૧૪.૧૯

ભારવાહક પ્રાણીઓથી ભાવસાર, નટવર પ્રહલાદજી

ભારવાહક પ્રાણીઓ

ભારવાહક પ્રાણીઓ : પ્રવાસ તથા માલસામાનની હેરફેરના મુખ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતાં પાલતુ પ્રાણીઓ. આ પ્રાણીઓનો સસ્તન વર્ગની ખરીવાળાં (angulata) પ્રાણીઓની  શ્રેણી(order)ની બે ઉપશ્રેણી (suborder) સમક્ષુર (artiodactyla) અને વિષમક્ષુર(parissodactyla)માં સમાવેશ કરાયેલાં છે. પ્રાણીસૃષ્ટિમાં વિવિધ પ્રાણીઓ પરસ્પર આંતરક્રિયા દ્વારા એક સમતોલ પ્રાણીસમાજની રચના કરે છે; ઉદાહરણ તરીકે, સહજીવન (symbiosis), પારસ્પરિક જીવન…

વધુ વાંચો >

ભારવિ

ભારવિ (છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ) : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ. સંસ્કૃત મહાકાવ્ય ‘કિરાતાર્જુનીયમ્’ના કર્તા. ભારવિ સંસ્કૃત મહાકાવ્યોમાં  કૃત્રિમ અથવા અલંકૃત શૈલીના પ્રવર્તક મહાકવિ લેખાય છે. 634માં લખાયેલા અઈહોલના શિલાલેખમાં ભારવિનો ઉલ્લેખ છે. 776માં લખાયેલા દાનના તામ્રપત્રમાં લેખકે પોતાની સાતમી પેઢીના પૂર્વજ રાજા દુર્વિનીતે ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’ ના 15મા સર્ગ પર ટીકા લખી હોવાનો…

વધુ વાંચો >

ભારવિહીનતા

ભારવિહીનતા (weightlessness) : મુક્ત પતન (free fall) કરતા પદાર્થના વજનમાં થતો દેખીતો ઘટાડો. ગુરુત્વાકર્ષણબળ પરત્વે અવરોધની ગેરહાજરીથી પ્રેરિત થતી પરિસ્થિતિને મુક્ત પતન કહે છે. સૌપ્રથમ વાર ન્યૂટને (1642–1727) ભારવિહીનતાની ગાણિતિક સમજૂતી 1687માં આપી હતી. તેની સમજૂતી મુજબ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ, પછી ભલે પરમાણુ હોય કે ગ્રહ હોય, બીજા પદાર્થોને પોતાની…

વધુ વાંચો >

ભારશિવ વંશ

ભારશિવ વંશ : કુષાણ સામ્રાજ્યના અંત અને ગુપ્તયુગના ઉદય પહેલાં ઈ.સ. ચોથી શતાબ્દીમાં શાસન કરી ગયેલ વંશ. એમણે ઉત્તર ભારતમાં પોતાની કીર્તિ ફેલાવી. પુરાણો અનુસાર એમની રાજસત્તાનાં કેન્દ્ર વિદિશા, પદ્માવતી (વર્તમાન–પદમ પવાયા), કાન્તિપુરી (કન્તિત, જિ. મીર્જાપુર) અને મથુરા હતાં. કાશીમાં ગંગાકિનારે એમણે દસ અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, જેની સ્મૃતિ આજે…

વધુ વાંચો >

ભારહૂત

ભારહૂત : પુરાતત્વીય ઉત્ખનન દ્વારા મળેલો પ્રસિદ્ધ સ્તૂપ. તેના અવશેષો મધ્ય ભારતમાંથી મળી આવ્યા છે. આ સ્તૂપનો સમય આશરે ઈ. પૂ. 125નો માનવામાં આવે છે. સ્તૂપનો હર્મિકાનો કેટલોક ભાગ તેમજ તેના પૂર્વનું તોરણદ્વાર મળી આવ્યાં છે. આ તોરણદ્વાર સ્તૂપ પછી આશરે પચાસેક વર્ષ બાદ તૈયાર કરવામાં આવેલું છે. આ હર્મિકા…

વધુ વાંચો >

ભારંગી

ભારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Clerodendrum serratum (Linn.) Moon (સં. भार्गी, पद्मा, ब्रह्मअष्टिका, હિં. ભારંગી, મ. ભારંગ; બં. બામનહાટી; તા. કંડુ-ભારંગી, મલ. ચેરૂટેક્ક) છે. આ વનસ્પતિ ગુજરાતમાં ડાંગનાં જંગલોમાં થાય છે. મહારાષ્ટ્રમાં સિંહગઢ અને તેની તળેટીમાં તે વધારે પ્રમાણમાં થાય છે. તે લગભગ…

વધુ વાંચો >

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ heavy water)

ભારે પાણી (ડ્યૂટેરિયમ ઑક્સાઇડ, heavy water) : સામાન્ય પાણી(H2O)માંના હાઇડ્રોજન(1H)નું તેના એક ભારે સમસ્થાનિક (isotope) ડ્યૂટેરિયમ (D અથવા 2H) વડે પ્રતિસ્થાપન થતાં મળતા પાણીનું એક રૂપ (form). સંજ્ઞા D2O અથવા 2H2O. આવર્તક કોષ્ટકમાં આવેલા સ્થાયી (બિનરેડિયોધર્મી, non-radioactive) સમસ્થાનિકોનાં યુગ્મો પૈકી 1H અને 2H વચ્ચે દળનો તફાવત પ્રમાણમાં સૌથી વધુ (એકના…

વધુ વાંચો >

ભારે રસાયણો

ભારે રસાયણો (heavy chemicals) : વિવિધ ઉદ્યોગોમાં વપરાશ માટે ટનબંધી જથ્થામાં ઉત્પન્ન કરવામાં આવતાં પાયારૂપ અકાર્બનિક અને કાર્બનિક રસાયણો. આ વર્ગમાં સલ્ફ્યુરિક, નાઇટ્રિક અને ફૉસ્ફૉરિક ઍસિડો; નાઇટ્રોજન, ઑક્સિજન અને ક્લોરીન; એમોનિયા; ચૂનો; મીઠું; કૉસ્ટિક સોડા (સોડિયમ હાઇડ્રૉક્સાઇડ), ધોવાનો સોડા અથવા સોડા એશ (સોડિયમ કાર્બોનેટ) તથા ઇથિલીન જેવાં રસાયણોનો સમાવેશ થાય…

વધુ વાંચો >

ભાર્ગવ, ગોપીચંદ

ભાર્ગવ, ગોપીચંદ (જ. 1889, સિરસા, જિ. હિસાર, પંજાબ; અ. 26 ડિસેમ્બર 1966) : સ્વાતંત્ર્યસેનાની કૉંગ્રેસી નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન. ગોપીચંદ ભાર્ગવના પિતા પંડિત બદ્રીપ્રસાદ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ અને સરકારી કર્મચારી હતા. ગોપીચંદે મૅટ્રિકની પરીક્ષા 1905માં હિસારમાં, ઇન્ટરમીડિયેટની પરીક્ષા 1907માં અને એમ.બી.બી.એસ.ની પરીક્ષા 1912માં લાહોરમાં પસાર કરી હતી. 1913માં…

વધુ વાંચો >

ભાર્ગવ, ઠાકુરદાસ

ભાર્ગવ, ઠાકુરદાસ (જ. 1886, રેવાડી, હરિયાણા; અ. 1962) : સ્વાતંત્ર્યસેનાની, રાષ્ટ્રવાદી નેતા અને બંધારણ સભાના સભ્ય. તેમનો જન્મ મધ્યમ વર્ગના ભાર્ગવ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એમના પિતાનું નામ બદ્રીપ્રસાદ અને માતાનું નામ રામપ્યારી હતું. એમના પિતાની હિસારમાં નિમણૂક થતાં તેઓ હિસારની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષણ લઈ લાહોરની દયાનંદ અગ્લો-વેદિક કૉલેજમાં જોડાયા.…

વધુ વાંચો >

ભાવનગર

Jan 19, 2001

ભાવનગર : ગુજરાત રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 59´થી 22° 21´ ઉ. અ. અને 71° 13´થી 72° 29´ પૂ. રે. વચ્ચેનો 11,155 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે રાજ્યના કુલ વિસ્તારનો આશરે 5.69% જેટલો ભાગ ધરાવે છે અને રાજ્યમાં તે વિસ્તારની…

વધુ વાંચો >

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887)

Jan 19, 2001

ભાવનગર પ્રાચીન શોધસંગ્રહ (1887) : ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રાચીન શોધખાતા તરફથી પ્રગટ થયેલો, મહત્વની ઐતિહાસિક સામગ્રીરૂપ શિલાલેખોની નકલો, માહિતી વગેરે આપતો સંદર્ભગ્રંથ. મહારાજા તખ્તસિંહજી ગોહિલે ગોહિલોનો પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરાવવા માટે પ્રાચીન શોધખાતાની સ્થાપના કરી હતી. આ ખાતા દ્વારા પૂર્વમાં ઘોઘાથી પશ્ચિમે દ્વારકા સુધી અને દક્ષિણમાં દીવથી લઈને ઉત્તરમાં છેક…

વધુ વાંચો >

ભાવનગર યુનિવર્સિટી

Jan 19, 2001

ભાવનગર યુનિવર્સિટી : ભાવનગર જિલ્લાના ભૌગોલિક વિસ્તાર માટે સ્થપાયેલી યુનિવર્સિટી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચશિક્ષણનો આરંભ 1885માં ભાવનગરમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી થયો હતો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન શામળદાસ કૉલેજ શરૂ થઈ ત્યારે ગુજરાતમાં માત્ર બે જ કૉલેજ હતી : અમદાવાદમાં ગુજરાત કૉલેજ અને વડોદરામાં બરોડા કૉલેજ. સૌરાષ્ટ્રમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી ઉચ્ચ અભ્યાસાર્થે સૌરાષ્ટ્ર…

વધુ વાંચો >

ભાવનાની, મોહન દયારામ

Jan 19, 2001

ભાવનાની, મોહન દયારામ (જ. 1903, હૈદરાબાદ, સિંધ; અ. 1962) : હિંદી ચલચિત્રોના સિંધી દિગ્દર્શક. 1921થી 1924 દરમિયાન માન્ચેસ્ટરની ટૅકનૉલૉજી કૉલેજમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ જર્મનીમાં ફિલ્મનિર્માણનું શિક્ષણ લીધું. 1925–26માં કોહિનૂર ફિલ્મ કંપનીમાં કૉન્ટ્રૅક્ટ કર્યો અને હૉલિવુડ જેવી અભિનેત્રી સુલોચનાની ફિલ્મઉદ્યોગને ભેટ આપી. ‘સિનેમાની રાની’ ફિલ્મમાં તે અભિનેત્રીની ભૂમિકા ભજવે છે, જે…

વધુ વાંચો >

ભાવ-નિર્ધારણ

Jan 19, 2001

ભાવ-નિર્ધારણ : ઉત્પાદનની વેચાણકિંમત નક્કી કરવા માટે વિવિધ પરિબળોને લક્ષમાં રાખીને ઉત્પાદકે લીધેલો નિર્ણય. ભાવ-નિર્ધારણ વેચાણવ્યવસ્થાનો એક મહત્વનું પાસું છે. કોઈ પણ વસ્તુના ભાવ કેટલા રાખવા તે ઉત્પાદક પરિપક્વ વિચારણાને આધારે નક્કી કરે છે. ઉત્પાદક એકમ અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખી ભાવનિર્ધારણ કરે છે : (1) રોકાયેલ મૂડી પર વાજબી વળતર…

વધુ વાંચો >

ભાવપ્રકાશ

Jan 19, 2001

ભાવપ્રકાશ : એક અત્યંત લોકપ્રિય અને સર્વોપયોગી આયુર્વેદિક સંગ્રહગ્રંથ. ઉત્તર પ્રદેશમાં આવેલા કનોજના રહીશ લટકમિશ્રના પુત્ર પંડિત ભાવમિશ્રે (1556થી 1605 દરમિયાન) ભારતમાં પૉર્ટુગીઝોના આગમન બાદ આ ગ્રંથ લખ્યો છે. આયુર્વેદીય ઉપલબ્ધ સાહિત્યમાં ચરક, સુશ્રુત અને ‘અષ્ટાંગહૃદય’ને ‘બૃહદ્ત્રયી’ અને ‘માધવનિદાન’, ‘ભાવપ્રકાશ’ અને ‘શાઙર્ગધરસંહિતા’ને ‘લઘુત્રયી’ કહે છે. આયુર્વેદનો આ ગ્રંથ વનસ્પતિચિકિત્સાપ્રધાન છે.…

વધુ વાંચો >

ભાવબૃહસ્પતિ

Jan 19, 2001

ભાવબૃહસ્પતિ (ઈ.સ. 12મી સદી) (જ. ?, વારાણસી): સોલંકીકાલીન ગુજરાતના પાશુપત મતના વિદ્વાન આચાર્ય. તેઓ ગાર્ગ્ય ગોત્રના કાન્યકુબ્જ બ્રાહ્મણ હતા. ભાવબૃહસ્પતિ નંદીશ્વરનો અવતાર ગણાતા. બાળપણમાં એમને અધ્યયન વિના પૂર્વના સંસ્કારોના બળે ચૌદ પ્રકારની વિદ્યાઓમાં નિપુણતા પ્રાપ્ત થઈ હતી. એમણે પાશુપત વ્રત ગ્રહણ કર્યું હતું. પોતે પરમ પાશુપતાચાર્ય હતા અને પાશુપત મતને…

વધુ વાંચો >

ભાવસાર, નટવર પ્રહલાદજી

Jan 19, 2001

ભાવસાર, નટવર પ્રહલાદજી (જ. 7 એપ્રિલ 1934, ગોઠવા, ગુજરાત) : અમેરિકામાં સ્થિર થયેલા ગુજરાતના ચિત્રકાર. પિતા ગામડાની શાળાના આચાર્ય. અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં રસિકલાલ પરીખના માર્ગદર્શન નીચે 1956માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યા પછી મુંબઈ જઈ 1958માં તેમણે સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી આર્ટ માસ્ટરનો ડિપ્લોમા મેળવ્યો. આ…

વધુ વાંચો >