૧૦.૩૭

પરમાણુ (atom)થી પરવાળાં

પરમાણુ (atom)

પરમાણુ (atom) દ્રવ્યનો પાયાનો એકમ. બધા જ ભૌતિક પદાર્થો પરમાણુના બનેલા છે. પરમાણુ માની ન શકાય તેટલો સૂક્ષ્મ છે. દશ લાખ જેટલા પરમાણુઓને અડોઅડ એક સીધી રેખામાં ગોઠવવામાં આવે તો તે માથાના વાળની જાડાઈ જેટલી જગ્યા રોકે છે. ટાંકણીના ટોપચામાં કરોડો-અબજો પરમાણુ હોય છે. રાસાયણિક તત્ત્વો(elements)ના પાયાના કણો પરમાણુઓ છે.…

વધુ વાંચો >

પરમાણુ-ઊર્જા

પરમાણુ–ઊર્જા : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા

વધુ વાંચો >

પરમાણુ-ક્રમાંક

પરમાણુ–ક્રમાંક : તત્ત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક ધનવીજભારીય કણો(પ્રોટૉન)ની સંખ્યા. સંજ્ઞા Z. વીજતટસ્થ પરમાણુ માટે, તેના નાભિકની ફરતે વિવિધ કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રૉનોની સંખ્યા પણ પ્રોટૉન જેટલી જ હોય છે. આ સંખ્યા આવર્તક કોષ્ટકમાં તત્ત્વનું સ્થાન દર્શાવવા ઉપરાંત તેના ગુણધર્મો નક્કી કરે છે. પરમાણુ-ક્રમાંક તત્ત્વની સંજ્ઞાની પહેલાં નીચેના ભાગમાં લખવામાં આવે…

વધુ વાંચો >

પરમાણુ-ઘડિયાળ (atomic clock)

પરમાણુ–ઘડિયાળ (atomic clock) : અતિસૂક્ષ્મ અને ચોક્કસાઈભર્યું સમયનું માપન કરતી એક પ્રયુક્તિ. પરમાણુની ધરા-અવસ્થા(ground state)ના બે અતિસૂક્ષ્મ ઊર્જાસ્તરો (energy levels) વચ્ચેની સંક્રાંતિ(transition)ને અનુલક્ષીને વિકિરણદોલનો (oscillations) માટેના સૂક્ષ્મ સમયના ગાળાની નોંધ એકમાત્ર ન્યૂક્લિયર ઘટના પરથી મળી શકે છે. આ ન્યૂક્લિયર ઘટના પરમાણુના બે ઊર્જાસ્તરો વચ્ચેના વિકિરણના દોલન પરથી મેળવી શકાય તથા…

વધુ વાંચો >

પરમાણુનું બંધારણ

પરમાણુનું બંધારણ : તત્ત્વના સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે તેવા અંતિમ કણ(પરમાણુ)ની સંરચના. વિશ્વમાં આવેલા પદાર્થોનું બંધારણ સમજવા માટે ઘણાં વર્ષોથી વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા છે. પદાર્થ પોતે એક અખંડ અવિભક્ત વસ્તુ નથી, પરંતુ તે નાના કણોનો બનેલો છે. આ વિચાર સૌપ્રથમ ભારતીય અને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓએ રજૂ કર્યો. તે અરસામાં અણુ અને…

વધુ વાંચો >

પરમાણુ-બૉમ્બ (atom-bomb)

પરમાણુ–બૉમ્બ (atom-bomb) : પરમાણુ-નાભિની ફિશન તરીકે ઓળખાતી એક ન્યૂક્લિયર વિખંડન(splitting)ની પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા ઉપર આધારિત, વિસ્ફોટની એક પ્રયુક્તિ (device). વાસ્તવમાં તો આ સમગ્ર પ્રક્રિયા ન્યૂક્લિયસમાં થતી હોવાથી, પરમાણુ-બૉમ્બને ખરેખર તો ન્યૂક્લિયર બૉમ્બ તરીકે ઓળખવો જોઈએ. આ પ્રકારનો બૉમ્બ સમતુલ્ય ભાર ધરાવતા ઉચ્ચ રાસાયણિક વિસ્ફોટના કરતાં, દસ લાખ ગણી ઊર્જા…

વધુ વાંચો >

પરમાણુભાર

પરમાણુભાર : ચોક્કસ સમસ્થાનિકીય સંઘટન ધરાવતા રાસાયણિક તત્ત્વના પરમાણુઓના સરેરાશ દળ (mass) અને કાર્બન 12 (126C) પરમાણુના દળના 1/12 ભાગનો ગુણોત્તર. પરમાણુ અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે; દા. ત., કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રા. થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુનાં દળ…

વધુ વાંચો >

પરમાણુ-રિએક્ટર

પરમાણુ–રિએક્ટર : જુઓ, ન્યૂક્લિયર રિએક્ટર

વધુ વાંચો >

પરમાણુ-વિદ્યુતમથકો (atomic power stations)

પરમાણુ–વિદ્યુતમથકો (atomic power stations) : પરમાણુ-ઊર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરનારાં મથકો. ભારત પાસે જીવાશ્મ (fossil) (કુદરતી તેલ, વાયુ, કોલસો) ઈંધણ-વિદ્યુત, જલવિદ્યુત, ભરતીશક્તિ પર આધારિત વિદ્યુત (tidal power), પવન-વિદ્યુત અને સૌર વિદ્યુત માટેની સુવિધાઓ છે. જ્યાં આ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં પરમાણુ-વિદ્યુત મથકોનું નિર્માણ આવશ્યક બને છે. વિકસતા દેશોમાં ભારત ન્યૂક્લિયર…

વધુ વાંચો >

પરમાણુ-શક્તિ

પરમાણુ–શક્તિ : જુઓ, ન્યૂક્લિયર ઊર્જા.

વધુ વાંચો >

પરમેશ્વર એસ.

Feb 6, 1998

પરમેશ્વર એસ. (જ. 1877; અ. 15 જૂન 1949) : મલયાળમ લેખક. રૂઢિચુસ્ત તમિળ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. નાનપણથી જ સંસ્કૃત શીખવા માંડ્યું. બી.એ.માં ફિલૉસૉફી વિષય લઈને પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને પછી સ્નાતકોત્તર અધ્યયન એમણે મલયાળમ અને તમિળમાં કર્યું. એમણે એલએલ.બી.ની પરીક્ષામાં પણ પ્રથમ વર્ગ મેળવ્યો હતો. એ પછી એ ત્રાવણકોર…

વધુ વાંચો >

પરરૂપતા (pseudomorphism)

Feb 6, 1998

પરરૂપતા (pseudomorphism) : અન્ય ખનિજનું સ્વરૂપ ધારણ કરતી પરિવર્તન-ઘટના. કોઈ પણ સ્ફટિક કે ખનિજ કે જેનું બાહ્ય-સ્વરૂપ અન્ય કોઈ સ્ફટિક કે ખનિજ જેવું દેખાતું હોય તેને પરરૂપ (pseudomorph) કહેવાય અને અન્યનું સ્વરૂપ લેતી ઘટના પરરૂપતા કહેવાય; દા. ત., વ્યાઘ્રચક્ષુ (tiger’s eye). આ ખનિજ ક્વાર્ટ્ઝનો અર્ધકીમતી રત્નપ્રકાર છે, જેમાં ક્વાર્ટ્ઝ ઍસ્બેસ્ટૉસ(ક્રોસિડોલાઇટ)નું…

વધુ વાંચો >

પરરોહી વનસ્પતિ

Feb 6, 1998

પરરોહી વનસ્પતિ : જમીનમાં મૂળ ન ધરાવતી અને જમીનથી ઊંચે અન્ય વનસ્પતિ કે જીવાધાર (substratum) પર થતી વનસ્પતિ. તે યજમાન (host) વનસ્પતિની શાખાઓ ઉપર, શાખાઓની ખાંચોમાં કે વૃક્ષની છાલ પર માત્ર ભૌતિક આધાર લઈને રહે છે. કેટલીક પરરોહી વનસ્પતિઓ ખડકો અને ટેલિગ્રાફના વાયર પર પણ થાય છે. તે હવામાંથી કે…

વધુ વાંચો >

પરવળના રોગો

Feb 6, 1998

પરવળના રોગો : પરવળને થતાં પાનનાં ટપકાં, ભૂકી છારો અને થડના કોહવારાના જેવા રોગો. પરવળ વેલાવાળી શાકભાજીના વર્ગનો ખૂબ જ કીમતી, આર્થિક રીતે ખૂબ સારી આવક આપતો પાક છે. સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળે છે. ફૂગનું…

વધુ વાંચો >

પરવાળાં

Feb 6, 1998

પરવાળાં : કોષ્ઠાંત્રી સમુદાયના પુષ્પજીવ (anthozoa) વર્ગના લઘુ-જીવો દ્વારા નિર્માણ થતી ચૂના-પથ્થર(lime stone)ની રચના. નિર્માણક લઘુજીવો પણ પરવાળાં તરીકે ઓળખાય છે. રચના શાખા-પ્રબંધિત વનસ્પતિ, મોટા ઘુંમટ, અનિયમિત આકારનાં ભૂકવચ (crust), ખડક, પંખા કે નળાકાર-આકૃતિઓ જેવી વિવિધ પ્રકારની હોય છે. પરવાળાં-પ્રાણીઓ કથ્થાઈ, લાલ, પીળાં, હરિત જેવા રંગનાં હોવાથી આકર્ષક દેખાય છે.…

વધુ વાંચો >