ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કલા (દૈવી)

Jan 13, 1992

કલા (દૈવી) : કલાશક્તિ કે વિભૂતિનું વ્યક્ત સ્વરૂપ. કોઈ પણ દેવતાની શક્તિ સોળ કળાઓમાં વિભાજિત હોય છે. જે દેવતામાં બધી કળાઓ વિદ્યામાન હોય તેમને ‘પૂર્ણકલા-મૂર્તિ’ કહેવામાં આવે છે. જે દેવતામાં 16 કરતાં એક-બે કળા ઓછી હોય તેમને ‘કલામૂર્તિ’ કહે છે, જ્યારે કલામૂર્તિ કરતાં પણ ઓછી કલા ધરાવનાર દેવતા ‘અંશમૂર્તિ’ અને…

વધુ વાંચો >

કલા (ભારતીય વિભાવના)

Jan 13, 1992

કલા (ભારતીય વિભાવના) : ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. એમાં પ્રાચીન અને મધ્યકાલમાં કલાને ધર્મસાધનાના મહત્વના અંગ તરીકે સ્વીકારવામાં આવી હતી. આને લઈને ભારતીય કલામાં સૌંદર્યભાવનાની સાથોસાથ એક પ્રકારનું આધ્યાત્મિક બળ પણ વરતાય છે. ભારતીય કલા ધર્મપરાયણ હોવાથી ધર્માલયોમાં એ સોળે કળાએ ખીલેલી દૃષ્ટિગોચર થાય છે. કલાનું સર્જન બહુજન સમાજ…

વધુ વાંચો >

કલા અને કલાતત્વ

Jan 13, 1992

કલા અને કલાતત્વ માનવનિર્મિત સુંદર રચના અને તેનું હાર્દ. માનવીના કૌશલ્યનું તે નિર્માણ છે અને એ રીતે તે કુદરતી – કુદરતસર્જિત પદાર્થથી તદ્દન જુદી છે. સૂર્યોદય સુંદર હોય પણ એ કલાકૃતિ નથી કારણ કે એનું નિર્માણ માનવે નથી કર્યું. કલા એ કુદરતની નહિ પણ માનવની નિર્માણપ્રવૃત્તિ છે એ વ્યાખ્યાની વ્યાપકતાને…

વધુ વાંચો >

કલાઈ : જુઓ ટિન

Jan 13, 1992

કલાઈ : જુઓ ટિન.

વધુ વાંચો >

કલાઈનો ઢોળ : જુઓ ટિન

Jan 13, 1992

કલાઈનો ઢોળ : જુઓ ટિન.

વધુ વાંચો >

કલાકેન્દ્ર – સૂરત

Jan 13, 1992

કલાકેન્દ્ર, સૂરત (સ્થાપના 1955) : નાટ્ય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાના ક્ષેત્રે નવતર વૈવિધ્યભર્યું કામ કરતી સૂરતની સંસ્થા. તેની સાથે જાણીતા નાટ્યકાર અને અનુવાદક વજુભાઈ ટાંક, જાણીતા પત્રકાર ચન્દ્રકાન્ત પુરોહિત અને પોપટલાલ વ્યાસ સંકળાયેલા રહ્યા છે. આ સંસ્થા દ્વારા થયેલા મહત્વના નાટ્યપ્રયોગોમાં ‘ભાભી’, ‘બ્રહ્મા – વિષ્ણુ – મહેશ’, ‘વળામણાં’, ‘કંથારનાં…

વધુ વાંચો >

કલા ખાતર કલા

Jan 13, 1992

કલા ખાતર કલા : કલાનું સંપૂર્ણ, સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ છે અને કલાનું પ્રયોજન કલામાં જ રહેલું છે એવો સિદ્ધાન્ત. કલાનું સર્જન આનંદ માટે થાય છે એ સાચું હોવા છતાં કલાકાર આ દુનિયાનો માણસ હોવાને કારણે કલાની સામાજિક ઉપયોગિતાનો વિચાર પણ થાય છે. ગ્રીક ચિંતક, ફિલસૂફ પ્લૅટોએ કલાને અનુકરણાત્મક, અસત્ય,…

વધુ વાંચો >

કલાનું મનોવિજ્ઞાન

Jan 13, 1992

કલાનું મનોવિજ્ઞાન : મનોવિજ્ઞાનની વિવિધ પદ્ધતિઓ દ્વારા કલાને સમજવાનો, તેનું રસદર્શન કરવાનો પ્રયાસ. તેની વ્યાવહારિકતા આજકાલ વધતી જાય છે. અનેક ક્ષેત્રોમાં તેના સિદ્ધાંતો ઉપયોગી જણાયા છે; પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય, તબીબી ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર કે અહીં પ્રસ્તુત છે તે કલાનું ક્ષેત્ર હોય. કલા આમ જોઈએ તો સાંસ્કૃતિક-સામાજિક ઘટના…

વધુ વાંચો >

કલાપી

Jan 13, 1992

કલાપી (જ. 26 જાન્યુઆરી 1874, લાઠી; અ. 9 જૂન 1900, લાઠી) : મૂળ નામ ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી. પિતા તથા મોટાભાઈના અવસાનથી સગીર વયે જ ગાદીવારસ ઠરેલા. 1885માં એમને રાજ્ય સંભાળવું પડેલું. માતાનું નામ રાજબા. 1882થી 1890 સુધી રાજકોટની કૉલેજમાં અધ્યયન. આંખોની તકલીફ અને લગ્ન વગેરેને કારણે કલાપીએ અંગ્રેજી પાંચમા ધોરણ…

વધુ વાંચો >

કલા પ્રકાશ

Jan 13, 1992

કલા પ્રકાશ (જ. 2 જાન્યુઆરી 1934, કરાંચી, હાલ પાકિસ્તાન; અ. 5 ઑગસ્ટ 2018, મુંબઈ) : પ્રખ્યાત સિંધી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની શ્રેષ્ઠ નવલકથા ‘આરસી યા આડો’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિસાબ તપાસનીસ તરીકે કેન્દ્ર સરકારના કાર્યાલયમાં 17 વર્ષ સુધી કામગીરી કરી. તે ઉપરાંત…

વધુ વાંચો >