૨૩.૨૦

સુકન્યાથી સુઘટ્યતા (plasticity)

સુઘટ્યતા (plasticity)

સુઘટ્યતા (plasticity) : પદાર્થનો એક પ્રકારનો ગુણધર્મ. ભૌતિકવિજ્ઞાન (physics) તથા પદાર્થવિજ્ઞાન(material’s science)માં સુઘટ્યતા એક પ્રકારનો ગુણધર્મ છે. તેમાં બાહ્ય બળ આપતાં પદાર્થ કાયમી વિરૂપણ (deformation) પામતો હોય છે. સુઘટ્ય વિકૃતિ (plastic strain) સ્પર્શીય પ્રતિબળ(shear stress)ના કારણે જોવા મળે છે; પરંતુ બટકીને તૂટવાની અથવા ભંગ (brittle fracture) થવાની ઘટના લંબ દિશાના…

વધુ વાંચો >

સુકન્યા

Jan 20, 2008

સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા…

વધુ વાંચો >

સુકર્ણો

Jan 20, 2008

સુકર્ણો (જ. 6 જૂન 1901, બ્લિટાર, પૂર્વ જાવા; અ. 21 જૂન 1970, જાકાર્તા, ઇન્ડોનેશિયા) : ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને 1945થી 1967 સુધી ઇન્ડોનેશિયાના પ્રમુખ. તેમના પિતા શાળાના શિક્ષક હતા. તેમના પિતાએ તેમને પાશ્ર્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાનાથી મોટી ઉંમરની શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યાં. પાછળથી તેમણે બીજી કેટલીક…

વધુ વાંચો >

સુકાતાં તેલ (drying oils)

Jan 20, 2008

સુકાતાં તેલ (drying oils) : હવામાં ખુલ્લાં રહેવાથી ઘટ્ટ અને કઠણ બની જતાં કુદરતી અથવા સંશ્લેષિત તેલો. આવાં તેલોની ખુલ્લી હવામાં સ્વયં ઉપચયન પામવાની તથા બહુલીકરણની સરળતા પ્રમાણે તેમનું ન સુકાય તેવાં (nondrying), અર્ધસુકાતાં (semidrying) અથવા સુકાતાં તેલો તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે. જાણીતાં તેલો પૈકી કપાસિયાંનું તેલ સૌથી જૂનું…

વધુ વાંચો >

સુકાન (Rudder)

Jan 20, 2008

સુકાન (Rudder) : વહાણો, હોડીઓ, સબમરીન, વિમાનો, હોવરક્રાફ્ટ અને હવા અથવા પાણીમાં ચાલતાં અન્ય વાહનોની ગતિના દિશાપરિવર્તન માટે ઉપયોગમાં લેવાતી પ્રયુક્તિ. વહાણના કાઠા (hull) અથવા વિમાનના કાઠા(fuselage)ને અડકીને વહેતાં પાણી અથવા હવાના પ્રવાહની દિશા બદલીને સુકાન સંચાલિત થાય છે. જેના લીધે તે વાહનની ગતિને વળાંક આપે છે અથવા પ્રવિચલન (yawning)…

વધુ વાંચો >

‘સુકાની’

Jan 20, 2008

‘સુકાની’ (જ. 25 સપ્ટેમ્બર 1896, મુંદ્રા, કચ્છ; અ. 22 સપ્ટેમ્બર 1958, ચેન્નાઈ) : નવલકથાકાર, નિબંધકાર તેમજ વહાણવટાના તજ્જ્ઞ. મૂળનામ બૂચ ચંદ્રશંકર અમૃતલાલ. વતન મુંદ્રા-કચ્છ. શિક્ષણ મુંબઈમાં. 1918માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. તે પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક વર્ષ ફેલો તરીકે તથા તે પછી પાંચ વર્ષ સંસ્કૃત-અંગ્રેજીના…

વધુ વાંચો >

સુકારો

Jan 20, 2008

સુકારો : જુઓ વિષાક્તતા.

વધુ વાંચો >

સુકુમાર ઍઝિકૉડ

Jan 20, 2008

સુકુમાર ઍઝિકૉડ (જ. 14 મે 1926, ઍઝિકૉડ, જિ. કેન્નોર, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક અને વિદ્વાન. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.કૉમ., બી.એડ. તથા મલયાળમ અને સંસ્કૃતમાં એમ.એ.. તે પછી કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. 2002 પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ. ઍઝિકૉડ સુકુમાર તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : માનાર્હ પ્રાધ્યાપક, પ્રો-વાઇસ-ચાન્સેલર અને મલયાળમના પ્રાધ્યાપક, કાલિકટ યુનિવર્સિટી;…

વધુ વાંચો >

સુકુમાર ઘૃત (કલ્પ)

Jan 20, 2008

સુકુમાર ઘૃત (કલ્પ) : આયુર્વેદિક ઔષધિ. આયુર્વેદિક ઔષધિનિર્માણશાસ્ત્રમાં અનેક પ્રકાર-સ્વરૂપની ઔષધિઓ બને છે; જેમાં ઔષધિયુક્ત ઘીની પણ અનેક વિશિષ્ટ દવાઓ છે. આયુર્વેદના મતે ઘી સૌમ્ય, શીતળ, મૃદુ, મધુર, વાત તથા પિત્તદોષનાશક, પૌષ્ટિક અને રસાયનગુણયુક્ત છે. તેનાથી બળ, વીર્ય, ઓજ, તેજ, મેધા, બુદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. વળી વિષનો પણ…

વધુ વાંચો >

સુકુમારન્, એમ.

Jan 20, 2008

સુકુમારન્, એમ. (જ. 11 જાન્યુઆરી 1943, ચિત્તૂર, જિ. પાલઘાટ, કેરળ; અ. 16 માર્ચ 2018, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘ચુવન્નચિહનંગલ’ બદલ 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ 1963માં મહાલેખાકારની કચેરી, તિરુવનંતપુરમ્માં લિપિકની સેવામાં જોડાયા, 1974માં ટ્રેડ યુનિયનની ચળવળને કારણે…

વધુ વાંચો >

સુકુમાર રમણ

Jan 20, 2008

સુકુમાર, રમણ (જ. 3 એપ્રિલ 1955, ચેન્નાઈ, ભારત) : પર્યાવરણ-વૈજ્ઞાનિક (ecologist), પ્રાણી-પ્રકૃતિના ચાહક અને નિષ્ણાત. હાથીઓ પરનાં પુસ્તકો અને લેખોથી જગવિખ્યાત વૈજ્ઞાનિક. ઉછેર ચેન્નાઈમાં. નાનપણથી તેમને ‘વનવાસી’(forest-dweller)ના હુલામણા નામથી સૌ ઓળખતા. આ નામ તેમનાં દાદીમાએ પાડેલું. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી પર્યાવરણની જાળવણી વિશે જાણકારી મેળવવાનું અને તે સંબંધી કામ કરવાનું…

વધુ વાંચો >