ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window)
ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window) : ઘરનો (દીવાલમાંથી) આગળ પડતો કોણાકાર અથવા ગોળાકાર ભાગ, જે જાળી વડે બંધ કરવામાં આવે. ગોળાકાર બારીને બૉવિન્ડો કહે છે. આવો ભાગ ઉપરના માળ પર આયોજવામાં આવે ત્યારે તેને ઓરિયેલ કહે છે. ઘણી વખત ઉપરના માળના ખૂણાના ભાગ પર આવી બારી બેસાડવામાં આવે છે, જે યુરોપીય…
વધુ વાંચો >ઓરિસા (ઓડિશા)
ઓરિસા (ઓડિશા) ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી :…
વધુ વાંચો >ઓરિસાનું સ્થાપત્ય
ઓરિસાનું સ્થાપત્ય : ઓરિસામાં શૈલાત્મક (rock-cut) અને ઇમારતી (structural) – બંને પ્રકારનું સ્થાપત્ય આવેલું છે. શૈલાત્મક સ્થાપત્ય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદીનું છે અને તે જૈન ગુફાઓને સ્વરૂપે છે. ઇમારતી પ્રકારના સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય છે. તેમનો સમય ઈ. સ. 800-1250નો છે. કટકની પાસે આવેલી ગુફાઓ શૈલાત્મક…
વધુ વાંચો >ઓરી
ઓરી (measles, rubeola) : તાવ, ખાંસી, શરદી, નેત્રકલાશોથ (conjuctivitis) અને ચામડી તથા શ્લેષ્મકલા (mucosa) પર નાના ડાઘા અને ફોલ્લીરૂપ સ્ફોટ (rash) કરતો ઉગ્ર અને અતિશય ચેપી વિષાણુજન્ય (viral) રોગ. દસમી સદીમાં રહેઝેસે (Rhezes) અને સત્તરમી સદીમાં સિડેન્હામે (Sydenham) તેનું વર્ણન કર્યું હતું. વળી 1905 અને 1911માં પ્રયોગો દ્વારા જાણી શકાયું…
વધુ વાંચો >ઓરી (જર્મન)
ઓરી, જર્મન (german measles, rubella) : થૂંકબિન્દુઓથી ફેલાતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. મોટાં બાળકોમાં, કુમારાવસ્થામાં અને યુવાનોમાં થતો આ રોગ ઓરી કરતાં ઓછો ચેપી છે. ચેપ લાગ્યા પછી 14-21 દિવસે તેનાં લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં નાક ગળવું, ગળું સૂઝવું, આંખ આવવી અને માથાની નીચે બોચીમાં દુખતી લસિકાગ્રંથિની ગાંઠો નીકળવી…
વધુ વાંચો >ઓરીઝા
ઓરીઝા (Oryza) : જુઓ ચોખા.
વધુ વાંચો >ઓરુ દેશાથિન્તે તેયા
ઓરુ દેશાથિન્તે તેયા (1972) : એસ. કે. પોટ્ટેક્કાટ લિખિત મલયાળમ નવલકથા. આ નવલકથાને કેરળ સાહિત્ય અકાદમી એવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવોર્ડ(1972)થી નવાજવામાં આવેલ. કાલીકટ નજીકના અથિરાનિપ્પદમ્ નામના પરગણાના ત્રણ દશકા સુધીના સમયગાળાના શ્રમજીવીઓના જીવનનો ચિતાર આપતી આ કથા છે. અહીં મહાનગરની હરણફાળમાં એક ગ્રામીણ વસ્તી હતી-ન-હતી થઈ જાય છે.…
વધુ વાંચો >ઓરુવિલાપમ્
ઓરુવિલાપમ્ (1905) : મલયાળમ કાવ્યકૃતિ. લેખક વી. સી. બાલકૃષ્ણ પણિક્કર. ‘ઓરુવિલાપમ્’ એટલે રુદન. લેખકે પોતાની પત્નીના કૉલેરાથી થયેલા અકાળ મૃત્યુ વિશે આ કરુણપ્રશસ્તિ (elegy) રચેલી છે. બાલકૃષ્ણ પણિક્કર મલયાળમ રંગદર્શી કવિતાના ‘શુક્રતારક’ ગણાય છે. 27 શ્લોકોની આ કૃતિ 1905માં ‘કવન કૌમુદી’ સામયિકમાં પ્રથમ પ્રગટ થઈ હતી. મલયાળમ ભાષાની આ પ્રકારની…
વધુ વાંચો >ઓરેગોન
ઓરેગોન : સંયુક્ત અમેરિકાના વાયવ્ય ખૂણે પૅસિફિક સમુદ્રના કિનારે આવેલું રાજ્ય. તે 440 00′ ઉ. અ. અને 1210 00′ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલ છે. બીવર રાજ્ય (Beaver state) તરીકે જાણીતા થયેલા આ રાજ્યનું નામ ફ્રેંચ શબ્દ ‘Ouragan’ એટલે ‘પ્રચંડ તોફાન’ પરથી પડ્યું હોય તેવો સંભવ છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ…
વધુ વાંચો >ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ
ઓરેલિયસ, ઍન્ટોનિનસ માર્ક્સ (જ. 26 એપ્રિલ 121, ઇટાલી; અ. 17 માર્ચ 180, વિયેના, ઑસ્ટ્રિયા) : નિગ્રહી (stoic) તત્ત્વચિંતક, રોમન બાદશાહ. તે ધનવાન કુટુંબમાં જન્મ્યો હતો અને બાદશાહ હેડ્રિયને તેને ભાવિ રોમન શાસક તરીકે પસંદ કર્યો હતો. વિવિધ વિષયના નિષ્ણાતો દ્વારા તેને વ્યવસ્થિત શિક્ષણ આપવામાં આવ્યું હતું. એપિક્ટેટસે ઉદબોધેલ નિગ્રહવાદ અને…
વધુ વાંચો >