ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સહજીવન (symbiosis)

Jan 17, 2007

સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર…

વધુ વાંચો >

સહજોબાઈ

Jan 17, 2007

સહજોબાઈ (જ. 1683, ડેહરા, મેવાત, રાજસ્થાન; અ. 1763 : દિલ્હીના સંત ચરણદાસનાં શિષ્યા. આજીવન બ્રહ્મચારી રહી સંતજીવન ગુરુઆશ્રમમાં ગાળ્યું. તેમણે ‘સહજપ્રકાશ’ ગ્રંથની રચના 1743માં કરેલી. ‘શબ્દ’ અને ‘સોલહતત્વપ્રકાશ’ પણ એમની રચનાઓ મનાય છે. ગુરુની મહત્તા, નામ-માહાત્મ્ય, અજપાજપ, સંસારનું મિથ્યાત્વ, સંસાર-પ્રપંચથી દૂર રહેવાની ચેતવણી, કામ, ક્રોધ, લોભ, મોહ-માન વગેરેનો ત્યાગ કરવો,…

વધુ વાંચો >

સહદેવ

Jan 17, 2007

સહદેવ : ‘મહાભારત’નું એક મહત્ત્વનું પાત્ર. પાંચ પાંડવોમાં સૌથી નાનો. હસ્તિનાપુરનરેશ પાંડુની નાની પત્ની માદ્રીએ પતિની સંમતિથી અશ્ર્વિનીકુમારોના મંત્ર દ્વારા બે પુત્રો પ્રાપ્ત કરેલા : નકુલ અને સહદેવ. સ્વરૂપ, પરાક્રમ અને સ્વભાવમાં બંને સરખા હોઈ એમની જોડી અભેદ્ય ગણાતી. સહદેવના જન્મસમયે તેની મહત્તા વર્ણવતી આકાશવાણી થયેલી. સંસ્કાર : તેના ઉપનયનાદિ…

વધુ વાંચો >

સહદેવી (સેદરડી)

Jan 17, 2007

સહદેવી (સેદરડી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vernonia cinerea Less. (સં. સહદેવી; હિ. સહદેઈ, સહદેવી; મ. સદોડી, ઓસાડી; બં. કાલાજીરા; અં. પર્પલ ફ્લિએબેન; એશ-કલર્ડ ફ્લિએબેન) છે. તે ટટ્ટાર, ભાગ્યે જ અગ્રોન્નત અનુસર્પી (decumbent) શાકીય વનસ્પતિ છે અને ચોમાસામાં સમગ્ર ભારતમાં આશરે 1,800 મી.ની ઊંચાઈ…

વધુ વાંચો >

સહબહુલક

Jan 17, 2007

સહબહુલક : જુઓ બહુલકો.

વધુ વાંચો >

સહબાઈ, ઇમામબક્ષ

Jan 17, 2007

સહબાઈ, ઇમામબક્ષ (જ. ?, દિલ્હી; અ. 1857, દિલ્હી) : અરબી અને ફારસીના પ્રખર વિદ્વાન. તેઓ સૈયદ એહમદખાનના સાથી કાર્યકર અને મહાન કવિ ગાલિબના નિકટવર્તી મિત્ર હતા. અભ્યાસ બાદ દિલ્હી કૉલેજમાં તેઓ અધ્યાપક તરીકે જોડાયા હતા. મૌલવી મોહમદહુસેન આઝાદ તથા મુનશી પ્યારેલાલ આશૂબ તેમના ખાસ શિષ્યો હતા. તેઓ કાવ્યશાસ્ત્રમાં, ખાસ કરીને…

વધુ વાંચો >

સહભાગીદારી (copartnership)

Jan 17, 2007

સહભાગીદારી (copartnership) : ભાગીદારીમાં ધંધો કરવા માટે ટૂંકા સમય માટે સ્થાપવામાં આવેલી પેઢી. નફો વહેંચી લેવાના ઉદ્દેશથી સામાન્યત: ભાગીદારી પેઢીઓ શરૂ થાય છે અને કોઈ એક ધંધાને સતત ચાલુ રાખીને સતત નફો મેળવવાના ઉદ્દેશથી પણ ભાગીદારી પેઢીઓ ચાલતી હોય છે. આર્થિક ક્ષેત્રે એવા કેટલાક બનાવો બને છે કે જેનો લાભ…

વધુ વાંચો >

સહભોજિતા (commensalism)

Jan 17, 2007

સહભોજિતા (commensalism) : જુઓ સહજીવન.

વધુ વાંચો >

સહરસા

Jan 17, 2007

સહરસા : બિહાર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા મથક. ભૌગોલિક સ્થાન : તે 25° 23´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 1195 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સુપૌલ, વાયવ્યમાં મધુબની, પૂર્વમાં માધેપુરા, દક્ષિણમાં ખગારિયા તથા પશ્ચિમે દરભંગા જિલ્લો આવેલા છે. જિલ્લામથક સહરસા જિલ્લાનું…

વધુ વાંચો >

સહરાનપુર

Jan 17, 2007

સહરાનપુર : ઉત્તરપ્રદેશના મેરઠ વિભાગમાં, ગંગા-જમનાના દોઆબ વિસ્તારમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 29° 34´થી 30° 24´ ઉ. અ. અને 77° 07´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. ગંગા નદી તેની પૂર્વ સરહદ અને જમના નદી તેની પશ્ચિમ સરહદ રચે…

વધુ વાંચો >