ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >જત
જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ…
વધુ વાંચો >જત દૂરેઇ જાઈ
જત દૂરેઇ જાઈ (1962) : સુભાષ મુખોપાધ્યાય(1919)નો બંગાળી કાવ્યસંગ્રહ. તેને 1964નો સાહિત્ય અકાદેમી ઍવૉર્ડ એનાયત થયેલો. લેખક કૉલકાતા યુનિવર્સિટીના ગ્રૅજ્યુએટ; રાજકીય પ્રવાહોથી પ્રભાવિત થયેલા; 1942માં ભારતની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયેલા. બંગાળના પ્રગતિશીલ લેખકોને પ્રોત્સાહિત કરતા. માર્ક્સિસ્ટ વલણ ધરાવતા મુખોપાધ્યાયની કવિતામાં કચડાયેલા, ગરીબ લોકો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ જોવા મળે છે. શીર્ષક-કાવ્ય ‘જત…
વધુ વાંચો >જતૂકર્ણ
જતૂકર્ણ (ઈ. પૂ. 1000 આ.) : પુનર્વસુ આત્રેયના શિષ્યોમાંના એક. તેમણે જતૂકર્ણતંત્ર અથવા જતૂકર્ણસંહિતા લખી છે તેમ મનાય છે. આયુર્વેદમાં પ્રસિદ્ધ ટીકાકારો ચક્રપાણિ, જેજ્જટ, ડલ્હણ, અરુણ દત્ત, વિજય, રામેત, નિશ્ચલકર, શ્રીકંઠ દત્ત તથા શિવદાસ સેન બધાએ પોતપોતાની ટીકામાં જતૂકર્ણનાં ઉદાહરણો ટાંક્યાં છે. તથાપિ આજના આયુર્વેદ વાઙ્મયમાં જતૂકર્ણસંહિતા ઉપલબ્ધ નથી. જતૂકર્ણ…
વધુ વાંચો >જત્તી, બસપ્પા દાનપ્પા
જત્તી, બસપ્પા દાનપ્પા (જ. 10 સપ્ટેમ્બર 1912 અ. 7/8 જૂન, 2002, સાવલગી, કર્ણાટક રાજ્ય) : 1977ના ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન, ફખરુદ્દીન અલી અહમદના નિધન અને સંજીવ રેડ્ડીની ચૂંટણીના વચગાળામાં, ઉપરાષ્ટ્રપતિને નાતે રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર બી. ડી. જત્તી હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લામાં જમખંડી તાલુકાના એમના વતનવિસ્તારમાં પંચાયત સ્તરેથી પાયાના કાર્યકર તરીકે…
વધુ વાંચો >જથ્થાબંધ ભાવાંક
જથ્થાબંધ ભાવાંક : જુઓ ગ્રાહક ભાવાંક
વધુ વાંચો >જથ્થાબંધ વેપાર
જથ્થાબંધ વેપાર : માલસામાનના વેચાણ-વિતરણની પરોક્ષ રીતમાં ગ્રાહક સુધી માલ પહોંચાડવા માટેની એક કડી. જથ્થાબંધ વેપારીઓ ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલની ખરીદી કરી, સંગ્રહ કરી, બજારને અમુક અમુક ભાગમાં વિભાજિત કરી, માગ અને પુરવઠાને સમતુલિત કરી વેચાણ કરે છે તથા યોગ્ય માહિતીસંચાર કરવાનું અને છૂટક વેપારીઓને મદદ કરવાનું કાર્ય કરે છે.…
વધુ વાંચો >જનકલ્યાણ
જનકલ્યાણ : ગુજરાતી માસિક પત્ર. 1951માં સંત ‘પુનિત’ મહારાજના તંત્રીપદે શરૂ થયેલું. પ્રથમ વર્ષે જ 6000 ગ્રાહકો નોંધાયા હતા. ‘જનકલ્યાણ’ના પ્રકાશનનો હેતુ સસ્તા દરે જીવનલક્ષી સાહિત્ય પૂરું પાડવાનો છે. તેમાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, નીતિ, વ્યવહાર વગેરે વિષયોને આવરી લેતી સામગ્રી સરળ ભાષામાં આપવામાં આવે છે. પ્રત્યેક વર્ષે વિવિધ વિષયોને આવરી…
વધુ વાંચો >જનગણમન
જનગણમન : ભારતનું રાષ્ટ્રગીત. રવીન્દ્રનાથ ઠાકુરની આ રચના (1911) તેમના તંત્રીપદે પ્રસિદ્ધ થતી ‘તત્વબોધિની પત્રિકા’માં સૌપ્રથમ જાન્યુઆરી 1912માં ‘ભારત વિધાતા’ શીર્ષક સાથે પ્રસિદ્ધ થયેલી. કવિએ 1919માં ‘ધ મૉર્નિંગ સૉન્ગ ઑવ્ ઇન્ડિયા’ નામે આ ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. (રાગ : કોરસ – તાલ ધુમાલી) જનગણમનઅધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા, પંજાબ સિંધુ…
વધુ વાંચો >જનતા કૉલેજ
જનતા કૉલેજ : ઉચ્ચ શિક્ષણની સંસ્થા દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકનાર વ્યક્તિઓ અને સમાજસેવકોને ગ્રામવિસ્તાર માટે ઉપયોગી નીવડતી શિક્ષણ આપતી સંસ્થા. આ સંસ્થાનો પ્રારંભ 1949માં મૈસૂર ખાતે અગ્નિ એશિયાના દેશોના ગ્રામવિસ્તારમાં પ્રૌઢશિક્ષણ(સમાજ-શિક્ષણ)નું કામ કરતા કાર્યકરો માટે યોજાયેલ પરિસંવાદની ભલામણને આધારે થયો હતો. જનતા કૉલેજ લખવા-વાંચવાના વિષયો અને હસ્તઉદ્યોગો…
વધુ વાંચો >જનતા પક્ષ
જનતા પક્ષ : ભારતનો એક રાજકીય પક્ષ. ભારતીય રાજકારણમાં સ્વરાજ પછીના સળંગ ત્રણ દાયકા કૉંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથા બહુધા રહી છે. કેન્દ્ર સરકારના સ્તરે કૉંગ્રેસ સામે ઊભો થયેલો પહેલો, પ્રમાણમાં સમર્થ, જોકે ટૂંકજીવી વૈકલ્પિક પડકાર જનતા પક્ષનો લેખાશે. આ પક્ષ અવિધિસર કામ કરતો થયો જાન્યુઆરી 1977થી; અને કાળક્રમે નવા સ્થપાયેલ જનતા દળમાં…
વધુ વાંચો >