૧૯.૨૫

વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)થી વાદ્યસંગીત

વાદ્યધારિણીનાં મદલ શિલ્પો

વાદ્યધારિણીનાં મદલ શિલ્પો : મંદિરના સ્તંભો પર પ્રયોજાતાં વાદ્યધારિણીઓનાં મદલ શિલ્પો. ભારતીય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવેલી ઉપાસ્ય મૂર્તિઓ ઉપરાંત તેના જુદા જુદા સ્થાપત્યકીય ભાગો – પીઠ, મંડોવર, શિખર, દ્વારશાખા, સ્તંભ-શિરાવટી, ઘૂમટની અંદરની છત વગેરેને દેવ-દેવીઓ, દિકપાલો, દ્વારપાળો, વિદ્યાધરો, ગંધર્વો-કિન્નરો, તાપસ-મુનિ-જતિ, યક્ષ-યક્ષિણીઓ વિવિધ અંગભંગવાળી સુરસુંદરીઓ, વાદ્યધારિણીઓ-નૃત્યાંગનાઓ, કીચકો, મિશ્ર પશુઓનાં વ્યાલ સ્વરૂપો,…

વધુ વાંચો >

વાદ્યસંગીત

વાદ્યસંગીત ઘટક પદાર્થો(material)માંથી બનાવવામાં આવતાં જુદા જુદા પ્રકારનાં વાજિંત્રના માધ્યમથી નિર્માણ કરવામાં આવતું કર્ણપ્રિય સંગીત. આવાં વાજિંત્ર મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે : તંતુવાદ્ય, ચર્મવાદ્ય અથવા આનદ્ધવાદ્ય, સુષિર અથવા કંઠવાદ્ય તથા ઘન અથવા હસ્તવાદ્ય. આ પ્રકારનાં વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, ઢોલ, શંખ, ઘંટા, ઝાલર, કિરતાલ, સારંગી, મંજીરાં,…

વધુ વાંચો >

વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout)

Jan 25, 2005

વાતરક્ત (ગાંઠિયો વા કે ગાઉટ, Gout) : આઢ્યવાત (ધનવાનોને થતો વાતવ્યાધિ), ખુડ્ડુવાત (નાના સાંધાનો વા), વાત બલાસ અને આધુનિક વિજ્ઞાનમાં ‘ગાઉટ’ (gout) નામે ઓળખાતો, આયુર્વેદમાં નિર્દિષ્ટ ગાંઠિયા વાનો રોગ. રોગ–પરિચય : વાતરક્ત રોગમાં પોતાનાં કારણોથી દૂષિત થયેલ લોહી વાયુ સાથે ભળીને ખાસ કરી હાથ-પગના નાના સાંધાઓમાં અને વિશેષ રૂપે પગના…

વધુ વાંચો >

વાતવ્યાધિ

Jan 25, 2005

વાતવ્યાધિ : આયુર્વેદે શરીરમાં રહેલ વાયુ (વાત), પિત્ત અને કફ નામનાં ત્રણ તત્વોને ‘દોષ’ સંજ્ઞા આપી તેને શરીરના સ્વાસ્થ્ય કે રોગના કારણ રૂપે બતાવેલ છે. આ ત્રણ દોષોથી બનેલ ‘ત્રિદોષવાદ’ એ આયુર્વેદિક ચિકિત્સાનો પાયો છે. આયુર્વેદમાં વાયુતત્વની પ્રશસ્તિ ભગવાન રૂપે કરી છે. શરીરના કફ અને પિત્ત બેઉ વાયુ વિના પાંગળા…

વધુ વાંચો >

વાતસ્ફીતિ (emphysema)

Jan 25, 2005

વાતસ્ફીતિ (emphysema) : ફેફસાના વાયુપોટા(alveoli)ની દીવાલના વ્યાપક નાશને કારણે તેમનો કાયમી રીતે અને વિષમ રીતે પહોળા થઈ જવાનો વિકાર. ક્યારેક તેની સાથે ફેફસામાં તંતુઓ બને છે. તેને તંતુતા (fibrosis) કહે છે. વાતસ્ફીતિ એક પ્રકારની રોગમય દેહરચના (pathological anatomy) છે, માટે તે એક પ્રકારની વિકૃતિ છે. તેની સાથે ઘણી વખત જોવા…

વધુ વાંચો >

વાતાનુકૂલન (air-conditioning)

Jan 25, 2005

વાતાનુકૂલન (air-conditioning) : હવાનાં તાપમાન, ભેજ, ગતિ અને સ્વચ્છતાનું એકસાથે નિયંત્રણ કરવાની પ્રક્રિયા. સંપૂર્ણ વાતાનુકૂલન ઉનાળો, શિયાળો અને વર્ષાઋતુ દરમિયાન ઉપરના ચારેય ઘટકોનું નિયંત્રણ કરે છે. ઉનાળામાં વાતાનુકૂલક (વાતાનુકૂલ યંત્ર) તાપમાનનો ઘટાડો કરે છે અને વધારાનો ભેજ હવામાંથી દૂર કરે છે, જ્યારે શિયાળા દરમિયાન તાપમાનનો વધારો કરવાની અને હવામાંના ભેજને…

વધુ વાંચો >

વાતાવરણ (ગ્રહોનું)

Jan 25, 2005

વાતાવરણ (ગ્રહોનું) : ગ્રહોની ફરતેનું વાતાવરણ. જો ગ્રહનું દ્રવ્યમાન (Mass) બહુ ઓછું હોય તો તેના ઓછા ગુરુત્વાકર્ષણ બળને કારણે તેની આજુબાજુ વાતાવરણ ટકી શકતું નથી અને વાતાવરણના અણુ અંતરીક્ષમાં છટકી જાય છે. ઊંચા તાપમાને અણુની ગતિ વધારે હોવાથી છટકી જવાની પ્રક્રિયા ઝડપી બને છે. પૃથ્વીના ઉપગ્રહ ચંદ્રનું ગુરુત્વાકર્ષણબળ પૃથ્વી કરતાં…

વધુ વાંચો >

વાતાવરણ (ભૌગોલિક)

Jan 25, 2005

વાતાવરણ (ભૌગોલિક) પૃથ્વીની આજુબાજુ અંદાજે 800 કિમી. કે તેથી વધુ (આંતરગ્રહીય માધ્યમમાં ભળી જતા અંતર સુધીના) વિસ્તારમાં ફેલાયેલું હવાનું આવરણ. વાયુઓથી બનેલું આ આવરણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ-બળને કારણે અવકાશમાં છટકી જઈ શકતું નથી. શિલાવરણ, જલાવરણ, જીવાવરણ અને વાતાવરણ જેવા પૃથ્વીના ચાર વિભાગો પૈકીનો આ સૌથી બહારનો વિભાગ છે. બંધારણ : વાતાવરણ…

વધુ વાંચો >

વાતાવરણ-જલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface)

Jan 25, 2005

વાતાવરણજલાવરણ (વાયુ-સમુદ્ર) અંતરાપૃષ્ઠ (air-sea interface) : વાતાવરણ અને મહાસાગર-જળના સંપર્કમાં રહેલો સીમાપટ. પૃથ્વીનાં પારિસ્થિતિક પરિબળો પૈકીનાં ભૌતિક અને રાસાયણિક પરિબળોની સક્રિયતા માટે આ પટનું ઘણું મહત્વ છે. મોટાભાગની દરિયાઈ જીવસૃદૃષ્ટિના નિભાવ માટે તે ઉપયોગી બની રહે છે. ગરમ થયેલી મહાસાગર-જળસપાટી પરથી પાછાં પડતાં વિકિરણો દ્વારા અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તાર પરનું અંતરાપૃષ્ઠ…

વધુ વાંચો >

વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science)

Jan 25, 2005

વાતાવરણશાસ્ત્ર (Atmospheric Science) : પૃથ્વીની આજુબાજુ વીંટળાયેલા વાયુમંડળનો અભ્યાસ કરતું શાસ્ત્ર. પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિસ્તારના વાયુમંડળમાં સર્જાતી ઘટનાઓનો અભ્યાસ વાતાવરણશાસ્ત્રના વ્યાપમાં ગણાય, જ્યારે તેની ઉપરના વિસ્તારના વાયુમંડળમાંની ઘટનાઓ વાયુશાસ્ત્ર- (aeronomy)ના વ્યાપમાં ગણાય. પૃથ્વીના 100 કિમી. સુધીના વાતાવરણને ત્રણ સ્પષ્ટ વિસ્તારોમાં વહેંચી શકાય છે. સૌથી નીચેનો, સપાટીથી 15…

વધુ વાંચો >

વાતીય ઓજારો (pneumatic tools)

Jan 25, 2005

વાતીય ઓજારો (pneumatic tools) : વાયુના ગતિશીલ ગુણધર્મો ઉપર કાર્ય કરતાં ઓજારો. વાતીય ઓજારો ત્રણ મુખ્ય ઉપકરણો ઉપર નિર્મિત કર્યાં હોય છે : (1) હવાની ટાંકી (ઍરસિલિન્ડર), (2) વેઇન-મોટર (vane motor) અને (3) છંટકાવ કરનાર સંરચના (sprayer). હવાની ટાંકીમાં પિસ્ટન (હરતો-ફરતો દટ્ટો) હોય છે, જે ટાંકીના છેડા સુધી સંકોચિત (compressed)…

વધુ વાંચો >

વાતુક, વેદપ્રકાશ

Jan 25, 2005

વાતુક, વેદપ્રકાશ (જ. 13 એપ્રિલ 1932, ફઝલપુર, મેરઠ, ઉત્તર પ્રદેશ) : હિંદી કવિ, અધ્યાપક અને સંશોધક. હાલ અમેરિકામાં કૅલિફૉર્નિયા, બર્કલી ખાતેના ફોકલૉર ઇન્સ્ટિટ્યૂટ ખાતે નિયામક. અગાઉ લંડન ખાતેની હિંદી પરિષદના સેક્રેટરી (1955-58), ફૉર્ટ કૉલિન્સ ખાતેની કૉલરૅડો સ્ટેટ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક (1961-63), હૅવર્ડ ખાતેની કૅલિફૉર્નિયા સ્ટેટ યુનિવર્સિટી ખાતે એસોસિયેટ પ્રાધ્યાપક (1965-69),…

વધુ વાંચો >