ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સંધુ, વરિયમસિંગ

Jan 23, 2007

સંધુ, વરિયમસિંગ (જ. 5 ડિસેમ્બર 1945, ચાવિંડા કલન, જિ. અમૃતસર, પંજાબ) : પંજાબી લેખક. તેમણે ગુરુનાનક દેવ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ.; અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ જાલંધરમાં લ્યાલપુર ખાલસા કૉલેજમાં પંજાબીના અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ પંજાબ યુનિવર્સિટીમાં સેનેટ-સભ્ય; પંજાબ સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય તથા પંજાબ લેખક સભાના…

વધુ વાંચો >

સંધેસરો (સફેદ ગુલમહોર)

Jan 23, 2007

સંધેસરો (સફેદ ગુલમહોર) : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delonix elata Gamble syn. Poinciana elata Linn. (સં. સિદ્ધેશ્વર, સિદ્ધનાથ; હિં. ગુલતુર્રા, સફેદ ગુલમૌર; મ. સંખેસર; તે. સંકેસુલા, વટનારાયણા; ત. વડનારાયણા; ક. કેંપુકેન્જીગા). તે 6.0 મી.થી 9.0 મી. ઊંચું ટટ્ટાર વૃક્ષ છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ…

વધુ વાંચો >

સંધ્યા રેડ્ડી, કે. આર.

Jan 23, 2007

સંધ્યા રેડ્ડી, કે. આર. (શ્રીમતી) (જ. 22 જૂન 1953, ચિત્રદુર્ગ, કર્ણાટક) : કન્નડ લેખિકા. મૈસૂર યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડમાં બી.એસસી.; એમ.એ. અને લોકસાહિત્યમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ બગલોરમાં એનજીઈએફ લિમિટેડના ગુણવત્તા અને ધોરણોના વિભાગનાં નાયબ મૅનેજરના પદ સાથે લેખનકાર્ય કરતાં રહ્યાં. 197981 દરમિયાન કન્નડ લોકસાહિત્ય એન્સાઇક્લોપીડિયાનાં સહ-સંપાદિકા; ‘એનજીઈએફવાણી’નાં સંપાદિકા; ટેક્નિકલ સામયિક…

વધુ વાંચો >

સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy)

Jan 23, 2007

સંન્યાસ (વ્યાધિપરિચય apoplexy) : બેહોશીનો એક રોગ. આયુર્વેદવિજ્ઞાનમાં ‘મૂર્ચ્છા રોગ’ની સાથે જ છેવટે ‘સંન્યાસ’ રોગનું વિવરણ આપેલું છે. મૂર્ચ્છા અને સંન્યાસ બંનેમાં દર્દી બેહોશ થઈ પડી રહે છે. પ્રાય: વ્યક્તિના મગજમાં લોહીની અછત સર્જાય ત્યારે મૂર્ચ્છા (બેભાન અવસ્થા) થાય છે. આ મૂર્ચ્છા થોડો સમય રહીને વિના ઉપચારે મટી જાય છે;…

વધુ વાંચો >

સંન્યાસી

Jan 23, 2007

સંન્યાસી : પ્રાચીન ભારતીય ધર્મશાસ્ત્રમાં બતાવેલી આશ્રમવ્યવસ્થા પ્રમાણે ચોથા આશ્રમમાં રહેનારી વ્યક્તિ. ધર્મશાસ્ત્રમાં મનુષ્યજીવનને ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં બાળક માબાપ, કુટુંબ અને સમાજની સહાયથી વિદ્યા પ્રાપ્ત કરે છે. બીજા ગૃહસ્થાશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરેલો તરુણ લગ્ન કરી ગૃહસ્થ બની માબાપ, કુટુંબ અને સમાજનાં ઋણો ચૂકવવા પ્રયત્ન કરે છે.…

વધુ વાંચો >

સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર)

Jan 23, 2007

સંપટ કુમારાચારી, કોવેલા (સંપટ કુમાર) (જ. 26 જૂન 1933, વારંગલ, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને વિવેચક. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી તેલુગુ અને હિંદીમાં એમ.એ., આંધ્ર યુનિવર્સિટીમાંથી ભાષાપ્રવીણ અને કાકટિય યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. તેઓ જટિયા સાહિત્ય પરિષદના પ્રમુખ; આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમીના સંશોધન-સમિતિના સભ્ય રહ્યા હતા. તેઓ પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત…

વધુ વાંચો >

સંપત, દ્વારકાદાસ

Jan 23, 2007

સંપત, દ્વારકાદાસ (જ. 1884, જામખંભાળિયા, ગુજરાત; અ. 1958) : ચિત્રસર્જક. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગનો વિકાસ કરવામાં પાયાનું યોગદાન આપનારાઓમાં દ્વારકાદાસ નારાયણદાસ સંપતનું નામ ભારતીય ચિત્રોના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ચલચિત્ર-કલાની તકનીક વિશે કંઈ ન જાણતા હોવા છતાં દ્વારકાદાસ સંપતને આ માધ્યમમાં વ્યાપક સંભાવનાઓ નજરે પડી હતી અને તેમણે પોતાની સૂઝબૂઝથી આ…

વધુ વાંચો >

સંપત્તિ

Jan 23, 2007

સંપત્તિ : બજારકિંમત હોય તેવી દરેક પ્રકારની મૂર્ત અને અમૂર્ત ધનદોલત. વાણિજ્ય અને અર્થશાસ્ત્રમાં સંપત્તિનાં ચાર મુખ્ય લક્ષણો ગણવામાં આવ્યાં છે : (1) જે વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનાં ગુણ યા ક્ષમતા (ઉપયોગિતા) હોય, (ii) જે જોઈતા પ્રમાણમાં તથા જ્યાં તેનો ખપ હોય ત્યાં મેળવવા માટે શ્રમ કરવો પડતો (શ્રમપ્રાપ્યતા) હોય,…

વધુ વાંચો >

સંપત્તિવેરો

Jan 23, 2007

સંપત્તિવેરો : કરદાતાની સંચિત ચોખ્ખી મિલકત (accumulated/net wealth) ઉપર લેવામાં આવતો વાર્ષિક વેરો. પ્રત્યેક આકારણી-વર્ષ (assessment year) માટે કરદાતાની સંપત્તિનું નિર્ધારણ કરીને તેની પાસેથી સંપત્તિવેરો વસૂલ કરવામાં આવે છે. કરદાતા, પોતાના ઉપર લાગુ પડતા આ વેરાનું ભારણ (incidence of tax), કોઈ અન્ય વ્યક્તિ ઉપર ખસેડી (shift) કરી શકતો નથી, તેથી…

વધુ વાંચો >

સંપર્કનિષેધ (quarantine)

Jan 23, 2007

સંપર્કનિષેધ (quarantine) : ચેપી રોગના સંપર્કમાં આવેલાં માણસો કે પ્રાણીઓને તે રોગના લાંબામાં લાંબા ઉષ્મનકાલ (incubation period) સુધી સ્વતંત્ર રીતે હરવાફરવા પર નિયંત્રણ મૂકવું તે. ચેપ લાગ્યા પછી શરીરમાં સૂક્ષ્મજીવોની પૂરતી સંખ્યાવૃદ્ધિ કરીને નિદાન કરી શકાય તેવા રોગનું પ્રથમ લક્ષણ કે ચિહ્ન ઉત્પન્ન કરે તે સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. સાદી…

વધુ વાંચો >