૨.૦૭

આરણ્યકથી આરોગ્યનું અર્થશાસ્ત્ર

આરંગેત્રમ્

આરંગેત્રમ્ (અરંગેત્રલ) : શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને…

વધુ વાંચો >

આરાકાન યોમા

આરાકાન યોમા : મ્યાનમારની પશ્ચિમ સરહદે ઉત્તરથી દક્ષિણ વિસ્તરેલી આશરે 1,100 પર્વતમાળા. એ ઉત્તરમાં પહોળી છે અને 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે; પરંતુ તે દક્ષિણમાં જતાં સાંકડી અને નીચી બનતી જાય છે. છેક દક્ષિણે આરાકાન યોમાની ઊંચાઈ ફક્ત 300 મીટર જ રહે છે. તે આગળ જતાં સાગરજળમાં મગ્ન…

વધુ વાંચો >

આરા, કૃષ્ણ હવલાજી

આરા, કૃષ્ણ હવલાજી (જ. એપ્રિલ 1914, આંધ્ર; અ. 1985, મુંબઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. જન્મ આંધ્ર રાજ્યના હૈદરાબાદ પાસે આવેલા બોલારમમાં. પિતા મોટર-ડ્રાઇવર હતા અને કૃષ્ણની દસ વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. માતા તો કૃષ્ણની ત્રણ વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી. સહાનુભૂતિ ધરાવતા એક શિક્ષકે કૃષ્ણ આરાનો કલાપ્રેમ જોઈ તેમને…

વધુ વાંચો >

આરાગોં, લુઈ

આરાગોં, લુઈ (જ.3ઑક્ટોબર 1896, પૅરિસ; અ. 24 ડિસેમ્બર 1982, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, પત્રકાર. સર્વસામાન્ય શિક્ષણ પછી તબીબી વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ. આ સમયમાં આંદ્રે બ્રેતોં સાથે પરિચય. પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગમાં યુદ્ધસેવા. દાદાવાદ (Dadaism) અને પરાવાસ્તવવાદ(surrealism)નાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. 1919માં આંદ્રે બ્રેતોં અને ફિલિપ સુપો સાથે પરાવાસ્તવવાદના…

વધુ વાંચો >

આરાફુરા સમુદ્ર

આરાફુરા સમુદ્ર : પ્રશાંત મહાસાગરમાં પશ્ચિમે ઑસ્ટ્રેલિયાના ઉત્તર કિનારા તથા કાર્પેન્ટરિયાના અખાત અને ન્યૂગિનીના દક્ષિણ કિનારા વચ્ચે આવેલો આશરે 6,50,000 ચોકિમી.નો વિસ્તાર ધરાવતો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : 90 00´ દ. અ. અને 1350 00´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમે તિમોર સમુદ્ર, વાયવ્યમાં બાંદા સમુદ્ર અને પૂર્વ તરફ કૉરલ સમુદ્ર…

વધુ વાંચો >

આરાસુર

આરાસુર : ગુજરાતના ઈશાન ખૂણામાં બનાસકાંઠા જિલ્લામાં આવેલી ડુંગરમાળા. અરવલ્લી પર્વતની હારમાળાનો તે એક ભાગ છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર દાંતા તાલુકામાં તેની સૌથી ઊંચી જેસોરની ટેકરીઓ આવી છે, જે 1,067 મીટરની ઊંચાઈ ધરાવે છે. આરાસુરની ટેકરીઓ અંબાજીથી ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી સુધી વિસ્તરેલી છે તેમજ ટેકરીઓનો એક ભાગ મહેસાણા…

વધુ વાંચો >

આરિફ, કલ્હોડો

આરિફ, કલ્હોડો (અઢારમી સદી) : મધ્યકાલીન સિંધી લેખક. અઢારમી સદીમાં સિંધમાં કલ્હોડા વંશનું શાસન હતું. એ સમયે સૂફી કવિ આરિફ કલ્હોડાએ સિંધીની અત્યંત પ્રસિદ્ધ લોકકથા ‘સસઇપુન્હુ’ને કાવ્યબદ્ધ કરી હતી. એમણે એ લોકકથાને જીવાત્મા-પરમાત્માના સંબંધનો ઓપ આપ્યો છે. મૂળ લોકકથામાં કવિએ મૂળ ભાવાનુરૂપ ઉમેરણ કરીને કથાને અત્યંત રોચક બનાવી છે. આ…

વધુ વાંચો >

આરિફ, કિશનસિંઘ

આરિફ, કિશનસિંઘ (જ. 1836, અમૃતસર, પંજાબ; અ. 1904, પંજાબ, ઇન્ડિયા) : પંજાબી કવિ. 28 કાવ્યગ્રંથોના લેખક. આમાં ધાર્મિક, ઉપદેશાત્મક તથા હીર, શીરીન-ફરહાદ, પૂરણ ભગત, ભરથરી-હરિ, રાજા-રસૂલા, દુલ્લા-ભટ્ટી અને અન્ય પ્રેમકિસ્સાઓની કાવ્યરચનાઓ છે. તેઓ મહદંશે હીર(કલિયનવાલી હીર)ના કાવ્યસ્વરૂપના કારણે જાણીતા છે. આરિફ 19મી સદીના ઉત્તરાર્ધના પ્રતિનિધિ કવિ છે. તેઓ ઊર્મિપ્રધાનતા અને…

વધુ વાંચો >

આરિયોસ્તો, લુદોવિકો

આરિયોસ્તો, લુદોવિકો (જ. 8 સપ્ટેમ્બર 1474, રેગિયો, ઍમિલિયા, ઇટાલી; અ. 6 જુલાઈ 1533, ફેરારા, ઇટાલી) : ઇટાલિયન કવિ તથા નાટકકાર. ફેરારાના રાજદરબારમાં યૌવનના આરંભનો સમય વિતાવ્યા પછી પિતાના આદેશથી કાયદાના અભ્યાસમાં આરિયોસ્તોએ પાંચ વર્ષ વ્યતીત કર્યાં. પછી પ્રશિષ્ટ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોના અભ્યાસને રસનો વિષય બનાવી, કાતુલ્લસ અને હૉરૅસના પ્રભાવ તળે…

વધુ વાંચો >

આરુણિ ઉદ્દાલક

આરુણિ ઉદ્દાલક : ઉપનિષદોમાં ઉલ્લેખ પામેલ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા અરુણિ ઋષિનો પુત્ર અને ધૌમ્ય ઋષિનો શિષ્ય. અરુણિનો પુત્ર હોવાથી ‘આરુણિ’ તરીકે સંબોધાતો. આરુણિને સામાજિક વિધિ-નિષેધોના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મવિદ્યા પર એનો વિશેષ અધિકાર હતો. ગુરુને ત્યાં એ વિદ્યાર્થી અવસ્થામાં રહેતો હતો ત્યારે એક સમયે ગુરુએ આજ્ઞા કરી કે…

વધુ વાંચો >

આરણ્યક

Jan 7, 1990

આરણ્યક : વૈદિક સાહિત્યપ્રબંધો. વૈદિક સાહિત્યમાં મંત્ર અને બ્રાહ્મણસાહિત્ય પછી અને ઉપનિષદની પહેલાં રચાયેલા સાહિત્યપ્રબંધોને આરણ્યક કહેવામાં આવે છે. બૃહદારણ્યક કહે છે :  अरण्येऽनूच्यमानत्वात् आरण्यकम् । વાનપ્રસ્થાશ્રમમાં અરણ્યમાં જેનું પઠન કરવામાં આવતું તે આરણ્યક. બીજી રીતે કહેવામાં આવ્યું છે કે અરણ્યમાં અધ્યયન કરવામાં આવે છે માટે આરણ્યક. ગોપથ બ્રાહ્મણ (2-10)…

વધુ વાંચો >

આરણ્યક (1938)

Jan 7, 1990

આરણ્યક (1938) : વિભૂતિભૂષણ બંદોપાધ્યાયરચિત બંગાળી નવલકથા. અરણ્યની પ્રકૃતિના પરિવેશમાં આ નવલકથાની રચના થઈ છે. પ્રકૃતિ સાથેના માનવીના આત્મીય સંબંધની તથા તેના ઘેરા પ્રભાવની આ કથા છે. પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપો માનવના જીવન પર કેટલી અને કેવી પ્રબળ અસર કરે છે તે નાયકના અરણ્યના નિરીક્ષણ તથા તેના દૃષ્ટિપરિવર્તન દ્વારા દર્શાવ્યું છે.…

વધુ વાંચો >

આરણ્યુ

Jan 7, 1990

આરણ્યુ : ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગવાતી લોકદેવીની પરંપરાગત પ્રશસ્તિ. ચામુંડા, કાળકા, ખોડિયાર, શિકોતર, મેલડી વગેરે લોકદેવીઓ કાંટિયાવરણ, લોકવરણ વગેરેમાં કુળદેવી તરીકે પૂજાય છે. આ દેવીઓનું સ્થાપન ઘર-ઓરડામાં કે સ્વતંત્ર મઠમાં થાય છે. નવરાત્રમાં આ લોકજોગણીઓને તેનો ‘પોઠિયો’ (ભૂવો) સંધ્યાટાણે ધૂપદીપથી જુહારે છે. એ વખતે નવેનવ નોરતે કુળ-પરંપરાનો રાવળિયો જોગી દેવીની ‘ખડખડ્ય’ (આરણ્ય-પ્રશસ્તિ)…

વધુ વાંચો >

આરતી

Jan 7, 1990

આરતી : षोडशोपचारपूजा-સોળ ઉપચારોવાળી પૂજાનો એક ભાગ. ઉપચાર એટલે સેવાપ્રકાર. ‘આરતી’ શબ્દ સંસ્કૃત ‘आरात्रिक’, ‘आर्तिक्य’ કે ‘आर्तिक’ શબ્દ પરથી બન્યો છે. હિન્દુ ધર્મના ભક્તિ-સંપ્રદાયમાં પૂજાવિધિના અંતભાગમાં એક ખાસ પાત્રમાં પાંચ અથવા એકી સંખ્યામાં ઘીના દીવા પ્રકટાવી ઇષ્ટની પ્રતિમા સમક્ષ તે પાત્રને ઘડિયાળના કાંટાની દિશામાં, વચ્ચે વચ્ચે અટકીને, ગોળ ગોળ ફેરવવામાં…

વધુ વાંચો >

આરબ-ઇઝરાયલ સંઘર્ષ

Jan 7, 1990

આરબ-ઇઝરાયલ સંઘર્ષ : 1890 માં યહૂદીઓએ યુરોપ છોડી પૅલેસ્ટાઇનમાં વસવાની શરૂઆત કરી અને યહૂદીવાદી લડતનો તેમજ યહૂદી રાજ્યની રચના અંગેની માંગનો પ્રારંભ થયો. તે સમયે સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં આરબો અને જૂજ યહૂદી-વસ્તી પૅલેસ્ટાઇનમાં વસવાટ કરતી હતી. 1917 માં બાલ્ફર ઘોષણા પછી ઇઝરાયલના યહૂદી રાજ્યની સ્થાપનાનો ઇરાદો સ્પષ્ટ થયો, જેનો…

વધુ વાંચો >

આરબ ક્રાંતિ

Jan 7, 1990

આરબ ક્રાંતિ : 2000 સુધીનું આરબ જગત વિશ્વમાં સામાન્યતયા રાજકીય સ્થિરતાની છાપ ઊભી કરતું હતું જેમાં મુખ્ય અપવાદ ઇઝરાયલ-પૅલેસ્ટાઇન સંઘર્ષ હતો; પરંતુ 2010થી ત્યાં સંખ્યાબંધ દેખાવો અને વિરોધો આરંભાયા અને 2012ના મધ્યભાગ સુધીમાં મધ્યપૂર્વના અને ઉત્તર આફ્રિકાના દેશો વિવિધ રીતે તેમનો આક્રોશ અને પ્રજાકીય બેચેની વ્યક્ત કરી રહ્યા છે. પ્રજાની…

વધુ વાંચો >

આરબ લીગ

Jan 7, 1990

આરબ લીગ : મધ્યપૂર્વમાંનાં આરબ રાજ્યોનું પ્રાદેશિક સંગઠન. સ્થાપના 22 માર્ચ, 1945ના રોજ કેરોમાં. ઇજિપ્ત, સીરિયા, લેબેનૉન, ઇરાક, ટ્રાન્સજૉર્ડન (હવે જૉર્ડન), સાઉદી અરેબિયા અને યેમન (હવે યેમનસાના) રાજ્યો તેનાં સ્થાપક સભ્યો હતાં. બીજાં પછીથી તેમાં જોડાયાં, તેમાં લિબિયા (1953), સુદાન (1956), ટ્યૂનિશિયા અને મોરૉક્કો (1958), કુવૈત (1961), બેહરીન, ઓમાન, કતાર…

વધુ વાંચો >

આર. રામચંદ્રન્

Jan 7, 1990

આર. રામચંદ્રન્ (જ. 1923 , તમરતિરુતિ, જિ. ત્રિચુર, કેરળ; અ. 3 ઑગસ્ટ 2005) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અધ્યાપકપદે કાર્યરત રહ્યા હતા. તેઓ મલબાર ક્રિશ્ચિયન કૉલેજ, કાલિકટમાંથી આચાર્ય તરીકે સેવાનિવૃત્ત…

વધુ વાંચો >

આરસપહાણ

Jan 7, 1990

આરસપહાણ (marble) : આવશ્યકપણે માત્ર કૅલ્સાઇટ ખનિજ સ્ફટિકોથી બનેલો વિકૃત ખડક. પરંતુ ક્યારેક કૅલ્સાઇટ અને/અથવા ડૉલોમાઇટ ખનિજ-સ્ફટિકોના બંધારણવાળો હોય તોપણ તે આરસપહાણ તરીકે જ ઓળખાય છે. જો તે વધુ ડૉલોમાઇટયુક્ત કે મૅગ્નેશિયમ સિલિકેટયુક્ત હોય તો તેને મૅગ્નેશિયન આરસપહાણ અને એ જ રીતે જો તે વધુ કૅલ્શિયમ સિલિકેટયુક્ત હોય તો તેને…

વધુ વાંચો >

આરસી, પ્રસાદસિંગ

Jan 7, 1990

આરસી, પ્રસાદસિંગ (જ. 19 ઑગસ્ટ 1911, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી ભાષાના કવિ. તેમના ‘સૂર્યમુખી’ કાવ્યસંગ્રહને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. નાની વયે જ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. થોડો વખત કોશી ડિગ્રી કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે કામ કર્યા પછી તેમણે આકાશવાણીનાં અલ્લાહાબાદ અને લખનૌ કેન્દ્રોમાં…

વધુ વાંચો >