૩.૦૮

ઉપરાથી ઉમદા વાયુઓ

ઉપાધિ (ન્યાયદર્શન)

ઉપાધિ (ન્યાયદર્શન) : સમીપવર્તી વસ્તુને પોતાનો ગુણધર્મ આપે તે. જેમ કે સામે મૂકેલા લાલ ફૂલથી શ્વેત સ્ફટિક પણ લાલ લાગે છે. ત્યાં લાલ ફૂલ ઉપાધિ કહેવાય. ન્યાયદર્શનોમાં ઉપાધિનો સંદર્ભ અનુમાનપ્રમાણ સાથે છે. અનુમાનનો આધાર વ્યાપ્તિ છે. વ્યાપ્તિ એટલે હેતુ અને સાધ્ય વચ્ચેનો નિયત સ્વાભાવિક સંબંધ. ‘જ્યાં ધૂમ ત્યાં અગ્નિ’ એ…

વધુ વાંચો >

ઉપાધ્યક્ષ (Deputy Speaker)

ઉપાધ્યક્ષ (Deputy Speaker) : સંસદ કે ધારાસભાના ગૃહમાં અધ્યક્ષ(speaker)ની અનુપસ્થિતિમાં તે સભાગૃહના કામકાજનું સંચાલન કરે છે. સામાન્ય ચૂંટણી પછી સંસદ કે ધારાસભાની પ્રથમ બેઠકમાં, સભ્યોના સોગંદવિધિ પછીનું સૌપ્રથમ કાર્ય અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાનું હોય છે અને જ્યાં સુધી આ કાર્ય સંપન્ન ન થાય ત્યાં સુધી સંસદ કે ધારાસભાના જે-તે…

વધુ વાંચો >

ઉપાધ્યાય

ઉપાધ્યાય : અધ્યાપન કરીને આજીવિકા ચલાવતો અધ્યાપક. જેની પાસે (उप) જઈને અધ્યયન કરવામાં આવે છે તેને ઉપાધ્યાય કહે છે. એક વ્યાખ્યા પ્રમાણે જે પોતાની આજીવિકા ચલાવવા માટે વેદનો કોઈ એક ભાગ તથા વેદાંગો ભણાવે છે તેને ઉપાધ્યાય કહેવામાં આવે છે. (एकदेशं तु वेदस्य वेदाङ्गान्यपि वा पुनः । योडध्यापयति वृत्यर्थं उपाध्यायः…

વધુ વાંચો >

ઉપાધ્યાય, દીનદયાળ

ઉપાધ્યાય, દીનદયાળ (જ. 25 સપ્ટેમ્બર 1916, ધનકિયા ગામ, રાજસ્થાન, ભારત; અ. 11 ફેબ્રુઆરી 1968, મુગલસરાઈ, ઉત્તરપ્રદેશ) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ પ્રચારક અને જનસંઘના અગ્રણી નેતા. પિતા ભગવતીપ્રસાદ. તેમની ખૂબ નાની વયે માતા-પિતાનું અવસાન થવાથી તેમનો ઉછેર મોસાળમાં થયો. અભ્યાસમાં તેઓ ઘણા તેજસ્વી હતા અને હંમેશાં પ્રથમ સ્થાને રહેતા હોવાથી…

વધુ વાંચો >

ઉપાધ્યાય, પુરુષોત્તમ

ઉપાધ્યાય, પુરુષોત્તમ (જ. 15 ઑગસ્ટ 1934; અ. 11 ડિસેમ્બર 2024, મુંબઈ, મહારાષ્ટ્ર) : નેવું વર્ષની જિંદગીમાં એંશી વરસ માતૃભાષાના પ્રેમમાં રમમાણ રહીને હલકભેર ગાયનોત્તમ તરફ ઝોક ધરાવતા સૂર, તાલ, લય અને ઢાળના જ્ઞાતા પુરુષોત્તમ ઉપાધ્યાયે ગુજરાતની રસ-કસભરી ધરા ઉપર આખીય સંગીતરસધારાનાં અમીછાંટણાં કર્યાં. પુરુષોત્તમભાઈના કંઠમાં ગાન સામર્થ્ય એવું હતું કે…

વધુ વાંચો >

ઉપાધ્યાય, પુષ્પલાલ

ઉપાધ્યાય, પુષ્પલાલ (જ. 17 ઑક્ટોબર  1906, લાઇમાકુરી, લક્ષ્મીપુર, આસામ ; અ. 30 ડિસેમ્બર 1989) : નેપાળી કવિ. તેમની રચના ‘ઉષામંજરી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે શોણિતપુર (આસામ), વારાણસી તથા જનકપુર(નેપાળ)માં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ પણ…

વધુ વાંચો >

ઉપાધ્યાય બલદેવ

ઉપાધ્યાય બલદેવ (જ. 10 ઑક્ટોબર 1899, સોનબરસા, જિ. બલિયા, ઉત્તરપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1999, વારાણસી) : ભારતીય દર્શન અને સાહિત્યના પ્રકાંડ પંડિત. કાશી વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. થયા પછી ત્યાં સંસ્કૃતના અધ્યાપક થયા. પોતે દર્શન અને સૈદ્ધાંતિક સાહિત્ય સમીક્ષાના ક્ષેત્રમાં સંસ્કૃત વાંઙમયના ઉપલબ્ધ આકર ગ્રંથોનો ઉપયોગ કરીને હિંદીને સમૃદ્ધ કરવાની દિશામાં મહત્વનાં…

વધુ વાંચો >

ઉપાધ્યાય, ભગવતશરણ

ઉપાધ્યાય, ભગવતશરણ (જ. 1910, બલિયા જિલ્લો, ઉત્તરપ્રદેશ; અ. 12 ઑગસ્ટ 1982 મોરિશિયસ) : સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના પ્રકાંડ અધ્યેતા. પુરાતાત્વિક સંશોધનમાં વિશેષ રુચિ. પ્રાચીન ભારતનાં ઐતિહાસિક તથ્યો અને ભારતીય સંસ્કૃતિ પર વિશેષ દૃષ્ટિકોણથી અધ્યયન-સંશોધન-લેખન અને પ્રકાશન કરતા રહ્યા. શરૂઆતમાં કાશી હિંદુ વિશ્વવિદ્યાલયની શોધપત્રિકાના સંપાદક હતા. ત્યારબાદ પ્રયાગ સંગ્રહાલયના પુરાતત્ત્વ…

વધુ વાંચો >

ઉપાધ્યાય હરિભાઉ

ઉપાધ્યાય હરિભાઉ (જ. 24 માર્ચ 1892 ભૌરોસા ગામ, જિ. ઉજ્જૈન, મધ્ય પ્રદેશ; અ. 25 ઑગસ્ટ 1972) : પત્રકાર અને સંપાદક. હિંદીની સેવાથી સાર્વજનિક જીવનમાં પ્રવેશ. પહેલા ‘ઔદુમ્બર’ માસિક પત્રિકાના પ્રકાશન દ્વારા હિંદી પત્રકાર જગતમાં પદાર્પણ કર્યું. 1911માં ‘ઔદુમ્બર’ના સંપાદક થયા, સાથોસાથ અભ્યાસ કરતા રહ્યા. ‘ઔદુમ્બર’માં અનેક વિદ્વાનો દ્વારા વિવિધ વિષયોને…

વધુ વાંચો >

ઉપાયન (ઈ. સ. 1961)

ઉપાયન (ઈ. સ. 1961) : સાહિત્ય અકાદમી, દિલ્હીનો 1962નો પુરસ્કાર પ્રાપ્ત કરનાર ગ્રંથ. ગુજરાતના પ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીની ષષ્ટિપૂર્તિ પ્રસંગે આ ગ્રંથ પ્રગટ કરાયેલો. આ ગ્રંથ ગુજરાતના શિક્ષણ-સાહિત્ય-સંસ્કાર જગત માટે મહત્વનો સંદર્ભગ્રંથ છે. કુલ ચાર ખંડમાં વહેંચાયેલા આ ગ્રંથના પ્રથમ ખંડ ‘અનુભાવના’માં વિષ્ણુપ્રસાદનાં તાત્વિક સાહિત્યવિવેચનાનાં લખાણો ગ્રંથસ્થ કરાયાં છે.…

વધુ વાંચો >

ઉપરા (1980)

Jan 8, 1991

ઉપરા (1980) : આત્મકથાત્મક મરાઠી નવલકથા. ‘ઉપરા’નો અર્થ છે આગંતુક. લક્ષ્મણ માનેની આ સાહિત્યકૃતિ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1981માં પુરસ્કૃત થયેલી છે. લેખક મહારાષ્ટ્રની એક ભટકતી જાતિ – કૈકાડી જમાતમાં જન્મેલા અને ઊછરેલા. આ જમાતની પ્રજા વર્ષમાં આઠ માસ સ્થળાંતર કરનારી, સખત મજૂરી કરી ગુજરાન કરનારી. સમાજમાં હલકી ગણાતી તેમની…

વધુ વાંચો >

ઉપરાષ્ટ્રપતિ (ભારતના)

Jan 8, 1991

ઉપરાષ્ટ્રપતિ (ભારતના) : ભારતના બંધારણમાં કરેલી જોગવાઈ પ્રમાણે રાષ્ટ્રપતિ પછીનો હોદ્દો ધરાવતા પદાધિકારી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદનાં બંને ગૃહોના સભ્યોનું બનેલું મતદાર મંડળ પ્રમાણસર પ્રતિનિધિત્વ અનુસાર કરે છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે, તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ, 35 વર્ષથી વધારે વયની હોવી જોઈએ તથા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવાની લાયકાત ધરાવતી…

વધુ વાંચો >

ઉપરૂપક

Jan 8, 1991

ઉપરૂપક : રૂપક(drama)નો પેટાપ્રકાર. તેમાં લંબાણ ઓછું હોય છે અને સંગીત સાથે નૃત્ય પ્રસ્તુત થતું હોય છે. ભારતના ‘નાટ્યશાસ્ત્ર’માં ઉપરૂપકનો ઉલ્લેખ નથી, પરંતુ ‘અગ્નિપુરાણ’ અને વિશ્વનાથના ‘સાહિત્યદર્પણ’માં ઉપરૂપકના અઢાર પ્રકાર દર્શાવાયા છે : (1) નાટિકા, (2) ત્રોટક, (3) ગોષ્ઠિ, (4) સક, (5) નાટ્યરાસક, (6) પ્રસ્થાન, (7) ઉલ્લાવ્ય, (8) કાવ્ય, (9)…

વધુ વાંચો >

ઉપલસરી (અનંતમૂળ)

Jan 8, 1991

ઉપલસરી (અનંતમૂળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hemidesmus indicus R. Br. (સં. અનંતમૂલ, સારિયા, નાગ-જિહવા, ઉત્પલસારિવા; હિં. અનંતમૂલ, કપૂરી; બં. અનંતમૂલ શ્યામાલતા; મ. અનંતમૂલ, ઉપરસાલ, ઉપલસરી, કાવરી; ગુ. સારિવા, ઉપલસરી, ઉપરસાલ, કપૂરી, મધુરી, અનંતમૂળ; ક. સુગંધીબલ્લી, નામદેવેરૂ, કરીબંટ, સોગદે; તે. પલાશગંધી; મલા. નાન્નારી;…

વધુ વાંચો >

ઉપલેટ (કઠ)

Jan 8, 1991

ઉપલેટ (કઠ) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍૅસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saussurea lappa C. B. Clarke (સં. કુષ્ઠ, હિં. કુઠ, મ. કોષ્ઠ, બં. કુઠ, કં. કોષ્ટ, તે. ચંગલકુષ્ટ, ફા. કાક્ષોહ, અ. કુસ્તબેહેરી, ગુ. ઉપલેટ, કઠ; અં. કોસ્ટસ, કુઠ) છે. તેના સહસભ્યોમાં ભાંગરો, ઉત્કંટો, સૂરજમુખી વગેરેનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ઉપલેટા

Jan 8, 1991

ઉપલેટા : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાનો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 44′ ઉ.અ. અને 70o 22′ પૂ. રે. ની આજુબાજુનો 839.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વ તરફ ધોરાજી તાલુકો, દક્ષિણે જૂનાગઢ જિલ્લો તથા પશ્ચિમે અંશત: પોરબંદર જિલ્લો…

વધુ વાંચો >

ઉપવાસ

Jan 8, 1991

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

ઉપવાસી

Jan 8, 1991

ઉપવાસી : જુઓ ગાંધી ભોગીલાલ ચુનીલાલ

વધુ વાંચો >

ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency)

Jan 8, 1991

ઉપસહસંયોજકતા અથવા સવર્ગ સંયોજકતા (co-ordinate valency) : સહસંયોજકતા બંધનો વિશિષ્ટ પ્રકાર, જેમાં એક બંધ રચવા માટે જરૂરી બંને ઇલેક્ટ્રૉનનું પ્રદાન એક જ પરમાણુ કરે છે અને બીજો તેનો સહભાગી (sharer) બને છે. આ કારણસર દાતા (donor) પરમાણુ ઉપર ધનવીજભાર અને સ્વીકારક (acceptor) પરમાણુ પર ઋણવીજભાર ઉત્પન્ન થાય છે. એટલે કે…

વધુ વાંચો >

ઉપસહસંયોજક સંયોજનો

Jan 8, 1991

ઉપસહસંયોજક સંયોજનો (Co-ordination Compounds) ઉપસહસંયોજક બંધ ધરાવનાર સંયોજનો. આ પ્રકારનાં સંયોજનોમાં એક કેન્દ્રસ્થ ધાતુ પરમાણુ હોય છે, તે પોતાની આસપાસ અધાતુ પરમાણુઓ કે તેમના સમૂહો વડે આ પ્રકારના બંધથી સંલગ્ન થઈને વીંટળાયેલો હોય છે. કેન્દ્રસ્થ ધાતુ તટસ્થ પરમાણુ કે તેનો ધનાયન હોઈ શકે છે. જ્યારે ઉપસહસંયોજક બંધ વડે સંલગ્ન અધાતુ…

વધુ વાંચો >