૨.૦૭

આરણ્યકથી આરોગ્યનું અર્થશાસ્ત્ર

આરણ્યક

આરણ્યક : વૈદિક સાહિત્યપ્રબંધો. વૈદિક સાહિત્યમાં મંત્ર અને બ્રાહ્મણસાહિત્ય પછી અને ઉપનિષદની પહેલાં રચાયેલા સાહિત્યપ્રબંધોને આરણ્યક કહેવામાં આવે છે. બૃહદારણ્યક કહે છે :  अरण्येऽनूच्यमानत्वात् आरण्यकम् । વાનપ્રસ્થાશ્રમમાં અરણ્યમાં જેનું પઠન કરવામાં આવતું તે આરણ્યક. બીજી રીતે કહેવામાં આવ્યું છે કે અરણ્યમાં અધ્યયન કરવામાં આવે છે માટે આરણ્યક. ગોપથ બ્રાહ્મણ (2-10)…

વધુ વાંચો >

આરણ્યક (1938)

આરણ્યક (1938) : વિભૂતિભૂષણ બંદોપાધ્યાયરચિત બંગાળી નવલકથા. અરણ્યની પ્રકૃતિના પરિવેશમાં આ નવલકથાની રચના થઈ છે. પ્રકૃતિ સાથેના માનવીના આત્મીય સંબંધની તથા તેના ઘેરા પ્રભાવની આ કથા છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો માનવના જીવન પર કેટલી અને કેવી પ્રબળ અસર કરે છે તે નાયકના અરણ્યના નિરીક્ષણ તથા તેના દૃષ્ટિપરિવર્તન દ્વારા દર્શાવ્યું છે.…

વધુ વાંચો >

આરણ્યુ

આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે. નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ)…

વધુ વાંચો >

આરતી

આરતી : षोडशोपचारपूजा-સોળ ઉપચારોવાળી પૂજાનો એક ભાગ. ઉપચાર એટલે સેવાપ્રકાર. ‘આરતી’ શબ્દ સંસ્કૃત ‘आरात्रिक’, ‘आर्तिक्य’ કે ‘आर्तिक’ શબ્દ પરથી બન્યો છે. હિન્દુ ધર્મના ભક્તિ-સંપ્રદાયમાં પૂજાવિધિના અંતભાગમાં એક ખાસ પાત્રમાં પાંચ અથવા એકી સંખ્યામાં ઘીના દીવા પ્રકટાવી ઇષ્ટની પ્રતિમા સમક્ષ તે પાત્રને ઘડિયાળના કાંટાની દિશામાં, વચ્ચે વચ્ચે અટકીને, ગોળ ગોળ ફેરવવામાં…

વધુ વાંચો >

આરબ-ઇઝરાયલ સંઘર્ષ

આરબ-ઇઝરાયલ સંઘર્ષ : 1890 માં યહૂદીઓએ યુરોપ છોડી પૅલેસ્ટાઇનમાં વસવાની શરૂઆત કરી અને યહૂદીવાદી લડતનો તેમજ યહૂદી રાજ્યની રચના અંગેની માંગનો પ્રારંભ થયો. તે સમયે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં આરબો અને જૂજ યહૂદી-વસ્તી પૅલેસ્ટાઇનમાં વસવાટ કરતી હતી. 1917 માં બાલ્ફર ઘોષણા પછી ઇઝરાયલના યહૂદી રાજ્યની સ્થાપનાનો ઇરાદો સ્પષ્ટ થયો, જેનો…

વધુ વાંચો >

આરબ ક્રાંતિ

આરબ ક્રાંતિ : 2000 સુધીનું આરબ જગત વિશ્વમાં સામાન્યતયા રાજકીય સ્થિરતાની છાપ ઊભી કરતું હતું જેમાં મુખ્ય અપવાદ ઇઝરાયલ-પૅલેસ્ટાઇન સંઘર્ષ હતો; પરંતુ 2010થી ત્યાં સંખ્યાબંધ દેખાવો અને વિરોધો આરંભાયા અને 2012ના મધ્યભાગ સુધીમાં મધ્યપૂર્વના અને ઉત્તર આફ્રિકાના દેશો વિવિધ રીતે તેમનો આક્રોશ અને પ્રજાકીય બેચેની વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાની…

વધુ વાંચો >

આરબ લીગ

આરબ લીગ : મધ્યપૂર્વમાંનાં આરબ રાજ્યોનું પ્રાદેશિક સંગઠન. સ્થાપના 22 માર્ચ, 1945ના રોજ કેરોમાં. ઇજિપ્ત, સીરિયા, લેબેનૉન, ઇરાક, ટ્રાન્સજૉર્ડન (હવે જૉર્ડન), સાઉદી અરેબિયા અને યેમન (હવે યેમનસાના) રાજ્યો તેનાં સ્થાપક સભ્યો હતાં. બીજાં પછીથી તેમાં જોડાયાં, તેમાં લિબિયા (1953), સુદાન (1956), ટ્યૂનિશિયા અને મોરૉક્કો (1958), કુવૈત (1961), બેહરીન, ઓમાન, કતાર…

વધુ વાંચો >

આર. રામચંદ્રન્

આર. રામચંદ્રન્ (જ. 1923 , તમરતિરુતિ, જિ. ત્રિચુર, કેરળ; અ. 3 ઑગસ્ટ 2005) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અધ્યાપકપદે કાર્યરત રહ્યા હતા. તેઓ મલબાર ક્રિશ્ચિયન કૉલેજ, કાલિકટમાંથી આચાર્ય તરીકે સેવાનિવૃત્ત…

વધુ વાંચો >

આરસપહાણ

આરસપહાણ (marble) : આવશ્યકપણે માત્ર કૅલ્સાઇટ ખનિજ સ્ફટિકોથી બનેલો વિકૃત ખડક. પરંતુ ક્યારેક કૅલ્સાઇટ અને/અથવા ડૉલોમાઇટ ખનિજ-સ્ફટિકોના બંધારણવાળો હોય તોપણ તે આરસપહાણ તરીકે જ ઓળખાય છે. જો તે વધુ ડૉલોમાઇટયુક્ત કે મૅગ્નેશિયમ સિલિકેટયુક્ત હોય તો તેને મૅગ્નેશિયન આરસપહાણ અને એ જ રીતે જો તે વધુ કૅલ્શિયમ સિલિકેટયુક્ત હોય તો તેને…

વધુ વાંચો >

આરસી, પ્રસાદસિંગ

આરસી, પ્રસાદસિંગ (જ. 19 ઑગસ્ટ 1911, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી ભાષાના કવિ. તેમના ‘સૂર્યમુખી’ કાવ્યસંગ્રહને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. નાની વયે જ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. થોડો વખત કોશી ડિગ્રી કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે કામ કર્યા પછી તેમણે આકાશવાણીનાં અલ્લાહાબાદ અને લખનૌ કેન્દ્રોમાં…

વધુ વાંચો >

આરુદ્ર

Jan 7, 1990

આરુદ્ર (જ. 31 ઑગસ્ટ 1925, વિશાખાપટનમ્; અ.4 જૂન 1998, ચેન્નાઈ) : તેલુગુ સાહિત્યકાર. મૂળ નામ બી. એસ. શાસ્ત્રી. ઉપનામ આરુદ્ર. તેમની કૃતિ ‘ગુરજાડ ગુરુપીઠમ્’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ વિશાખાપટનમ્ ખાતે થયું હતું. ‘ભારત છોડો’ આંદોલનના પરિણામ રૂપે તેમનું ઔપચારિક શિક્ષણ અધૂરું રહ્યું. થોડો…

વધુ વાંચો >

આરુમુગ નાવલર

Jan 7, 1990

આરુમુગ નાવલર (જ. 1823, નલ્લૂર, શ્રીલંકા; અ. 1879, જાફના, શ્રીલંકા) : તમિળ લેખક. એ સરસ વ્યાખ્યાતા હોવાને કારણે તિરુવાવડુદુરૈ મઠના અધિપતિઓએ એમને ‘નાવલર’(શ્રેષ્ઠ વક્તા)ની ઉપાધિ આપી હતી. એમણે ‘તુરુકકુરળ’, ‘તોલકાપ્પિયમ્’, ‘તિરુક્કોવૈયાર’, ‘પેરિયપુરાણમ્’, ‘કંદપુરાણમ્’, ‘ચૂડામણિ નિઘંટુ’, ‘નન્નૂલ વિરુત્તિ ઉરૈ’ વગેરે પ્રાચીન કૃતિઓનું સંપાદન કરીને એ પુસ્તકો પર ટીકા પણ લખી છે.…

વધુ વાંચો >

આરે દૂધ કૉલોની

Jan 7, 1990

આરે દૂધ કૉલોની : 1945માં મુંબઈમાં સ્થપાયેલો દેશનો સર્વપ્રથમ દૂધ-ઉત્પાદક સંઘ. મુંબઈ શહેરમાં દૂધપુરવઠાની સ્થિતિમાં સુધારો કરવાના આશયથી રાજ્ય-સરકારે 1,000 ભેંસો ઉછેરી શકાય તેવી ક્ષમતાવાળું સરકારી ફાર્મ શરૂ કરવા શહેરની નજીક આરે ગામની 1,100 એકર જમીન સંપાદન કરેલી. વિકાસના આ તબક્કા દરમિયાન આણંદથી પાશ્ચુરીકૃત દૂધ રેલવે મારફત મુંબઈ લાવવાનું વિચારાયું,…

વધુ વાંચો >

આરેન્ટ, હન્નાહ

Jan 7, 1990

આરેન્ટ, હન્નાહ (જ.14 ઑક્ટોબર 1906, હૅનોવર, જર્મની; અ. 4 ડિસેમ્બર 1975, ન્યૂયૉર્ક) : જર્મન અને અમેરિકન રાજ્યશાસ્ત્રી અને તત્વજ્ઞાનનાં પ્રાધ્યાપિકા. સર્વસત્તાવાદના તેમના અભ્યાસ અને યહૂદીઓ અંગેનાં તેમનાં લખાણો માટે તે વિશેષ જાણીતાં થયાં. તેમણે મારબર્ગ, ફ્રેઇબર્ગ અને હાઇડલબર્ગ યુનિવર્સિટીઓમાં અધ્યયન કર્યું. 1928માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1933માં જર્મનીમાં નાઝીઓ…

વધુ વાંચો >

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી

Jan 7, 1990

આરેસિબો રેડિયો ઑબ્ઝર્વેટરી : ચિલીમાં પૉર્ટોરિકોના આરેસિબો નગરથી આશરે 16 કિમી. દક્ષિણે આવેલી, વિશ્વનો મોટો ટેલિસ્કોપ ધરાવનાર રેડિયો ઑબ્ઝર્વેટરી (વેધશાળા). કૉર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર વિલિયમ ઈ. ગૉર્ડને 1958માં વિચારેલી મૂળ યોજના અનુસાર આ વેધશાળા 1963માં ચાલુ કરવામાં આવી હતી. તેનું મુખ્ય ઉપકરણ 305 મીટર પહોળાઈનો સ્થિર (immobile) રેડિયો ટેલિસ્કોપ છે. તે…

વધુ વાંચો >

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો)

Jan 7, 1990

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (ચેપી રોગો) : આરોગ્ય-કાર્યકરોનું ચેપી રોગ સામે રક્ષણ. આરોગ્ય-કાર્યકરોમાં તબીબો, પરિચારિકાઓ, પ્રયોગશાળાના કર્મચારીઓ, હૉસ્પિટલ અને દવાખાનાંમાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય આરોગ્ય-કાર્યકરોનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારના દર્દીઓના સંસર્ગમાં આવવાને કારણે તેઓ કોઈ વખત ચેપી રોગોના ભોગ પણ બને છે. આ ચેપી રોગોમાં યકૃતશોથ-બી (hepatitis-B, માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immuna-dificiency…

વધુ વાંચો >

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (વિકિરણલક્ષી)

Jan 7, 1990

આરોગ્ય-કાર્યકરોની રક્ષા (વિકિરણલક્ષી) (protection of health workers, radiation releted) : આયનકારી (ionising) વિકિરણની આડઅસરો સામે આરોગ્ય કાર્યકરોનું રક્ષણ. આરોગ્ય અને તબીબી ક્ષેત્રે આયનકારી વિકિરણ જુદી જુદી રીતે ઉપયોગી છે. આરોગ્ય-કાર્યકર  ક્યારેક અચાનક જ ઘણી મોટી માત્રા(dose)માં વિકિરણન(irradiation)નો ભોગ બને અથવા તો લાંબા સમય સુધી મળેલી વિકિરણમાત્રા સંચિત (cumulative) રૂપે તેનામાં…

વધુ વાંચો >

આરોગ્યનિકેતન (1956)

Jan 7, 1990

આરોગ્યનિકેતન (1956) : જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા બંગાળી લેખક તારાશંકર બંદોપાધ્યાયની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત પ્રસિદ્ધ કૃતિ. આ કૃતિને ‘રવીન્દ્ર પુરસ્કાર’ પણ પ્રાપ્ત થયો હતો. જીવનબાબુની આત્મકથા રૂપે આ નવલકથા લખાયેલી છે. તેમાંની મુખ્ય સમસ્યા છે પ્રાચીન તથા આધુનિક ચિકિત્સાપ્રણાલીનો ભેદ. આયુર્વેદમાં વૈદ્ય પરા-અપરાવિદ્યાને એકાત્મભાવથી ગ્રહણ કરે છે. એની સફળતા આધ્યાત્મિક…

વધુ વાંચો >

આરોગ્ય-નિર્ધારણ

Jan 7, 1990

આરોગ્ય-નિર્ધારણ : આરોગ્ય વિશે નિર્ણય કરવો તે. વિશ્વ-આરોગ્ય સંસ્થા દ્વારા આરોગ્યની વ્યાખ્યા આ પ્રમાણે આપેલી છે : સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક સંતુલન(balance)ની સ્થિતિ તે આરોગ્ય. રોગ કે અલ્પક્ષમતા (disability) ન હોય તે આરોગ્ય માટે પૂરતું નથી. અમુક વિદ્વાનોએ આ વ્યાખ્યામાં આધ્યાત્મિક સંતુલનનું પરિમાણ ઉમેર્યું છે. શારીરિક સ્વાસ્થ્ય એ આરોગ્યનો…

વધુ વાંચો >

આરોગ્યનું અર્થશાસ્ત્ર

Jan 7, 1990

આરોગ્યનું અર્થશાસ્ત્ર : માંદગી સમાજમાં ઉપયોગી થવાની માણસની શક્તિને ઘટાડી નાંખે છે. નાના-મોટા રોગ કે બીમારીઓને લીધે સમાજના કામના કલાકો બગડે છે. તંદુરસ્ત માણસો થાક્યા વગર, ઉત્પાદકતાનું ઊંચું ધોરણ જાળવી રાખીને કામગીરી કરી શકે છે. આથી સ્વસ્થ માણસોનો સમાજ, અન્ય પરિસ્થિતિ સમાન હોય તો, અસ્વસ્થ કે માંદલા માણસોના સમાજ કરતાં…

વધુ વાંચો >