૧.૧૨

અપરૂપણ ગુણાંકથી અફઘાનિસ્તાન

અપરૂપણ ગુણાંક

અપરૂપણ ગુણાંક (shearing modulus) : ઘન પદાર્થ ઉપર અનુપ્રસ્થ (transverse) આંતરિક બળ લાગતાં તેના સ્થિતિસ્થાપક ગુણ ઉપર થતી અસર દર્શાવતો અચલાંક. ઘન પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ A હોય અને સપાટીની સમાંતર દિશામાં લગાડેલ બળ F હોય તો અપરૂપણ પ્રતિબળ (stress) F/A થાય છે. આને પરિણામે થતી અપરૂપણ વિકૃતિ (strain) θ હોય…

વધુ વાંચો >

અપવાદનો નિયમ (સિદ્ધાંત)

અપવાદનો નિયમ (સિદ્ધાંત) : અપવાદને આધારે બંધાયેલો સંચાલનનો મૂળભૂત સિદ્ધાંત. તેના પાયામાં એક નિશ્ચિત તર્ક રહેલો છે : (1) કોઈ પણ મૂલ્ય ગુણ કે ઘટના વિશે સૌપ્રથમ અપેક્ષિત સામાન્ય સરેરાશ ધોરણે શું છે તે નક્કી કરવું; (2) વ્યવહારમાં તેનાથી અલગ પડતા અપવાદ કે વિચલનની નોંધ કરી તેની માત્રા કેટલી છે…

વધુ વાંચો >

અપવારિત

અપવારિત : સંસ્કૃત નાટકોમાં આવતું પાત્રોના સંવાદને લગતું નાટ્યસૂચન. રંગમંચ ઉપર કોઈ પાત્ર મોઢું બીજી બાજુ ફેરવીને ત્યાં હાજર રહેલ અન્ય પાત્રને ગુપ્ત વાત સંભળાવે તે અભિનય કે અભિવ્યક્તિને ‘અપવારિત’ કહેવામાં આવે છે. રંગમંચ ઉપર થતા પાત્રોના સંવાદો (1) સર્વશ્રાવ્ય, (2) નિયતશ્રાવ્ય અને (3) સ્વગત – એમ ત્રણ પ્રકારના હોય…

વધુ વાંચો >

અપવિલયન

અપવિલયન (exsolution) : દ્રાવણમાંના ઘટકોનું એકબીજાથી આપોઆપ અલગ થવું તે. અતિસંતૃપ્તિને કારણે બે સ્ફટિકમય તબક્કાના અલગીકરણની ઘટનાને દર્શાવવા માટે ઍલિંગે અપવિલયન પર્યાય સૂચવ્યો છે. બે ઘટકો એકબીજામાં ઓગળીને એકરૂપ થતા હોય તેનાથી નીચા તાપમાને દ્રાવણને લાંબો સમય રાખતાં સ્તર (પતરીઓ, lamella) સ્વરૂપે સ્ફટિકીકરણ થાય છે. ખનિજસ્ફટિકી-કરણનો આ રીતે થતો આંતરવિકાસ…

વધુ વાંચો >

અપસલા (સ્વિડન)

અપસલા (સ્વીડન) : પૂર્વમધ્ય સ્વીડનમાં આવેલું પરગણું અને તે જ નામ ધરાવતું પાટનગર. ભૌગોલિક સ્થાન : 590 52´ ઉ. અ. અને 170 38.0´ પૂ. રે. તે સ્ટૉકહોમથી વાયવ્યમાં 74 કિમી. અંતરે, અસમતળ ફળદ્રૂપ મેદાની પ્રદેશમાં ફાયરીસન નદીકાંઠે વસેલું છે. આ શહેરની વસ્તી આશરે 2,11,411 (2016) જેટલી છે. આજના આધુનિક શહેરથી…

વધુ વાંચો >

અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ

અપસૌર બિંદુ અને ઉપસૌર બિંદુ (aphelion and perihelion) : ગ્રહ, લઘુગ્રહ, ધૂમકેતુ યા એવા જ કોઈ પિંડની ભ્રમણકક્ષામાં સૂર્યથી અનુક્રમે મહત્તમ અને લઘુતમ અંતરે આવેલાં સ્થાનો. પૃથ્વી ઉપરથી સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં જણાશે કે આખું વર્ષ સૂરજનું બિંબ એકસરખું દેખાતું નથી. મતલબ કે વર્ષના અમુક ચોક્કસ દિવસો દરમિયાન સૂર્યબિંબના ભાસમાં એકસરખાપણું…

વધુ વાંચો >

અપસ્ફોટન

અપસ્ફોટન (knocking) : અંતર્દહન એન્જિનમાં પ્રસ્ફોટન (detonation)થી ઉત્પન્ન થતો ઘડાકા જેવો તીવ્ર ધ્વનિ. યોગ્ય રીતે કાર્ય કરતા પેટ્રોલ એન્જિનના દહનકક્ષ(combustion chamber)માં પેટ્રોલ-હવાનું મિશ્રણ અમુક ચોક્કસ દબાણે હોય ત્યારે ચોક્કસ સમયે સ્પાર્ક-પ્લગમાંથી તણખા ઝરતાં ઉત્પન્ન થતું અગ્ર (flame front) એકધારી ગતિએ આગળ વધે છે અને સઘળું મિશ્રણ સળગે છે. તેને લીધે…

વધુ વાંચો >

અપસ્માર (આયુર્વિજ્ઞાન)

અપસ્માર (આયુર્વિજ્ઞાન) (epilepsy) : વારંવાર આવતી ખેંચ અથવા આંચકી (convulsions). આ રોગને ફેફરું પણ કહે છે. અપસ્માર મગજની બીમારી છે. વાઈ અથવા હિસ્ટીરિયા (hysterical neurosis) નામના માનસિક રોગ અને અપસ્માર અલગ અલગ બીમારીઓ છે. ચેતાતંત્રમાં માહિતીની આપલે વીજ-આવેગો(electronic impulse)થી થાય છે. કોઈ કારણસર ચેતાતંત્રનું આ વીજકાર્ય ખામીભર્યું થાય ત્યારે કેન્દ્રીય…

વધુ વાંચો >

અપસ્માર (આયુર્વેદ)

અપસ્માર (આયુર્વેદ) : અપસ્માર એટલે વાઈ અથવા ફેફરું. આ રોગમાં દર્દી અચાનક ભાન ગુમાવી દે છે, તેની સ્મૃતિ કે યાદદાસ્ત તે સમયે ચાલી જાય છે, તેને આંખે અંધારાં આવી જાય છે, મુખાકૃતિ બિહામણી થઈ જાય છે, કોઈ વખત મુખમાંથી ફીણ પણ બહાર આવી જાય છે, બુદ્ધિ અને મનનો વિભ્રમ થાય…

વધુ વાંચો >

અપહરણ

અપહરણ : ભારતીય ફોજદારી ધારા મુજબ થતો એક ગુનો. ક. 359 મુજબ અપહરણના બે પ્રકાર છે : (1) ભારતમાંથી અપહરણ અને (2) કાયદેસરના વાલીપણામાંથી અપહરણ. ક. 360 મુજબ જો કોઈ માણસ બીજા માણસને તેની સંમતિ વગર અથવા તેની વતી કાયદેસર રીતે અધિકૃત માણસની સંમતિ વગર ભારતની સરહદોની બહાર લઈ જાય…

વધુ વાંચો >

અપુર સંસાર

Jan 12, 1989

અપુર સંસાર (1959) : બંગાળી ફિલ્મ. કથા : વિભૂતિભૂષણ બંદ્યોપાધ્યાય. પટકથા અને દિગ્દર્શન : સત્યજિત રાય. મુખ્ય અભિનય : સૌમિત્ર ચૅટરજી, શર્મિલા ટાગોર, સ્વપ્ન મુકરજી, આલોક ચક્રવર્તી. ‘અપરાજિત’ ફિલ્મ પછીની આ ફિલ્મમાં કથા આગળ વધે છે. અપુ કૉલેજમાં ભણે છે, રમતગમતમાં ભાગ લે છે અને નવલકથા પણ લખે છે. એના…

વધુ વાંચો >

અપુષ્પ વનસ્પતિ

Jan 12, 1989

અપુષ્પ વનસ્પતિ : પુષ્પવિહીન વનસ્પતિ. તેમના જીવનક્રમ દરમિયાન બીજનિર્માણ પણ થતું નથી. વનસ્પતિના આ જૂથમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીઓનો સમાવેશ થાય છે. એકાંગી વનસ્પતિઓની દેહરચના એકકોષી (જીવાણુઓ), બહુકોષી તંતુમય (લીલસ્પાઇરોગાયરા); ફૂગમ્યૂકર) અથવા સુકાય (લાઇકન્સ-ઉસ્નિયા) જેવી; પ્રજનન દ્વિભાજન પ્રકારનું અને બીજાણુઓ કે જન્યુઓ દ્વારા પણ; જીવાણુઓ અને નીલ-હરિત લીલમાં આદિકોષકેન્દ્રી (prokaryotic)…

વધુ વાંચો >

અપૂરતું પોષણ

Jan 12, 1989

અપૂરતું પોષણ (malnutrition) : માનવસ્વાસ્થ્ય એ પ્રાથમિકતાના વિષય તરીકે સર્વત્ર સ્વીકારાયું છે. આ સદીનાં શરૂઆતનાં વર્ષોમાં રોગનું પ્રમાણ મોટું હતું ત્યારે આરોગ્યમાં રોગનિવારણ પર વધુ ધ્યાન દેવાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ઔષધશાસ્ત્રે કરેલી પ્રગતિને કારણે મલેરિયા, ક્ષય, મરડો અને બીજા રોગચાળા ફેલાવતી બીમારીઓ પર પ્રભુત્વ મેળવ્યા પછી સ્વાસ્થ્ય અંગેની વિચારણામાં…

વધુ વાંચો >

અપૃષ્ઠવંશી

Jan 12, 1989

અપૃષ્ઠવંશી (Invertebrates) કરોડસ્તંભ વિનાનાં પ્રાણીઓ. પ્રાણીજગતમાં અનેક પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે. તેમનામાં રહેલાં સામ્ય અને ભેદને અનુસરીને પ્રાણીસમૂહોનું વર્ગીકરણ કરવામાં આવે છે. આવા બે મોટા સમૂહોને (1) અપૃષ્ઠવંશી અને (2) પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓને પૃષ્ઠબાજુએ આધાર આપનાર કરોડસ્તંભ હોતો નથી, જ્યારે પૃષ્ઠવંશી પ્રાણીઓને કરોડસ્તંભ હોય છે.…

વધુ વાંચો >

અપ્પન્ તમ્પુરાન્

Jan 12, 1989

અપ્પન્ તમ્પુરાન્ (જ. 1899; અ. 1947) : મલયાળમ લેખક અને પત્રકાર. આખું નામ રામ વરણ અપ્પન્ તમ્પુરાન્. કોચીન રાજ્યના રાજકુમાર. એમણે પત્રકારત્વ, નવલકથા, વિવેચન, સંશોધન, નિબંધ વગેરે ક્ષેત્રો ખેડ્યાં છે. એમણે ભારતીય પરંપરાગત શિક્ષણપ્રણાલી અનુસાર ગુરુકુળમાં શિક્ષણ લીધું હતું અને ત્યાંથી સ્નાતક થયેલા. વ્યાકરણ, તર્ક અને આયુર્વેદમાં પારંગતની ઉપાધિ પ્રાપ્ત…

વધુ વાંચો >

અપ્પય્ય દીક્ષિત

Jan 12, 1989

અપ્પય્ય દીક્ષિત (અપ્પય કે અપ્પ દીક્ષિત) (જ. 1520, અડયપલ્લમ્, કાંચી દક્ષિણ ભારત; અ. 1593, ચિદમ્બરમ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત ભાષ્યકાર. ભારદ્વાજ ગોત્ર. જન્મ દક્ષિણ ભારતમાં કાંચીની પાસે અડયપ્પલમ્ ગામમાં. સમય 1554થી 1626નો પણ મતાન્તરે મનાય છે. તેમના પિતાનું નામ રંગરાજાધ્વરી. તેમની આશરે 57 કૃતિઓ છે એમ સિદ્ધ થયું છે. આ કૃતિઓનો વિષય…

વધુ વાંચો >

અપ્પર

Jan 12, 1989

અપ્પર (જ. 7મી સદી, થિરુવામ્મુર, તામિલનાડુ; અ. થિરુપ્પુગાલુર, નાગાપટ્ટીનમ પાસે) : પ્રાચીન તમિળ લેખક. તામિલનાડુના 63 શૈવ સંતોમાં અપ્પરનું મહત્વપૂર્ણ સ્થાન છે. એમને ‘તિરુનાળુક્કરસર’ એટલે કે ‘પવિત્ર વાણીના અધિપતિ’ જેવું આદરભર્યું બિરુદ આપવામાં આવ્યું છે. એમની વાણી અત્યંત બલિષ્ઠ હતી. બાળપણમાં જ નોધારા બનેલા અપ્પરે, શિવભક્ત બહેન તિલકવતીને છોડીને જૈન…

વધુ વાંચો >

અપ્પારવુ પોનંગી શ્રીરામ

Jan 12, 1989

અપ્પારવુ પોનંગી શ્રીરામ (જ. 1923) : તેલુગુ લેખક. તેમની ‘નાટ્યશાસ્ત્રમુ’ કૃતિને 1960નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. એમાં એમણે ‘ભરતનાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ટીકાગ્રંથ લખ્યો છે, જેમાં ‘ભરતનાટ્યશાસ્ત્ર’નાં સંગીત, નૃત્ય, રંગસજ્જા, વેશભૂષા, રસનિષ્પત્તિ વગેરે અંગોની વિસ્તારથી ચર્ચા કરેલી છે. કેટલુંક મૌલિક અર્થઘટન પણ કર્યું છે. ભરત પછી થઈ ગયેલા કાવ્યજ્ઞો અને નાટ્યવિદોના…

વધુ વાંચો >

અપ્રાચલીય પદ્ધતિઓ

Jan 12, 1989

અપ્રાચલીય પદ્ધતિઓ (nonparametric methods) : માહિતીનાં અવલોકનો પ્રમાણ્ય, ઘાતાંકીય કે અન્ય પ્રાચલીય વિતરણ(parametric distribution)ને અનુસરતાં ન હોય તેવી પરિસ્થિતિ. એકત્ર કરેલી માહિતીનું પૃથક્કરણ કરવા માટે આ પદ્ધતિઓનો વિકાસ થયો છે. પ્રાચલીય અનુમાનની પ્રશિષ્ટ પદ્ધતિઓના અભ્યાસમાં આપેલ સમષ્ટિના સંભાવના-વિતરણ(probability distribution)નું ગાણિતિક સ્વરૂપ કેટલીક વિશિષ્ટ ધારણાઓ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવે છે. આ…

વધુ વાંચો >

અફઘાન વિગ્રહ

Jan 12, 1989

અફઘાન વિગ્રહ : 19મી સદીમાં ભારત પર રાજ્ય કરતી બ્રિટિશ સરકારના અફઘાનિસ્તાન સાથેના બે વિગ્રહો : (1) કંપનીના શાસન સમયમાં, અને (2) ‘તાજ’ના શાસન દરમિયાન. (1) પ્રથમ અફઘાન વિગ્રહ (ઈ. સ. 1837થી 1843) કંપની સરકારના શાસન સમયમાં લડાયો હતો. વાસ્તવમાં તે અંગ્રેજોના રશિયા પ્રત્યેના ભયમાંથી ઉદભવ્યો હતો. અફઘાનિસ્તાન ભારત અને…

વધુ વાંચો >