૧૦.૩૭

પરમાણુ (atom)થી પરવાળાં

પરમાણુ (atom)

પરમાણુ (atom) દ્રવ્યનો પાયાનો એકમ. બધા જ ભૌતિક પદાર્થો પરમાણુના બનેલા છે. પરમાણુ માની ન શકાય તેટલો સૂક્ષ્મ છે. દશ લાખ જેટલા પરમાણુઓને અડોઅડ એક સીધી રેખામાં ગોઠવવામાં આવે તો તે માથાના વાળની જાડાઈ જેટલી જગ્યા રોકે છે. ટાંકણીના ટોપચામાં કરોડો-અબજો પરમાણુ હોય છે. રાસાયણિક તત્ત્વો(elements)ના પાયાના કણો પરમાણુઓ છે.…

વધુ વાંચો >

પરમાણુ-ઊર્જા

પરમાણુ–ઊર્જા : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા

વધુ વાંચો >

પરમાણુ-ક્રમાંક

પરમાણુ–ક્રમાંક : તત્ત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક ધનવીજભારીય કણો(પ્રોટૉન)ની સંખ્યા. સંજ્ઞા Z. વીજતટસ્થ પરમાણુ માટે, તેના નાભિકની ફરતે વિવિધ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રૉનોની સંખ્યા પણ પ્રોટૉન જેટલી જ હોય છે. આ સંખ્યા આવર્તક કોષ્ટકમાં તત્ત્વનું સ્થાન દર્શાવવા ઉપરાંત તેના ગુણધર્મો નક્કી કરે છે. પરમાણુ-ક્રમાંક તત્ત્વની સંજ્ઞાની પહેલાં નીચેના ભાગમાં લખવામાં આવે…

વધુ વાંચો >

પરમાણુ-ઘડિયાળ (atomic clock)

પરમાણુ–ઘડિયાળ (atomic clock) : અતિસૂક્ષ્મ અને ચોક્કસાઈભર્યું સમયનું માપન કરતી એક પ્રયુક્તિ. પરમાણુની ધરા-અવસ્થા(ground state)ના બે અતિસૂક્ષ્મ ઊર્જાસ્તરો (energy levels) વચ્ચેની સંક્રાંતિ(transition)ને અનુલક્ષીને વિકિરણદોલનો (oscillations) માટેના સૂક્ષ્મ સમયના ગાળાની નોંધ એકમાત્ર ન્યૂક્લિયર ઘટના પરથી મળી શકે છે. આ ન્યૂક્લિયર ઘટના પરમાણુના બે ઊર્જાસ્તરો વચ્ચેના વિકિરણના દોલન પરથી મેળવી શકાય તથા…

વધુ વાંચો >

પરમાણુનું બંધારણ

પરમાણુનું બંધારણ : તત્ત્વના સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા અંતિમ કણ(પરમાણુ)ની સંરચના. વિશ્વમાં આવેલા પદાર્થોનું બંધારણ સમજવા માટે ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા છે. પદાર્થ પોતે એક અખંડ અવિભક્ત વસ્તુ નથી, પરંતુ તે નાના કણોનો બનેલો છે. આ વિચાર સૌપ્રથમ ભારતીય અને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓએ રજૂ કર્યો. તે અરસામાં અણુ અને…

વધુ વાંચો >

પરમાણુ-બૉમ્બ (atom-bomb)

પરમાણુ–બૉમ્બ (atom-bomb) : પરમાણુ-નાભિની ફિશન તરીકે ઓળખાતી એક ન્યૂક્લિયર વિખંડન(splitting)ની પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા ઉપર આધારિત, વિસ્ફોટની એક પ્રયુક્તિ (device). વાસ્તવમાં તો આ સમગ્ર પ્રક્રિયા ન્યૂક્લિયસમાં થતી હોવાથી, પરમાણુ-બૉમ્બને ખરેખર તો ન્યૂક્લિયર બૉમ્બ તરીકે ઓળખવો જોઈએ. આ પ્રકારનો બૉમ્બ સમતુલ્ય ભાર ધરાવતા ઉચ્ચ રાસાયણિક વિસ્ફોટના કરતાં, દસ લાખ ગણી ઊર્જા…

વધુ વાંચો >

પરમાણુભાર

પરમાણુભાર : ચોક્કસ સમસ્થાનિકીય સંઘટન ધરાવતા રાસાયણિક તત્ત્વના પરમાણુઓના સરેરાશ દળ (mass) અને કાર્બન 12 (126C) પરમાણુના દળના 1/12 ભાગનો ગુણોત્તર. પરમાણુ અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે; દા. ત., કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રા. થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુનાં દળ…

વધુ વાંચો >

પરમાણુ-રિએક્ટર

પરમાણુ–રિએક્ટર : જુઓ, ન્યૂક્લિયર રિએક્ટર

વધુ વાંચો >

પરમાણુ-વિદ્યુતમથકો (atomic power stations)

પરમાણુ–વિદ્યુતમથકો (atomic power stations) : પરમાણુ-ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરનારાં મથકો. ભારત પાસે જીવાશ્મ (fossil) (કુદરતી તેલ, વાયુ, કોલસો) ઈંધણ-વિદ્યુત, જલવિદ્યુત, ભરતીશક્તિ પર આધારિત વિદ્યુત (tidal power), પવન-વિદ્યુત અને સૌર વિદ્યુત માટેની સુવિધાઓ છે. જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં પરમાણુ-વિદ્યુત મથકોનું નિર્માણ આવશ્યક બને છે. વિકસતા દેશોમાં ભારત ન્યૂક્લિયર…

વધુ વાંચો >

પરમાણુ-શક્તિ

પરમાણુ–શક્તિ : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા.

વધુ વાંચો >

પરમાણુ-શસ્ત્રો (atomic અથવા nuclear weapons)

Feb 6, 1998

પરમાણુ–શસ્ત્રો (atomic અથવા nuclear weapons) દ્રવ્યનું ઊર્જામાં રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવતાં વિનાશાત્મક યુદ્ધશસ્ત્રો. તમામ પરમાણુ-શસ્ત્રો વિસ્ફોટક પ્રયુક્તિઓ (devices) છે. તેમાં મિસાઇલ, બૉંબ, ટૉર્પિડો વગેરેનો સમાવેશ થાય છે. પરંપરાગત (conventional) શસ્ત્રો કરતાં પરમાણુ(ન્યૂક્લિયર)-શસ્ત્રો ઘણાં વધારે વિનાશાત્મક હોય છે. પરમાણુ-શસ્ત્રો બે પ્રકારનાં હોય છે : (1) વિખંડન-(fission) શસ્ત્રો, જે પરમાણુ-શસ્ત્રો તરીકે…

વધુ વાંચો >

પરમાનંદદાસ

Feb 6, 1998

પરમાનંદદાસ : પુષ્ટિમાર્ગના અષ્ટછાપ કવિઓમાં સૂરદાસ પાછળ સૌથી અધિક પ્રતિભાસંપન્ન ભક્ત કવિ. તેઓ કનોજના વતની કાન્યકુબ્જી બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 1493માં, સંપ્રદાયમાં પ્રવેશ 1519માં અને દેહાવસાન 1583માં થયાનું મનાય છે. એમનાં માતા-પિતાની ઇચ્છા પુત્રને લગ્ન કરાવી ગૃહસ્થી બનાવવાની હતી, પરંતુ નિર્ધનતાને કારણે તેઓ પોતાનો મનોરથ પૂરો કરી શક્યાં નહિ. કુંભનદાસમાં…

વધુ વાંચો >

પરમાનંદ મેવારામ

Feb 6, 1998

પરમાનંદ મેવારામ (જ. 1865, હૈદરાબાદ, સિંધ; અ. 1938, હૈદરાબાદ) : અર્વાચીન સિંધી સાહિત્યના એક અગ્રણી લેખક. સિંધી ભાષાને સાહિત્યિક સ્વરૂપ આપવામાં અને તેના ગદ્યસાહિત્યનો પાયો નાખવામાં પરમાનંદ મેવારામનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમણે ખ્રિસ્તી શાળામાં અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે પછી સરકારી નોકરી ઉપરાંત શિક્ષક તરીકે પણ તેમણે સેવા…

વધુ વાંચો >

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ

Feb 6, 1998

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ (જ. 31 ઑગસ્ટ 1930, ભાવનગર; અ. 31 માર્ચ 2004) :  ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાવિદ અને લોકશૈલીમાં સર્જન કરનાર ચિત્રકાર. માતા વખતબા અને પિતાને તેમના એકના એક દીકરા ખોડીદાસને ભણાવીગણાવી બાજંદો બનાવવાની હોંશ હોવાથી દીકરાને ભણવા બેસાડ્યો. દીકરા ખોડીદાસે ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરી માતાપિતાની…

વધુ વાંચો >

પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ

Feb 6, 1998

પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ (જ. 6 નવેમ્બર 1910, વાંકાનેર; અ. 21 જૂન 1991, રાજકોટ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસેનાની અને લેખક. પત્રકાર, નવલકથાકાર, નાટ્યલેખક તેમજ લોકસાહિત્યના સંપાદક, સંશોધક અને વિવેચક. પિતા પ્રાગજીભાઈ ત્રણ ગામના તાલુકદાર. પિતાનું અવસાન થતાં મોસાળ(મોરબી)માં ઊછર્યા. અભ્યાસ છ ધોરણ સુધી. અગિયાર વર્ષ પછી એક દાયકો રઝળપાટમાં ગાળ્યો અને…

વધુ વાંચો >

પરમાર, દેશળજી કહાનજી

Feb 6, 1998

પરમાર, દેશળજી કહાનજી (જ. 13 જાન્યુઆરી 1894, સરદારગઢ; અ. 12 ફેબ્રુઆરી 1966, ગોંડલ) : ગુજરાતી કવિ. ગણોદ(તા. ગોંડલ)ના વતની. 1912માં મૅટ્રિક. 1916માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ.. કાયદાના વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા, પણ 1918માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. 1922માં અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક તરીકે આવ્યા. એ દરમિયાન…

વધુ વાંચો >

પરમાર રાજ્યો

Feb 6, 1998

પરમાર રાજ્યો : પરમાર વંશનાં રાજ્યો માળવા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલાં હતાં. અવંતી, આબુ, વાગડ, ભિન્નમાલ અને કિરાડુ રાજસ્થાનમાં અને દાંતા, મૂળી ને સંતરામપુર રાજ્યો ગુજરાતમાં હતાં. માળવા : પરમાર વંશનું સૌથી મોટું અને પ્રસિદ્ધ રાજ્ય અવંતી માળવાનું હતું. તેની પ્રથમ રાજધાની ઉજ્જૈન હતી પણ મુંજના સમયમાં ધારા નગરી તેની…

વધુ વાંચો >

પરમાર વંશ

Feb 6, 1998

પરમાર વંશ : રજપૂતોનાં કુલ 36 કુળો પૈકીનું એક કુળ. અનુશ્રુતિ પ્રમાણે રજપૂતો મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર વંશના છે. પરમાર વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ આબુ પર્વત ઉપર વસિષ્ઠે કરેલા યજ્ઞકુંડમાંથી થઈ હતી. તેથી આ વંશના રાજાઓ અગ્નિકુળના કહેવાય છે. આ કુળની વિગત માળવાના રાજા સિંધુરાજના રાજકવિ પદ્મગુપ્ત પરિમલના મહાકાવ્ય ‘નવસાહસાંકચરિત’માંથી…

વધુ વાંચો >

પરમાશ્વ

Feb 6, 1998

પરમાશ્વ : બૌદ્ધ દેવતા હયગ્રીવનું બીજું સ્વરૂપ : ધ્યાની બુદ્ધ અક્ષોભ્યમાંથી ઉદભવેલ દેવી-દેવતાઓમાં હયગ્રીવની જેમ પરમાશ્વ એટલે કે મહાન અશ્વ તરીકે ઓળખાતા આ દેવ ઉદભવેલા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તે ચતુર્મુખ અને અષ્ટભુજ છે. તેને ચાર પગ છે. ત્રણ નેત્રવાળું પ્રથમ મુખ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. તેનાં આયુધાં વજ્ર…

વધુ વાંચો >

પરમિયો (gonorrhoea)

Feb 6, 1998

પરમિયો (gonorrhoea) : નિસેરિયા ગોનોકોકાઈ નામના જીવાણુ(bacteria)થી થતો જાતીય સંસર્ગ વડે ફેલાતો ચેપી રોગ. પરમિયાના જીવાણુઓને યુગ્મગોળાણુ (diplococci) કહે છે. તે ગોળ છે અને બે-બેની જોડમાં જોવા મળે છે. તે ગ્રામ-પદ્ધતિથી અભિરંજિત થતા નથી માટે તેને ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુ પણ કહે છે. સામાન્ય રીતે તેનો ચેપ લાગ્યા પછી 2થી 10…

વધુ વાંચો >