૪.૦૨

ઔષધનિર્માણ, ભૌતિક ક્રિયાઓથી ઔષધો

ઔષધનિર્માણ – ભૌતિક ક્રિયાઓ

ઔષધનિર્માણ, ભૌતિક ક્રિયાઓ ઔષધનાં વિવિધ પ્રરૂપો તૈયાર કરવામાં તથા કુદરતમાં મળતાં ઔષધીય દ્રવ્યોમાંથી સક્રિય ઘટકો શુદ્ધ રૂપમાં અલગ કરવા માટેની ક્રિયાવિધિ. આ ક્રિયાઓને રાસાયણિક ઇજનેરીમાં એકમ પ્રચાલનો(unit-operations)ના વર્ગમાં મૂકવામાં આવે છે. આ ક્રિયાઓ મુખ્યત્વે ભૌતિક ફેરફારો કરતી ક્રિયાઓ છે. ઘન તથા પ્રવાહીઓનું તથા ઊર્જાનું સ્થાનાન્તર, બાષ્પીભવન, સ્ફટિકીકરણ, શુષ્કન, ચાળણ, ગાળણ…

વધુ વાંચો >

ઔષધનિર્માણશાસ્ત્ર

ઔષધનિર્માણશાસ્ત્ર (pharmaceutics) : દર્દીને આપવા માટે કોઈ પણ ઔષધનું સુયોગ્ય પ્રરૂપ(form)માં રૂપાંતર કરવાની વિદ્યા. આ માટે ભૈષજિકી શબ્દપ્રયોગ પણ વપરાય છે. ઔષધોનું આધુનિક સમયમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું જરૂરી બનતાં આ શાખાની આગવી ટેક્નૉલૉજી ફાર્મસ્યૂટિકલ ટેક્નૉલૉજી તરીકે વિકસી છે. ઔષધો અંગેનું જ્ઞાન ઘણું પ્રાચીન છે. ભારતમાં જ્ઞાનની આગવી શાખા તરીકે…

વધુ વાંચો >

ઔષધરસાયણશાસ્ત્ર

ઔષધરસાયણશાસ્ત્ર (pharmaceutical chemistry) : ઔષધીય ગુણધર્મો ધરાવતા પદાર્થોનું રસાયણશાસ્ત્ર. ઔષધશાસ્ત્રની આ શાખામાં ઔષધ તરીકે માન્ય થયેલા પદાર્થના સંશ્લેષણની રીતો, શુદ્ધીકરણની રીતો અને અન્ય ગુણધર્મોનો અભ્યાસ તથા તેમાં રહેલી અશુદ્ધિઓની મર્યાદા નક્કી કરવાની રીતો, તેનું આમાપન (assay) વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ઔષધરસાયણશાસ્ત્રમાં સામાન્ય રસાયણશાસ્ત્રની વિવિધ શાખાઓ(અકાર્બનિક રસાયણ, કાર્બનિક રસાયણ,…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર

ઔષધશાસ્ત્ર (pharmacy) : ઔષધોની શોધ, વિકાસ અને તેમના સરળ યોગ (formulation) રૂપે ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલ આરોગ્યલક્ષી વ્યવસાય. મનુષ્ય તથા પ્રાણીઓને થતા રોગના નિદાન કે ઉપચાર માટે, રોગને હળવો કરવા કે થતો અટકાવવા માટે, રોગથી થતી વિકૃત શારીરિક અવસ્થા તથા રોગનાં ચિહનો દૂર કરવા માટે અને જૈવિક કાર્યના પુન:…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર – ઉપચારકેન્દ્રીય

ઔષધશાસ્ત્ર, ઉપચારકેન્દ્રીય (clinical pharmacy) : ઔષધશાસ્ત્રી(pharmacist)ની નિર્ણાયક શક્તિ, કુશળતા અને ઔષધશાસ્ત્ર તથા જીવઔષધવિજ્ઞાનની જાણકારીનો ઉપયોગ કરી ઔષધની અસરકારકતા, સલામતી, કિંમત અને રોગને અનુરૂપ ઔષધની ચોકસાઈ જેવાં અનેક પાસાંઓને સ્પર્શતી ઔષધશાસ્ત્રની એક શાખા. ઉપચારકેન્દ્રીય ઔષધશાસ્ત્રને ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર(hospital pharmacy)માં પણ આવરી લેવામાં આવે છે. ચિકિત્સાલય-ઔષધશાસ્ત્ર વિસ્તૃત રીતે ચિકિત્સાલયમાં ઔષધનાં વ્યવસ્થા અને વિતરણને સાંકળે…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં)

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં) : ઔષધશાસ્ત્ર(pharmacy)ની વિવિધ શાખાઓમાં પારંગત નિષ્ણાતો તૈયાર કરવાનું વિશિષ્ટ શિક્ષણ. ભારતમાં પદ્ધતિસરના ફાર્મસી-શિક્ષણની શરૂઆત બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જુલાઈ, 1932થી બી.એસસી. ડિગ્રીમાં ફાર્મસ્યૂટિકલ કેમિસ્ટ્રીને એક વિષય તરીકે રાખવાની મંજૂરીથી થઈ ગણાય. આમાં પ્રેરણા પંડિત મદનમોહન માલવિયાની, સલાહસૂચનો કર્નલ આર. એન. ચોપરા, રાજશેખર બોઝ, સર પી. સી. રે અને સર…

વધુ વાંચો >

ઔષધસેવનવિધિ (આયુર્વેદ)

ઔષધસેવનવિધિ (આયુર્વેદ) : ઔષધને લેવાની ઋતુ, સમય, ઔષધનું પ્રરૂપ, ઔષધ લેવાની રીત વગેરેને આવરી લેતું આયુર્વેદનું વિશિષ્ટ અંગ. કાળ, વ્યાધિ અને ઔષધદ્રવ્યની પ્રકૃતિ ઉપર તે આધાર રાખે છે. (क) કાલઆધારિત વિધિ : આના દસ પ્રકાર છે – (i) અનન્ન : આમાં નરણે કોઠે ઔષધ લઈને તે પચી જાય પછી જ…

વધુ વાંચો >

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ)

ઔષધીય પાકસંશોધન કેન્દ્ર (આણંદ) : ભારતીય કૃષિ સંશોધન પરિષદના ઉપક્રમે અખિલ ભારતીય ઔષધીય અને સુગંધિત પાક યોજના હેઠળ દેશમાં સ્થાપવામાં આવેલાં 11 સંશોધન-કેન્દ્રોમાંનું આણંદમાં 1975માં શરૂ કરવામાં આવેલું કેન્દ્ર. કયા છોડ કે વૃક્ષની જાત ઉપર સંશોધન શરૂ કરવું અને માહિતી એકઠી કરવી તે નક્કી કરવા માટે નીચેના ચાર મુદ્દાઓ લક્ષમાં…

વધુ વાંચો >

ઔષધીય પાકો

ઔષધીય પાકો : ઔષધ તરીકે વપરાતી વનસ્પતિનું આયોજિત વાવેતર. વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓએ વિવિધ વનસ્પતિજ, પ્રાણીજ અને ખનિજ દ્રવ્યોના ઔષધીય ઉપયોગો શોધી કાઢ્યા હતા. આમાંની કેટલીય ઔષધિઓ આધુનિક સમયમાં પણ અપરિષ્કૃત (crude) રૂપે કે શુદ્ધ સત્વ રૂપે વપરાશમાં છે. સામાન્ય રીતે વનસ્પતિજ દ્રવ્યો જંગલોની પેદાશો હોય છે. ભારતમાં પણ વનસ્પતિજ દ્રવ્યો…

વધુ વાંચો >

ઔષધીય રોગપ્રતિરોધ

ઔષધીય રોગપ્રતિરોધ (chemoprophylaxis) : રસાયણ કે દવા વડે ચોક્કસ રોગ કે ચેપ અટકાવવો તે. રસીઓ કે પ્રતિરક્ષા (immuno) ગ્લૉબ્યૂલિનોનો ઉપયોગ તેમાં આવરી લેવાતો નથી. રોગપ્રતિરોધ માટે વપરાતી દવા કોઈ ચોક્કસ રોગ કે ચેપ સામે અસરકારક હોય છે અને બધા જ પ્રકારના ચેપ થતા અટકાવવા માટેના પ્રયત્નો સામાન્ય રીતે નિષ્ફળ જાય…

વધુ વાંચો >

ઔષધો

Jan 2, 1992

ઔષધો : મનુષ્યો કે પ્રાણીઓમાં રોગના નિદાન અને તેના ઉપચાર માટે વપરાતા કે રોગનિરોધી (prophylactic) ગુણો ધરાવતા પદાર્થો. ઔષધિની વ્યુત્પત્તિ ‘ओषं रूजं धयति इति औषधि:’ કરવામાં આવી છે. ઔષધોનો ઉપયોગ રોગ દ્વારા થતાં શારીરિક કે માનસિક દુ:ખ, વેદના, દર્દ અથવા તકલીફ ઓછી કે દૂર કરવા માટે થાય છે. ઐતિહાસિક :…

વધુ વાંચો >

ઔષધો (પશુ)

Jan 2, 1992

ઔષધો (પશુ) : મુખ્યત્વે પશુરોગોના પ્રતિરોધ અને ઉપચાર સાથે સંકળાયેલી દવાઓ, પશુચિકિત્સાને લગતી આ દવાઓ માનવ-સ્વાસ્થ્ય અને નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને આવરી લેવા ઉપરાંત, પ્રાણીજન્ય આહારના ઉત્પાદનની ચકાસણી સાથે પણ સંકળાયેલી છે. પશુ-ચિકિત્સા અને ઉપચાર માનવસંસ્કૃતિ જેટલાં જૂનાં છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પશુચિકિત્સાના વ્યવસાય વિશે સારી એવી માહિતી છે.…

વધુ વાંચો >