૨.૦૨

આધુનિક સિનેકલાથી આનુવંશિકતા અને જનીનવિદ્યા

આનંદતીર્થ

આનંદતીર્થ : જુઓ, મધ્વાચાર્ય.

વધુ વાંચો >

આનંદપુર

આનંદપુર : ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ. આશરે ઈ. પૂ. બીજી કે પહેલી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ આશરે એક કિલોમીટરના વિસ્તારનો છે. તેની આજુબાજુ તેના જૂના અવશેષો છૂટાછવાયા આશરે એકથી દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા છે. વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની…

વધુ વાંચો >

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં)

આનંદ પેગોડા (પાગાન, મ્યાનમારમાં) : મ્યાનમારમાં પાગાન નગરમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. આ મંદિર ક્યાનઝીથ્થ (1084–1112) રાજાએ 1090માં બંધાવ્યું હતું. આ બૌદ્ધ પેગોડા આશરે 187 મી. × 187 મી.ના સમચોરસમાં બાંધેલું છે અને આશરે 90 મી. પહોળું તથા 50 મી. ઊંચું છે. તેની વિવિધ બેઠકોનું નીચેથી ઉપર ઘટતું જતું કદ,…

વધુ વાંચો >

આનંદ બાઝાર પત્રિકા

આનંદ બાઝાર પત્રિકા : બંગાળી દૈનિક. સ્થાપના 13 માર્ચ, 1922. સ્થાપક અશોકકુમાર સરકાર. કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીમાંથી પ્રસિદ્ધ થતું એ.બી.પી. ગ્રૂપનું દૈનિકપત્ર છે. પ્રાદેશિક ભાષાઓમાં જેની એક આવૃત્તિ 12.80 લાખ નકલનો ફેલાવો ધરાવે છે. ભારતના બંગાળી અખબારોમાં 65.32 લાખની વાચક સંખ્યા સાથે બંગાળી અખબારોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમાં…

વધુ વાંચો >

આનંદબોધ

આનંદબોધ (પંદરમી અને અઢારમી સદી વચ્ચે ?) : યજુર્વેદની કાણ્વસંહિતાના ભાષ્યકાર. ભાષ્યનું શીર્ષક ‘કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ’. આનંદબોધ એ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા, એવું ભાષ્યની પુષ્પિકામાંથી સમજાય છે. અલબત્ત તેનો આખરી નિર્ણય થઈ શક્યો નથી. ગૌતમ પટેલ    

વધુ વાંચો >

આનંદભૈરવ રસ

આનંદભૈરવ રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગુલ, શુદ્ધ વછનાગ, કાળાં મરી, શુદ્ધ ટંકણખાર અને લીંડીપીપર સરખા પ્રમાણમાં લઈ ખરલમાં સારી રીતે ઘૂંટીને બારીક ચૂર્ણ બનાવી, લગભગ 0.125 ગ્રા.થી 0.25 ગ્રા.ના પ્રમાણમાં કડા છાલ તથા ઇન્દ્રયવના ચૂર્ણને મધમાં મેળવી તેની સાથે આપવાથી ત્રિદોષજનિત અતિસારના રોગમાં લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

આનંદમઠ

આનંદમઠ (1882) : બંગાળના સુપ્રસિદ્ધ નવલકથાકાર બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયની અત્યંત લોકપ્રિય નવલકથા. કથાવસ્તુ ઐતિહાસિક હોવા છતાં એ પૂર્ણાંશે ઐતિહાસિક કૃતિ નથી. મુસલમાન શાસકો નિષ્ક્રિય, વિલાસી અને પ્રજાપીડક હોવાથી એમની સામે વિદ્રોહ કરવા સંતપ્ત સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી હતી. એ સંપ્રદાયની પ્રવૃત્તિઓ ગુપ્ત હતી. એ સંપ્રદાય દેવીભક્ત હતો અને વિદ્રોહમાં સફળતા માટે…

વધુ વાંચો >

આનંદમાર્ગ

આનંદમાર્ગ (1955) : સામાજિક અને આધ્યાત્મિક ધ્યેયને વરેલી વિશિષ્ટ પ્રકારની એક સંસ્થા. સ્થાપક પ્રભાતરંજન સરકાર (1921), જેઓ તેમના અનુયાયીઓમાં આનંદમૂર્તિ નામથી ઓળખાય છે. સંસ્થાનું મુખ્ય મથક કૉલકાતા (પશ્ચિમ બંગાળ). વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિગત વિકાસ સાધવાની, કેળવણી આપવાનું તથા સમાજના કચડાયેલા અને ઉપેક્ષિત વર્ગને સહાય આપવાનું ધ્યેય ધરાવતી આ સંસ્થા વિશ્વવ્યાપી…

વધુ વાંચો >

આનંદવર્ધન

આનંદવર્ધન (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિસંપ્રદાયના મહાન આચાર્ય. ‘ધ્વન્યાલોક’ની ઇન્ડિયા ઑફિસની પાંડુલિપિમાં ત્રીજા અધ્યાયના વિવરણમાં તેમને નોણોપાધ્યાત્મજ કહ્યા છે. આચાર્ય હેમચન્દ્રે પણ ‘દેવી-શતક’નો ઉલ્લેખ કરતાં, તેના રચયિતાને નોણના પુત્ર શ્રીમદ્ આનંદવર્ધનને નામે ઓળખાવ્યા છે. નોણના પુત્ર આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતિવર્મા(855-884)ના સભાકવિ હતા તેમ પણ મનાય છે. આનંદવર્ધને રચેલા ‘ધ્વન્યાલોક’/‘કાવ્યાલોક’/‘સહૃદયાલોક’માં ધ્વનિપરંપરાનું…

વધુ વાંચો >

આનંદવાદ

આનંદવાદ : આનંદ પરબ્રહ્મનો જ વાચક છે. रसो वै सः । એ રસ જ છે જેને પામીને વ્યક્તિ આનંદિત થાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે આનંદના એક અંશ માત્રના આશ્રયથી સહુ પ્રાણી જીવિત રહે છે. તૈત્તિરીય ઉપનિષદમાં પણ આનંદને જગતના સઘળા પદાર્થોનું કારણ, આધાર અને લય બતાવેલ છે. આનંદ…

વધુ વાંચો >

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો

Jan 2, 1990

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો : ચલચિત્ર, બોલપટ કે સિનેકૃતિ મુખ્યત્વે વીસમી સદીની પેદાશ છે. પ્રારંભિક ચલચિત્રો મૂગાં સમાચારદર્શન કે ટૂંકાં પ્રહસનો જેવાં હતાં. તેમાં વ્યાપારી દૃષ્ટિ અને કલાનો પ્રભાવ ફ્રાંસ, અમેરિકા અને ઇંગ્લૅંડમાં ઊપસ્યો. 1901માં ફ્રાંસમાં ઝેક્કાનું ચલચિત્ર ‘હિસ્ટોઇર દ અન ક્રાઇમ’, 1903માં અમેરિકામાં પૉર્ટરનું ચલચિત્ર ‘ગ્રેટ ટ્રેન…

વધુ વાંચો >

આધુનિકીકરણ

Jan 2, 1990

આધુનિકીકરણ : સમાજમાં સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા. સમાજ-પરિવર્તનની જે વ્યાપક પ્રક્રિયાઓ થકી ઓછા વિકસિત સમાજો વધુ વિકસિત સમાજોનાં જે કેટલાંક લક્ષણ પ્રાપ્ત કરે તેને સામાન્ય રીતે આધુનિકીકરણ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રક્રિયાનો આરંભ કેટલાક યુરોપીય દેશોમાં થયો અને ત્યાંથી એનો ફેલાવો અન્યત્ર થયો. તેથી શરૂઆતમાં આધુનિકીકરણને પશ્ચિમીકરણ અથવા યુરોપીયીકરણની…

વધુ વાંચો >

આન

Jan 2, 1990

આન [હિંદી ચલચિત્ર (1952)] : આ સિનેકૃતિ ટૅકનિકલ કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અને એક સીમાચિહનરૂપ લેખાય છે. ‘ઔરત’ અને ‘અંદાઝ’ જેવાં ઉત્તમ કથા-ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સર્જક મહેબૂબખાન દ્વારા આ કૃતિનું નિર્માણ થયું હતું. ભારત ખાતે ત્યારે શ્વેત અને શ્યામ ફિલ્મોનો જમાનો હતો. રંગીન ફિલ્મોનું નિર્માણ તે સમયે…

વધુ વાંચો >

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

Jan 2, 1990

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની…

વધુ વાંચો >

આનર્ત

Jan 2, 1990

આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી…

વધુ વાંચો >

આનર્તપુર

Jan 2, 1990

આનર્તપુર : જુઓ, આનંદપુર

વધુ વાંચો >

આનંદ

Jan 2, 1990

આનંદ : ચિત્તની પ્રસન્ન સ્થિતિ. પ્રાણીમાત્ર આનંદને શોધે છે અને પીડા, વેદના કે વ્યથાને ટાળવાનો હરહંમેશ પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન કરેલું છે. જેનાથી બદલો કે પુરસ્કાર (reward) મળે તેવા વર્તનનું પુનરાવર્તન થાય છે અને જેનાથી શિક્ષા કે સજા (punishment) થાય તેને પ્રાણીમાત્ર ટાળવાનો કે તેમાંથી…

વધુ વાંચો >

આનંદ

Jan 2, 1990

આનંદ : પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ. તેઓ સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા હતા અને દીક્ષા લીધા પછી બુદ્ધના નિકટતમ શિષ્ય હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે 25 વર્ષો સુધી બુદ્ધની સેવા કરી હતી. પોતાની પ્રતિભાને કારણે તેમને બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ સાહિત્યનો સંગ્રહ કરવામાં તેમણે સંઘનું…

વધુ વાંચો >

આનંદ-ચલચિત્ર

Jan 2, 1990

આનંદ (ચલચિત્ર) : જિંદગીનો અંત નિકટ હોવાનું જાણવા છતાં પણ જે સમય બાકી છે તે ભરપૂર આનંદથી જીવી લેવા મથતા એક યુવકની હૃદયસ્પર્શી કથા નિરૂપતું હિંદી ચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માણ-સંસ્થા : રૂપમ્ ચિત્ર; પટકથા : હૃષીકેશ મુખરજી, ગુલઝાર, ડી. એન. મુખરજી; દિગ્દર્શન : હૃષીકેશ મુખરજી; સંવાદ : ગુલઝાર; ગીતકાર…

વધુ વાંચો >

આનંદઘન

Jan 2, 1990

આનંદઘન : (ઈ. સ. 17મી સદી) જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં તેમજ શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો મેળાપ ઉપાધ્યાય યશોવિજયજી…

વધુ વાંચો >