૧૪.૧૧

ભટ્ટીયથી ભલ્લાતકાવલેહ

ભટ્ટીય

ભટ્ટીય (ઈ.પૂ. છઠ્ઠી સદી પહેલાં) : પ્રાચીન સમયમાં મગધનો રાજા. મગધની પૂર્વમાં આવેલા અંગદેશના રાજા બ્રહ્મદત્તે તેને હરાવ્યો હતો; પરંતુ ભટ્ટીયના પુત્ર બિંબિસારે પિતાના પરાજયનું વેર વાળ્યું અને અંગદેશના રાજા બ્રહ્મદત્તને મારી નાખીને અંગનું રાજ્ય તેણે જીતી લીધું. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

ભટ્ટેન્દુરાજ

ભટ્ટેન્દુરાજ : જુઓ પ્રતીહારેન્દુરાજ

વધુ વાંચો >

ભટ્ટોત્પલ

ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના…

વધુ વાંચો >

ભઠિયારાની યીસ્ટ

ભઠિયારાની યીસ્ટ (Baker’s yeast) : સૅકેરોમાયસિસ સિરેવિસી (saccharomyces cerevisiae) નામની યીસ્ટની વિશિષ્ટ અંશુ (strain), જે કણક-પિંડ(dough)માં ઝડપથી આથવણક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. આ યીસ્ટનું ઉત્પાદન જૂથ-સંવર્ધન(batch culture)પદ્ધતિથી મોલૅસિસ, વિટામિનો, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો ધરાવતા સંવર્ધન-માધ્યમમાં 30° સે. તાપમાને 12થી 18 કલાકના સંપૂર્ણ વાતન વડે થાય છે. સંવર્ધન-માધ્યમમાંથી યીસ્ટને અપકેન્દ્રણ-યંત્ર વડે…

વધુ વાંચો >

ભઠ્ઠીઓ

ભઠ્ઠીઓ (furnaces) : ઘન કે પ્રવાહીસ્વરૂપ પદાર્થોને ગરમ કરી તેના ભૌતિક કે રાસાયણિક ફેરફાર કરવા માટેનું સાધન. ભઠ્ઠીમાં જરૂરી ગરમી કાર્બનિક પદાર્થો જેવા કે લાકડાં, કોલસા, પેટ્રોલિયમ-તેલ, ગૅસ વગેરેની દહનક્રિયા કે વીજ-ઊર્જા દ્વારા મેળવાય છે. હવે સૂર્યશક્તિ અને અણુશક્તિ પણ અમુક ખાસ સંજોગોમાં ભઠ્ઠીમાં ગરમીના સ્રોત તરીકે વપરાય છે. ઊર્જાના…

વધુ વાંચો >

ભડલી-વાક્યો

ભડલી-વાક્યો : વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં…

વધુ વાંચો >

ભણકાર

ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની…

વધુ વાંચો >

ભદોહી

ભદોહી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 25´ ઉ. અ. અને 82° 84´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,080 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જૌનપુર, પૂર્વમાં વારાણસી, દક્ષિણમાં મીરઝાપુર અને પશ્ચિમમાં અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે.…

વધુ વાંચો >

ભદ્ર

ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના. આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી…

વધુ વાંચો >

ભદ્રબાહુસંહિતા

ભદ્રબાહુસંહિતા : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો શ્રુતકેવલી ભદ્રબાહુએ રચેલો ગ્રંથ. તેની હસ્તપ્રત ઈ.સ. 1424માં લખાયેલી પ્રાપ્ત થાય છે. તેથી ઈ.સ.ની પંદરમી સદીમાં તે રચાયેલો મનાય છે. આ ગ્રંથનું સંપાદનપ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ–વારાણસી દ્વારા જ્યોતિષાચાર્ય નેમિચંદ્ર શાસ્ત્રી દ્વારા સૌપ્રથમ ઈ.સ. 1944માં 18 ફેબ્રુઆરીના રોજ થયું. તેની બીજી આવૃત્તિ ઈ.સ. 1959ના ફેબ્રુઆરીમાં પ્રકાશિત થઈ. તેની…

વધુ વાંચો >

ભરત (રઘુવંશી)

Jan 11, 2001

ભરત (રઘુવંશી) : રામાયણનું પ્રસિદ્ધ પાત્ર. ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુ-બંધુ હતો. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં, રામનાં લગ્ન મિથિલાધિપ જનકની પુત્રી સીતા સાથે થયાં, ત્યારે ભરતનાં લગ્ન પણ જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયાં હતાં. ત્યારપછી તુરત જ તે મામા યુધાજિત સાથે કેકય…

વધુ વાંચો >

ભરત

Jan 11, 2001

ભરત : રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર. સોમ વંશમાં જન્મેલ આર્યોની પુરુ ટોળીનો રાજકુમાર. કાલિદાસે સંસ્કૃતમાં ‘અભિજ્ઞાન શાકુંતલ’ નામે નાટક લખીને તેને અમર બનાવ્યો છે. દુષ્યંત અયોધ્યાના રાજા સગરનો વંશજ હતો. ભરત દમન કે સર્વદમન તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઉત્તર ભારતમાં ગંગા નદીથી સરસ્વતી નદી સુધીના પ્રદેશો જીતી લીધા.…

વધુ વાંચો >

ભરત (મુનિ)

Jan 11, 2001

ભરત (મુનિ) : જુઓ ભરતાચાર્ય

વધુ વાંચો >

ભરતકામ

Jan 11, 2001

ભરતકામ : ગુજરાતની એક તળપદી હસ્તકલા. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. લોકનારીની કળારસિકતા અને સૌંદર્યભાવનાનાં મૂળ આવી કલાઓમાં જોવા મળે છે. રૂપાળા રંગોથી ઓપતું ર્દશ્ય–પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. દરબાદરગઢમાં, ખેડવાયા વરણનાં દૂબળાં-પાતળાં ખોરડાંઓમાં કે માલધારીઓના…

વધુ વાંચો >

ભરત નાટ્યપીઠ

Jan 11, 2001

ભરત નાટ્યપીઠ : અમદાવાદની નાટ્યસંસ્થા. 1949માં ‘પીપલ્સ થિયેટર’થી મુક્ત થઈ જશવંત ઠાકરે અમદાવાદ ખાતે ‘ભરત નાટ્યપીઠ’નો પાયો નાખ્યો. ‘દુ:ખીનો બેલી’, ‘મુદ્રારાક્ષસ’, ‘અમર સ્મારક’, ‘ગામનો ચોરો’, ‘ભાસનાં નાટકો’, ‘દસ મિનિટ’, ‘જગદગુરુ શંકરાચાર્ય’, ‘રણછોડલાલ’, ‘ભગવદજ્જુકીયમ્’, ‘રામદેવ’ (ઇબ્સન), ‘પત્તાંનો પ્રદેશ’, ‘નરબંકા’, ‘અલકા’ વગેરે નાટકોની ભજવણીથી તેમણે ‘ભરત નાટ્યપીઠ’નું ભાવિ ઉજ્જ્વળ બનાવ્યું. પણ થોડા…

વધુ વાંચો >

ભરતનાટ્યમ્

Jan 11, 2001

ભરતનાટ્યમ્ : નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્યકલાની એક અભિજાત અને સૌથી પ્રાચીન શૈલી. તેની રચના ભરતનાટ્યશાસ્ત્રની રચના થઈ તે સમયે અસ્તિત્વમાં હશે એવી માન્યતા છે. તે મૂળ તમિલનાડુના તંજાવુર જિલ્લાની વિશિષ્ટ નૃત્યશૈલી તરીકે જાણીતી છે. ‘શિલપ્પધિકારમ્’ (ઈ. પૂ. 2-3 શતક) તમિળ ગ્રંથમાં તેનો ઉલ્લેખ સાંપડે છે. તંજાવુરના ચોલ રાજાઓના શાસનકાળ…

વધુ વાંચો >

ભરતપુર

Jan 11, 2001

ભરતપુર : રાજસ્થાનના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 43´થી 27° 50´ ઉ. અ. અને 76° 53´થી 77°47´ પૂ. રે. વચ્ચેનો 5,066 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરિયાણાનો ગુરગાંવ જિલ્લો, પૂર્વમાં મથુરા અને આગ્રા જિલ્લાઓ, દક્ષિણમાં ધોલપુર અને સવાઈ…

વધુ વાંચો >

ભરતર લોખંડ

Jan 11, 2001

ભરતર લોખંડ : જુઓ બીડ

વધુ વાંચો >

ભરતવાક્ય

Jan 11, 2001

ભરતવાક્ય : સંસ્કૃત નાટકની સમાપ્તિમાં આવતો ગેય મંગલ શ્લોક. આખું નાટક ભજવાઈ ગયા પછી ભરત એટલે નટ દ્વારા એ શ્લોક ગાવામાં આવે છે. નાટકના પાત્ર તરીકે અભિનય પૂરો થઈ ગયા પછી નટ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને જે વાક્ય બોલે છે તેને ‘ભરતવાક્ય’ કહે છે. નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ‘ભરતવાક્ય’ એવો શબ્દ વાપરવામાં…

વધુ વાંચો >

ભરતસ્વામી

Jan 11, 2001

ભરતસ્વામી (તેરમી સદી) : સામવેદ પરના ભાષ્યના લેખક. વૈદિક ભાષ્યોના ઇતિહાસમાં આચાર્ય સાયણ પૂર્વે સામવેદ-ભાષ્યોમાં બે ભાષ્યોની વિગત મળે છે : માધવના અને ભરતસ્વામીના ભાષ્યની. ભરતસ્વામીએ સામવેદના બ્રાહ્મણ ‘સામવિધાન-બ્રાહ્મણ’ ઉપર પણ ભાષ્ય રચ્યું હતું. સામવેદભાષ્ય પ્રકાશિત નથી. ભાષ્યકાર પોતાના ભાષ્યમાં સ્વપરક નિર્દેશો આપે છે. તે મુજબ (1) તેઓ કાશ્યપ ગોત્રના…

વધુ વાંચો >