ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સમસ્થિતિ (homeostasis)
સમસ્થિતિ (homeostasis) : શરીરનાં વિવિધ પ્રવાહીઓ અને પેશીઓની વિવિધ ક્રિયાઓમાં પરસ્પર વિરોધી દબાણો તથા રસાયણો વચ્ચે સંતુલન જાળવવાની સ્થિતિ તથા તે માટેની પ્રક્રિયાઓ. ડબ્લ્યૂ. બી. કેનન શરીરના દરેક સમયે સમાન રહેતા અંદરના વાતાવરણની જાળવણીને સમસ્થિતિ કહે છે. કોષોની આસપાસ પ્રવાહી હોય છે. તેને બહિર્કોષી જલ (extracellular fluid) પણ કહે છે.…
વધુ વાંચો >સમસ્થિતિ
સમસ્થિતિ : જુઓ ભૂસંતુલન
વધુ વાંચો >સમાકલન (rationalisation)
સમાકલન (rationalisation) : સમગ્ર ઉદ્યોગ અથવા ઔદ્યોગિક/ધંધાદારી પેઢી અથવા ઔદ્યોગિક/ધંધાદારી એકમની કાર્યક્ષમતા અને નફાકારકતા વધારવા માટે તેમનું પુનર્ગઠન. એક જ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા અનેક ધંધાકીય એકમોનો સરવાળો એટલે તે પ્રવૃત્તિનો ઉદ્યોગ; દા.ત., કાપડના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા બધા એકમો મળીને કાપડ-ઉદ્યોગ બને છે. સમગ્ર ઉદ્યોગની કાર્યક્ષમતા વધારવા માટે એના…
વધુ વાંચો >સમાક્ષેપણ (ઊર્ણન, flocculation)
સમાક્ષેપણ (ઊર્ણન, flocculation) : પ્રવાહી માધ્યમમાં રહેલા બારીક અથવા કલિલી (colloidal) કણોને નાનાં ઝુંડો (clumps) અથવા ઝૂમખાં(tufts)માં ફેરવવા માટેની સંચયન (combination) કે સમુચ્ચયન(aggregation)ની ક્રિયા. આવા સમુચ્ચયોને સ્કંદો (coagula) અથવા ગુચ્છો (flocs) કહે છે, તેમાંના સંસક્તિ(cohesive)બળો પ્રમાણમાં નબળાં હોવાથી પ્રવાહીને હલાવવાથી ઘણી વાર સમાક્ષેપણને ઉત્ક્રમિત કરી શકાય છે. સંલયન (coalescence) કે…
વધુ વાંચો >સમાચાર
સમાચાર : સાંપ્રત ઘટના વિશેની માહિતી. ઘણુંખરું સામાજિક મહત્ત્વની તથા વ્યક્તિગત સંવેદનોને સ્પર્શતી ઘટનાનું વર્ણન તથા વિવરણ. સમાચારનું મૂળ ઘટના છે; પરંતુ પ્રત્યેક ઘટના સમાચાર નથી. જે ઘટનાનો અહેવાલ છાપામાં પ્રસિદ્ધ થાય તેને સમાચાર કહેવાય. સમાચારનો અંગ્રેજી શબ્દ ‘ન્યૂઝ’ (NEWS) ચારેય દિશાઓ માટેના અંગ્રેજી શબ્દોના પ્રથમ અક્ષરથી બનેલો છે, એટલે…
વધુ વાંચો >સમાજ (તટજલજીવી સમાજ)
સમાજ (તટજલજીવી સમાજ) : સમુદ્રની વિશાળ જળરાશી પૈકીના છીછરા ખંડીય છાજલીના કિનારાના જળમાં વસતો વનસ્પતિ અને પ્રાણીજીવોનો સમાજ, જેના ઘટકો નીચે મુજબ છે : ઉત્પાદકો (producers) : ડાયટૉમ્સ, ડિનોફ્લેજિલેટ્સ અને સૂક્ષ્મકશીય (microflagellates) ઉત્પાદક પોષણ સ્તરના પ્રભાવી સજીવો તરીકે જોવા મળે છે. આ ત્રણેય જૂથ આકૃતિ 1માં દર્શાવેલ છે. ડાયટૉમ્સ ઉત્તર…
વધુ વાંચો >સમાજ (society)
સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો…
વધુ વાંચો >સમાજકલ્યાણ
સમાજકલ્યાણ : સમાજના કોઈ સમુદાયની વ્યાધિકીય સ્થિતિમાં સુધારો લાવવાની દિશામાં વ્યક્તિગત અથવા સાર્વજનિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા વ્યવસ્થિત પ્રયાસો. ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ અનુસાર સમાજકલ્યાણ એ કાયદાની એવી પદ્ધતિ છે જેના દ્વારા સરકાર સંરક્ષણ – સુરક્ષા આપીને પોતાના નાગરિકોને સામાજિક-આર્થિક કલ્યાણ બક્ષે છે. યુનાઇટેડ નૅશન્સે આધુનિક રાજ્યની કલ્યાણપ્રવૃત્તિઓને માનવ-અધિકારો સાથે જોડીને ઘોષણા…
વધુ વાંચો >સમાજમિતિ (sociometry)
સમાજમિતિ (sociometry) : સમાજશાસ્ત્રની એક સંશોધનપ્રવૃત્તિ. જે. એલ. મોરેનો(1934)એ સર્વપ્રથમ આ પદ્ધતિની વાત કરી ત્યારબાદ સુધારા-વધારા સાથે સામાજિક જૂથ અને સામાજિક સંબંધોના સંશોધનમાં આ પદ્ધતિ પ્રયોજાતી રહી છે. ફ્રાન્સના મત મુજબ ‘‘કોઈ એક જૂથના સભ્યો વચ્ચેનાં આકર્ષણ અને અપાકર્ષણના માપન દ્વારા જૂથના સભ્યોની પસંદગી, પ્રત્યાયન અને આંતરક્રિયાની તરાહ’’ જાણવા માટે…
વધુ વાંચો >સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >