ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
તંત્રશાસ્ત્ર
તંત્રશાસ્ત્ર : તત્વ અને મંત્રાદિના વિવિધ અર્થોનો જે વિસ્તાર કરે અને સાધકનું જે ત્રાણ એટલે રક્ષણ કરે તે તંત્ર. આ અતિપ્રાચીન શાસ્ત્રને વેદની સમકક્ષ ગણવામાં આવે છે. તંત્રશાસ્ત્રનું એક નામ આગમશાસ્ત્ર છે. વેદોનું એક નામ નિગમ છે. આ બન્ને નામો ભેગાં કરીને આગમ-નિગમ રહસ્યમયશાસ્ત્ર તરીકે ઓળખાય છે. મહાદેવજીએ ઉપદેશેલું, ગિરિજાએ…
વધુ વાંચો >તંદ્રા
તંદ્રા : મનની જાગૃતિ અને સુષુપ્તિ અવસ્થાઓ વચ્ચેની સ્થિતિ. આ અવસ્થા મન અને દેહ ઉભયની વિકૃત-વિશિષ્ટ સંજ્ઞારૂપ છે. મનની ત્રણ સ્થિતિ છે : (1) જાગ્રત (2) સુષુપ્તિ (નિદ્રસ્થ) અને (3) તંદ્રા, જાગ્રત અવસ્થામાં મોટું મન પૂર્ણ જાગ્રત, ચૈતન્યપૂર્ણ હોઈ, ઇંદ્રિયો પોતાના બધા વિષયોને સારી રીતે ગ્રહણ કરી શકે છે. જ્યારે…
વધુ વાંચો >તંપિ ઈરાસન
તંપિ ઈરાસન (1782–1856) : મલયાળમ ભાષાના કવિ. ત્રાવણકોરના મહારાજાના નિકટના સંબંધી હતા. નાનપણમાં જ સંસ્કૃતનું ઊંડું અધ્યયન કરેલું. તેઓ નાનપણથી ગીતો લખતા. જાહેરમાં સ્વરચિત ગીતો ગાતા. એમની કવિ તરીકે ખ્યાતિ એટલી પ્રસરેલી કે ત્રાવણકોરના મહારાજા તિરુ પાલે એમને દરબારના રાજકવિ નીમેલા. કેરળનું વિશિષ્ટ નૃત્ય કથકલિ હતું. કથકલિ નૃત્ય વખતે જે…
વધુ વાંચો >તંપિયાર કુંચન
તંપિયાર કુંચન (અઢારમી સદી) : મલયાળમ ભાષાના પ્રથમ લોકકવિ. એમણે તુળળન નામના કાવ્યપ્રકારની શરૂઆત કરી. એ ત્રાવણકોરના રાજાઓ માર્તંડ વર્મા તથા ધર્મરાજાની કવિસભાના મુખ્ય કવિ હતા. એમ મનાય છે કે એમણે ‘ચાકયાર કુત્તુ’ કાવ્યસ્પર્ધામાં તુળળન નામના નૃત્યાત્મક કથાકાવ્ય જેવા નવા જ કાવ્યપ્રકારની રચના કરી હતી અને એ કાવ્યો એમણે પોતે…
વધુ વાંચો >તંપુરાન કોટ્ટયત્તુ
તંપુરાન કોટ્ટયત્તુ (સત્તરમી સદી) : મલયાળમ ભાષાના કવિ. ઉત્તર કેરળના એક નાના રાજ્યના રાજકુટુંબમાં જન્મ. કિશોરવયમાં જ એમણે રામાયણ-મહાભારતના ગ્રંથોનું પોતાના માટે ખાસ રાખેલા એક પંડિત પાસે અધ્યયન કરેલું. પુરાણો ઉપરાંત, દર્શનશાસ્ત્રોનો પણ એમણે ગહન અભ્યાસ કરેલો. એમણે તે સમયે રાજદરબારમાં યોજાતા નૃત્ય અને નાટકોના સમારંભો જોયેલા અને તેનાથી ઘણા…
વધુ વાંચો >તંપુરાન કોટ્ટારક્કરા
તંપુરાન કોટ્ટારક્કરા (સત્તરમી સદી) : મલયાળી લેખક. મલયાળમમાં સત્તરમી સદી પૂર્વે કુત્તુ, કુટિયાટ્ટમ્, કૃષ્ણનાટ્યમ્ ઇત્યાદિ અનેક અભિનેય ગીતોની પરંપરા પ્રવર્તમાન હતી. સત્તરમી સદીમાં કથકલિ ર્દશ્યકાવ્યો રચવાની પરંપરા શરૂ થઈ. તેના પ્રથમ રચનાકાર તંપુરાન કોટ્ટારક્કરા હતા. એમણે વાલ્મીકિ રામાયણના આધાર પર 8 અટ્ટકથાઓ રચી હતી. અટ્ટકથા એ મલયાળમનાં નાટ્યાભિનયને માટે રચાતાં…
વધુ વાંચો >તંબોળી
તંબોળી : જુઓ, પરંપરાગત વ્યવસાયો.
વધુ વાંચો >તાઇપિંગનો બળવો
તાઇપિંગનો બળવો : ચીનના મંચુવંશી શાસન સામે 1850–1864 દરમિયાન થયેલો સૌથી મહત્વનો બળવો. આ બળવો પંદર વર્ષો દરમિયાન ચીનના 18 પ્રાંતો પૈકી 16 પ્રાંતોમાં ફેલાયો હતો. આ સૌથી વધુ સુવ્યવસ્થિત અને મોટા પાયા ઉપરનો બળવો હતો. બળવાખોરોની પ્રવૃત્તિને કારણે મોટી સંખ્યામાં માણસો મરણ પામ્યાં હતાં. સામાજિક અજંપો, કુદરતી આફતો અને…
વધુ વાંચો >તાઇપેઈ
તાઇપેઈ : ચીનની મુખ્ય ભૂમિની પડખે આવેલા ટાપુઓના બનેલા પ્રજાસત્તાક દેશ તાઇવાન(ફોર્મોસા)નું પાટનગર અને મોટામાં મોટું નગર. આ ટાપુના વાયવ્યે તે આશરે 25° 05´ ઉ. અ. તથા 121° 32´ પૂ. રે. પર આવેલું છે. મૂળમાં તાઇવાન અને તેને સંકલિત બીજા નાના નાના ટાપુઓ, એ ચીનનો એક અંતર્ગત ભાગ હતો, પણ…
વધુ વાંચો >તાઇવાન
તાઇવાન : ચીનની મુખ્ય ભૂમિથી લગભગ 194 કિમી. દૂર ચીનના તળપ્રદેશના અગ્નિ ખૂણામાં આવેલો ચીન હસ્તકનો ટાપુ. તે 21° 45´ ઉ.થી 25° 15´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 120o 0´ પૂ.થી 122° 0´ પૂ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. પહેલાં તે ફોર્મોસા નામથી ઓળખાતો હતો. તાઇવાનની સામુદ્રધુની દ્વારા તે ચીનની મુખ્યભૂમિથી અલગ પડેલો…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >