૨૩.૨૦

સુકન્યાથી સુઘટ્યતા (plasticity)

સુકન્યા

સુકન્યા : રાજા શર્યાતિની પુત્રી અને ચ્યવન ઋષિની પત્ની. શર્યાતિના પુત્રોએ ભાર્ગવ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવન ઋષિએ શાર્યાતોમાં વિગ્રહ કરાવ્યો. તેથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવન સાથે પરણાવીને ઋષિને પ્રસન્ન કર્યા એવી એક વાત શતપથ બ્રાહ્મણમાં આપવામાં આવી છે. અશ્ર્વિનીકુમારોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુનર્યૌવન પામ્યા…

વધુ વાંચો >

સુકર્ણો

સુકર્ણો (જ. 6 જૂન 1901, બ્લિટાર, પૂર્વ જાવા; અ. 21 જૂન 1970, જાકાર્તા, ઇન્ડોનેશિયા) : ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્યસંગ્રામના નેતા અને 1945થી 1967 સુધી ઇન્ડોનેશિયાના પ્રમુખ. તેમના પિતા શાળાના શિક્ષક હતા. તેમના પિતાએ તેમને પાશ્ર્ચાત્ય પદ્ધતિનું શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાનાથી મોટી ઉંમરની શ્રીમંત વિધવા સાથે લગ્ન કર્યાં. પાછળથી તેમણે બીજી કેટલીક…

વધુ વાંચો >

સુકાતાં તેલ (drying oils)

સુકાતાં તેલ (drying oils) : હવામાં ખુલ્લાં રહેવાથી ઘટ્ટ અને કઠણ બની જતાં કુદરતી અથવા સંશ્લેષિત તેલો. આવાં તેલોની ખુલ્લી હવામાં સ્વયં ઉપચયન પામવાની તથા બહુલીકરણની સરળતા પ્રમાણે તેમનું ન સુકાય તેવાં (nondrying), અર્ધસુકાતાં (semidrying) અથવા સુકાતાં તેલો તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે. જાણીતાં તેલો પૈકી કપાસિયાંનું તેલ સૌથી જૂનું…

વધુ વાંચો >

સુકાન (Rudder)

સુકાન (Rudder) : વહાણો, હોડીઓ, સબમરીન, વિમાનો, હોવરક્રાફ્ટ અને હવા અથવા પાણીમાં ચાલતાં અન્ય વાહનોની ગતિના દિશાપરિવર્તન માટે ઉપયોગમાં લેવાતી પ્રયુક્તિ. વહાણના કાઠા (hull) અથવા વિમાનના કાઠા(fuselage)ને અડકીને વહેતાં પાણી અથવા હવાના પ્રવાહની દિશા બદલીને સુકાન સંચાલિત થાય છે. જેના લીધે તે વાહનની ગતિને વળાંક આપે છે અથવા પ્રવિચલન (yawning)…

વધુ વાંચો >

‘સુકાની’

‘સુકાની’ (જ. 25 સપ્ટેમ્બર 1896, મુંદ્રા, કચ્છ; અ. 22 સપ્ટેમ્બર 1958, ચેન્નાઈ) : નવલકથાકાર, નિબંધકાર તેમજ વહાણવટાના તજ્જ્ઞ. મૂળનામ બૂચ ચંદ્રશંકર અમૃતલાલ. વતન મુંદ્રા-કચ્છ. શિક્ષણ મુંબઈમાં. 1918માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. તે પછી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં એક વર્ષ ફેલો તરીકે તથા તે પછી પાંચ વર્ષ સંસ્કૃત-અંગ્રેજીના…

વધુ વાંચો >

સુકારો

સુકારો : જુઓ વિષાક્તતા.

વધુ વાંચો >

સુકુમાર ઍઝિકૉડ

સુકુમાર ઍઝિકૉડ (જ. 14 મે 1926, ઍઝિકૉડ, જિ. કેન્નોર, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક અને વિદ્વાન. મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.કૉમ., બી.એડ. તથા મલયાળમ અને સંસ્કૃતમાં એમ.એ.. તે પછી કેરળ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.. 2002 પછી સ્વતંત્ર લેખનપ્રવૃત્તિ. ઍઝિકૉડ સુકુમાર તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : માનાર્હ પ્રાધ્યાપક, પ્રો-વાઇસ-ચાન્સેલર અને મલયાળમના પ્રાધ્યાપક, કાલિકટ યુનિવર્સિટી;…

વધુ વાંચો >

સુકુમાર ઘૃત (કલ્પ)

સુકુમાર ઘૃત (કલ્પ) : આયુર્વેદિક ઔષધિ. આયુર્વેદિક ઔષધિનિર્માણશાસ્ત્રમાં અનેક પ્રકાર-સ્વરૂપની ઔષધિઓ બને છે; જેમાં ઔષધિયુક્ત ઘીની પણ અનેક વિશિષ્ટ દવાઓ છે. આયુર્વેદના મતે ઘી સૌમ્ય, શીતળ, મૃદુ, મધુર, વાત તથા પિત્તદોષનાશક, પૌષ્ટિક અને રસાયનગુણયુક્ત છે. તેનાથી બળ, વીર્ય, ઓજ, તેજ, મેધા, બુદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. વળી વિષનો પણ…

વધુ વાંચો >

સુકુમારન્, એમ.

સુકુમારન્, એમ. (જ. 11 જાન્યુઆરી 1943, ચિત્તૂર, જિ. પાલઘાટ, કેરળ; અ. 16 માર્ચ 2018, તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘ચુવન્નચિહનંગલ’ બદલ 2006નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ 1963માં મહાલેખાકારની કચેરી, તિરુવનંતપુરમ્માં લિપિકની સેવામાં જોડાયા, 1974માં ટ્રેડ યુનિયનની ચળવળને કારણે…

વધુ વાંચો >

સુકુમાર રમણ

સુકુમાર, રમણ (જ. 3 એપ્રિલ 1955, ચેન્નાઈ, ભારત) : પર્યાવરણ-વૈજ્ઞાનિક (ecologist), પ્રાણી-પ્રકૃતિના ચાહક અને નિષ્ણાત. હાથીઓ પરનાં પુસ્તકો અને લેખોથી જગવિખ્યાત વૈજ્ઞાનિક. ઉછેર ચેન્નાઈમાં. નાનપણથી તેમને ‘વનવાસી’(forest-dweller)ના હુલામણા નામથી સૌ ઓળખતા. આ નામ તેમનાં દાદીમાએ પાડેલું. હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી પર્યાવરણની જાળવણી વિશે જાણકારી મેળવવાનું અને તે સંબંધી કામ કરવાનું…

વધુ વાંચો >

સુકૃતકીર્તિકલ્લોલિની

Jan 20, 2008

સુકૃતકીર્તિકલ્લોલિની : આચાર્ય ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલનાં સુકૃત્યોની પ્રશસ્તિ રૂપે રચેલ કાવ્ય. તેમાં અણહિલવાડના રાજાઓનું કવિત્વમય વર્ણન કર્યા પછી મંત્રી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કાર્યોનો ગુણાનુવાદ કર્યો છે. મંત્રી વસ્તુપાલે ઈ. સ. 1221માં શત્રુંજયની યાત્રા કરી હતી. તે વખતે આ કાવ્યની રચના થયેલી જણાય છે. ત્યાં ઇન્દ્રમંડપમાં આ કાવ્ય ઉત્કીર્ણ કરવામાં આવ્યું હતું. આ…

વધુ વાંચો >

સુકૃત-સંકીર્તન

Jan 20, 2008

સુકૃત–સંકીર્તન : કવિ અરિસિંહ ઠક્કુરે 11 સર્ગોનું રચેલું કાવ્ય. તેમાં વસ્તુપાલનાં સુકૃત્યોનું વર્ણન કરેલું છે. કવિએ વનરાજથી લઈ સામંતસિંહ સુધીના ચાવડા રાજાઓ, મૂલરાજથી શરૂ કરીને ભીમદેવ 2જા સુધીના ચૌલુક્ય (સોલંકી) રાજાઓ તથા અર્ણોરાજથી લઈને વીરધવલ સુધીના વાઘેલા વંશના રાજાઓનો ઇતિહાસ ટૂંકમાં નિરૂપ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

સુકોષકેન્દ્રી

Jan 20, 2008

સુકોષકેન્દ્રી : સુવિકસિત કોષકેન્દ્ર ધરાવતા કોષોવાળા સજીવો. અંગ્રેજીમાં તેમને Eukaryota (ગ્રીક શબ્દ Eu અને Karyon – nucleus) કહે છે. આ સજીવોના કોષોનું કદ સામાન્યત: 10થી 100 માઇક્રોન હોય છે. કશા (flagellum) જટિલ અને ઘણી સૂક્ષ્મનલિકાઓ(microtubules)ની બનેલી હોય છે. જો કોષદીવાલ હોય તો રાસાયણિક રીતે સરળ હોય છે. કેટલાક કોષદીવાલ રહિત…

વધુ વાંચો >

સુખડચંદન

Jan 20, 2008

સુખડચંદન : જુઓ ચંદન

વધુ વાંચો >

સુખડી (1905)

Jan 20, 2008

સુખડી (1905) : સિંધી લેખક કેવળરામ સલામતરાય અડવાણી(જ. 1809)નો વાર્તાસંગ્રહ. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી તેમણે વિવિધ ધર્મો અને સાહિત્ય વિશે અભ્યાસ કર્યો. 1864થી 1870ના 7 વર્ષના ટૂંકા ગાળામાં તેમણે સિંધીમાં 3 ગ્રંથો આપ્યા : ‘ગુલ’ (‘ફ્લાવર્સ’); ‘ગુલુશકર’ (‘મિક્સચર ઑવ્ રૉઝ પેટલ્સ ઍન્ડ સુગર’) અને ‘સુખડી’ (‘એ પ્રેઝન્ટ’). આ ત્રણેય…

વધુ વાંચો >

સુખથનકર દત્તારામ કૃષ્ણ

Jan 20, 2008

સુખથનકર, દત્તારામ કૃષ્ણ (જ. 11 ડિસેમ્બર 1924, મર્સેલા, ગોવા) : જાણીતા કોંકણી નિબંધકાર અને હાસ્યકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘મન્ની પુનાવ’ (‘માલિની પૂર્ણિમા’) (1977) માટે 1978ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે ગોવામાં પંજીમ ખાતેની એસ્કોલા મેડિકા નામની તબીબી કૉલેજમાંથી 1952માં તબીબી ક્ષેત્રે ‘મેડિકો સિરુર્જીઆઓ’ની ડિગ્રી મેળવી. ત્યારબાદ…

વધુ વાંચો >

સુખમની

Jan 20, 2008

સુખમની (આશરે 1604) : ‘આદિ ગ્રંથ’માં સમાવિષ્ટ એક દીર્ઘ કાવ્યરચના. ‘આદિ ગ્રંથ’ના સંકલનકાર અને સંપાદક પાંચમા શીખ ગુરુ અર્જુન દેવ(1563-1606)-રચિત ‘સુખમની’ તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. ‘ગ્રંથસાહિબ’માંની તેમની રાગ માઝમાં રચેલી દીર્ઘ કાવ્ય-રચનાઓને મુખ્ય ત્રણ વર્ગમાં વિભાજિત કરી શકાય : (1) ‘સુખમની’ (‘પીસ ઑવ્ માઇન્ડ’ અથવા ‘ધ જૂઅલ ઑવ્ પીસ’);…

વધુ વાંચો >

સુખવાદ

Jan 20, 2008

સુખવાદ (Hedonism) : એક મહત્ત્વનો મૂલ્યનિરૂપક નીતિશાસ્ત્ર(normative ethics)નો સિદ્ધાંત. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં મનુષ્યોનાં કાર્યોનું નૈતિક મૂલ્યાંકન કરવાના જે કેટલાક સિદ્ધાંતો છે તેમાંનો તે એક છે. પાશ્ર્ચાત્ય નીતિશાસ્ત્રમાં પરિણામવાદી (consequentialist) અને અપરિણામવાદી (non-consequentialist) – એમ બે પ્રકારના નૈતિક સિદ્ધાંતો છે, તેમાં સુખવાદ એ પરિણામવાદી નૈતિક સિદ્ધાંત છે. નૈતિક પરિણામવાદ પ્રમાણે માત્ર એવાં…

વધુ વાંચો >

સુખાધિકાર (Easement)

Jan 20, 2008

સુખાધિકાર (Easement) : મિલકત પરના અધિકારનો એક પ્રકાર. સ્થાવર મિલકતનો માલિક પોતાની મિલકત ભોગવવાનો કે વેચવાનો હક્ક ધરાવે છે; પણ અમુક સંજોગોમાં એ પારકી મિલકત પર પણ અમુક હક્ક ભોગવી શકે છે. એમાંના એક હક્કનો પ્રકાર છે સુખાધિકાર. ભારતમાં ઈ. સ. 1882માં સુખાધિકાર અધિનિયમ અમલમાં આવ્યો. કોઈ જમીનનો માલિક કે…

વધુ વાંચો >

સુખાવતીલોકેશ્વર

Jan 20, 2008

સુખાવતીલોકેશ્વર : નેપાળમાં પ્રચલિત બોધિસત્વ અવલોકિતેશ્વરનું એક વિશિષ્ટ સ્વરૂપ. અમૃતાનંદરચિતા ‘ધર્મકોશસંગ્રહ’માં આ સ્વરૂપનું વર્ણન મળે છે. અવલોકિતેશ્વર વર્તમાન ભદ્રકલ્પના અધિષ્ઠાતા મનાતા હોઈ વર્તમાન જગતના રક્ષણની જવાબદારી એમના શિરે છે. સાધનમાલામાં અવલોકિતેશ્વરનાં લગભગ 31 સાધનો જાણવા મળે છે, જે એમની જે-તે સ્વરૂપની ઉપાસનાનાં સૂચક છે. આમાંથી 15 સાધનોનું વર્ણન સાધનમાલામાં પ્રાપ્ત…

વધુ વાંચો >