ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વર્ણપટ
અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વર્ણપટ : પદાર્થના અણુઓએ વિવિધ તરંગ-લંબાઈએ શોષેલા અલ્ટ્રાવાયોલેટ વિકિરણની માત્રાની નોંધ. આ જ રીતે દૃશ્ય અવશોષણ વર્ણપટ(visible absorption specturm)માં દૃશ્ય વિકિરણની વિવિધ તરંગ-લંબાઈનો (400થી 800 nm) ઉપયોગ કરવામાં આવે છે. અલ્ટ્રાવાયોલેટ અને દૃશ્ય વર્ણપટની નોંધ આકૃતિ 1માં આપવામાં આવેલી છે : અણુઓ સાથે વિદ્યુતચુંબકીય વિકિરણની આંતરપ્રક્રિયા (interaction) પર…
વધુ વાંચો >અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણ
અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણ (radiation) : દૃશ્ય પ્રકાશથી નાની અને ઍક્સ-કિરણો કરતાં મોટી (4થી 400 ને.મી. અથવા 40થી 4000 ગાળાની) તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય (electromagnetic) વિકિરણ. તરંગ (wave) દ્વારા ઊર્જાનું સંચારણ (transmission) વિદ્યુતચુંબકીય વિકિરણ તરીકે ઓળખાય છે. ઉષ્માનાં કિરણો, દૃશ્ય પ્રકાશનાં કિરણો, ઍક્સ-કિરણો વગેરે વિદ્યુતચુંબકીય વર્ણપટ(spectrum)ના પેટાવિભાગો છે. તેમની વચ્ચેનો તફાવત ફક્ત…
વધુ વાંચો >અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ
અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજ (ultracentrifuge) : ગુરુત્વાકર્ષણ કરતાં લગભગ 2,50,000 ગણું બળ ઉપજાવતી, સંવહનરહિત, (convection-free) ઉચ્ચગતિક (high speed) પરિભ્રમણીય અલગન પ્રયુક્તિ. 1923માં સ્વેડબર્ગે અલ્ટ્રાસેન્ટ્રિફ્યૂજનો ઉપયોગ કરીને રક્તમાંનું હીમોગ્લોબિન ચાર પ્રોટીન એકમોનું બનેલું છે તેમ પુરવાર કર્યું હતું. કલિલ(colloid) દ્રાવણને ઠરવા દેતાં ભારે કણો તળિયે બેસે છે, જ્યારે હલકા કણો ઉપર તરે છે. કણની…
વધુ વાંચો >અલ્ટ્રાસોનિક
અલ્ટ્રાસોનિક : જુઓ, ધ્વનિ.
વધુ વાંચો >અલ્ટ્રાસોનોગ્રાફી
અલ્ટ્રાસોનોગ્રાફી (પારધ્વનિચિત્રણ; અશ્રાવ્યધ્વનિચિત્રણ) : 30,000 હટર્ઝ (Hz) કરતાં વધુ આવૃત્તિવાળા પારધ્વનિ-તરંગોનો ઉપયોગ કરી શરીરમાંનાં અંગોનાં ચિત્રો પ્રાપ્ત કરવાની પદ્ધતિ. શરીરમાં બહારથી મોકલાયેલા, સાંભળી ન શકાય (પાર) એવા અવાજ(ધ્વનિ)ના તરંગોનું, વિવિધ પેશીઓ જુદા જુદા પ્રમાણમાં પડઘા રૂપે પરાવર્તન કરે છે. આ પરાવર્તિત ધ્વનિતરંગોને આધુનિક ટૅકનિકથી ચિત્રમાં ફેરવી શકાય છે. નિદાન માટે…
વધુ વાંચો >અલ્ટ્રાસોનોગ્રાફી સગર્ભાવસ્થામાં
અલ્ટ્રાસોનોગ્રાફી, સગર્ભાવસ્થામાં : ગર્ભને લગતી વિગતવાર માહિતી આપતી પારધ્વનિચિત્રણ-પદ્ધતિ. તે એંસીના દાયકાથી ઉપયોગી નીવડી છે. ઘણે સ્થળે ઉપલબ્ધ આ પદ્ધતિમાં ઍક્સ-રે જેવાં આયનકારી (ionising) વિકિરણ વપરાતાં ન હોવાથી માતા અને ગર્ભની સુરક્ષા વધી છે. અન્યથા ન મળી શકે તેવી માહિતી હવેથી આ સાદી, સલામત, ચોક્કસ અને પીડા વગરની પદ્ધતિ દ્વારા…
વધુ વાંચો >અલ્તાઈ પર્વતમાળા
અલ્તાઈ પર્વતમાળા : મધ્ય એશિયામાં રશિયા, મોંગોલિયા અને ચીનમાં પથરાયેલી લગભગ 1,600 કિમી. લાંબી પર્વતમાળા. પશ્ચિમ સાઇબીરિયાના ગોબી રણથી તે શરૂ થાય છે. તુર્ક-મોંગોલિયન ભાષાના ‘અલ્તાન’ (સોનેરી) શબ્દ પરથી આ પર્વતમાળાનું નામ પડ્યું છે. રશિયાના મધ્ય અને પૂર્વ ભાગમાં અલ્તાઈ પર્વતમાળા સૌથી ઊંચી છે. ત્યાં સૌથી ઊંચું શિખર બેલુખા (4496…
વધુ વાંચો >અલ્પપ્રતિગ્રાહીકરણ
અલ્પપ્રતિગ્રાહીકરણ (hyposensitization) : ઍલર્જી ઘટાડવાની પ્રક્રિયા. રોગ સામે રક્ષણ માટે શરીરમાં પ્રતિરક્ષાક્ષમતા (immunity) રહેલી છે. તે બહારના પદાર્થોમાં રહેલા પ્રોટીનના બનેલા પ્રતિજન(antigen)ને ઓળખીને તેની સામે વિશિષ્ટ પ્રતિદ્રવ્ય (antibody) બનાવે છે. આ પ્રતિદ્રવ્ય જ્યારે તેના સંબંધિત પ્રતિજનના સંપર્કમાં આવે ત્યારે તેને ગ્રહી લે છે અને તેની અસરને નાબૂદ કરે છે. આ…
વધુ વાંચો >અલ્પમૂત્રક અંત:સ્રાવ
અલ્પમૂત્રક અંત:સ્રાવ (ADH) : પીયૂષિકા (pituitary) ગ્રંથિના પાછળના ભાગમાં ઉત્પન્ન થતો અંત:સ્રાવ. આ અંત:સ્રાવ મૂત્રકનલિકાઓ(renal tubules)માંથી પાણીનું પુન:શોષણ કરાવે છે. તેનો સ્રાવ સાવ બંધ થાય તો પાણીનું પુન:શોષણ થતું અટકે છે. પાણીનો જે જથ્થો મૂત્રક(nephron)માં ગળાય, તે બધો જ મૂત્રમાર્ગે બહાર નીકળી જાય છે. આને અતિજલમેહ (diabetes insipidus) કહે છે.…
વધુ વાંચો >અલ્પવિકાસ
અલ્પવિકાસ : અર્થતંત્રની સ્થગિતતા કે પરિવર્તનના અભાવમાંથી સર્જાતી આર્થિક પરિસ્થિતિ. દેશના અર્થતંત્રમાં પ્રાપ્ય સાધનોનો ઇષ્ટ તથા મહત્તમ ઉપયોગ કરવાથી આર્થિક વિકાસની જે સપાટી પ્રાપ્ત થઈ શકે તેનાથી નિમ્ન સ્તર અર્થતંત્રના અલ્પવિકાસનો નિર્દેશ કરે છે. અલ્પવિકાસ એ એક સાપેક્ષ ખ્યાલ છે. આર્થિક પરિબળોના સંદર્ભમાં વિકાસની ભિન્ન ભિન્ન અપેક્ષિત સપાટી ધ્યાનમાં લઈને…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >