇયળોને પણ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. કૃમિનાં…
વધુ વાંચો >કૃમિ (આયુર્વેદ)
કૃમિ (આયુર્વેદ) : દૂષિત ખોરાક કે પાણી પીવાથી અન્નમાર્ગમાં ચૂંક કે દુખાવાનો રોગ પેદા કરનાર સૂત્રકૃમિ સમુદાયના સૂક્ષ્મ જીવો. બાળકોમાં મુખ્યત્વે કરમિયાનો રોગ આ કૃમિઓ દ્વારા થાય છે. ગંદા આવાસોમાં રહેનારા આ રોગનો ભોગ બને છે. કૃમિના બે પ્રકાર છે : (1) સહજ અને (2) વૈકારિક. સહજ કૃમિ શરીરની સાથે…
વધુ વાંચો >કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન)
કૃમિજન્ય રોગ (helminthiasis) (આયુર્વિજ્ઞાન) : આંતરડાં, લોહી તથા અન્ય પેશીઓમાં રહેતા કૃમિથી થતો રોગ (આકૃતિ 1). કૃમિ બહુકોષી, ત્રિસ્તરીય પરોપજીવી પ્રાણીઓ છે. તે ડાબી અને જમણી એમ બંને બાજુએ એકસરખી સંરચના (structure) ધરાવે છે. તેમને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. (ક) નિમેટોડા (નળાકારકૃમિ) વર્ગ : તેમાંના મુખ્ય કૃમિઓ આંતરડાંના…
વધુ વાંચો >