૨૪.૧૧

સ્તરભંગઉત્ખંડ (horst)થી સ્થાનીયતા

સ્તરભંગ-ઉત્ખંડ (horst)

સ્તરભંગ-ઉત્ખંડ (horst) : બે સ્તરભંગને કારણે વચ્ચેના ભાગમાં ઉત્થાન પામેલો ખંડવિભાગ. ઉત્ખંડનાં પરિમાણ સ્થાનભેદે જુદાં જુદાં હોઈ શકે છે. સામાન્ય રીતે તેની લંબાઈ પહોળાઈ કરતાં વધુ હોય છે. ઉત્ખંડની લંબાઈ અને ઉપર તરફનું સ્થાનાંતર થોડા સેમી.થી માંડીને સેંકડો મીટર સુધીનાં હોઈ શકે છે. ‘ઉત્ખંડ’ ઉત્ખંડની રચના ગુરુત્વ પ્રકારના સ્તરભંગોને કારણે…

વધુ વાંચો >

સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides)

સ્તરભંગઘર્ષિત સપાટીઓ (slickensides) : સ્તરભંગને કારણે અસરયુક્ત ખડકો પર ઉદભવતી સુંવાળી સપાટીઓ. ભૂસંચલનને કારણે સ્તરભંગ થાય ત્યારે ખડકોમાં ભંગાણ થાય છે અને ખડકવિભાગો સરકે છે. સ્તરભંગસપાટી પરના સ્તરો દબાણ હેઠળ એકબીજાના લગોલગ સંપર્કમાં રહીને ઘસાય છે. તેના કારણે સામસામી દીવાલો લીસી, સુંવાળી, રેખાંકિત કે સળવાળી બને છે. ઉદભવતાં રેખાંકનો ખસવાની…

વધુ વાંચો >

સ્તરભંગ-થાળું

સ્તરભંગ-થાળું : સ્તરભંગને કારણે રચાતું થાળું. પૃથ્વીના પોપડાનો એવો વિભાગ જે તેની બંને બાજુઓ પર બે સ્તરભંગોથી બનેલી સીમાઓવાળો હોય, વચ્ચેનો ભાગ સરકીને ઊંડે ઊતરી ગયો હોય તથા આજુબાજુના બંને વિભાગો સ્થિર રહ્યા હોય કે ઉપર તરફ ઓછાવત્તા કે સરખા ઊંચકાયા હોય. બંને બાજુના સ્તરભંગ ઘણી લંબાઈ સુધી વિસ્તરેલા હોય…

વધુ વાંચો >

સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia)

સ્તરભંગ-બ્રેક્સિયા (Fault-breccia, Tectonic breccia) : સ્તરભંગક્રિયાથી ઉદભવેલો ખડકપ્રકાર. સ્તરભંગ થતી વખતે સ્તરભંગસપાટી પરની સામસામી ખડક-દીવાલો ઘસાઈને સરકે છે, ઘર્ષણથી ખડકો ભંગાણ પામે છે, ખડક ટુકડાઓ તૈયાર થાય છે, સાથે સાથે તૈયાર થતું સૂક્ષ્મ ખડકચૂર્ણ તે ટુકડાઓને સાંધે છે, અરસપરસ એકબીજામાં સંધાઈને જડાઈ જાય છે. આ રીતે તૈયાર થતો નવજાત ખડક…

વધુ વાંચો >

સ્તરરચના (bedding stratification)

સ્તરરચના (bedding, stratification) : નિક્ષેપ-જમાવટથી તૈયાર થતા સ્તરસમૂહની ગોઠવણી. આ શબ્દ સ્તરવિદ્યાત્મક હોઈને જળકૃત સંરચનાઓ પૈકીનો એક પ્રકાર છે અને તે જળકૃત ખડકોનું પ્રથમ પરખ-લક્ષણ બની રહે છે. એક કરતાં વધુ સ્તર કે પડથી રચાતા સ્તરસમૂહની ગોઠવણીને સ્તરરચના અને તેનાથી બનતી સંરચનાને પ્રસ્તરીકરણ કહેવાય છે. સામાન્ય રીતે આ બંને પર્યાયો…

વધુ વાંચો >

સ્તરવિદ્યા (stratigraphy)

સ્તરવિદ્યા (stratigraphy) : ભૂસ્તરશાસ્ત્રની ઘણી મહત્વની વિષયશાખા. તેમાં પૃથ્વીના પોપડાના સ્તરવાળા ખડકોની રચના, તેમનાં સ્તરાનુક્રમ, ઉત્પત્તિસ્થિતિ, બંધારણ, સહસંબંધ, વય વગેરેનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. આ શાખા મુખ્યત્વે તો જળકૃત ખડકરચનાઓ સાથે વધુ સંલગ્ન ગણાય છે; તેમ છતાં સ્તરાનુક્રમના તેના નિયમો લાવા કે ટફ જેવા અગ્નિકૃત ખડકોને તેમજ જળકૃત/જ્વાળામુખીજન્ય વિકૃત…

વધુ વાંચો >

સ્તરવિન્યાસી વ્યાકરણ (stratificational grammar)

સ્તરવિન્યાસી વ્યાકરણ (stratificational grammar) : ભાષાનાં કાર્યોને વર્ણવતી વ્યાકરણની એક શાખા. સામાન્ય અર્થમાં વ્યાકરણ એટલે ભાષાનાં કાર્યોનો અભ્યાસ. પરંપરાગત વ્યાકરણો કરતાં ભાષાવૈજ્ઞાનિક વર્ણનો–ભાષાનો અત્યંત ચોક્કસ અને તટસ્થ અભ્યાસ કરે છે. સંરચનાવાદી ભાષાવિજ્ઞાન અને રૂપાંતરણીય ભાષાવિજ્ઞાન આનાં શ્રેષ્ઠ ઉદાહરણ છે. સ્તરવિન્યાસી વ્યાકરણ પણ ભાષાનાં કાર્યોને વર્ણવવાનો આવો જ એક પ્રયાસ છે.…

વધુ વાંચો >

સ્તરીકરણ

સ્તરીકરણ : વનસ્પતિસમાજ(plant community)માં થતા લંબવર્તી (vertical) ફેરફારો સાથે સંકળાયેલી ઘટના. તેના પ્રત્યેક સમક્ષિતિજીય (horizontal) વિભાગમાં વિશિષ્ટ લંબવર્તી સ્તરો જોવા મળે છે. વનસ્પતિસમાજની ઉત્પત્તિ અને વિકાસ દરમિયાન સજીવો વચ્ચે વિશિષ્ટ પ્રકારના આંતરસંબંધો અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધો મુખ્યત્વે નિવાસસ્થાન અને ખોરાકને લગતા હોય છે. નિવાસ અને ખોરાક સંબંધે તે પ્રદેશની…

વધુ વાંચો >

સ્તરીય પ્રવાહ

સ્તરીય પ્રવાહ : સમાંતર સ્તરો રૂપે ગતિ કરતા તરલ(fluid)નો સ્થિર (steady) પ્રવાહ. નિશ્ચિત જાડાઈના સ્તરો એકબીજામાં ખાસ સંમિશ્રિત થયા સિવાય એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે. અહીં દરેક સ્તરમાં રહેલા પ્રત્યેક તરલ કણનો વેગ એકસરખો હોય તેવું જરૂરી નથી. સીધી સમક્ષિતિજ નળીમાં તરલની ગતિમાં પ્રત્યેક સ્તરમાં કણોનો વેગ જ્યાં સુધી ક્રાંતિક…

વધુ વાંચો >

સ્તંભ

સ્તંભ : છતને ટેકવવા માટેની સ્થાપત્યકીય રચના. સ્તંભના મુખ્ય ત્રણ ભાગ હોય છે : કુંભી (base), સ્તંભદંડ (shaft) અને શિરાવટી (capital). કુંભી સ્તંભનો પાયો છે, જ્યારે શિરાવટી સ્તંભનો શીર્ષભાગ એટલે કે ઉપરનો ભાગ છે. કુંભી અને શિરાવટી વચ્ચેનો ભાગ સ્તંભદંડ છે. ભારતીય પરંપરામાં સ્તંભનું રૂપવિધાન મંદિરના મંડોવર(ગર્ભગૃહની બહારની દીવાલ)ના રૂપવિધાન…

વધુ વાંચો >

સ્તંભતીર્થ

Jan 11, 2009

સ્તંભતીર્થ : હાલના આણંદ જિલ્લામાં આવેલું ખંભાત નગર. સ્કંદપુરાણના માહેશ્વર ખંડના કૌમારિકા ખંડમાં ‘સ્તંભતીર્થ’, ‘સ્તંભપુર’ અને ‘સ્તંભેશ્વરતીર્થ’ – આ ત્રણ નામ તેને માટે આપ્યાં છે. આ તીર્થ મહીસાગર-સંગમ-ક્ષેત્રમાં આવેલું જણાવ્યું છે. આ નગર ‘ખંભાતખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી–તામ્રલિપ્તિ, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણાવતી’ – આ બધાં નામોથી પ્રખ્યાત હતું. અભિલેખોમાં ઉત્તર સોલંકી કાલમાં…

વધુ વાંચો >

સ્તંભનક

Jan 11, 2009

સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…

વધુ વાંચો >

સ્તંભન પાર્શ્વનાથ

Jan 11, 2009

સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…

વધુ વાંચો >

સ્તંભાકાર સંરચના

Jan 11, 2009

સ્તંભાકાર સંરચના : જુઓ સાંધા.

વધુ વાંચો >

સ્તૂપ

Jan 11, 2009

સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું…

વધુ વાંચો >

સ્તૂપ બોરોબુદુર

Jan 11, 2009

સ્તૂપ બોરોબુદુર : જુઓ બોરોબુદુર.

વધુ વાંચો >

સ્તૂપ સાંચી

Jan 11, 2009

સ્તૂપ સાંચી : જુઓ સાંચીનો સ્તૂપ.

વધુ વાંચો >

સ્તેન્ધાલ (Stendhal)

Jan 11, 2009

સ્તેન્ધાલ (Stendhal) (જ. 23 જાન્યુઆરી 1783, ગ્રેનોબલ, ફ્રાન્સ; અ. 23 માર્ચ 1842, પૅરિસ) : ફ્રેંચ નવલકથાકાર. (મૂળ નામ મેરી હેનરી બેઇલ) તેમની કૃતિઓમાં નિરૂપાયેલ મનોવિશ્લેષણ અને રાજકીય ચિંતનને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જે જમાનાના સામાજિક વાતાવરણમાં તે જીવતા હતા, તેના કરતાં વિપરીત પ્રકારના જટિલ નાયકના પાત્રસર્જનને કારણે કથાસાહિત્યમાં નવી…

વધુ વાંચો >

સ્તોઆ

Jan 11, 2009

સ્તોઆ : પ્રવેશચોકી અથવા છત સાથેની સ્તંભાવલિ. ઉત્તમ સ્તોઆનું ઉદાહરણ એથેન્સ મુકામે એટ્ટાલોસ(ઈ. પૂ. બીજી સદી)નું છે. મ્યુઝિયમ તરીકે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગ્રીક સ્થાપત્યમાં અલાયદી સ્તંભાવલિને પણ સ્તોઆ કહે છે. બાયઝેન્ટિયમ સ્થાપત્યમાં ગૂઢમંડપ(covered hall)ને સ્તોઆ કહે છે. તેની છત સ્તંભોની એક અથવા બે હાર વડે ટેકવેલી હોય છે.…

વધુ વાંચો >

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય)

Jan 11, 2009

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય) : પ્રાચીન ભારતમાં દેવ કે દેવીની સ્તુતિ કરતો કાવ્યપ્રકાર. સમરસતા : જેના વડે ઈશ્વરના મહિમાનું વર્ણન કરાય તે સ્તોત્ર, સ્તુતિ કે સ્તવન. તેમાં ઈશ્વરનું ગુણગાન કરીને કવિ પોતાના હૃદયની વ્યથા, વેદના અને આકાંક્ષા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરે છે; જેને પ્રાર્થના કહે છે. તે દરેક ધર્મમાં હોય; પરંતુ…

વધુ વાંચો >