૧.૧૪

અભયારિષ્ટથી અભિસરણ

અભયારિષ્ટ

અભયારિષ્ટ : આયુર્વૈદિક ઔષધ. હરડે, કાળી દ્રાક્ષ, વાવડિંગ અને મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવી ગાળી તેમાં ગોળ તથા ગોખરુ, નસોતર, ધાણા, ધાવડીનાં ફૂલ, ઇન્દ્રવારુણીનાં મૂળ, ચવક, વરિયાળી, સૂંઠ, દંતીમૂળ અને મોચરસનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી રાખી મૂકવાથી આ ઔષધ તૈયાર થાય છે. 10 થી 20 ગ્રામની…

વધુ વાંચો >

અભંગ

અભંગ : મરાઠી કાવ્યપ્રકાર. મૂળ તો અભંગ મરાઠી છંદનું નામ છે. પરંતુ એનો ભક્તિભાવની અભિવ્યક્તિ માટે સતત ઉપયોગ થતો રહ્યો, એટલે એ ભક્તિકાવ્યના એક પ્રકાર તરીકે ઓળખાવા લાગ્યો. લોકગીતોની ‘ઓવી’ નામક કાવ્યરચનાનું એ સંશોધિત અને લક્ષણબદ્ધ સ્વરૂપ છે. બારમી સદીમાં ‘ઓવી’ છંદ પ્રચલિત હતો. તેમાંથી અભંગનું શિષ્ટ રૂપ ઘડાયું. વારકરી…

વધુ વાંચો >

અભાવ

અભાવ : વૈશેષિક દર્શન અનુસાર જે નથી તે. ‘વૈશેષિકસૂત્ર’માં દ્રવ્યગુણ વગેરે છ ભાવપદાર્થો સ્વીકારાયા છે. પરંતુ પછીના ‘સપ્તપદાર્થી’ વગેરે ગ્રંથોમાં અભાવને પણ એક સ્વતંત્ર પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું. તેમાં ‘જે ભાવથી ભિન્ન તે અભાવ’ એવું અભાવનું લક્ષણ દર્શાવાયું છે. એટલે કે જે ‘નથી’ તે. પરંતુ આ તો વિરોધાભાસ લાગે પણ…

વધુ વાંચો >

અભાવવાદ

અભાવવાદ : ધ્વનિ તો પ્રવાદમાત્ર છે એમ માનતો મત. આ અભાવવાદના ત્રણ વિકલ્પો વિચારાયા છે. તદનુસાર, શબ્દ તથા અર્થના ગુણ અને અલંકારો જ શોભાકારક હોવાથી, લોક અને શાસ્ત્રથી ભિન્ન એવા સુંદર શબ્દાર્થના સાહિત્યરૂપ કાવ્યનો બીજો કોઈ શોભાહેતુ નથી, જે કહેવાયો ન હોય, તે થયો એક પ્રકાર. જે કહેવાયો નથી તે…

વધુ વાંચો >

અભિકરણ

અભિકરણ (agency) : કરાર આદિ વ્યવસ્થામાં એક પક્ષરૂપ વ્યક્તિના અધિકૃત પ્રતિનિધિ તરીકે થતો બીજી વ્યક્તિ સાથેનો વર્તાવ કે વ્યવહાર. સામાન્ય રીતે બે વ્યક્તિઓ કરાર કરે તો તે વ્યક્તિઓ જાતે જ વ્યવહાર કરે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનો બધો જ વ્યવહાર જાતે જ કરવો જોઈએ તે જરૂરી નથી તેમ શક્ય પણ…

વધુ વાંચો >

અભિક્રમિત અધ્યયન

અભિક્રમિત અધ્યયન (programmed) : સ્વ-અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ. બી એફ. સ્કીનર નામના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની કારક કે સાધિત અભિસંધાન(operant conditioning)ની પદ્ધતિ પર તે રચાયેલી છે. તેમાં શીખવાતા વિષયના ખૂબ જ નાના નાના ભાગ પાડી દઈ દરેક ભાગ પૂરેપૂરી અને સ્પષ્ટ પદ્ધતિથી સમજાવી શીખવવા માટેની ફ્રેમો બનાવવામાં આવે છે. દરેક ફ્રેમને છેડે…

વધુ વાંચો >

અભિજ્ઞાનશાકુન્તલ

અભિજ્ઞાનશાકુન્તલ : સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સર્વોત્તમ મનાતું મહાકવિ કાલિદાસરચિત નાટક પ્રકારનું સાત અંકોનું રૂપક. આનું કથાવસ્તુ મહાભારતમાં આવતા શકુન્તલોપાખ્યાન ઉપરથી રચાયેલું છે, એમ મનાય છે. આમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત તથા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી, કણ્વ અથવા કાશ્યપના તપોવનમાં ઊછરેલી શકુન્તલાના પ્રણય અને પરિણયની કથા આવે છે. મૃગયા કરવા નીકળેલા દુષ્યંતનો રથ…

વધુ વાંચો >

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો

અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો (fringing reefs) : સમુદ્રજળમાં લગભગ કિનારે કિનારે પરવાળાંએ તૈયાર કરેલી ખડકરચનાઓ. કોઈ પણ ખંડ કે ટાપુના સમુદ્રકિનારાના સાતત્યમાં મળી આવતા અનિયમિત અને ખરબચડા આકારોવાળા પરવાળાંના ચૂનેદાર ખડકસમૂહ કે પરવાળાંની રચના અભિતટીય પ્રવાલખડક તરીકે ઓળખાય છે. તેમની બહારની બાજુ સમુદ્રતરફી ઢાળવાળી હોય છે. કેટલીક વખતે આ પ્રકારના…

વધુ વાંચો >

અભિધા

અભિધા : ‘આ શબ્દમાંથી આ અર્થનો બોધ થવો જોઈએ’, એવા  સંકેત અનુસાર પ્રાપ્ત થયેલ વાચ્ય અર્થનું, બોધન કરતી, શબ્દની શક્તિ. આ વાચ્યાર્થ મુખ્યાર્થ ગણાય છે. યોગ, રૂઢિ, યોગરૂઢિ એ – અભિધાના આ ત્રણ પ્રકાર અનુસાર યૌગિક (‘પાઠક’), રૂઢ (‘મંડપ’), યોગરૂઢ (‘પંકજ’),  એ ત્રણ પ્રકારના વાચ્યાર્થ, અનુક્રમે, પ્રાપ્ત થાય છે. ‘રૂઢયૌગિક’…

વધુ વાંચો >

અભિધાન-રાજેન્દ્રકોશ

અભિધાન-રાજેન્દ્રકોશ : સૌધર્મતપાગચ્છીય શ્વેતામ્બર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. 1890-1904)ના પરિશ્રમથી જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ રચ્યો હતો, અને જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા ઈ.સ. 1913થી 1934 દરમિયાન તે સાત ભાગમાં પ્રકાશિત થયો હતો. આમાં અકારાદિ વર્ણાનુક્રમથી લગભગ 60,000 પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની…

વધુ વાંચો >

અભિવ્યક્તિવાદ

Jan 14, 1989

અભિવ્યક્તિવાદ (expressionism) : પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં, 1910ના અરસામાં અભિવ્યક્તિવાદનો ઊગમ થયો. તેનો વિકાસ લગભગ 1924 સુધી ચાલ્યો. આ હલચલ ઇટાલિયન અને રશિયન ભવિષ્યવાદ (futurism) તથા ઘનવાદ(cubism)ની સમાંતર ચાલી હતી. આ અભિગમ જર્મન ચિત્રકળામાં શરૂ થયો અને પ્રથમ વિશ્વયુદ્ધ પછી નાટકોમાં પણ વાસ્તવવાદના વિરોધમાં આ વાદ પ્રસારમાં આવ્યો. સૌપ્રથમ આ સંજ્ઞા…

વધુ વાંચો >

અભિશપ્ત ગંધર્વ

Jan 14, 1989

અભિશપ્ત ગંધર્વ : ઊડિયા નવલિકાસંગ્રહ. નીલમણિ શાહુ રચિત આ વાર્તાસંગ્રહને 1984નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. નીલમણિ શાહુ સ્વાતંત્ર્યોત્તર કાળના યુવાન લેખક છે. એમની આ વાર્તાઓમાં, મધ્યમ અને નીચલા થરનાં પાત્રો લીધાં છે. વાર્તાઓ ગ્રામીણ અને નગરજીવન બંનેનું ચિત્રણ કરે છે. કેટલીક વાર્તાઓમાં સામ્યવાદનો પ્રભાવ દેખાય છે. પૌરાણિક પાર્શ્વભૂમિમાં પણ…

વધુ વાંચો >

અભિશોષણ (ભૂસ્તર)

Jan 14, 1989

અભિશોષણ (ભૂસ્તર) (assimilation) : એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં શોષાવાની, એકરૂપ થવાની કે આત્મસાત્ થવાની ક્રિયા. અભિશોષણ એ એવા પ્રકારની ગલન અને દ્રાવણની પ્રક્રિયા છે, જેમાં ઇતર (foreign) દ્રવ્ય, પછી તે ઘન હોય કે ન હોય, મૅગ્મામાં કે ઠરતા જતા અગ્નિકૃત ખડકમાં ભળવાની ક્રિયા કરે છે. અધૂરું અભિશોષણ મૅગ્મામાં કે તૈયાર…

વધુ વાંચો >

અભિશોષણ (રસાયણ)

Jan 14, 1989

અભિશોષણ (રસાયણ) : જુઓ શોષણ.

વધુ વાંચો >

અભિષેકી જિતેન્દ્ર

Jan 14, 1989

અભિષેકી, જિતેન્દ્ર (જ. 14 સપ્ટેમ્બર 1932, મંગેશી, ગોવા; અ. 16 નવેમ્બર 1998 મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક. પિતા બળવંત અભિષેકી સંસ્કૃતના વિદ્વાન હોવા ઉપરાંત કીર્તનકાર હોવાને નાતે સારા ગાયક હતા. તેમણે સંગીતની તાલીમ શંકરબુવા ગોખલે પાસેથી મેળવી હતી. જિતેન્દ્રના દાદા અને પિતા પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા.…

વધુ વાંચો >

અભિસરણ

Jan 14, 1989

અભિસરણ : જુઓ, રસાકર્ષણ.

વધુ વાંચો >