૧૯.૧૫

વન્દે માતરમથી વરાહમિહિર

વરસોડા

વરસોડા : ઉત્તર ગુજરાતમાં આવેલ વનરાજ ચાવડાના વંશજની નાની રિયાસત. ત્યાંના ઠાકોર માણસાના ચાવડા રાવળના ભાયાત હતા. આ ચાવડા પોતાને વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહના પુત્ર અહિપતના વંશજ ગણાવતા. અહિપતે કચ્છના મોરગઢમાં ગાદી સ્થાપી. એમના વંશજ પૂજાજીએ અગાઉ ધારપુરમાં (પાલણપુર તાબે) અને ત્યારબાદ અંબાસણમાં રાજ્ય સ્થાપ્યું. તેમના પુત્ર મહેસાજીએ મહેસાણા વસાવ્યું.…

વધુ વાંચો >

વરાહ (અવતાર)

વરાહ (અવતાર) : હિંદુ પુરાણોમાં માનવામાં આવેલો ભગવાન વિષ્ણુનો મુખ્ય અવતાર. કુલ દસ અવતારોમાં વિષ્ણુનો આ ત્રીજો અવતાર છે. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે. છેક ઋગ્વેદમાં ઇંદ્ર દ્વારા વરાહના વધની કથા આવે છે. (ઋ.વે. 10/99/6) તૈત્તિરીય સંહિતામાં પ્રજાપતિએ વરાહ…

વધુ વાંચો >

વરાહપુરાણ

વરાહપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો ગ્રંથ. વરાહપુરાણ એક સાત્ત્વિક અને વૈષ્ણવ પુરાણ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં છુપાવેલી તેનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ વરાહને પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર રૂપે આ પુરાણ કહેવાયું છે. આ ઉપલબ્ધ પુરાણના 12,000 શ્ર્લોકો અને 218 અધ્યાયો છે. ધાર્મિક પૂજન-અર્ચન, વ્રત-ઉપવાસ, તીર્થો, યાત્રાનાં સ્થાનો,…

વધુ વાંચો >

વરાહમિહિર

વરાહમિહિર (જ. ઈ.સ. 505; અ. 587) : પ્રાચીન ભારતના નામાંકિત ગણિતજ્ઞ, ખગોળશાસ્ત્રી અને ફલજ્યોતિષી. તેમણે ‘બૃહત્સંહિતા’, ‘પંચસિદ્ધાંતિકા’, ‘બૃહત્જાતક’, ‘યોગયાત્રા’ વગેરે ગ્રંથોની રચના કરી હતી. પોતાના ક્ષેત્રમાં તેમનું ઘણું પ્રતિષ્ઠિત સ્થાન છે. તેમના પિતાનું નામ આદિત્યદાસ હતું. વરાહમિહિર ઉજ્જૈનના નિવાસી હતા. તેમણે પોતાની ગ્રંથરચનામાં સિંહાચાર્ય, યવનાચાર્ય, આર્યભટ્ટ, પ્રદ્યુમ્ન, વિજયનંદિન તથા લાટાચાર્યને…

વધુ વાંચો >

વન્દે માતરમ્

Jan 15, 2005

વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી…

વધુ વાંચો >

વન્ય જીવો

Jan 15, 2005

વન્ય જીવો : સંરક્ષણ અને વ્યવસ્થાપન : વન કે અન્ય પ્રાકૃતિક પર્યાવરણમાં ઊછરતા, પાંગરતા અને વિચરતા પ્રાણીજીવો (wild life). સામાન્ય રીતે મનુષ્યના સહવાસમાં રહેતાં પાળેલાં પશુપંખીઓ સિવાયનાં જંગલી પ્રાણીઓને વન્ય પ્રાણી કે જીવો ગણવામાં આવે છે. પ્રાગ્-ઐતિહાસિક કાળમાં મનુષ્યજાતિ પણ એક વન્યજીવ હતો. આજે પણ ઍમેઝોન અને કૉંગોનાં ગાઢ જંગલોમાં…

વધુ વાંચો >

વન્ય પેદાશો

Jan 15, 2005

વન્ય પેદાશો : વનમાંથી પ્રાપ્ત થતી પેદાશો. વનસ્પતિ-સૃદૃષ્ટિ પ્રાણી માત્ર માટે આહારવિહારનો અગત્યનો સ્રોત હોવાથી વન્ય પેદાશો માનવી માટે ઉપયોગી છે. એક રીતે જોઈએ તો જળ પણ એક ખૂબ અગત્યની વન્ય પેદાશ ગણાય. વનવિસ્તારની ભૂમિ વિશાળ જળશોષક વાદળી જેવું કામ આપે છે અને વરસાદી જળને સમુદ્રમાં વહી જતું અટકાવી જળસ્તરને…

વધુ વાંચો >

વપરાશ (consumption)

Jan 15, 2005

વપરાશ (consumption) : વ્યક્તિઓ, સંસ્થાઓ તથા સરકારે તેમની વર્તમાન જરૂરિયાતો સંતોષવા માટે કરેલો ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ. સમગ્ર અર્થતંત્રમાં વપરાશની ચીજવસ્તુઓ તથા સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને વપરાશી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં ઉત્પાદન તથા રોજગારીની સપાટી નક્કી કરવાની દૃષ્ટિએ વપરાશ પાછળ થતું ખર્ચ અગત્યનું છે. લોકો જ્યારે…

વધુ વાંચો >

વફા, પ્રભુ

Jan 15, 2005

વફા, પ્રભુ (જ. 19 સપ્ટેમ્બર 1915, લાડકણા, સિંધ) : સિંધી કવિ. મૂળ નામ પ્રભુ જોતુમલ છુગાણી. ‘વફા’ તેમનું તખલ્લુસ છે. 1934માં મૅટ્રિક થઈ કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી તેમણે 1938માં સ્નાતક પદવી મેળવી. 13 વરસની ઉંમરે સાહિત્ય તરફ આકર્ષાયા. ઉર્દૂ અને સિંધીમાં કાવ્યો લખવા સાથે તેમણે મુશાયરાઓમાં ભાગ લેવા માંડ્યો.…

વધુ વાંચો >

વમળનાં વન (1976)

Jan 15, 2005

વમળનાં વન (1976) : જગદીશ જોષીનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહમાં કુલ 114 કાવ્યો છે; જેમાં સત્તાવન ગીતો છે, આડત્રીસ અછાંદસ રચનાઓ, ચૌદ જેટલી ગઝલો અને પાંચ છંદોબદ્ધ કાવ્યો છે. તળપદ અને આધુનિક નગરજીવન એમ બંને પ્રકારનું ભાવવિશ્વ આ કાવ્યોમાં ઝિલાયું છે. જગદીશ જોષીનાં ગીતોમાં તળપદ ગ્રામપરિવેશ છે, તો આધુનિક ગીતકવિતાનું અનુસંધાન…

વધુ વાંચો >

વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis)

Jan 15, 2005

વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis) : વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સજીવની જાતિના વિતરણને સમજાવતો અધિતર્ક. આ અધિતર્ક વિલિસે (1922) આપ્યો. તેમના મત પ્રમાણે કોઈ પણ જાતિના વિતરણનો આધાર તે જાતિની વય સાથે સંબંધિત છે. જો કોઈ એક નિશ્ચિત જાતિનો ઉદવિકાસીય ઇતિહાસ લાંબો હોય તો તેનું વિતરણ મોટા વિસ્તારોમાં…

વધુ વાંચો >

વયનિર્ણય

Jan 15, 2005

વયનિર્ણય : ઉંમરનો અંદાજ મેળવવો તે. જીવિત કે મૃત વ્યક્તિની અથવા કપાયેલા શરીરના ભાગની કાયદાકીય સંદર્ભે વય જાણવી ઘણી વખત જરૂરી બને છે. તે માટે શરીરનાં વિવિધ અંગો-અવયવોનાં વૃદ્ધિ અને વિકાસના ક્રમને જાણવાથી ઘણી ઉપયોગી માહિતી મળે છે. ઊંચાઈ, દાંત, હાડકાં, દ્વૈતીયિક જાતીય (લૈંગિક) લક્ષણો, માથા પરના વાળ વગેરે વિવિધ…

વધુ વાંચો >

વરખેડકર, વસંત શ્યામરાવ

Jan 15, 2005

વરખેડકર, વસંત શ્યામરાવ (જ. 1918; અ. 1985) : મરાઠી નવલકથાકાર, નાટ્યકાર તથા નાગરિક સ્વાતંત્ર્ય અને લોકશાહીના હિમાયતી. તેમણે નાગપુરની મોરિસ કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવ્યા બાદ થોડો વખત ‘સમાધાન’ અને ‘ભવિતવ્ય’ના સહ-સંપાદક તરીકે કામગીરી કરી. પછી તેઓ સરકારી નોકરીમાં પ્રેસ માહિતી કાર્યાલયમાં માહિતી અધિકારી તરીકે જોડાયા. તેમણે નવલકથાકાર તરીકે તેમની કારકિર્દી…

વધુ વાંચો >

વરણનિયમ (selection rule)

Jan 15, 2005

વરણનિયમ (selection rule) : ક્વૉન્ટમ યાંત્રિકીના સંદર્ભમાં, એવો નિયમ જે કોઈ ક્વૉન્ટમ-પ્રણાલીમાં થતા સંક્રમણ(transition)નું નિયમન કરે. આ નિયમ જળવાતો હોય તે સંક્રમણ માન્ય અથવા અપ્રતિબંધિત ગણાય છે. જ્યારે એ ન જળવાતો હોય ત્યારે સંક્રમણ પ્રતિબંધિત (forbidden) ગણાય છે. માન્ય (allowed) સંક્રમણની સંભાવના, પ્રતિબંધિત સંક્રમણ કરતાં ઘણી વધુ હોય છે. ક્વૉન્ટમ…

વધુ વાંચો >