૨.૧૬

આંગણવાડીથી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન

આંગણવાડી

આંગણવાડી : ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે. આ પ્રકારની સંસ્થાઓનો લાભ બહુધા મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગના…

વધુ વાંચો >

આંગળાં-અંગૂઠાનો રોગ

આંગળાં-અંગૂઠાનો રોગ : Plasmodiophora brassici Woronin નામની ફૂગથી થતો કોબીજના છોડનો રોગ. તે કોબીજના ક્લબ રૂટ તરીકે પણ ઓળખાય છે. આ રોગથી છોડ નબળો, નિસ્તેજ અને કદમાં નાનો રહે છે અને જલદીથી ઊખડી જાય છે. આ રોગને કારણે અકુદરતી વિચિત્ર જાડા થયેલ મૂળમાં આંગળાં જેવી વિકૃતિ જોવા મળે છે, જે…

વધુ વાંચો >

આંગળિયાત

આંગળિયાત : 1988ની સાલનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી જૉસેફ મૅકવાનકૃત નવલકથા. ગાંધીયુગની આસપાસના ગાળામાં કેટલાક લેખકોએ ગ્રામજીવનને તથા ગ્રામસમાજને કેન્દ્રમાં રાખીને જાનપદી નવલકથાઓ આપેલી. એમાં બહુધા સવર્ણ લેખકોને હાથે ગ્રામપ્રજાના વિવિધ જ્ઞાતિસમૂહોનું કે વૈયક્તિક જીવનનું બહુસ્તરીય આલેખન થયેલું. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી તથા ઈશ્વર પેટલીકરની નવલકથાઓ ઉક્ત…

વધુ વાંચો >

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક (Ingres, Jean Auguste Dominique) (જ. 1780; અ. 1867) : પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. તેની કલામાં રંગદર્શી અને નવપ્રશિષ્ટ – એમ બે પરસ્પરવિરોધી વલણોની સહોપસ્થિતિ જોવા મળે છે. પ્રસિદ્ધ ફ્રેંચ નવપ્રશિષ્ટ ચિત્રકાર જાક લુઈ દાવિદનો(Jacques Louis David) તે શિષ્ય, અને નેપોલિયોં બોનાપાર્તેનો તે પ્રખર સમર્થક હતો. તેના જીવનકાળમાં…

વધુ વાંચો >

આંગ્રે નૌ સેનાનીઓ

આંગ્રે નૌ સેનાનીઓ : 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મરાઠા નૌકાસૈન્યના મુખ્ય ઘડવૈયા અને સમુદ્ર ઉપર મરાઠા આધિપત્યના પ્રવર્તકો. આંગ્રે ખાનદાનનો આદ્ય પુરુષ સેખોજી અલીબાગની કોળી કોમનો અગ્રણી હતો. તેનું મૂળ ગામ કાળોસે હતું. તેનો એક ભાગ અંગરવાડી કહેવાતો હતો તેથી આંગ્રે અટક પડી જણાય છે. મૂળ અટક સંકપાલ હતી. સેખોજીના…

વધુ વાંચો >

આંચકી

આંચકી (convulsions) : લયબદ્ધ આંચકા સાથે સ્નાયુઓનું ખેંચાવું તે. તેને ખેંચ પણ કહે છે. સ્નાયુઓની ખેંચ ઉપરાંત/અથવા વિષમ સંવેદનાઓ (abnormal sensations) કે વર્તન(behaviour)માં વિષમતા પણ થઈ શકે છે. મગજનું બહિ:સ્તર અથવા બાહ્યક (cortex) વિષમ વીજ-આવેગો(electric impulses)થી ઉત્તેજિત થાય છે અને તેનું સામાન્ય કાર્ય તે વીજ-આવેગોના પૂર્ણ અંકુશમાં આવી જાય છે;…

વધુ વાંચો >

આંજણી

આંજણી (style) : પાંપણના મૂળ પર આવેલી એક ઝીસ (zeis) કે મોલ (moll) જેવી ઝીણી ગ્રંથિનો ચેપ (જુઓ ‘આંખ’, આકૃતિ-2.). શરૂઆતમાં આ ગ્રંથિ મોટી અને કઠણ થઈ જાય છે અને તેમાં ખૂબ દુખાવો થાય છે. તેની આજુબાજુનો પાંપણનો ભાગ પણ સૂજી જાય છે, ત્યારબાદ ત્યાં પરુ ભેગું થાય છે. આ…

વધુ વાંચો >

આંજનેયુલુ-કુંદુતિ

આંજનેયુલુ, કુંદુતિ (જ. 16 ડિસેમ્બર 1922, ગંતુર; અ. 1982) : તેલુગુ કવિ અને ગદ્યકાર. જન્મ આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લાના કોટાવરી પાલેયમાં. આંધ્રમાંથી જ બી.એ.ની ઉપાધિ મેળવી. 1946થી 1956 સુધી તે ગંતુર માર્કેટિંગ સમિતિના સુપરિન્ટેન્ડન્ટ હતા. તે પછી આંધ્રપ્રદેશના સૂચના અને જનસંપર્ક વિભાગમાં મુખ્ય અનુવાદક રહ્યા હતા. પ્રશિષ્ટ કવિતાથી પ્રગતિવાદ પ્રતિ જઈ…

વધુ વાંચો >

આંજિયો

આંજિયો : જુવાર, ડાંગર તથા તમાકુમાં થતો રોગ. Sphacelotheca reiliana (Kuhn) Pat, નામની ફૂગથી જુવારના ડૂંડાને આ રોગ થાય છે. બીજના અંકુરણ-સમયે આ ફૂગનો ચેપ લાગે છે, જે ડૂંડા અવસ્થામાં જ દેખાય છે. આ રોગયુક્ત છોડ વહેલો પરિપક્વ થઈ ઝાંખરાના રૂપમાં તરી આવે છે. ડૂંડાની જગાએ કાળો ભૂકો અને રેસાઓ…

વધુ વાંચો >

આંટિયા, ફીરોઝ

આંટિયા, ફીરોઝ (જ. 13 માર્ચ 1914; અ. 1965) : પારસી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. કૉલેજકાળ દરમિયાન નાનામોટા કાર્યક્રમોમાં વિશિષ્ટ અભિનયસૂઝ અને રમૂજવૃત્તિ દાખવનાર ફીરોઝ આંટિયા અદી મર્ઝબાન સાથે શરૂઆતમાં અનેક નાટકોમાં કુશળ નટ તથા દિગ્દર્શક અને પછી નાટ્યલેખક તરીકે ચમક્યા હતા. 1954માં ઇન્ડિયન નૅશનલ થિયેટરે ‘રંગીલો રાજા’ નાટક ફીરોઝ…

વધુ વાંચો >

આંતરરાજ્ય માર્ગપરિવહન

Jan 16, 1990

આંતરરાજ્ય માર્ગપરિવહન : ભૂમિમાર્ગે યાત્રીઓ તથા માલસામાનની સુગમ ઝડપી અને સુરક્ષિત હેરફેર માટેની વ્યવસ્થા. ભારતમાં માર્ગપરિવહન વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે 1939માં મોટરવાહનધારો ઘડવામાં આવ્યો હતો. આ ધારાનો ગર્ભિત હેતુ માર્ગપરિવહનના ભોગે રેલપરિવહનને ઉત્તેજન આપવાનો હતો. પરિણામે ભારતનાં રેલમથકોને સાંકળી લેતી, સામાન્ય રીતે ટૂંકા અંતરની મોટરપરિવહન-સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવતું. દેશ…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય અપરાધો

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય અપરાધો : જગતનાં તમામ રાષ્ટ્રોની કે માનવજાતની વિરુદ્ધના અપરાધો. ‘રક્ષણાત્મક’ સિદ્ધાંત મુજબ દરેક રાષ્ટ્રને પોતાની સલામતી વિરુદ્ધના પરદેશીએ કરેલા ગુના બાબતમાં ફોજદારી હકૂમત હોય છે. સાર્વત્રિક સિદ્ધાંત મુજબ માનવજાત વિરુદ્ધના ગુનેગારોને પકડવા તેમજ સજા કરવાનો દરેક રાજ્યને અધિકાર છે. માનવજાત વિરુદ્ધનો પ્રથમ પંક્તિનો અપરાધ ‘આક્રમક યુદ્ધ’ છે. 1928ના ‘કેલોગ-બીઆન્ડ…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર : સાર્વભૌમ દેશો વચ્ચેના વસ્તુઓ, સેવાઓ અને મૂડીના આંતરરાષ્ટ્રીય સોદાઓને લીધે ઉદભવતા પ્રશ્નોનો અભ્યાસ દર્શાવતી અર્થશાસ્ત્રની શાખા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે ઘણું સામ્ય હોવા છતાં અનેક બાબતોમાં તે જુદા પડે છે; તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક શાખા તરીકે અલગ અભ્યાસ જરૂરી માનવામાં આવે છે. બર્ટિલ ઓહલીન નામના…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કરારો

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય કરારો : સાર્વભૌમ રાજ્યો વચ્ચેના કરારો. તે સંધિની વ્યાખ્યામાં આવે છે અને એવા કરારોને આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ પડે છે; પરંતુ જ્યારે એક પક્ષકાર રાજ્ય હોય અને બીજો પક્ષકાર કોઈ પરદેશી વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય ત્યારે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક નિયમો તથા ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો લાગુ પડે છે.…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદાપંચ

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય કાયદાપંચ : આંતરરાષ્ટ્રીય કાયદાનાં ક્રમિક વિકાસ અને સંહિતાકરણ માટે ભલામણ કરતું પંચ. 1947ના નવેમ્બરમાં ‘સંયુક્ત રાષ્ટ્રો’ની સામાન્ય સભાએ તેની સ્થાપના કરી હતી. તેમાં 15 સભ્યો નિયુક્ત થયા હતા. પંચનું કાર્યક્ષેત્ર (codification) આંતરરાષ્ટ્રીય કાયદાના ક્રમિક વિકાસ તથા સંહિતાકરણ માટે ભલામણો કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ ‘સામાન્ય સભા’એ પંચને નાઝી યુદ્ધ-ગુનેગારો…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ :  સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UN) 1952માં માનવહક્કો અંગે ભલામણ કરવા સ્થાપેલું પંચ. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મુખ્યત્વે સાર્વભૌમ રાજ્યો જ આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો ગણાય છે. વ્યક્તિઓ કે લઘુમતી જૂથો પોતાને થયેલા અન્યાય બાબતમાં આંતરરાષ્ટ્રીય અદાલત કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આગળ સીધી ફરિયાદ કરી શકતાં નથી, પરંતુ કોઈ રાજ્ય કે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય કાયદો

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય કાયદો : સાર્વભૌમ રાજ્યો પરસ્પરના સંબંધોમાં પાળવા બંધાયેલા હોય એવા આચરણના સિદ્ધાંતો અને નિયમોનો સમૂહ. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પરસ્પરના સંબંધો તેમજ તેમનાં રાજ્યો તથા વ્યક્તિઓ સાથેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંબંધ ધરાવતી વ્યક્તિઓ તથા રાજ્યવિહીન એકમોને લગતા નિયમોનો સમાવેશ થાય છે. આજે તેમાં બહુરાષ્ટ્રીય નિગમો, રાજકીય પક્ષો, દબાવકર્તા જૂથો, આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય ઘટનાઓ : બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી વિવિધ દેશો વચ્ચેની રાજકીય ઘટનાઓ. સ્વતંત્ર દેશોની સરકાર વચ્ચેના સંબંધોના બે ચહેરા હોય છે – શાંતિ સમયના અને યુદ્ધ સમયના. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર અન્ય દેશ સાથેના શાંતિમય સંબંધો જાળવવા પ્રયત્નશીલ હોય છે. આવા શાંતિભર્યા સંબંધોથી તે પોતાના નાગરિકોને – અને એકંદરે પ્રજાને…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ

Jan 16, 1990

આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ (International Film Festival) : વિવિધ દેશોમાં પ્રતિવર્ષ ઉત્તમ ચલચિત્રોની મુલવણીના હેતુથી પ્રયોજાતો ચલચિત્ર મહોત્સવ. ચલચિત્રની શોધ થઈ તે જ વર્ષે, એટલે કે 1896માં તેના મૂળ શોધકો ફ્રાન્સના લુમિયેર બંધુઓએ ભારતમાં મુંબઈમાં તેમનાં ટૂંકાં ર્દશ્યો પ્રદર્શિત કર્યાં. થોડાં જ વર્ષોમાં ભારત વિશ્વનો ટોચનો ચલચિત્રનિર્માતા દેશ બન્યો. વિશ્વના પશ્ચિમ…

વધુ વાંચો >