૨.૧૬

આંગણવાડીથી આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો

આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળપરિવહન કાયદો : સફરી વહાણોના ઉપયોગના તથા વહાણવટાયોગ્ય સંકલિત જળવિસ્તારને લગતા નિયમોનો બનેલો આંતરરાષ્ટ્રીય કાયદો. તે જળવિસ્તાર પર ઊડતાં વિમાનો તથા પાણીમાંની ડૂબક કિશ્તીઓ(submarines)ને પણ લાગુ પડે છે. તેને મધ્યયુગમાં પશ્ચિમ યુરોપનાં રાજ્યોએ વિકસાવ્યો. મધ્યયુગમાં પોર્ટુગલે આખા હિંદી મહાસાગર પર સાર્વભૌમત્વનો દાવો કરેલો. વિખ્યાત ડચ ન્યાયવિદ ગ્રોશિયસ(1583-1645)ના મતે…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (International Monetary Fund) : આંતરરાષ્ટ્રીયક્ષેત્રે નાણાકીય સહકાર માટેની સંસ્થા. 1929થી શરૂ થયેલી વિશ્વમંદી દરમિયાન આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષેત્રે જે અનવસ્થા સર્જાઈ હતી તેનું પુનરાવર્તન બીજા વિશ્વયુદ્ધ પછી ન થાય તે હેતુથી 1944ના જુલાઈમાં અમેરિકામાં બ્રેટનવૂડ્ઝ ખાતે 44 દેશોની ‘યુનાઇટેડ નેશન્સ મૉનિટરી ઍન્ડ ફાઇનાન્શિયલ કૉન્ફરન્સ’ મળી હતી. આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત

આંતરરાષ્ટ્રીય ન્યાયઅદાલત (192૦) :  1919ના વર્સેલ્સ કરાર અન્વયે હેગમાં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય ન્યાયની કાયમી અદાલત. બીજા વિશ્વયુદ્ધ પછી (1945થી) સંયુક્ત રાષ્ટ્ર સંઘના હકનામાની કલમ 92થી 96 અન્વયે રાષ્ટ્ર સંઘના એક મુખ્ય અંગ તરીકે તેનો સમાવેશ થયેલો છે. આંતરરાષ્ટ્રીય વિવાદોની પતાવટ માટેનું આ કાયમી સાધન છે. તે જાહેર સુનાવણી કરીને આંતરરાષ્ટ્રીય કાયદા…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization, 1919) : વિશ્વના શ્રમજીવી વર્ગની સ્થિતિ, કામની શરતો તથા જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં પ્રયત્નશીલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી વર્સેલ્સની સંધિ હેઠળ લીગ ઑવ્ નૅશન્સ સાથે સંલગ્ન છતાં સ્વાયત્ત એવી આ સંસ્થાની સ્થાપના એપ્રિલ, 1919માં કરવામાં આવી હતી. 1946માં એક ખાસ કરાર દ્વારા…

વધુ વાંચો >

આંગણવાડી

Jan 16, 1990

આંગણવાડી : ગ્રામવિસ્તારો તેમજ શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસતી પ્રજાનાં બાળકોને માટે પૂર્વપ્રાથમિક શિક્ષણપ્રબંધ કરતી પ્રાયોગિક વ્યવસ્થા. ત્રણથી પાંચ વર્ષની વયનાં બાળકોના પૂર્વપ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા મૉન્ટેસોરી પદ્ધતિ દ્વારા ચાલતાં બાલમંદિરોમાં થતી હોય છે. મોટેભાગે આવી સંસ્થાઓ શહેર અને કસબાનાં ગામોમાં હોય છે. આ પ્રકારની સંસ્થાઓનો લાભ બહુધા મધ્યમ કે ઉચ્ચ મધ્યમવર્ગના…

વધુ વાંચો >

આંગળાં-અંગૂઠાનો રોગ

Jan 16, 1990

આંગળાં-અંગૂઠાનો રોગ : Plasmodiophora brassici Woronin નામની ફૂગથી થતો કોબીજના છોડનો રોગ. તે કોબીજના ક્લબ રૂટ તરીકે પણ ઓળખાય છે. આ રોગથી છોડ નબળો, નિસ્તેજ અને કદમાં નાનો રહે છે અને જલદીથી ઊખડી જાય છે. આ રોગને કારણે અકુદરતી વિચિત્ર જાડા થયેલ મૂળમાં આંગળાં જેવી વિકૃતિ જોવા મળે છે, જે…

વધુ વાંચો >

આંગળિયાત

Jan 16, 1990

આંગળિયાત : 1988ની સાલનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી જૉસેફ મૅકવાનકૃત નવલકથા. ગાંધીયુગની આસપાસના ગાળામાં કેટલાક લેખકોએ ગ્રામજીવનને તથા ગ્રામસમાજને કેન્દ્રમાં રાખીને જાનપદી નવલકથાઓ આપેલી. એમાં બહુધા સવર્ણ લેખકોને હાથે ગ્રામપ્રજાના વિવિધ જ્ઞાતિસમૂહોનું કે વૈયક્તિક જીવનનું બહુસ્તરીય આલેખન થયેલું. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી તથા ઈશ્વર પેટલીકરની નવલકથાઓ ઉક્ત…

વધુ વાંચો >

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક

Jan 16, 1990

આંગ્ર, ઝાં ઑગસ્ત ડૉમિનિક (Ingres, Jean Auguste Dominique) (જ. 1780; અ. 1867) : પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. તેની કલામાં રંગદર્શી અને નવપ્રશિષ્ટ – એમ બે પરસ્પરવિરોધી વલણોની સહોપસ્થિતિ જોવા મળે છે. પ્રસિદ્ધ ફ્રેંચ નવપ્રશિષ્ટ ચિત્રકાર જાક લુઈ દાવિદનો(Jacques Louis David) તે શિષ્ય, અને નેપોલિયોં બોનાપાર્તેનો તે પ્રખર સમર્થક હતો. તેના જીવનકાળમાં…

વધુ વાંચો >

આંગ્રે નૌ સેનાનીઓ

Jan 16, 1990

આંગ્રે નૌ સેનાનીઓ : 18મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન મરાઠા નૌકાસૈન્યના મુખ્ય ઘડવૈયા અને સમુદ્ર ઉપર મરાઠા આધિપત્યના પ્રવર્તકો. આંગ્રે ખાનદાનનો આદ્ય પુરુષ સેખોજી અલીબાગની કોળી કોમનો અગ્રણી હતો. તેનું મૂળ ગામ કાળોસે હતું. તેનો એક ભાગ અંગરવાડી કહેવાતો હતો તેથી આંગ્રે અટક પડી જણાય છે. મૂળ અટક સંકપાલ હતી. સેખોજીના…

વધુ વાંચો >

આંચકી

Jan 16, 1990

આંચકી (convulsions) : લયબદ્ધ આંચકા સાથે સ્નાયુઓનું ખેંચાવું તે. તેને ખેંચ પણ કહે છે. સ્નાયુઓની ખેંચ ઉપરાંત/અથવા વિષમ સંવેદનાઓ (abnormal sensations) કે વર્તન(behaviour)માં વિષમતા પણ થઈ શકે છે. મગજનું બહિ:સ્તર અથવા બાહ્યક (cortex) વિષમ વીજ-આવેગો(electric impulses)થી ઉત્તેજિત થાય છે અને તેનું સામાન્ય કાર્ય તે વીજ-આવેગોના પૂર્ણ અંકુશમાં આવી જાય છે;…

વધુ વાંચો >

આંજણી

Jan 16, 1990

આંજણી (style) : પાંપણના મૂળ પર આવેલી એક ઝીસ (zeis) કે મોલ (moll) જેવી ઝીણી ગ્રંથિનો ચેપ (જુઓ ‘આંખ’, આકૃતિ-2.). શરૂઆતમાં આ ગ્રંથિ મોટી અને કઠણ થઈ જાય છે અને તેમાં ખૂબ દુખાવો થાય છે. તેની આજુબાજુનો પાંપણનો ભાગ પણ સૂજી જાય છે, ત્યારબાદ ત્યાં પરુ ભેગું થાય છે. આ…

વધુ વાંચો >

આંજનેયુલુ-કુંદુતિ

Jan 16, 1990

આંજનેયુલુ, કુંદુતિ (જ. 16 ડિસેમ્બર 1922, ગંતુર; અ. 1982) : તેલુગુ કવિ અને ગદ્યકાર. જન્મ આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લાના કોટાવરી પાલેયમાં. આંધ્રમાંથી જ બી.એ.ની ઉપાધિ મેળવી. 1946થી 1956 સુધી તે ગંતુર માર્કેટિંગ સમિતિના સુપરિન્ટેન્ડન્ટ હતા. તે પછી આંધ્રપ્રદેશના સૂચના અને જનસંપર્ક વિભાગમાં મુખ્ય અનુવાદક રહ્યા હતા. પ્રશિષ્ટ કવિતાથી પ્રગતિવાદ પ્રતિ જઈ…

વધુ વાંચો >

આંજિયો

Jan 16, 1990

આંજિયો : જુવાર, ડાંગર તથા તમાકુમાં થતો રોગ. Sphacelotheca reiliana (Kuhn) Pat, નામની ફૂગથી જુવારના ડૂંડાને આ રોગ થાય છે. બીજના અંકુરણ-સમયે આ ફૂગનો ચેપ લાગે છે, જે ડૂંડા અવસ્થામાં જ દેખાય છે. આ રોગયુક્ત છોડ વહેલો પરિપક્વ થઈ ઝાંખરાના રૂપમાં તરી આવે છે. ડૂંડાની જગાએ કાળો ભૂકો અને રેસાઓ…

વધુ વાંચો >

આંટિયા, ફીરોઝ

Jan 16, 1990

આંટિયા, ફીરોઝ (જ. 13 માર્ચ 1914; અ. 1965) : પારસી રંગભૂમિના નટ, દિગ્દર્શક અને નાટ્યકાર. કૉલેજકાળ દરમિયાન નાનામોટા કાર્યક્રમોમાં વિશિષ્ટ અભિનયસૂઝ અને રમૂજવૃત્તિ દાખવનાર ફીરોઝ આંટિયા અદી મર્ઝબાન સાથે શરૂઆતમાં અનેક નાટકોમાં કુશળ નટ તથા દિગ્દર્શક અને પછી નાટ્યલેખક તરીકે ચમક્યા હતા. 1954માં ઇન્ડિયન નૅશનલ થિયેટરે ‘રંગીલો રાજા’ નાટક ફીરોઝ…

વધુ વાંચો >