ખંડ ૭
ચઉપ્પન્નમહાપુરિસચરિયંથી જૈવિક અંકશાસ્ત્ર
જયંતિચરિય
જયંતિચરિય : ભગવતી સૂત્રના બારમા શતકના બીજા ઉદ્દેશકના આધારે ભયહર સ્તોત્રના કર્તા માનતુંગસૂરિએ રચેલો પ્રકરણગ્રંથ. આ ગ્રંથ પર તેમના શિષ્ય મલયપ્રભસૂરિએ 1203માં સુંદર વૃત્તિ લખી છે. તેમાં સંસ્કૃત ગદ્ય-પદ્યનો ઉપયોગ કરેલ છે. ‘જયંતિચરિય’માં માત્ર 28 ગાથા છે પરંતુ તેના પરની વૃત્તિમાં અનેક આખ્યાન આપ્યાં છે. મહાસતી જયંતી કૌશાંબીના રાજા સહસ્રાનીકની…
વધુ વાંચો >જયંતિયા ટેકરીઓ
જયંતિયા ટેકરીઓ : હિમાલય પર્વતમાળાની પૂર્વે મેઘાલય રાજ્યમાં ગારો, ખાસી અને જયંતિયા નામની નીચી પર્વતમાળાઓમાં પૂર્વમાં આવેલી પર્વતમાળા. શિલોંગના ઉચ્ચપ્રદેશની આસપાસ તે પશ્ચિમથી પૂર્વ પથરાયેલી છે. કૂચબિહારથી શરૂ કરી છેક નાગાલૅન્ડની સીમાની અંદર સુધી આ ટેકરીઓની હારમાળા આવેલી છે. પહોળાઈ મેઘાલયની ઉત્તરદક્ષિણ સીમા પ્રમાણે વિસ્તરેલી છે. સાગરની સપાટીથી 1500 મી.…
વધુ વાંચો >જયા અને જયંત (1914)
જયા અને જયંત (1914) : ન્હાનાલાલ દલપતરામરચિત ત્રિઅંકી નાટક. તેમાં 20 પ્રવેશો છે. આત્મલગ્ન અને નૈષ્ઠિક બ્રહ્મચર્યનો આદર્શ, વિશિષ્ટ ડોલનશૈલીનો કરેલો સફળ અને સમર્થ વિનિયોગ અને ભાવનાપ્રધાન નાટક (lyrical play) તરીકેનું એનું અરૂઢ છતાં આકર્ષક સ્વરૂપ – આ બધાંને લીધે એ જમાનામાં આ કૃતિ સફળ થયેલી. નાટકનું કથાવસ્તુ ઉત્પાદ્ય (કાલ્પનિક)…
વધુ વાંચો >જયાદિત્યનું મંદિર
જયાદિત્યનું મંદિર : નગરા(તા. ખંભાત)માં આવેલું મંદિર. હાલમાં આ એક નાના ખંડ સ્વરૂપનું મંદિર જોવામાં આવે છે. તેમાં સૂર્યની તેમજ સૂર્યાણીની 1.83 મી. ઊંચી મૂર્તિઓ છે. આ મૂર્તિઓ પર સં. 1292 (ઈ. 1236)નો લેખ કોતરેલો છે. તેમાં જણાવ્યા અનુસાર જયાદિત્યનું મંદિર અતિવૃષ્ટિને લઈને પડી જવા જેવું થવાથી મહામાત્ય વસ્તુપાલે એ…
વધુ વાંચો >જરખ
જરખ : માંસાહારી (Carnivora) શ્રેણીના હાયેનિડે કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Hyaena hyaena Linn. અંગ્રેજી : Indian Hyaena. તે કૂતરાની જેમ હંમેશાં નખ બહાર રાખે છે. તેને પગદીઠ ચાર આંગળીઓ હોય છે. બાંધો કૂતરા જેવો. બિલાડીની જેમ મોં પર મૂછ; આગલા પગ સહેજ ઊંચા, પાછળના પગ પ્રમાણમાં ટૂંકા; પૂંછડી ટૂંકી.…
વધુ વાંચો >જરથોસ્તી ધર્મ
જરથોસ્તી ધર્મ ધર્મને જરથોસ્તીઓ ‘દીન’ કે ‘દએના’ કહે છે. [દએના = અંત:કરણમાં શ્રદ્ધાનો ભાવ.] જરથુષ્ટ્રની પહેલાં હોમા પયગંબરે, માઝદયશ્ની દીન દ્વારા એકેશ્વરવાદ સ્થાપ્યો હતો. તે પહેલાં દેવયશ્ન (અલગ દેવોની પૂજા) હતી. તેથી ધર્મગુરુઓમાં ફાંટા પડ્યા. પ્રજાની એકતા જોખમાઈ. આ કારણે ‘દેવ’ શબ્દને ધર્મવિરોધી ગણ્યો છે. ઈરાનમાં કયાની વંશ હતો ત્યારે…
વધુ વાંચો >જરથોસ્તી સન
જરથોસ્તી સન : જુઓ સંવત
વધુ વાંચો >જરદાલુ
જરદાલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, 10 મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ 3000 મી.ની…
વધુ વાંચો >જરાયુ (placenta)
જરાયુ (placenta) : સ્ત્રીકેસર(pistil)ની વક્ષસીવને અંડકો(જે ફલન બાદ બીજમાં પરિણમે છે.)ના ઉદભવનું સ્થાન. પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રીકેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનો ઉદભવ અને તેમની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. સપુષ્પ વનસ્પતિઓના વર્ગીકરણમાં જરાયુવિન્યાસનું અત્યંત મહત્વ છે. બીજાશયની દીવાલની ધાર જ્યાં જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય…
વધુ વાંચો >જરીર
જરીર (જ. 649, હજરા, યમામા, અરબસ્તાન; અ. આશરે 729) : અરબી ભાષાના મધ્યયુગના કવિ. તેમનું પૂરું નામ જરીર બિન અતય્યા બિન અલ-ખતફી હતું. યમામા વિસ્તાર હવે રિયાદ નામે ઓળખાય છે, જે સાઉદી અરબ રાજ્યનું પાટનગર છે. તેમનો વ્યવસાય ઢોર-ઉછેરનો હતો. જરીરનું શિક્ષણ નહિવત્ હતું; પરંતુ કવિતા તેમને વારસામાં મળી હતી.…
વધુ વાંચો >ચઉપ્પન્નમહાપુરિસચરિયં
ચઉપ્પન્નમહાપુરિસચરિયં (868) : પ્રાકૃતનો એક બૃહદ્ ગ્રંથ. રચયિતા નિર્વૃતિકુલના આચાર્ય માનદેવસૂરિશિષ્ય વિમલમતિ શીલાચાર્ય કે શીલાંકાચાર્ય. તે સમકાલીન તત્વાદિત્ય શીલાચાર્યથી જુદા છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર રચના ઈ. સ. 868માં. બે હસ્તપ્રતો : (1) જેસલમેરના બડાભંડારની, તાડપત્રની, ઈ. સ. 1170માં લખાયેલી, પત્ર 324; (2) અમદાવાદના વિજયનેમિસૂરીશ્વરજી શાસ્ત્રસંગ્રહની, તાડપત્રની, ઈ. સ. 1269માં લખાયેલી, પત્ર…
વધુ વાંચો >‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી)
‘ચકબસ્ત’ (બ્રિજનારાયણ લખનવી) (જ. 19 જાન્યુઆરી 1882, ફૈઝાબાદ; અ. 12 ફેબ્રુઆરી 1926, રાયબરેલી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. મૂળ નામ બ્રિજનારાયણ. તખલ્લુસ ‘ચકબસ્ત’. તેમના પૂર્વજોનું વતન લખનૌ હતું. પ્રાથમિક શિક્ષણ મેળવી કૅનિંગ કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી 1905માં બી.એ. અને 1908માં કાયદાની ઉપાધિઓ મેળવી વકીલાત શરૂ કરી અને એક સમર્થ વકીલ તરીકે…
વધુ વાંચો >ચકલી
ચકલી : માનવવસાહતના સાન્નિધ્યમાં અને સામાન્યપણે સામૂહિક જીવન પસાર કરનાર Passeriformes શ્રેણીના Ploceidae કુળનું પક્ષી છે. માનવવસ્તીની આસપાસ અને ઘણી વાર ઘરમાં પણ વાસ કરતી ચકલીને Passer domesticus કહે છે. પૃથ્વી પર તે લગભગ સર્વત્ર જોવા મળે છે. Passer પ્રજાતિની ચકલીની 15 જાતો છે, જેમાંની 5 જાતની ચકલીઓનો વસવાટ આફ્રિકા…
વધુ વાંચો >ચકોર
ચકોર (જ. 23 નવેમ્બર 1917, ચોટિયા, જિ. મહેસાણા; અ. 8 સપ્ટેમ્બર 2003, અમદાવાદ) : ગુજરાતના જાણીતા કટાક્ષચિત્રકાર. મૂળ નામ બંસીલાલ જી. વર્મા. વડનગરના મહંતશ્રીની આશ્રમશાળામાં અભ્યાસ. બાળપણથી જ ચિત્રકળામાં ખૂબ રસ. 1932માં ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું કાઢ્યું. 1933માં ચિત્રના વિશેષ અભ્યાસ માટે અમદાવાદ આવી એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. 1935માં…
વધુ વાંચો >ચક્કર (vertigo)
ચક્કર (vertigo) : આસપાસની વસ્તુઓ કે વ્યક્તિ પોતે ગોળગોળ ભમે છે એવી ભ્રામક સંવેદના. તેના મુખ્ય બે પ્રકારો છે : (1) ચક્કર આવવાં અને (2) અંધારાં આવવાં (giddiness). યોગ્ય નિદાન તથા સારવાર માટે તે બંનેને અલગ પાડવાં જરૂરી ગણાય છે. ચક્કર આવવાની ભ્રમણાને ચક્કરભ્રમણા કહે છે અને તેમાં વ્યક્તિ પોતે…
વધુ વાંચો >ચક્ર
ચક્ર : માનવજાતની એક ખૂબ જ પ્રાચીન અને અતિ મહત્વની શોધ. ચક્રની શોધ આકસ્મિક સંજોગોમાં થઈ હશે. આદિ માનવે વૃક્ષના જાડા થડને બળતણ માટે તેના નિવાસ સુધી લાવવા માટે ગબડાવવાની પ્રક્રિયાની શરૂઆત કરી હશે. કદાચ આવા ગોળ થડનો ઉપયોગ ભારે પથ્થરો વગેરેને ખસેડવામાં પણ કર્યો હશે. તે વખતે કદાચ નાના…
વધુ વાંચો >ચક્ર (ફિલ્મ)
ચક્ર (ફિલ્મ) : વિશિષ્ટ કોટિનું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ 1980; નિર્માણસંસ્થા : નિયો ફિલ્મ્સ; દિગ્દર્શક અને પટકથા-લેખક : રવીન્દ્ર ધર્મરાજ (મરાઠી સાહિત્યકાર જયવંત દળવીની નવલકથા પર આધારિત); સંગીત : હૃદયનાથ મંગેશકર; સંવાદો : શમા ઝૈદી, જાવેદ સિદ્દીકી; છબીકલા : બરુન મુખરજી; કલાનિર્દેશક : બંસી ચંદ્રગુપ્ત; નિર્માતા : મનમોહન શેટ્ટી; પ્રદીપ ઉપ્પૂર;…
વધુ વાંચો >ચક્ર અને ધુરા/ધરી
ચક્ર અને ધુરા/ધરી : માનવજીવનમાં આનુમાનિક (conjectural) અથવા આકસ્મિક (accidental) રીતે શોધાયેલું એક સાદું યંત્ર. ઊર્જાને ઉપયોગી કાર્યમાં વાપરતા સાધનને યંત્ર કહે છે. માનવીએ આકસ્મિક અથવા અનુમાન દ્વારા પાંચ યંત્રોની શોધ કરી કહેવાય છે. (1) ઉચ્ચાલન (lever), (2) ફાચર (wedge), (3) ચક્ર અને ધરી, (4) ગરગડી અને (5) સ્ક્રૂ. એક…
વધુ વાંચો >ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચક્રફેંક
ચક્રફેંક (discus throw) : અતિ પ્રાચીન રમત. પ્રાચીન ગ્રીક ઑલિમ્પિક્સમાં આ રમતને ‘ડિસ્કો વોલિસ’ કહેતા અને તે બહુ જ આકર્ષક રમત ગણાતી. આ રમતમાં ખેલાડીએ ફેંકવા માટેનું ચક્ર (discus) ધાતુની કિનારીથી જડેલું અને લાકડાનું બનેલું નીચે પ્રમાણેના માપનું હોય છે : વિભાગ વજન (કિગ્રા.) વ્યાસ (મિ. મીટર) પુરુષો 2.0 219થી…
વધુ વાંચો >