ખંડ ૩

ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)

ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા

ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા (pneumatolysis) : મૅગ્મા(ભૂરસ)ના ઘનીભવન દરમિયાન તૈયાર થતા જતા અગ્નિકૃત ખડકોમાંના કે સહસંકલિત પ્રાદેશિક ખડકોમાંના અમુક પરિવર્તનશીલ ખનિજ ઘટકો ઉપર થતી મૅગ્માજન્ય વિવિધ ઉષ્ણ વાયુઓ અને બાષ્પની પ્રક્રિયાના ફેરફારોની ઘટના. આ ઘટનાને કારણે પરિણમતી પરિવર્તન-પેદાશોને ઉષ્ણબાષ્પીય ખનિજો કહે છે. જ્વાળામુખીમાંથી નીકળતા વાયુઓની સપાટી પર થતી અસરો, ઊંડાણમાં રહેલ અંતર્ભેદકોની…

વધુ વાંચો >

ઉષ્ણિક

ઉષ્ણિક : જુઓ છંદ

વધુ વાંચો >

ઉષ્ણીશ

ઉષ્ણીશ : બૌદ્ધ સ્તૂપોને ફરતી વેદિકા(railing)નો સૌથી ઉપરનો ભાગ. વેદિકાના બે બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી પીઢો (bars) સાલવીને ગોઠવવામાં આવતી. પીઢને સૂચિ પણ કહે છે. સ્તંભોની હારને આવરી લે તે રીતે સ્તંભોની સૌથી ઉપર આડી પીઢ મૂકવામાં આવતી તેને ઉષ્ણીશ (coping stone) કહે છે. પીઢના તળિયે સ્તંભના અંતર પ્રમાણે…

વધુ વાંચો >

ઉષ્ણીષ-કમલ

ઉષ્ણીષ-કમલ : બૌદ્ધદર્શન અને યોગપરંપરા પ્રમાણે શરીરમાંનાં ચાર ચક્રો પૈકીનું સર્વોચ્ચ ચક્ર. હિંદુ યોગ પરંપરામાં છ ચક્રોથી ઉપરનું સાતમું ચક્ર કમલાકૃતિનું છે, જેને સહસ્રાર ચક્ર કે સહસ્રદલ-કમલ કહેવામાં આવ્યું છે. બૌદ્ધપરંપરા પ્રમાણે ઉષ્ણીષ-કમલ 64 દલ(પાંખડી)નું હોય છે. મેરુગિરિના શિખર ઉપર જ્યાં મહાસુખનો નિવાસ છે, ત્યાં ચાર મૃણાલો પર આ ઉષ્ણીષ-કમલ…

વધુ વાંચો >

ઉષ્મા

ઉષ્મા ઊર્જાનું એક સ્વરૂપ જે અણુઓની યાર્દચ્છિક ગતિ(random motion)ના અનુપાતમાં હોય છે. ઊંચા તાપમાને રહેલા પદાર્થમાં ઉષ્માની માત્રા વધુ હોય તેવું નથી. પદાર્થમાં રહેલી ઉષ્મા-ઉર્જા પદાર્થના કદ, તેના દ્રવ્યનો પ્રકાર તેમજ તાપમાન પર આધારિત હોય છે. ઉષ્માનું સ્વરૂપ : અઢારમી સદીના અંત સુધી કેટલાક વૈજ્ઞાનિકોમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે…

વધુ વાંચો >

ઉષ્માક્ષેપક પ્રક્રિયા

ઉષ્માક્ષેપક પ્રક્રિયા : ઉષ્મા-ઊર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયાઓ. આ પ્રક્રિયાઓમાં, નીપજની કુલ ઊર્જા પ્રક્રિયકોની કુલ ઊર્જા કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં થતા ઊર્જાના ફેરફાર (એન્થાલ્પી ફેરફાર) હેસના નિયમ વડે નક્કી કરવામાં આવે છે; તે DH વડે દર્શાવવામાં આવે છે અને આવી પ્રક્રિયામાં તે ઋણ હોય છે. ગ્રૅફાઇટ કે કાર્બનનું દહન,…

વધુ વાંચો >

ઉષ્માગતિશાસ્ત્ર

ઉષ્માગતિશાસ્ત્ર (thermodynamics) જુદી જુદી ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉષ્માના સ્થાનાંતર, અને ઉષ્મા અને કાર્ય વચ્ચેના પરસ્પર રૂપાંતરણનો અભ્યાસ. તે પ્રાકૃતિક વિજ્ઞાનની એક શાખા છે. તેમાં વિવિધ પ્રકારની ઊર્જાનો ગુણદર્શક અને પરિમાણાત્મક અભ્યાસ કરવામાં આવે છે. તેનો અભ્યાસ ઇજનેરી, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવરસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેમાં સારી એવી અગત્ય ધરાવે છે.…

વધુ વાંચો >

ઉષ્માધારિતા

ઉષ્માધારિતા : જુઓ ઉષ્મા.

વધુ વાંચો >

ઉષ્માનળી

ઉષ્માનળી (heat pipe) : તાપમાનના ઓછા તફાવતવાળા કાંઈક લાંબા અંતરે ઉષ્માના પરિવહન માટે વપરાતી પ્રયુક્તિ. આને એક પ્રકારનું ઉષ્માવિનિમયક (heat-exchanger) ગણી શકાય. આ પ્રયુક્તિના એક પ્રકારમાં બન્ને છેડે બંધ પણ જરૂરી ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહી વડે અંશત: ભરેલી ઊભી પોલી નળી વપરાય છે. આ નળીનો પ્રવાહીવાળો છેડો વધુ તાપમાન ધરાવતા ક્ષેત્રમાં…

વધુ વાંચો >

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા

ઉષ્માન્યૂક્લિયર પ્રક્રિયા (thermonuclear reaction) : અતિ ઊંચા તાપમાને થતી ન્યૂક્લિયર સંગલન(fusion)ની પ્રક્રિયા. સૂર્ય એક તારો છે, જે કરોડો વર્ષોથી 3.8 x 1026 જૂલ/સેકંડના દરથી ઉષ્મા-ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા રાસાયણિક-પ્રક્રિયા કે ગુરુત્વાકર્ષણને લીધે મળતી નથી. વળી સૂર્યમાં યુરેનિયમ જેવાં ભારે તત્વો પણ નથી, જેથી ન્યૂક્લિયર-વિખંડન દ્વારા ઊર્જા ઉત્સર્જિત થવાની…

વધુ વાંચો >

ઈલેટિનેસી

Jan 1, 1991

ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…

વધુ વાંચો >

ઈલેસ્ટોમર

Jan 1, 1991

ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…

વધુ વાંચો >

ઈલોરા

Jan 1, 1991

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ

Jan 1, 1991

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…

વધુ વાંચો >

ઈવાન્જેલિકલ ચર્ચ

Jan 1, 1991

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

Jan 1, 1991

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઈવાલ, યોહૅનિસ

Jan 1, 1991

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈવોલ્વુલસ

Jan 1, 1991

ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).

વધુ વાંચો >

ઈવ્ઝ્ (Eaves) – નેવાં

Jan 1, 1991

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…

વધુ વાંચો >

ઈશાનવર્મા

Jan 1, 1991

ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…

વધુ વાંચો >