૨૦.૧૩
વિનિપેગથી વિભીષણ
વિભાગીય નિસ્યંદન (fractional distillation)
વિભાગીય નિસ્યંદન (fractional distillation) : બે અથવા તેથી વધુ બાષ્પશીલ પ્રવાહીના મિશ્રણમાંથી ઘટકોને તેમના ઉત્કલનબિંદુના આધારે પરિશોધન (rectification) દ્વારા લગભગ શુદ્ધ સ્થિતિમાં છૂટાં પાડવાની નિસ્યંદનની પ્રવિધિ. કોઈ પણ પ્રવાહીને ગરમ કરવામાં આવે ત્યારે તેની બાષ્પ ઉત્પન્ન થાય છે, જેના લીધે પ્રવાહી બાષ્પદબાણ (vapour pressure) ધરાવે છે. બાષ્પદબાણ વાતાવરણના દબાણ જેટલું…
વધુ વાંચો >વિભાજન (સંખ્યાઓનું)
વિભાજન (સંખ્યાઓનું) : આપેલ ધનપૂર્ણાંક સંખ્યાને ધનપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવવામાં આવે તો તે સંખ્યાનું વિભાજન; દા.ત., 2 + 5 એ 7નું એક વિભાજન છે. આ વિભાજનમાં 2 અને 5 વિભાગો છે. આમ 2 + 5, 7નું બે વિભાગોમાં કરેલું વિભાજન છે. એ જ પ્રમાણે 1 + 6 અને 3…
વધુ વાંચો >વિભાષા
વિભાષા : પાણિનીય સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. સામાન્યત: વિભાષા શબ્દનો ‘વિકલ્પ’ એવો અર્થ થાય છે. મીમાંસાશાસ્ત્ર વગેરે આ જ અર્થમાં પ્રસ્તુત શબ્દને પ્રયોજે છે, પરંતુ પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં તેની વ્યાખ્યા ‘न वेति विभाषा ।’ 1/1/44માં આપી છે. ઙ એટલે નિષેધ અને ઞ્ એટલે વિકલ્પ એ બંને અર્થોમાં વિભાષા શબ્દ રહેલો છે.…
વધુ વાંચો >વિભિન્નરૂપતા (heteromorphism)
વિભિન્નરૂપતા (heteromorphism) : એકસરખું રાસાયણિક બંધારણ ધરાવતા બે જુદા જુદા મૅગ્મામાંથી સ્ફટિકીકરણ દ્વારા, ઠંડા પડવાના જુદા જુદા સ્થિતિસંજોગ હેઠળ બે જુદા જુદા ખનિજીય બંધારણવાળા સમૂહો બનવાની ઘટના. આ શબ્દ લેક્રોઇક્સે પ્રયોજેલો. તેની પેદાશો અન્યોન્ય વિભિન્નરૂપ ગણાય; દા. ત., લ્યુસાઇટ બેસાલ્ટ અને અબરખ સાયનાઇટ તેમજ ઑગિટાઇટ અને એલિવેલાઇટ એકબીજાના વિભિન્નરૂપ ખડક…
વધુ વાંચો >વિભીષણ
વિભીષણ : રામાયણનું એક જાણીતું પાત્ર. સાત ચિરજીવીઓમાં તેને ગણવામાં આવે છે. કૈકસીને ઋષિ વિશ્રવસ્થી રાવણ અને કુંભકર્ણ – એમ બે પુત્ર થયા; પરંતુ તેઓ દુષ્ટકર્મા હતા. આથી તેમણે આ ઋષિના આશીર્વાદથી ત્રીજો પુત્ર ધર્માત્મા – વિભીષણ – મેળવ્યો. વિભીષણે બ્રહ્માની ઉગ્ર તપસ્યા કરી અને વરદાનમાં ધર્મબુદ્ધિ માગી. બ્રહ્માએ રાજી…
વધુ વાંચો >વિનિપેગ
વિનિપેગ : કૅનેડાના મેનિટોબા રાજ્યનું પાટનગર તથા કૅનેડાનું ચોથા ક્રમે આવતું મોટું શહેર. તે વિનિપેગ સરોવરથી દક્ષિણે રેડ રીવર પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 49° 53´ ઉ. અ. અને 97° 09´ પ. રે.. તે કૅનેડાયુ.એસ.ની સરહદથી ઉત્તર તરફ આશરે 97 કિમી. અંતરે આવેલું છે. વિનિપેગ શહેર કૅનેડાનું અનાજ માટેનું,…
વધુ વાંચો >વિનિમય-અંકુશ
વિનિમય–અંકુશ : પોતાની લેણદેણની તુલામાં અસમતુલા ભોગવતા દેશમાં પોતાની પાસેના વિદેશી હૂંડિયામણના જથ્થાનો ઇષ્ટ અને કરકસરયુક્ત ઉપયોગ થાય તે હેતુથી દાખલ કરવામાં આવતી અંકુશાત્મક નીતિ. તેનો મુખ્ય હેતુ પોતાના ચલણનો સ્થિર વિનિમય-દર જાળવી રાખવાનો તથા લેણદેણની તુલાને સમતોલ બનાવવાનો હોય છે. જોકે આધુનિક જમાનામાં રક્ષણાત્મક ઉદ્દેશથી પણ તેનો ઉપયોગ કરવામાં…
વધુ વાંચો >વિનિમયન (Crossing over)
વિનિમયન (Crossing over) : સજીવોમાં સમજાત રંગસૂત્રોની જોડમાં રહેલી પિતૃ અને માતૃ-રંગસૂત્રિકાને અનુરૂપ રંગસૂત્રખંડોના આંતરવિનિમય દ્વારા થતી સહલગ્ન જનીનોના પુન:સંયોજન-(recombination)ની પ્રક્રિયા. વિનિમયનના બે પ્રકારો છે : (1) જનન (germinal) વિનિમયન અથવા અર્ધસૂત્રી (meiotic) વિનિમયન : તે પ્રાણીઓમાં જન્યુજનન(gametogenesis)ની ક્રિયા દરમિયાન જનનપિંડના જનનઅધિચ્છદમાં અને વનસ્પતિમાં બીજાણુજનન (sporogenesis) દરમિયાન થાય છે. (2)…
વધુ વાંચો >વિનેસ ઇલ્સવર્થ
વિનેસ ઇલ્સવર્થ (જ. 28 સપ્ટેમ્બર 1911, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાના 1930ના દાયકાના પ્રભાવક ટેનિસ ખેલાડી. તેઓ ટેનિસ-બૉલને અત્યંત જોશથી ફટકારવા માટે જાણીતા બન્યા. તેમની સર્વિસ તથા ફોરહૅન્ડ ખતરનાક હતાં. તેઓ કેવળ 19 વર્ષના હતા ત્યારે તેઓ 1931 યુ.એસ. સિંગલ્સમાં વિજેતા બન્યા. પછીના વર્ષે યુ.એસ. વિજયપદક જાળવી રાખવા ઉપરાંત…
વધુ વાંચો >વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ
વિનોગ્રાડસ્કી સેરગેઇ નિકૉલિવિચ (જ. 1 સપ્ટેમ્બર 1856, કીવ; અ. 25 ફેબ્રુઆરી 1953, બ્રી–કોમ્ટે–રૉબર્ટ, ફ્રાન્સ) : જમીનના બૅક્ટિરિયા દ્વારા નત્રિલીકરણ અને નાઇટ્રોજન-ફિક્સિંગની દેહધાર્મિક પ્રક્રિયા અંગેનું સંશોધન કરી જીવવિજ્ઞાનમાં બૅક્ટિરિયૉલોજીનું મહત્વ બતાવનાર રશિયન વિજ્ઞાની. વિનોગ્રાડસ્કીએ 1881માં સેન્ટ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક વિજ્ઞાનનો અભ્યાસ કરી, 1885માં સ્ટ્રાસબર્ગ – જર્મની ગયા. સલ્ફર બૅક્ટિરિયા હાઇડ્રોજન સલ્ફાઇડનું…
વધુ વાંચો >વિનોદ
વિનોદ (જ. 28 મે 1922, લાહોર; અ. 25 ડિસેમ્બર 1959, મુંબઈ) : મહાન સંગીતકાર. મૂળ નામ તો એરિક રોબર્ટ્સ, પણ મુંબઈ ફિલ્મઉદ્યોગે તેમને વિનોદ નામ આપેલું. નાનપણથી જ હિંદુ લગ્નોમાં વાગતું સંગીત તેમને આકર્ષતું. ગુરુદ્વારામાં થતું શબદકીર્તન તે ધ્યાન દઈને સાંભળતા. સંગીતમાં ખૂબ રસ હોવાથી તે જાણીતા સંગીતકાર પંડિત અમરનાથના…
વધુ વાંચો >વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour)
વિનોદ અને વિનોદવૃત્તિ (humour and sense of humour) : હસવું અને હસતા રહેવાની પ્રકૃતિ. હસવું-હાસ્ય એ કેવળ માનવી માટે જ શક્ય છે. સામાન્યત: માનવેતર પ્રાણીઓમાં હસવાની વૃત્તિ અને હાસ્ય-વિનોદ માણવાની શક્તિ હોતી નથી. હસવું – વિનોદ એ માણસજાત માટે કેટલી મોટી અને મૂલ્યવાન ભેટ છે. એ અનેક તત્વજ્ઞો, ચિંતકો, સાહિત્યકારોનાં…
વધુ વાંચો >વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી)
વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી) : વીરાસ્વામી રેડ્ડિયાર દ્વારા રચાયેલ ઓગણીસમી સદીની પ્રથમ તમિળ ગદ્ય-કૃતિ. આ કૃતિએ તમિળમાં નવલકથા-સાહિત્ય અને અન્ય લખાણોની શૈલી સ્થાપિત કરી અને તે અગ્રેસર બની. એક સદી પહેલાં ઇટાલિયન મિશનરી વીરામા મુનિવર દ્વારા ‘અવિવેક પરમાર્થ ગુરુ કતૈ’ નામક તમિળ ગદ્ય-કૃતિ રચવામાં આવી હતી. ત્યારબાદ વીરાસ્વામી રેડ્ડિયારના સમયમાં…
વધુ વાંચો >વિન્કલ્માન, જોઆકીમ
વિન્કલ્માન, જોઆકીમ (Wincklemann, Joachim) (જ. 9 ડિસેમ્બર, સ્ટેન્ડાલ, પ્રુશિયા; અ. 8 જૂન 1768, ત્રિયેસ્તે, ઇટાલી) : પ્રાચીન ગ્રીક કલાની હિમાયત કરનાર જર્મન પુરાતત્વવેત્તા અને કલા-ઇતિહાસકાર. તેમના પ્રભાવ હેઠળ યુરોપ અને અમેરિકામાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય અને ફિલસૂફીનાં ક્ષેત્રોમાં નવપ્રશિષ્ટવાદનો જન્મ થયો. તેમના પિતા મોચી હતા. અભ્યાસકાળ દરમિયાન હોમરના અનુવાદ વાંચ્યા…
વધુ વાંચો >વિન્ટરનિત્ઝ, એમ.
વિન્ટરનિત્ઝ, એમ. (જ. 1863, હૉર્ન, ઑસ્ટ્રિયા; અ. 1934) : ભારતીય સાહિત્ય તથા સંસ્કૃતિના ઑસ્ટ્રિયાના વિદ્વાન. વિયેના ખાતે પ્રશિષ્ટ ભાષાવિજ્ઞાન તથા તત્વવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. તેમના પ્રાધ્યાપકોએ તેમને ભારતીય સાહિત્યનો પરિચય કરાવ્યો. ‘ઍન્શન્ટ ઇન્ડિયન મૅરિજ રિચ્યુઅલ એકૉર્ડિંગ ટૂ અપસ્તંભ, કમ્પેર્ડ વિથ ધ મૅરિજ કસ્ટમ્સ ઑવ્ ધી ઇન્ડો-યુરોપિયન પીપલ’ – એ તેમના પીએચ.ડી.ના…
વધુ વાંચો >