૨.૦૨

આધુનિક સિનેકલાથી આનુવંશિકતા અને જનીનવિદ્યા

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો

આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો : ચલચિત્ર, બોલપટ કે સિનેકૃતિ મુખ્યત્વે વીસમી સદીની પેદાશ છે. પ્રારંભિક ચલચિત્રો મૂગાં સમાચારદર્શન કે ટૂંકાં પ્રહસનો જેવાં હતાં. તેમાં વ્યાપારી દૃષ્ટિ અને કલાનો પ્રભાવ ફ્રાંસ, અમેરિકા અને ઇંગ્લૅંડમાં ઊપસ્યો. 1901માં ફ્રાંસમાં ઝેક્કાનું ચલચિત્ર ‘હિસ્ટોઇર દ અન ક્રાઇમ’, 1903માં અમેરિકામાં પૉર્ટરનું ચલચિત્ર ‘ગ્રેટ ટ્રેન…

વધુ વાંચો >

આધુનિકીકરણ

આધુનિકીકરણ : સમાજમાં સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા. સમાજ-પરિવર્તનની જે વ્યાપક પ્રક્રિયાઓ થકી ઓછા વિકસિત સમાજો વધુ વિકસિત સમાજોનાં જે કેટલાંક લક્ષણ પ્રાપ્ત કરે તેને સામાન્ય રીતે આધુનિકીકરણ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રક્રિયાનો આરંભ કેટલાક યુરોપીય દેશોમાં થયો અને ત્યાંથી એનો ફેલાવો અન્યત્ર થયો. તેથી શરૂઆતમાં આધુનિકીકરણને પશ્ચિમીકરણ અથવા યુરોપીયીકરણની…

વધુ વાંચો >

આન

આન [હિંદી ચલચિત્ર (1952)] : આ સિનેકૃતિ ટૅકનિકલ કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અને એક સીમાચિહનરૂપ લેખાય છે. ‘ઔરત’ અને ‘અંદાઝ’ જેવાં ઉત્તમ કથા-ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સર્જક મહેબૂબખાન દ્વારા આ કૃતિનું નિર્માણ થયું હતું. ભારત ખાતે ત્યારે શ્વેત અને શ્યામ ફિલ્મોનો જમાનો હતો. રંગીન ફિલ્મોનું નિર્માણ તે સમયે…

વધુ વાંચો >

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર

આનફાનર્તાં, બાર્થૅલેમી પ્રોસ્પર (જ. 8 ફેબ્રુઆરી 1796, પૅરિસ; અ. 1 સપ્ટેમ્બર 1864, પૅરિસ) : માર્કસ પૂર્વેના ‘યુરોપિયન’ ગણાતા સમાજવાદી ચિંતકોની પ્રણાલીનો તથા સમાજ, રાજકારણ અને અર્થકારણ વિશે વિચારનાર ફ્રેંચ તરંગી ચિંતક. તેમણે ઇકોલ પૉલિટૅકનિકમાં અભ્યાસ કર્યા બાદ વ્યાપક પ્રવાસો ખેડ્યા. મૂળે ઇજનેર એવા આ ચિંતકે સુએઝ તથા પનામા નહેરની યોજનાઓની…

વધુ વાંચો >

આનર્ત

આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી…

વધુ વાંચો >

આનર્તપુર

આનર્તપુર : જુઓ, આનંદપુર

વધુ વાંચો >

આનંદ

આનંદ : ચિત્તની પ્રસન્ન સ્થિતિ. પ્રાણીમાત્ર આનંદને શોધે છે અને પીડા, વેદના કે વ્યથાને ટાળવાનો હરહંમેશ પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન કરેલું છે. જેનાથી બદલો કે પુરસ્કાર (reward) મળે તેવા વર્તનનું પુનરાવર્તન થાય છે અને જેનાથી શિક્ષા કે સજા (punishment) થાય તેને પ્રાણીમાત્ર ટાળવાનો કે તેમાંથી…

વધુ વાંચો >

આનંદ

આનંદ : પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુ. તેઓ સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા હતા અને દીક્ષા લીધા પછી બુદ્ધના નિકટતમ શિષ્ય હતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે 25 વર્ષો સુધી બુદ્ધની સેવા કરી હતી. પોતાની પ્રતિભાને કારણે તેમને બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધના પરિનિર્વાણ પછી બૌદ્ધ સાહિત્યનો સંગ્રહ કરવામાં તેમણે સંઘનું…

વધુ વાંચો >

આનંદ-ચલચિત્ર

આનંદ (ચલચિત્ર) : જિંદગીનો અંત નિકટ હોવાનું જાણવા છતાં પણ જે સમય બાકી છે તે ભરપૂર આનંદથી જીવી લેવા મથતા એક યુવકની હૃદયસ્પર્શી કથા નિરૂપતું હિંદી ચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માણ-સંસ્થા : રૂપમ્ ચિત્ર; પટકથા : હૃષીકેશ મુખરજી, ગુલઝાર, ડી. એન. મુખરજી; દિગ્દર્શન : હૃષીકેશ મુખરજી; સંવાદ : ગુલઝાર; ગીતકાર…

વધુ વાંચો >

આનંદઘન

આનંદઘન : (ઈ. સ. 17મી સદી) જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં. આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં તેમજ શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો મેળાપ ઉપાધ્યાય યશોવિજયજી…

વધુ વાંચો >

આનંદ, વિશ્વનાથન

Jan 2, 1990

આનંદ, વિશ્વનાથન (જ. 11 ડિસેમ્બર 1969, મયીલાદુજીરાઈ, તમિળનાડુ) : વિશ્વ શેતરંજ વિજેતા બનનાર ભારતનો સર્વશ્રેષ્ઠ શેતરંજ ખેલાડી અને 2007થી વિશ્વવિજેતા ખેલાડી અને રમતવીર. ચેન્નાઈની ડૉન બૉસ્કો સ્કૂલમાં અભ્યાસ. એ નાનો હતો ત્યારે પૂછવામાં આવ્યું કે ‘તને શું થવું ગમે ?’ ત્યારે એણે કહ્યું, ‘વર્લ્ડ ચૅમ્પિયન.’ એ સમયે ભારતમાં શેતરંજની રમતમાં…

વધુ વાંચો >

આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ

Jan 2, 1990

આનંદીબાઈ ઇત્યાદિ ગલ્પ (1957) : બંગાળી લેખક ‘પરશુરામ’ (મૂળ નામ : રાજશેખર) (જ. 1880, બર્દવાન; અ. 1967)નો વાર્તાસંગ્રહ. તેને 1958ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. પરશુરામ રસાયણવિજ્ઞાન તથા સંસ્કૃત પ્રશિષ્ટ ગ્રંથો પરત્વે એકસરખી વિદ્વત્તા ધરાવે છે; બોલચાલની બંગાળી ભાષાનો શબ્દકોશ રચનાર આ વાર્તાકારને તેમની હાસ્યરસિકતા માટે પણ ભારે…

વધુ વાંચો >

આના કૅરેનિના

Jan 2, 1990

આના કૅરેનિના (1877) : રશિયન નવલકથા. રશિયન સાહિત્યકાર લેવ તૉલ્સ્તૉય(1828-1910)ની ‘વૉર ઍન્ડ પીસ’ પછીની ઉત્કૃષ્ટ કૃતિ. આ સામાજિક નવલકથામાં હેતુનો સંઘર્ષ અને પ્રેમની વિનાશક શક્તિની ખોજનું નિરૂપણ છે. 50 ઉપરાંત પાત્રો અને 5 કુટુંબોને સ્પર્શતી આ નવલકથામાં લેવિનનું પાત્ર લેખકનું પ્રતિનિધિત્વ કરે છે. ઓગણીસમી સદીના આઠમા દાયકાના રશિયન સમાજને આલેખતી…

વધુ વાંચો >

આનુવર્તિક હલનચલન

Jan 2, 1990

આનુવર્તિક હલનચલન (tropic movements) : વળાંક કે વક્રતા (curvature) રૂપે થતું વનસ્પતિઓનું હલનચલન. વળાંક અસમાન વૃદ્ધિ કે પર્યાવરણીય કારકોની અસર નીચે થાય છે. તે ગુરુત્વાનુવર્તી (geotropic) ગુરુત્વાકર્ષણને લીધે, પ્રકાશાનુવર્તી (phototropic) આપાત (incident) પ્રકાશના પ્રમાણ અને પ્રકારને લીધે, ભૌતિક સંપર્કો – સ્પર્શાનુવર્તની (thigmotropic) અને રાસાયણિક પદાર્થોને કારણે અંગોમાં થતા સ્થાન અને…

વધુ વાંચો >

આનુવંશિકતા અને જનીનવિદ્યા

Jan 2, 1990

આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…

વધુ વાંચો >