૧૫.૨૮

માહિતી તાંત્રિકીથી માળિયા-મિયાણા

માહિતી તાંત્રિકી

માહિતી તાંત્રિકી (Information Technology) : માહિતીના પ્રચાર, પ્રસાર અને ઉપયોગ (આપ-લે) સાથે સંકળાયેલ તાંત્રિકી (ટૅકનૉલૉજી). માહિતીની આપ-લે માનવવ્યવહારનું અવિભાજિત અંગ છે. માનવ-વિકાસ સાથે તે ગાઢ રીતે સંકળાયેલ છે. જ્ઞાન અને વિચારો એ વિકાસના હાર્દરૂપ છે અને વિકાસમાં ભૌતિક વસ્તુઓ કરતાં તેનું મહત્વ સતત વધતું રહ્યું છે. સ્થાનિક કે વૈશ્વિક સ્તરની…

વધુ વાંચો >

માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ

માહિતીનિર્ભર સંચાલન-પદ્ધતિ (Management Information System) : સંચાલકોને વ્યૂહરચના, યોજના, કામગીરી અને અંકુશ અંગે સક્રિય નિર્ણયો લેવા માટે આવશ્યક, ઔપચારિક અને સમયસર માહિતી પૂરી પાડતું, મુખ્યત્વે કમ્પ્યૂટર-આધારિત તંત્ર. વ્યાપાર કે સંગઠનના સંચાલકો નિર્ણયો લેવા માટે આવશ્યક માહિતી મુખ્યત્વે આંતરિક સ્રોતો (ખરીદ, વેચાણ, પુરવઠો, નફો વગેરે) દ્વારા અને બહારની માહિતી મૌખિક વાતચીત…

વધુ વાંચો >

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ

માહિતીનું વિશ્લેષણ અને પ્રક્રમણ : સંચાલકીય નિર્ણય લેવામાં મદદરૂપ બની શકે તેવા હેતુથી પ્રાપ્ત થયેલ અથવા એકત્રિત કરેલ હકીકતો અને આંકડાઓનું પૃથક્કરણ. ઐતિહાસિક દસ્તાવેજો, લેખનસામગ્રી, સર્વેક્ષણો, અવલોકનો, અનુભવો, વાતચીત અને ચર્ચા જેવાં અનેક માધ્યમો દ્વારા જે હકીકતો અને આંકડા પ્રાપ્ત થાય છે તે કાચી માહિતી (data) છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ…

વધુ વાંચો >

માહિમ

માહિમ : મુંબઈનું ઐતિહાસિક પરગણું. મુંબઈનો ટાપુ અને તેની આસપાસના નાના ટાપુઓ ગુજરાતના મુસ્લિમ સુલતાનોની સત્તા નીચે હતા. વસઈ એનું મુખ્ય મથક હતું. નુનો દ કુન્હા ઈ. સ. 1529માં ગોવાનો પૉર્ટુગીઝ ગવર્નર બન્યો એ પછી એણે 1532ના ડિસેમ્બરમાં વસઈ ઉપર આક્રમણ કરીને એ ટાપુ તથા ત્યાંનો મુસ્લિમ કિલ્લો જીતી લીધા.…

વધુ વાંચો >

માહિષક

માહિષક : એક ઐતિહાસિક નગર. રાષ્ટ્રકૂટ વંશના રાજા સુવર્ણવર્ષ કર્કરાજદેવે શક સંવત 746(ઈ. સ. 824)માં નાગકુમાર નામે બ્રાહ્મણને બ્રાહ્મણપલ્લિકા નામે ગામ દાનમાં દીધું, તેના દાનશાસનમાં એ ગામ માહિષક-42 નામે વહીવટી વિભાગમાં આવેલું હોવાનું અને એની ઉત્તરે ક્વલોઇકા, પૂર્વે નાબડ, દક્ષિણે લિક્કવલ્લી અને પશ્ચિમે ધાડિયપ્પ નામે ગામ હોવાનું જણાવ્યું છે. આ…

વધુ વાંચો >

મહિષ્મતી

મહિષ્મતી : જુઓ મહેશ્વર.

વધુ વાંચો >

માહે

માહે : પૉંડિચેરી અંતર્ગત આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 11° 42´ ઉ. અ. અને 75° 32´ પૂ. રે. ભૌગોલિક ર્દષ્ટિએ તે કેરળના ઉત્તર ભાગમાં મલબાર કિનારે આવેલો છે, પરંતુ વહીવટી ર્દષ્ટિએ તે કેન્દ્ર સરકારના શાસન હેઠળ છે. પાડિચેરીથી તે 830 કિમી. અંતરે આવેલો છે. તેની ઉત્તરે પોન્નિયાર નદી, પશ્ચિમે…

વધુ વાંચો >

માહેશ્વર સંપ્રદાય

માહેશ્વર સંપ્રદાય : જુઓ પાશુપત સંપ્રદાય.

વધુ વાંચો >

માળવા

માળવા : ભારતના મધ્યભાગમાં આવેલ નર્મદાની ઘાટી સુધીનો ઐતિહાસિક પ્રદેશ. તેની રાજકીય સરહદો વખતોવખત બદલાતી રહી છે; પરંતુ સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરાઓના આધારે તેની સરહદો નિશ્ચિત થયેલી છે. પૂર્વમાં  ચંદેરી, વિદિશા, ભોપાલ અને હોશાંગાબાદનો માળવામાં સમાવેશ થાય છે. પશ્ચિમમાં માળવા અને ગુજરાતની સરહદો દોહદ નગરથી અલગ પડે છે. તેની ઉત્તરે…

વધુ વાંચો >

માળવા ચિત્રકલા

માળવા ચિત્રકલા : માળવા અને બુંદેલખંડ(આજના મધ્યપ્રદેશ)ના વિસ્તારોમાં સત્તરમી સદીમાં પાંગરેલી લઘુચિત્રકલા. રાજસ્થાની કે રાજપૂત લઘુચિત્રકલાની તે એક શાખા છે. તેના ભૌગોલિક સ્થાનને લક્ષમાં લઈને ઘણી વાર તેનો ઉલ્લેખ મધ્ય ભારતીય લઘુચિત્રકલા તરીકે થાય છે. માળવા ચિત્રકલામાં આકૃતિઓનું આલેખન સપાટ (flat) હોય છે; તેમાં ત્રિપરિમાણી ઘનત્વ બતાવવાનો પ્રયત્ન જોવા મળતો…

વધુ વાંચો >

માળવાનું ઇસ્લામી સ્થાપત્ય

Jan 28, 2002

માળવાનું ઇસ્લામી સ્થાપત્ય : ધાર અને માંડૂમાં રચાયેલ ઇસ્લામી સ્થાપત્યો. માળવાનાં ઘોરી અને ખલજી સુલતાનોએ પ્રાચીન રાજધાની ધાર અને નવીન રાજધાની માંડૂને ઇમારતોથી સજાવી હતી. આમાં માંડૂની ઇમારતો શુદ્ધ ઇસ્લામી સ્થાપત્યસ્વરૂપ ધરાવે છે, જ્યારે ધારની ઇમારતો પર હિંદુ કલાનો વ્યાપક પ્રભાવ જોવામાં આવે છે. ઇમારતોના ઘુંમટ સારી રીતે બનાવેલા છે…

વધુ વાંચો >

માળવી, નટવરલાલ મૂળચંદ

Jan 28, 2002

માળવી, નટવરલાલ મૂળચંદ (જ. 30 સપ્ટેમ્બર 1900, સૂરત; અ. 16 એપ્રિલ 1973, સૂરત) : ગાંધીયુગના વિદ્વાન લેખક, સાહસિક પત્રકાર તથા પ્રકાશક અને અનુવાદક. પિતા મૂળચંદ ઘેલાભાઈ મહેતા. પિતાના વીમાના વ્યવસાયને લીધે તેઓ વીમાવાળા કહેવાયા. પાછળથી નટવરલાલે તેમની અટક બદલીને ‘માળવી’ રાખી. તેમના પિતાએ ગુજરાતી-અંગ્રેજી પદ્યરચનાઓ કરેલી. તેમની શાળા-કારકિર્દી પ્રથમ કક્ષાની…

વધુ વાંચો >

માળિયા

Jan 28, 2002

માળિયા : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 10´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ની આજુબાજુનો 535 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કેશોદ અને મેંદરડા, પૂર્વે તલાળા, દક્ષિણે વેરાવળ, નૈર્ઋત્યમાં અરબી સમુદ્ર અને પશ્ચિમે માંગરોળ…

વધુ વાંચો >

માળિયા-મિયાણા

Jan 28, 2002

માળિયા-મિયાણા : રાજકોટ જિલ્લામાં ઉત્તર તરફ આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તે કચ્છની સરહદ નજીક આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 770 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 62,777 જેટલી છે અને…

વધુ વાંચો >