૩.૧૨

ઊ થાંથી ઊર્જા-સંરક્ષણ

ઊરુસ્તંભ

ઊરુસ્તંભ : સાથળ જકડાઈ જાય, હલનચલન મર્યાદિત થાય કે સંપૂર્ણપણે અટકી જાય તેવો રોગ. સુશ્રુતે આનો વાતવ્યાધિમાં સમાવેશ કર્યો છે, જ્યારે ચરકે તેને કફજન્ય ગણીને ઊરુસ્તંભ નામથી સ્વતંત્ર રોગ તરીકે વર્ણવ્યો છે. અત્યંત શીત, સ્નિગ્ધ, રુક્ષ અને ગુરુ પદાર્થોનું સેવન, અજીર્ણમાં ભોજન વગેરેથી વધતો આમદોષ, પિત્ત તથા મેદની સાથે સાંધામાં…

વધુ વાંચો >

ઊર્જન

ઊર્જન (excitation) : કોઈ પ્રણાલી (system) કે સાધન-(apparatus)ના એક ભાગને ઊર્જા આપતાં બીજો ભાગ કોઈ વિશિષ્ટ કાર્ય કરે તે સ્થિતિ (અવસ્થા). અણુ કે પરમાણુના ઇલેક્ટ્રૉન અથવા ન્યૂક્લિયસને બહારથી ઊર્જા આપતાં ધરાવસ્થા(grouand state)માંથી ઊંચી ઊર્જા-અવસ્થા પ્રાપ્ત કરે તો તેને પણ ઊર્જન કહેવામાં આવે છે. કોઈ એક પ્રણાલી કે સાધનનું ઊર્જન પ્રણાલીમાં…

વધુ વાંચો >

ઊર્જા

ઊર્જા વિભાવના : કોઈ પ્રણાલીની કાર્ય કરવાની શક્તિનું પ્રમાણ દર્શાવતો ગુણધર્મ. ભૌતિક વિશ્વને સમજવા માટેની ઊર્જાની વિભાવના ઘણી અગત્યની છે. મૂળ ગ્રીક ભાષાના ‘એનર્જિયા’ (energia) શબ્દ ઉપરથી ઊર્જા શબ્દ યોજાયેલો છે. (en = અંદર અને ergon = કાર્ય). ઊર્જા કાં તો કોઈ ભૌતિક સ્થિર પદાર્થ સાથે (દા. ત., સ્પ્રિંગનું ગૂંચળું)…

વધુ વાંચો >

ઊર્જાપટ્ટ સિદ્ધાંત

ઊર્જાપટ્ટ સિદ્ધાંત (Band Theory) : ઘન પદાર્થના ઇલેક્ટ્રૉનની ગતિ માટે ક્વૉન્ટમ-યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત. તેના નામ અનુસાર તે ઘન પદાર્થમાં આવેલા ઇલેક્ટ્રૉનની ઊર્જાની મર્યાદિત અવધિ (restricted range) અથવા પટ્ટાનું પૂર્વસૂચન (prediction) કરે છે. ઊર્જાપટ્ટ સિદ્ધાંત ઘન પદાર્થના વૈદ્યુત તથા ઉષ્મીય ગુણધર્મોને સ્પષ્ટ કરે છે. ટ્રાન્ઝિસ્ટર, તાપન-સાધનો (heating elements) અને ધારિત્ર (capacitors) જેવાં…

વધુ વાંચો >

ઊર્જા-સંરક્ષણ

ઊર્જા-સંરક્ષણ (energy, conservation of) : ભૌતિકશાસ્ત્રનો પ્રચલિત નિયમ. તે અનુસાર સંવૃત સમૂહપ્રણાલી(closed system)માં પરસ્પર ક્રિયા કરતા પદાર્થો કે કણોની ઊર્જા અચળ રહે છે. આમ ઊર્જાને ન તો ઉત્પન્ન કરી શકાય, કે ન તો તેનો વિનાશ કરી શકાય. પરંતુ ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતર કરી શકાય છે. ઊર્જાનું પ્રથમ…

વધુ વાંચો >

ઊ થાં

Jan 12, 1991

ઊ થાં (U Thant) (જ. 22 જાન્યુઆરી 1909, પૅન્ટાનો; અ. 25 નવેમ્બર 1974, ન્યૂયૉર્ક સિટી) : મ્યાનમારના મુત્સદ્દી, બૌદ્ધ ધર્મના સંનિષ્ઠ અનુયાયી તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના ત્રીજા મહામંત્રી (1962-71). રંગૂન વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ દરમિયાન દેશના પછી થનાર પંતપ્રધાન ઊ નુ સાથે પરિચય. પિતાના મૃત્યુને લીધે અભ્યાસ અધૂરો મૂકીને 1928માં પોતાના વતનમાં અંગ્રેજી…

વધુ વાંચો >

ઊધઈ

Jan 12, 1991

ઊધઈ (Termite) : શરીરમાંના પ્રજીવોની મદદથી લાકડું, કાગળ અને સેલ્યુલૉઝયુક્ત પદાર્થોને ખાઈને નુકસાન કરતા કીટકો. સમુદાય સંધિપાદ; વર્ગ : કીટક; શ્રેણી : ભંગુર પક્ષ કે સમપક્ષી (Isoptera); કુળ : ટર્મિટિડી (Termitidae). ગુજરાતમાં સામાન્ય પ્રજાતિઓ અને જાતિઓ : 1. ટ્રાયનર્વિસટર્મિસ બાયફોર્મિસ, 2. યુટર્મિસની જાતિઓ (Eutermis sp.), 3. ટર્મિસ (અથવા સાઇક્લોટર્મિસ ઓબેસર,…

વધુ વાંચો >

ઊના

Jan 12, 1991

ઊના : હિમાચલ પ્રદેશના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 31o 30¢ ઉ. અ. અને 76o 15¢ પૂ. રે.ની આજુબાજુનો 1,540 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કાંગરા, પૂર્વે હમીરપુર, અગ્નિકોણમાં બિલાસપુર જિલ્લા તથા દક્ષિણ અને પશ્ચિમમાં પંજાબ રાજ્યની…

વધુ વાંચો >

ઊના (તાલુકો)

Jan 12, 1991

ઊના (તાલુકો) : ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ઊના 20o 49¢ ઉ. અ. અને 71o 03¢ પૂ. રે. પર આવેલું છે. તાલુકામથકની આજુબાજુ પથરાયેલા તાલુકાનો કુલ વિસ્તાર 1,568 ચોકિમી. જેટલો છે. 2011 મુજબ તાલુકાની કુલ વસ્તી 3,60,000 જેટલી છે. જ્યારે તાલુકામથકની વસ્તી 18,722…

વધુ વાંચો >

ઊનાઈ

Jan 12, 1991

ઊનાઈ : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાંસદા તાલુકાનું ગામ. વિસ્તાર 3.11 ચોકિમી. વસ્તી 6,104 (2011). વાંસદાથી વ્યારા જતો રાજ્ય ધોરીમાર્ગ અહીંથી પસાર થાય છે. બિલિમોરાથી વઘાઈ જતી રેલવે પર બીલીમોરાથી પૂર્વે 42 કિમી. પર સ્ટેશન છે. તે અંબિકા નદીના ડાબે કાંઠે આવેલું યાત્રાધામ છે. ઊના પાણીના ઝરા માટે તે જાણીતું…

વધુ વાંચો >

ઊનામૂનો (ય જુગો)

Jan 12, 1991

ઊનામૂનો (ય જુગો) મિગ્વેલ દ (જ. 21 સપ્ટેમ્બર 1864, બિલ્બાઓ, સ્પેન; અ. 31 ડિસેમ્બર 1936, સૅલમૅન્ક) : સ્પૅનિશ તત્ત્વચિંતક, સાહિત્યકાર અને કેળવણીકાર. તેઓ કવિ, નવલકથાકાર, નાટ્યકાર તથા વિવેચક હતા. સ્પેનના તેમના સમયના સૌથી મહાન લેખક તરીકે તેમની ગણના થતી હતી. બિલ્બાઓમાં શાળાકીય શિક્ષણ પૂરું કરીને તેઓ 1880માં મૅડ્રિડ યુનિવર્સિટીમાં જોડાયા…

વધુ વાંચો >

ઊબકા અને વમન

Jan 12, 1991

ઊબકા અને વમન : ગળા કે પેટના ઉપરના ભાગમાં થતી તરત ઊલટી કરવાની સંવેદના તે ઊબકા તથા જઠરમાંના પદાર્થોને જોરથી મોં વાટે બહાર કાઢવાની ક્રિયા તે ઊલટી અથવા વમન. ખોપરીની અંદર દબાણ વધે ત્યારે ખૂબ જોરથી દૂર ફેંકાતી ઊલટી થાય છે અને તેને પ્રક્ષેપિત (projectile) વમન કહે છે. ઊબકા સામાન્યત:…

વધુ વાંચો >

ઊમાયસિટ્સ (Oomycetes)

Jan 12, 1991

ઊમાયસિટ્સ (Oomycetes) : જમીન કે પાણીમાં, વનસ્પતિ કે માછલી પર પરોપજીવી જીવન પસાર કરતી ફૂગ. સૃષ્ટિ : Protophyta (Protista); વિભાગ : Mycota; ઉપવિભાગ : Eumycotina; વર્ગ : Oomycetes. કેટલીક મૃતોપજીવી હોય છે. દેહરચના પ્રાથમિક એકકોષીય સુકાય (thallus) સ્વરૂપ અથવા તો બહુશાખીય તંતુમય કવકજાલ (mycelium) સ્વરૂપ. મોટાભાગની ફૂગ અંશકાયફલિક (ucarpic) હોય…

વધુ વાંચો >

ઊરુભંગ

Jan 12, 1991

ઊરુભંગ : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ ભાસનાં મનાતાં ત્રિવેન્દ્રમ રૂપકોમાંનું એક એકાંકી રૂપક. તેનું વસ્તુ મહાભારતકથા ઉપર રચાયેલું છે. આ કથા મહાભારતમાં શલ્યપર્વના ગદાયુદ્ધપર્વમાં મળી આવે છે. મહાભારતના યુદ્ધમાં સર્વસ્વનો નાશ થયા પછી દુર્યોધન પોતાની જલસ્તંભવિદ્યાના બલે એક જળાશયમાં ભરાઈને સંતાઈ જાય છે. પાંડવોએ અહીંથી તેને શોધી કાઢ્યો. પછી દુર્યોધન તથા…

વધુ વાંચો >

ઊરુવેલા

Jan 12, 1991

ઊરુવેલા : ગયા અને બુધગયાની વચ્ચે નેરંજરા (ફલ્ગુ) નદીનો વાલુકામય વિસ્તાર. પાલિ સાહિત્ય અનુસાર ગૌતમ બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્ત કરતાં પૂર્વે લાંબા સમય સુધી આ સ્થળે રહીને કઠિન તપશ્ચર્યા કરી હતી. ઊરુવેલા પાસેના સેનાની કસબાની રહીશ કન્યા સુજાતાએ બોધિસત્વને ખીર ખવડાવી હતી. કપિલવસ્તુથી રાજગૃહ જતાં બુદ્ધે ઊરુવેલામાં નિવાસ કરતા જટાધારી સેંકડો…

વધુ વાંચો >