૧.૦૭

અણુ–પુનર્વિન્યાસથી અર્દષ્ટ

અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement)

અણુ–પુનર્વિન્યાસ (molecular rearrangement) : અણુમાંના પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું સહસંયોજકતાબંધ સહિત સ્થળાંતર (migration) થતું હોય તેવી પ્રક્રિયા. અણુસૂત્રમાં ફેરફાર ન થાય તેવી રીતના પુનર્વિન્યાસમાં સમઘટકો (isomers) ઉત્પન્ન થતા હોવાથી તે સમઘટકીકરણ (isomerisation) તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પુનર્વિન્યાસ વિસ્થાપન (substitution), યોગશીલ (addition) અને વિલોપન (elimination) પ્રક્રિયાના અનુસંધાનમાં થાય છે.…

વધુ વાંચો >

અણુભાર (Molecular weight)

અણુભાર (Molecular weight) ઇન્ટરનેશનલ યુનિયન ઑવ્ પ્યોર ઍન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી (IUPAC) પ્રમાણે કાર્બનના સમસ્થાનિક(isotope)(C-12)ના વજનના બારમા ભાગ કરતાં કોઈ પણ પદાર્થનો અણુ કેટલા ગણો ભારે છે તે દર્શાવતો આંક. એક મોલ (Mole) (6.02 × 1023 અણુ) પદાર્થના વજનને ગ્રામ અણુભાર (ગ્રામ મોલ) કહે છે. કોઈ પણ પદાર્થના અણુસૂત્રમાં રહેલાં તત્વોના…

વધુ વાંચો >

અણુવક્રીભવન (molar refraction)

અણુવક્રીભવન (molar refraction) : નીચેના સમીકરણ વડે વ્યાખ્યાયિત અને અણુસંરચના ઉપર આધારિત ભૌતિક રાશિ. RM =  અણુવક્રીભવન,  = પદાર્થનો વક્રીભવનાંક, M = પદાર્થનો અણુભાર, અને ρ = પદાર્થની ઘનતા છે. RM પદાર્થનો વિશિષ્ટ ગુણધર્મ છે અને તેનાં પરિમાણ (dimensions), કદનાં છે. અણુવક્રીભવનનો અર્થ, પદાર્થના એક મોલમાં રહેલ અણુઓનું ખરેખર કદ,…

વધુ વાંચો >

અણુવય-રયણ-પઇવ (1256)

અણુવય-રયણ-પઇવ (1256) (સં. અણુવ્રત–રત્ન–પ્રદીપ) : કોઈ જાયસવંશીય કવિ લક્ષ્મણકૃત અપભ્રંશ ભાષાની કાવ્યકૃતિ. કવિ યમુનાતટ પર સ્થિત કોઈ ‘રાયવડ્ડિય’ (રાયવાડી) નામક નગરીનો નિવાસી હતો. તેના પિતાનું નામ સાહુલ અને માતાનું નામ જઈતા હતું. યમુનાતટ પરની જ ચંદવાડ નામે નગરીના ચૌહાણવંશી રાજા આહવમલ્લનો મંત્રી કણ્હ (કૃષ્ણ) કવિનો આશ્રયદાતા અને પ્રેરણાદાતા હતો. પ્રસ્તુત…

વધુ વાંચો >

અણુશક્તિ અને વિનાશકતા

 અણુશક્તિ અને વિનાશકતા :  જુઓ ન્યૂક્લિયર શિયાળો

વધુ વાંચો >

અતિઅમ્લતા (hyper-acidity)

અતિઅમ્લતા (hyper-acidity) : પેટમાંની અસ્વસ્થતા દર્શાવતો વિકાર. જનસમાજમાં 40 % લોકોને કોઈ ને કોઈ ઉંમરે અતિઅમ્લતાની તકલીફ થતી હોય છે. દર્દી પેટના ઉપલા ભાગમાં કે છાતીની મધ્યમાં બળતરા, ખાટા ઘચરકા કે ઓડકાર, જમ્યા પછી પેટમાં ભાર લાગવાની અથવા ઊબકા કે ઊલટીની ફરિયાદ કરે છે. આ બધાંને અતિઅમ્લતા, અજીર્ણ કે અપચા…

વધુ વાંચો >

અતિ ઉચ્ચ દબાણ ઘટના

અતિ ઉચ્ચ દબાણ ઘટના (ultra high pressure phenomenon) : અતિ ઉચ્ચ દબાણની અસર તળે પદાર્થના ગુણધર્મોમાં થતા ફેરફારો. આધુનિક વિજ્ઞાનમાં દબાણ માપવા માટેનો એકમ બાર (bar) છે. 1 બાર = 106 ડાઇન/સેમી.2 = 0.9869 વાતાવરણ(atmosphere)નું દબાણ; 103 બાર = 1 કિ.બાર (k bar), 106 બાર = 1 મેગાબાર. એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી…

વધુ વાંચો >

અતિકાયતા – વિષમ

અતિકાયતા, વિષમ (arcromegaly) : અસાધારણ વિકૃતિ દર્શાવતી શરીરવૃદ્ધિ. ખોપરીના પોલાણમાં મગજની નીચે આવેલી પીયૂષિકા (pituitary) ગ્રંથિના અગ્રસ્થખંડ(anterior lobe)માંથી વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) તૈયાર થાય છે, જે સમગ્ર શરીરની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. આ ગ્રંથિના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિને કારણે ઉપર દર્શાવેલ અંત:સ્રાવનું પ્રમાણ વધે છે. હાડકાંની વૃદ્ધિ પૂર્ણ થયા…

વધુ વાંચો >

અતિકાયતા – સમ

અતિકાયતા, સમ (gigantism) : અસાધારણ શરીરવૃદ્ધિનો રોગ. પીયૂષિકા (pituitary) ગ્રંથિનો વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) બાળપણમાં હાડકાંની વૃદ્ધિ પરિપૂર્ણ થાય તે પહેલાં વધે તો સમ અતિકાયતા નામનો રોગ થાય છે. તેના અમ્લગ્રાહી (acidophil) કોષોની અતિવૃદ્ધિ કે ગાંઠ (adenoma) દ્વારા વૃદ્ધિકારક અંત:સ્રાવનું ઉત્પાદન વધે છે. હાડકાંની લંબાઈ ખૂબ જ વધે છે અને…

વધુ વાંચો >

અતિકૅલ્શિયમતા

અતિકૅલ્શિયમતા (hypercalcaemia) : માનવશરીરમાં યોગ્ય કરતાં વધુ પ્રમાણમાં કૅલ્શિયમ હોવાને કારણે થતો રોગ. માનવશરીરમાંનાં કુલ 24 તત્વોમાં કૅલ્શિયમનું પ્રમાણ પાંચમું સ્થાન ધરાવે છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસ મળીને શરીરના કુલ વજનના 3 ટકા બને છે. આમ 70 કિગ્રા. વજનવાળી વ્યક્તિમાં 1,184 ગ્રામ કૅલ્શિયમ રહેલું છે, જે મુખ્યત્વે હાડકાં અને દાંતની રચનામાં,…

વધુ વાંચો >

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા

Jan 7, 1989

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા (leukaemoid reaction) : લોહીના કૅન્સર જેવું લાગતું, શ્વેતકોષોનું વધેલું પ્રમાણ. કેટલાક ચેપ, ઝેર, કૅન્સર અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓની અસ્થિમજ્જા(bone marrow)માં નિયમનવાળી પ્રતિક્રિયા રૂપે અપક્વ કે/અને પક્વ શ્વેતકોષોનું ઉત્પાદન વધે છે. દર્દીના લોહીમાં અપક્વ કે 30,000થી 50,000 ઘમિમી.ના પ્રમાણમાં પક્વ શ્વેતકોષો પરિભ્રમણ કરતા થાય છે. દર્દીની લોહીની…

વધુ વાંચો >

અત્રંજી ખેડા

Jan 7, 1989

અત્રંજી ખેડા : આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક કાળનો સંસ્કૃતિદર્શક ટીંબો. તે ઉત્તરપ્રદેશના ઇટાવાથી 16 કિમી. ઉત્તરે કાળી નદીના જમણા કાંઠે આવેલો છે. તે 1,200 × 400 × 6થી 12 મીટર માપનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રો. નૂરુલ હસન અને પ્રો. ગૌર દ્વારા 1961થી 1967 સુધી ઉત્ખનિત. તેના કુલ છ સાંસ્કૃતિક તબક્કાઓ…

વધુ વાંચો >

અત્રિ છોટુભાઈ મકનજી

Jan 7, 1989

અત્રિ છોટુભાઈ મકનજી (જ. 4 જાન્યુઆરી 1931, જામખંભાળિયા, જિ. જામનગર) : ગુજરાતના એક પુરાતત્વવિદ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન ખંભાળિયામાં. સંસ્કૃત અને ગુજરાતી વિષય સાથે સ્નાતક 1957માં. 1959માં સંસ્કૃત-ગુજરાતી સાથે એમ.એ.. 1959થી 1967 સુધી જૂનાગઢ સંગ્રહાલયમાં ક્યુરેટર. 1963થી 1965 સુધી દિલ્હી પુરાતત્વ ડિપ્લોમાના અભ્યાસમાં. 1967થી 1974 અધીક્ષક, પુરાતત્વવિદ, પશ્ર્ચિમ વર્તુળ,…

વધુ વાંચો >

અત્રે પ્રભા

Jan 7, 1989

અત્રે પ્રભા (જ. 13 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર; અ. 13 જાન્યુઆરી 2024, પૂણે, મહારાષ્ટ્ર) : કિરાના ઘરાનાની છતાં સ્વતંત્ર શૈલી ધરાવતાં ઉત્તર હિંદુસ્તાની સંગીતનાં વિખ્યાત ગાયિકા. 13 વર્ષની વયથી પાંચ વર્ષ સુધી વિજય કરંદીકર પાસે સંગીતશિક્ષણ લીધા પછી વાસ્તવિક શિક્ષણ સુરેશબાબુ માને પાસેથી લીધું હતું. સંગીત વિષયમાં એમ.એ.ની પદવી લીધા…

વધુ વાંચો >

અત્રે પ્રહલાદ કેશવ (આચાર્ય અત્રે)

Jan 7, 1989

અત્રે પ્રહલાદ કેશવ (આચાર્ય અત્રે) (જ. 12 ઑગસ્ટ 1898, કોઢા, જિ. પુણે; અ. 12 જૂન 1969, મુંબઈ) : હાસ્યરસિક મરાઠી કવિ અને નાટ્યકાર. કવિતા, નાટક, હાસ્ય, પત્રકારત્વ ઇત્યાદિ અનેક ક્ષેત્રો તેમણે સફળતાથી ખેડ્યાં છે. એમના પૂર્વજોએ શિવાજીના સમયમાં કરેલાં પરાક્રમોને કારણે એમનું કુટુંબ બહુ જાણીતું હતું. શાળાનું શિક્ષણ સાસવડમાં તથા…

વધુ વાંચો >

અત્રોલી-જયપુર ઘરાણા

Jan 7, 1989

અત્રોલી-જયપુર ઘરાણા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયકીનો એક પ્રકાર. આ ઘરાણાના સ્થાપક અલ્લાદિયાખાં હતા. એમના ખાનદાનમાં ચારસો વર્ષથી અનેક ઉચ્ચ કોટીના ગાયકો થઈ ગયા. એમનું મૂળ વતન ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું અત્રોલી હતું, પણ કેટલીક પેઢીથી એમના પૂર્વજો જયપુર રાજ્યમાં આવેલી ઉણિયારા નામની એક જાગીરમાં વસ્યા હતા, તે કારણે એમણે…

વધુ વાંચો >

અથર્વવેદ

Jan 7, 1989

અથર્વવેદ : ભારતના પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય – ચાર વેદમાંનો એક વેદ. ઋગ્વેદ 1-8-35માં અથર્વવેદના દ્રષ્ટા અથર્વા ઋષિના નામનો નિર્દેશ છે. ઋગ્વેદ 4-58-3માં ‘ચાર શૃંગ’નું અર્થઘટન કરતી વખતે નિરુક્તના કર્તા યાસ્ક મુનિ ચાર વેદોનો નિર્દેશ જુએ છે (નિરુક્ત 1-7). છાંદોગ્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદમાં પણ વેદોની યાદીમાં અથર્વવેદનો ઉલ્લેખ છે. આથી…

વધુ વાંચો >

અદવાણી કલ્યાણ બૂલચંદ

Jan 7, 1989

અદવાણી કલ્યાણ બૂલચંદ (જ. 10 ડિસેમ્બર 1911, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 17 માર્ચ 1994, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્વાચીન સિંધી લેખક. અંગ્રેજી તથા ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1942માં તેઓ હૈદરાબાદ(સિંધ)ની ડી. જી. નૅશનલ કૉલેજમાં સિંધીના પ્રાધ્યાપક અને વિભાગાધ્યક્ષ નિયુક્ત થયા. ભાગલાને કારણે 1948માં તેઓ સિંધ છોડીને ભારતમાં આવ્યા અને મુંબઈની…

વધુ વાંચો >

અદાણી, ગૌતમ શાંતિલાલ

Jan 7, 1989

અદાણી, ગૌતમ શાંતિલાલ (જ. 24 જૂન 1962, અમદાવાદ, ગુજરાત) : અદાણી જૂથના સ્થાપક અને અધ્યક્ષ. તેમનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો. પિતા શાંતિલાલ અદાણી અને માતા શાંતાબહેન અદાણી. તેમનો પરિવાર ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાંથી સ્થળાંતર કરીને આવ્યો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. તેમનું શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય…

વધુ વાંચો >

અદાણી રતુભાઈ

Jan 7, 1989

અદાણી રતુભાઈ (જ. 13 એપ્રિલ 1914, જસદણ; અ. 5 સપ્ટે. 1997, રાજકોટ) : રચનાત્મક કાર્યકર, ગુજરાત રાજ્યના મંત્રીમંડળના સભ્ય અને રાષ્ટ્રીય કૉંગ્રેસ નામના અલાયદા પક્ષના સ્થાપક. જસદણ રાજ્યે દાણ માફ કરેલું તેથી અ-દાણી કહેવાયા. 1930માં સોળ વર્ષની વયે ધોલેરા સત્યાગ્રહમાં જોડાયેલા અને બે વર્ષની સખ્ત સજા ભોગવેલી. 1936માં અમરેલી નજીક…

વધુ વાંચો >