ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સહસવાન ઘરાણું

Jan 18, 2007

સહસવાન ઘરાણું : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક ઘરાણું. તેનું નામ ઉત્તરપ્રદેશના બદાઇયું ઇલાકામાં આવેલા સહસવાન નામના એક શહેર પરથી પડ્યું છે. અઢારમી સદીની શરૂઆતમાં સહસવાનના બે પ્રખર ગાયકો સાહેબુદૌલા તથા કુતુબુદૌલા અવધના દરબારી સંગીતકાર હતા. એમના શિષ્ય મહેબૂબખાંએ પોતાના પુત્ર ઇનાયતહુસેનખાંને સંગીતની પ્રાથમિક તાલીમ આપ્યા બાદ રામપુર દરબારના મહાન…

વધુ વાંચો >

સહસંયોજકબંધ

Jan 18, 2007

સહસંયોજકબંધ : જુઓ રાસાયણિક બંધ.

વધુ વાંચો >

સહસંવેદન (synaesthesia)

Jan 18, 2007

સહસંવેદન (synaesthesia) : સહસંવેદન એક એવી અનૈચ્છિક પ્રક્રિયા, જેમાં એક ઇંદ્રિય ઉદ્દીપિત થવાથી ઉત્પન્ન થતા સંવેદન સાથે બીજી ઇંદ્રિયમાં પણ સંવેદન ઊપજે છે. તેના માટેના અંગ્રેજી શબ્દ ‘synaesthesia’માં ‘syn’ એટલે ‘એકસાથે’, અને ‘Aesthesia’ એટલે ‘સંવેદનોનું જોડાવું તે’. ગીટારનો ધ્વનિ સંભળાય ત્યારે વ્યક્તિને શ્રવણ-સંવેદન તો થાય જ, પરંતુ સાથે તેને કોઈક…

વધુ વાંચો >

સહસ્ફટિકીભવન (Eutectic)

Jan 18, 2007

સહસ્ફટિકીભવન (Eutectic) : બે અમિશ્રિત ઘટકોથી બનેલા દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણમાં બે ઘટકોની એકસાથે તૈયાર થવાની પ્રક્રિયા. દ્વિઅંગી મૅગ્માના સ્ફટિકીકરણની આ પ્રકારની પ્રક્રિયા તાપમાન-બંધારણના આલેખની મદદથી સમજાવી શકાય. પરંતુ અહીં મહત્ત્વની બાબત એ છે કે જ્યારે મૅગ્મા બે ઘટકોનો બનેલો હોય ત્યારે તેમાં દરેક ઘટકના અમુક ચોક્કસ ગુણધર્મોમાં ફેરફાર થાય છે.…

વધુ વાંચો >

સહસ્રબુધ્યે, રમેશ કે.

Jan 18, 2007

સહસ્રબુધ્યે, રમેશ કે. (જ. 8 સપ્ટેમ્બર 1938, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠીના લોકપ્રિય વિજ્ઞાનલેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ.; અને બી.એસસી.; ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી બી.જે.; ડીસીઇની પદવી મેળવી. પછી તેમણે નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયામાં ફિલ્મ સંગ્રહાલયના ઑફિસર તરીકે કારકિર્દી શરૂ કરી. તેઓ મહારાષ્ટ્ર વિદ્યુત મંડળ માહિતી-પત્રિકાના સંપાદક; જર્નલ ઑવ્ મરાઠી વિજ્ઞાનપરિષદ…

વધુ વાંચો >

સહસ્રલિંગ તળાવ

Jan 18, 2007

સહસ્રલિંગ તળાવ : પાટણમાં સિદ્ધરાજ જયસિંહે દુર્લભ સરોવરનું નવનિર્માણ કરીને બંધાવેલ સરોવર. ભારતીય વાસ્તુગ્રંથોમાં જળાશયોની વ્યવસ્થા તથા પુર કે નગરની રચનામાં પણ તેઓનું અનન્ય સ્થાન, પ્રકાર તથા વિવિધ ઘાટ વિશે નિરૂપણ જોવામાં આવે છે. જળાશયોમાં મુખ્યત્વે ચારેય બાજુએથી બાંધેલું સરોવર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પશ્ચિમ ભારતમાં ગુજરાત અને રાજસ્થાનના પ્રદેશોમાં…

વધુ વાંચો >

સહસ્રાર્જુન 

Jan 18, 2007

સહસ્રાર્જુન  : માળવામાં માહિષ્મતીનો રાજધાની બનાવી રાજ કરતો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. તે હૈહય વંશના રાજા કૃતવીર્યનો પુત્ર હતો. એનું મૂળનામ અર્જુન હતું. દત્તાત્રેયની ઉગ્ર ઉપાસના કરવાથી તેને સહસ્ર ભુજાઓ તેમજ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, આથી તે સહસ્રાર્જુનને નામે પ્રસિદ્ધ થયો. નર્મદા નદીમાં એ પોતાની રાણીઓ સાથે જલક્રીડા કરી રહ્યો…

વધુ વાંચો >

સહા, આરતી

Jan 18, 2007

સહા, આરતી (જ. 1940, કોલકાતા; અ. 23 ઑગસ્ટ, 1994, કોલકાતા) : ભારતની લાંબા અંતરની અગ્રણી મહિલા-તરવૈયા. નાનપણથી જ તેમને તરવાનો શોખ હતો. તેઓ ભારતનાં જ નહિ, પરંતુ ‘ઇંગ્લિશ ચૅનલ’ તરનારાં એશિયા ખંડનાં પ્રથમ મહિલા-તરવૈયા બનવાનું ગૌરવ મેળવી શક્યાં. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેના સમુદ્રના ભાગને ‘ઇંગ્લિશ ચૅનલ’ કહેવામાં આવે છે અને…

વધુ વાંચો >

સહાની, બલરાજ

Jan 18, 2007

સહાની, બલરાજ  (જ. 1 મે 1913, રાવલપિંડી, હાલ પાકિસ્તાન; અ. 13 એપ્રિલ 1973, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. પરિપક્વ ઉંમરે અભિનેતા બનેલા બલરાજ સહાની અભિનયમાં નાટકીયતા કરતાં સ્વાભાવિકતાને વધુ મહત્ત્વ આપતા. ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાંથી તેઓ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયા હતા. પિતાનો કપડાંનો વેપાર હતો. તેમના કહેવાથી ધંધો સંભાળી લેવો…

વધુ વાંચો >

સહાની, બીરબલ

Jan 18, 2007

સહાની, બીરબલ (જ. 14 નવેમ્બર 1891, મૅરા, પંજાબ; અ. એપ્રિલ 1949, લખનૌ) : ખ્યાતનામ વનસ્પતિવિદ અને પુરાવનસ્પતિવિજ્ઞાની (palaeobotanist). 1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા. 1919માં લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસસી. અને 1929માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસસી.ડી. થયા. 1919-20 દરમિયાન બનારસ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક; 1920-21માં પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1921માં લખનૌ યુનિવર્સિટી વનસ્પતિવિજ્ઞાનના…

વધુ વાંચો >