ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૈવિક એકમો

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >

ઠાકોર, કીર્તિદા

Jan 16, 1997

ઠાકોર, કીર્તિદા (જ. 11 ઑક્ટોબર 1936) : ગુજરાતી રંગમંચ, ટીવી અને ફિલ્મક્ષેત્રની અભિનેત્રી. અભિનયની ચારેક દાયકાની કારકિર્દીમાં તેમણે પ્રશિષ્ટ નાટકો (‘જહાનઆરા’, ‘ચૌલાદેવી’, ‘ગૃહદાહ’, ‘ચિત્રાંગદા’ વગેરે), લોકકથાઓ (‘શેણી વિજાણંદ’ વગેરે), વ્યાવસાયિક રંગભૂમિનાં નાટકો(‘અમે બરફનાં પંખી’, ‘કૂંપળ ફૂટ્યાની વાત’, વગેરે)માં અનેક યાદગાર ભૂમિકાઓ ભજવી છે. ઇસરો (પીજ) ટીવીની નાટ્યશ્રેણીઓ તથા ‘રેવા’, ‘બહેરું…

વધુ વાંચો >

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ

Jan 16, 1997

ઠાકોર, જયંતીલાલ પ્રાણલાલ (જ. 4 માર્ચ 1913, લાલપુર, જિ. જામનગર; અ. મે 2004, અમદાવાદ) : આઝાદીની લડતના સેનાની અને રચનાત્મક કાર્યકર. તેઓ દાંતના ડૉકટર અને કુદરતી ઉપચારના નિષ્ણાત હતા. જન્મ બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. બાળપણ અમદાવાદમાં વિતાવ્યું. શાળાના અભ્યાસકાળ દરમિયાન છાપાંઓ વહેંચવાં જેવાં નાનાંમોટાં…

વધુ વાંચો >

ઠાકોર, જે. એમ.

Jan 16, 1997

ઠાકોર, જે. એમ. (જ. 23 નવેમ્બર 1914, મુંબઈ; અ. 27 નવેમ્બર 2000, અમદાવાદ) : અગ્રણી ધારાશાસ્ત્રી અને ગુજરાત રાજ્યના વરિષ્ઠ ઍડ્વોકેટ જનરલ. આખું નામ જયેન્દ્ર મણિલાલ ઠાકોર. જાણીતા ધારાશાસ્ત્રીઓના પરિવારમાં જન્મ. પિતા ઍડ્વોકેટ હતા. માતાનું નામ પદ્માદેવી. ભારતના પ્રખર ધારાશાસ્ત્રી સર ચીમનલાલ સેતલવાડ તેમના નાના તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ઍટર્ની…

વધુ વાંચો >

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય

Jan 16, 1997

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય (જ. 22 જાન્યુઆરી 1902, ભરૂચ; અ. 23 ઑગસ્ટ 1990, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી કેળવણીકાર. પિતા શ્રીપતરાય અને માતા શિવગૌરીબહેનનાં નવ સંતાનોમાં છઠ્ઠા. મૅટ્રિક સુધીનું શિક્ષણ સૂરતમાં લઈ, 1919માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈ, 1923માં અંગ્રેજી અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.ની અને 1924માં રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની પદવીઓ મેળવી. 1929માં કીર્તિદાબહેન…

વધુ વાંચો >

ઠાકોર, પિનાકિન

Jan 16, 1997

ઠાકોર, પિનાકિન (જ. 24 ઑક્ટોબર 1916, મ્યોમ્યાં; અ. 26 નવેમ્બર 1995, અમદાવાદ) : ગુજરાતી કવિ. વતન અમદાવાદ. માધ્યમિક શિક્ષણ વડોદરામાં લઈ 1934માં મૅટ્રિક થયા અને ત્યાંની કૉલેજમાં એક વર્ષ અભ્યાસ કરી પુણેમાંથી 1938માં કૃષિવિજ્ઞાનના વિષય સાથે બી.એસસી. થયા. 1940માં મ્યોમ્યાંમાં સોના-ઝવેરાતનો વેપાર શરૂ કર્યો. 1941થી અમદાવાદમાં ઝવેરાતની દુકાન નાખી સ્થિર…

વધુ વાંચો >

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય

Jan 16, 1997

ઠાકોર, બળવંતરાય કલ્યાણરાય (જ. 23 ઑક્ટોબર 1869, ભરૂચ; અ. 2 જાન્યુઆરી 1952, મુંબઈ) : યુગપ્રભાવક ગુજરાતી કવિ અને પ્રથમ પંક્તિના વિદ્વાન. દાદા પોતાની અટક ‘સેહૅની’ લખતા તેને બળવંતરાયે ઉપનામ તરીકે પસંદ કરેલી. શરૂઆતમાં તખલ્લુસ ‘વલ્કલ’ પણ રાખેલું. જ્ઞાતિ વીશા બ્રહ્મક્ષત્રિય. પત્ની ચંદ્રમણિબહેન. પ્રાથમિક શિક્ષણ વતન ભરૂચમાં અને પછી પિતાની નોકરીને…

વધુ વાંચો >

ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય

Jan 16, 1997

ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય (જ. 21 ઑગસ્ટ 1878, અમદાવાદ; અ. 21 જાન્યુઆરી 1939) : રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર અને સ્વાતંત્ર્યસેનાની. આર. સી. હાઈસ્કૂલમાં  શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત કૉલેજમાં જોડાયા અને બી.એ. થયા. ત્યારપછી શિક્ષણવિદ્યામાં એસ.ટી.સી. પદવી મેળવી. 1908માં સરકારી નોકરીમાં સ્વમાનભંગ થતાં તેનો ત્યાગ કર્યો અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી. 1920માં સ્વાતંત્ર્યની લડતમાં…

વધુ વાંચો >

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ

Jan 16, 1997

ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક. તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી…

વધુ વાંચો >

ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય

Jan 16, 1997

ઠાકોર સુમિત્રાબહેન ભૂપતરાય (જ. 27 જુલાઈ 1914, અમદાવાદ; અ. ?) : સ્વતંત્રતાના આંદોલનમાં અને અમદાવાદના વિકાસગૃહમાં મહત્વનું યોગદાન આપનાર સંનિષ્ઠ સમાજસેવિકા. ભૂપતરાય ઠાકોર અને મંગળાગૌરીની આ પુત્રીનું બાળપણ ખાડિયા વિસ્તારની ઘાસીરામની પોળમાં વીત્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલનમાં સરઘસ, પ્રભાતફેરી અને સભાઓમાં ભાગ લઈને સરલાદેવી સારાભાઈ, મૃદુલાબહેન સારાભાઈ અને પુષ્પાબહેન મહેતાની…

વધુ વાંચો >

ઠારણ પદ્ધતિઓ

Jan 16, 1997

ઠારણ પદ્ધતિઓ : નીચા તાપમાનવાળી સપાટીની સાથે સંતૃપ્ત વરાળ સંપર્કમાં આવે ત્યારે ઠારણ ઉદ્ભવે છે. ઠારક એક અગત્યનું અને બહોળા વપરાશવાળું ઉષ્મા-વિનિમાયક (exchanger) છે. તેમાં અનન્ય લક્ષણવાળી ઉષ્મા-પારેષણની યંત્રરચના અસ્તિત્વ ધરાવે છે. વરાળના સંતૃપ્ત તાપમાન કરતાં ઓછા તાપમાનવાળી સપાટી ઉપર જો વરાળ અથડાય તો તેનું તાત્કાલિક ઠારણ થાય છે. બે…

વધુ વાંચો >