૧૯.૨૫

વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)થી વાદ્યસંગીત

વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)

વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout) : આઢ્યવાત (ધનવાનોને થતો વાતવ્યાધિ), ખુડ્ડુવાત (નાના સાંધાનો વા), વાત બલાસ અને આધુનિક વિજ્ઞાનમાં ‘ગાઉટ’ (gout) નામે ઓળખાતો, આયુર્વેદમાં નિર્દિષ્ટ ગાંઠિયા વાનો રોગ. રોગ–પરિચય : વાતરક્ત રોગમાં પોતાનાં કારણોથી દૂષિત થયેલ લોહી વાયુ સાથે ભળીને ખાસ કરી હાથ-પગના નાના સાંધાઓમાં અને વિશેષ રૂપે પગના…

વધુ વાંચો >

વાતવ્યાધિ

વાતવ્યાધિ : આયુર્વેદે શરીરમાં રહેલ વાયુ (વાત), પિત્ત અને કફ નામનાં ત્રણ તત્વોને ‘દોષ’ સંજ્ઞા આપી તેને શરીરના સ્વાસ્થ્ય કે રોગના કારણ રૂપે બતાવેલ છે. આ ત્રણ દોષોથી બનેલ ‘ત્રિદોષવાદ’ એ આયુર્વેદિક ચિકિત્સાનો પાયો છે. આયુર્વેદમાં વાયુતત્વની પ્રશસ્તિ ભગવાન રૂપે કરી છે. શરીરના કફ અને પિત્ત બેઉ વાયુ વિના પાંગળા…

વધુ વાંચો >

વાતસ્ફીતિ (emphysema)

વાતસ્ફીતિ (emphysema) : ફેફસાના વાયુપોટા(alveoli)ની દીવાલના વ્યાપક નાશને કારણે તેમનો કાયમી રીતે અને વિષમ રીતે પહોળા થઈ જવાનો વિકાર. ક્યારેક તેની સાથે ફેફસામાં તંતુઓ બને છે. તેને તંતુતા (fibrosis) કહે છે. વાતસ્ફીતિ એક પ્રકારની રોગમય દેહરચના (pathological anatomy) છે, માટે તે એક પ્રકારની વિકૃતિ છે. તેની સાથે ઘણી વખત જોવા…

વધુ વાંચો >

વાતાનુકૂલન (air-conditioning)

વાતાનુકૂલન (air-conditioning) : હવાનાં તાપમાન, ભેજ, ગતિ અને સ્વચ્છતાનું એકસાથે નિયંત્રણ કરવાની પ્રક્રિયા. સંપૂર્ણ વાતાનુકૂલન ઉનાળો, શિયાળો અને વર્ષાઋતુ દરમિયાન ઉપરના ચારેય ઘટકોનું નિયંત્રણ કરે છે. ઉનાળામાં વાતાનુકૂલક (વાતાનુકૂલ યંત્ર) તાપમાનનો ઘટાડો કરે છે અને વધારાનો ભેજ હવામાંથી દૂર કરે છે, જ્યારે શિયાળા દરમિયાન તાપમાનનો વધારો કરવાની અને હવામાંના ભેજને…

વધુ વાંચો >

વાતાવરણ (ગ્રહોનું)

વાતાવરણ (ગ્રહોનું) : ગ્રહોની ફરતેનું વાતાવરણ. જો ગ્રહનું દ્રવ્યમાન (Mass) બહુ ઓછું હોય તો તેના ઓછા ગુરુત્વાકર્ષણ બળને કારણે તેની આજુબાજુ વાતાવરણ ટકી શકતું નથી અને વાતાવરણના અણુ અંતરીક્ષમાં છટકી જાય છે. ઊંચા તાપમાને અણુની ગતિ વધારે હોવાથી છટકી જવાની પ્રક્રિયા ઝડપી બને છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વી કરતાં…

વધુ વાંચો >

વાતાવરણ (ભૌગોલિક)

વાતાવરણ (ભૌગોલિક) પૃથ્વીની આજુબાજુ અંદાજે 800 કિમી. કે તેથી વધુ (આંતરગ્રહીય માધ્યમમાં ભળી જતા અંતર સુધીના) વિસ્તારમાં ફેલાયેલું હવાનું આવરણ. વાયુઓથી બનેલું આ આવરણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ-બળને કારણે અવકાશમાં છટકી જઈ શકતું નથી. શિલાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ જેવા પૃથ્વીના ચાર વિભાગો પૈકીનો આ સૌથી બહારનો વિભાગ છે. બંધારણ : વાતાવરણ…

વધુ વાંચો >

વાતાવરણ-જલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface)

વાતાવરણજલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface) : વાતાવરણ અને મહાસાગર-જળના સંપર્કમાં રહેલો સીમાપટ. પૃથ્વીનાં પારિસ્થિતિક પરિબળો પૈકીનાં ભૌતિક અને રાસાયણિક પરિબળોની સક્રિયતા માટે આ પટનું ઘણું મહત્વ છે. મોટાભાગની દરિયાઈ જીવસૃદૃષ્ટિના નિભાવ માટે તે ઉપયોગી બની રહે છે. ગરમ થયેલી મહાસાગર-જળસપાટી પરથી પાછાં પડતાં વિકિરણો દ્વારા અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તાર પરનું અંતરાપૃષ્ઠ…

વધુ વાંચો >

વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science)

વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science) : પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા વાયુમંડળનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિસ્તારના વાયુમંડળમાં સર્જાતી ઘટનાઓનો અભ્યાસ વાતાવરણશાસ્ત્રના વ્યાપમાં ગણાય, જ્યારે તેની ઉપરના વિસ્તારના વાયુમંડળમાંની ઘટનાઓ વાયુશાસ્ત્ર- (aeronomy)ના વ્યાપમાં ગણાય. પૃથ્વીના 100 કિમી. સુધીના વાતાવરણને ત્રણ સ્પષ્ટ વિસ્તારોમાં વહેંચી શકાય છે. સૌથી નીચેનો, સપાટીથી 15…

વધુ વાંચો >

વાતીય ઓજારો (pneumatic tools)

વાતીય ઓજારો (pneumatic tools) : વાયુના ગતિશીલ ગુણધર્મો ઉપર કાર્ય કરતાં ઓજારો. વાતીય ઓજારો ત્રણ મુખ્ય ઉપકરણો ઉપર નિર્મિત કર્યાં હોય છે : (1) હવાની ટાંકી (ઍરસિલિન્ડર), (2) વેઇન-મોટર (vane motor) અને (3) છંટકાવ કરનાર સંરચના (sprayer). હવાની ટાંકીમાં પિસ્ટન (હરતો-ફરતો દટ્ટો) હોય છે, જે ટાંકીના છેડા સુધી સંકોચિત (compressed)…

વધુ વાંચો >

વાતુક, વેદપ્રકાશ

વાતુક, વેદપ્રકાશ (જ. 13 એપ્રિલ 1932, ફઝલપુર, મેરઠ, ઉત્તર પ્રદેશ) : હિંદી કવિ, અધ્યાપક અને સંશોધક. હાલ અમેરિકામાં કૅલિફૉર્નિયા, બર્કલી ખાતેના ફોકલૉર ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિયામક. અગાઉ લંડન ખાતેની હિંદી પરિષદના સેક્રેટરી (1955-58), ફૉર્ટ કૉલિન્સ ખાતેની કૉલરૅડો સ્ટેટ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક (1961-63), હૅવર્ડ ખાતેની કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રાધ્યાપક (1965-69),…

વધુ વાંચો >

વાત્યુ, જ્યાં ઍન્તૉઇની

Jan 25, 2005

વાત્યુ, જ્યાં ઍન્તૉઇની (જ. 1684, વાલેન્ચીનેસ, ફ્લૅન્ડર્સ; અ. 1721, પૅરિસ, ફ્રાંસ) : રોકોકો શૈલીમાં સર્જન કરનાર ફ્રેંચ ચિત્રકાર. પહેલેથી બરોક શૈલીના ફ્લૅમિશ ચિત્રકાર પીટર પૉલ રૂબેન્સના પ્રભાવ હેઠળ તેઓ આવેલા. 1702માં વાત્યુ પૅરિસ ગયા અને ત્યાં ગિલો (Gillot) નામના ચિત્રકાર હેઠળ તાલીમ પામ્યા. લક્ઝમ્બર્ગ મહેલમાં રહેલી રૂબેન્સની ચિત્રશૃંખલા ‘લાઇફ ઑવ્…

વધુ વાંચો >

વાત્રક (નદી)

Jan 25, 2005

વાત્રક (નદી) : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના અગ્નિભાગમાં વહેતી નદી. તે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં ગુજરાતરાજસ્થાન સરહદ પરના ખોખરા નજીક આવેલી ટેકરીમાંથી નીકળે છે. તેની કુલ લંબાઈ 243 કિમી. જેટલી છે. તે પૈકીનો તેનો ઘણોખરો ભાગ સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. તે સાબરકાંઠાના મેઘરજ, માલપુર અને બાયડ તાલુકાઓમાંથી પસાર થાય છે. નદીના…

વધુ વાંચો >

વાત્સ્યાયન

Jan 25, 2005

વાત્સ્યાયન : પ્રાચીન ભારતીય કામશાસ્ત્રના લેખક. તેમને ‘વાત્સ્યાયન મુનિ’ અથવા ‘મહર્ષિ વાત્સ્યાયન’ એવા નામે ઓળખવામાં આવે છે. એમનું મૂળ નામ મલ્લનાગ હતું. જ્યારે વાત્સ્યાયન – એ એમનું ગોત્રનામ અથવા કુળનામ છે. આ ગોત્રના મૂળ ઋષિ વત્સ હતા અને તેમના વંશજોને ‘વાત્સ્યાયન’ એવા નામથી ઓળખવામાં આવે છે. ઈ. સ.ની સાતમી સદીમાં…

વધુ વાંચો >

વાત્સ્યાયન, કપિલા

Jan 25, 2005

વાત્સ્યાયન, કપિલા (જ. 25 ડિસેમ્બર 1928, દિલ્હી) : કલા, સાહિત્ય, શિક્ષણ, લેખન, રાજદ્વારી વહીવટ, સંસ્થા-સંચાલન – એમ વિવિધ ક્ષેત્રે જ્વલંત કારકિર્દી ધરાવતી મહિલાઓ પૈકીનાં એક. પિતા શ્રીરામ લાલ મલિક સ્વદેશપ્રેમી તેમજ કાયદાશાસ્ત્રી. માતા શ્રીમતી સત્યવતી કલાસાહિત્ય, ચિત્રકળા તેમજ હસ્તકળા અને હુન્નરમાં રસ ધરાવતાં હતાં. કપિલાનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી, કોલકાતા, શાંતિનિકેતન…

વધુ વાંચો >

વાત્સ્યાયન સચ્ચિદાનંદ હીરાનંદ

Jan 25, 2005

વાત્સ્યાયન સચ્ચિદાનંદ હીરાનંદ : જુઓ અજ્ઞેય.

વધુ વાંચો >

વાદ-પ્રતિવાદ

Jan 25, 2005

વાદ-પ્રતિવાદ : ભારતીય આસ્તિક અને નાસ્તિક તમામ દર્શનોમાં અને શાસ્ત્રગ્રંથોમાં સ્વમતના પ્રતિપાદન માટે અને પ્રતિપક્ષીના મતનું જુદી જુદી યુક્તિઓ એટલે કે દલીલો દ્વારા ખંડન કરવામાં તે તે દર્શન કે સંપ્રદાયના આચાર્યોએ વાક્ચાતુર્ય કે વક્તૃત્વકલાનો બહોળો ઉપયોગ કરેલો છે. વિવિધ ધર્મો અને તેમના સંપ્રદાયોને સ્થાપવા અને ટકાવવામાં તર્કશુદ્ધ અને અલંકારમંડિત વક્તૃત્વનો…

વધુ વાંચો >

વાદળ (clouds)

Jan 25, 2005

વાદળ (clouds) : હવામાનની જે બધી ઘટનાઓ ઘટે છે તેમાં વાદળાંની ઘટના ખૂબ કૌતુકસભર છે. વાદળાં સુંદર અને મનોરંજક લાગવા ઉપરાંત તે હવામાનની પરિસ્થિતિ અંગે ઉપયોગી સૂચનો પૂરાં પાડે છે અને દુનિયાભરના હવામાન-નિરીક્ષકો તેનું નિયમિત સર્વેક્ષણ (મૉનિટરિંગ) કરે છે. વાદળાંના પ્રકારો, તેમની ઊંચાઈ અને ઍક્ટાસ(અષ્ટક)માં મપાતી તેમની આકાશમાંની વ્યાપકતા વગેરેનાં…

વધુ વાંચો >

વાદળ-કક્ષ (cloud chamber)

Jan 25, 2005

વાદળ-કક્ષ (cloud chamber) : બાષ્પના અતિસંતૃપ્ત લક્ષણ પર આધારિત ઉપકરણ. 1894માં સ્કૉટલૅન્ડમાં Ben Nevis નામના સ્થળે આવેલ વેધશાળામાં જ્યારે સી.ટી.આર. વિલ્સન હંગામી ધોરણે કામ કરતા હતા, ત્યારે તેમણે પર્વત ઉપર ધુમ્મસને કારણે સર્જાતી ‘broken bow’ નામે ઓળખાતી પ્રકાશી ઘટના જોઈ, જેમાં પાછળથી આવતા સૂર્યપ્રકાશને કારણે અવલોકનકારનો પડછાયો ઘાટીમાં છવાયેલ ધુમ્મસ…

વધુ વાંચો >

વાદળી (sponge)

Jan 25, 2005

વાદળી (sponge) : છિદ્રોવાળું શરીર ધરાવતું એક અનોખું જલજીવી પ્રાણી. બહુકોષીય પ્રાણી હોવા છતાં ચેતાતંત્રના અભાવમાં તેનો પ્રત્યેક કોષ સ્વતંત્રપણે કાર્ય કરતો હોય છે. જોકે કોષોની ગોઠવણ વિશિષ્ટ રીતે થયેલી હોવાથી કોષોની કાર્યપદ્ધતિમાં સુમેળ સધાયેલો હોય છે. શરીરની બાહ્ય સપાટીએ આવેલાં નાનાં છિદ્રો (ostia) દ્વારા શરીરમાં પાણી પ્રવેશે છે અને…

વધુ વાંચો >

વાદી દેવસૂરિ

Jan 25, 2005

વાદી દેવસૂરિ : સિદ્ધરાજ જયસિંહના સમકાલીન શ્ર્વેતાંબર જૈન સંપ્રદાયના ગુજરાતના પ્રસિદ્ધ આચાર્ય. તેઓ દેવનાગના પુત્ર હતા અને તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. આચાર્ય મુનિચંદ્રસૂરિએ તેમને ભરૂચમાં ઈ. સ. 1096માં દીક્ષા આપીને મુનિ રામચંદ્ર નામ આપ્યું. તેમણે લક્ષણ, દર્શન તથા સાહિત્યનો અભ્યાસ કર્યો અને ઈ. સ. 1118માં આચાર્ય થયા તથા દેવસૂરિ તરીકે…

વધુ વાંચો >