ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અબુલ ફરજ રુની ગઝનવી

અબુલ ફરજ રુની ગઝનવી (જ. 1035, લાહોર; અ. 1097) : ભારતનો સર્વપ્રથમ ફારસી કવિ અને વિદ્વાન. પિતાનું નામ મસૂદ. તેને ફારસી ભાષાનો ‘ઉસ્તાદે સુખન’ ગણવામાં આવે છે. લાહોરનો કવિ મસ્ઊદ સા’દ તેનો યુવાન દેશબંધુ હતો. ઉસ્તાદ રુનીએ ઘણાં કસીદા કાવ્યો સુલ્તાન ઇબ્રાહીમ બિન મસૂદ(ઈ.સ. 1059-99)ની પ્રશંસામાં લખ્યાં છે. સર્વોત્તમ કસીદા…

વધુ વાંચો >

અબુલ મહાસિન

અબુલ મહાસિન (જ. 1531-32, મોરૉક્કો; અ. 14 ઑગસ્ટ 1604, મોરૉક્કો) : મોરૉક્કોના ધર્મશાસ્ત્રી અને પ્રખ્યાત સૂફી શેખ. મૂળ નામ યૂસુફ બિન મુહમ્મદ બિન યૂસુફ અલફાસી, પણ અબુલ મહાસિનના નામે સુવિખ્યાત. સાક્ષર કુટુંબ ‘ફાસીય્યૂન’ના વડીલ. તેમના વડીલ ઈ.સ. 1475માં સ્પેનનું મલાગા શહેર છોડી મોરૉક્કોમાં વસવા ગયા હતા. ત્યાં ‘અલ્ કસ્રુલકબીર’માં અબુલ…

વધુ વાંચો >

અબુલહસન

અબુલહસન (જ. જુલાઈ 1620; અ. 26 માર્ચ 1681) : અરબી ઇતિહાસકાર. નામ અહમદ બિન સાલિહ, પણ ‘ઈબ્ન અબિર્ રજાલ’ને નામે જાણીતો. યમન પ્રાંતમાં જન્મ. ઝેદી શિયા સંપ્રદાય. ઇતિહાસ ઉપરાંત એણે ધર્મશાસ્ત્રવિષયક પુસ્તકો પણ લખ્યાં છે. તેણે કુરાન, હદીસ અને ઇસ્લામી ધર્મશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું. એ સુન્આ શહેરનો અધિકારી નિમાયો હતો.…

વધુ વાંચો >

અબૂ અલ અસ્વદ

અબૂ અલ અસ્વદ (મૃત્યુ ઈ.સ. 570) : અરબી કવિ. તેનું નામ અમ્ર, અટક અબુ અલ અસ્વદ, પિતાનું નામ કલસૂમ બિન માલિક. કબીલા તગલબનો શૂરવીર અને નામાંકિત સરદાર હતો. તેની શક્તિ અને નીડરતાને કારણે તેને ‘અરબનો સિંહ’ કહેતા. તેણે ‘બસૂસની લડાઈ’માં ભાગ લીધો હતો. હૈરાના બાદશાહ અમર બિન હિંદની માતા હિંદે,…

વધુ વાંચો >

અબૂ ઝૈદ-અબૂ અન્સારી

અબૂ ઝૈદ-અબૂ અન્સારી (નવમી સદી) : અરબી વૈયાકરણ. નામ સઇદ બિન ઔસ. મદીનાના ખઝરજ પરિવારમાં જન્મ. બસરા શાળાનો અબૂ અમ્ર બિન અલઅલાનો શિષ્ય. કૂફા શહેરમાં જઈ એણે અલમુફદ્દલ અલ દબ્બી પાસેથી અરબી કાવ્યોની હસ્તપ્રતો એકઠી કરી, એનો ઉપયોગ પોતાના પુસ્તક ‘અલનવાદિર’માં કર્યો હતો. અબ્બાસી ખલીફા અલ મેહદીએ તેને બગદાદ આવવાનું…

વધુ વાંચો >

અબૂ તમામ

અબૂ તમામ (જ. 806, જાસિમ, અરબસ્તાન; અ. 846, મોસલ) : અરબી કવિ. મૂળ નામ હબીબ બિન ઔસ. પુત્ર તમામ પરથી એમની અટક તમામ પાડેલી. આ નામથી જ તેઓ પ્રસિદ્ધ થયેલા. મિસર જઈને અરબી કાવ્યો તથા કાવ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી તે પાછા સિરિયા આવ્યા. અબ્બાસી ખલીફા અલમામૂન (ઈ.સ. 800-833)…

વધુ વાંચો >

અબૂ તાલિબ

અબૂ તાલિબ : અરબી ધાર્મિક પુરુષ. બિન અબ્દુલ મુત્તલિબ(હાશિમી કુરેશી અને રસૂલે ખુદા)ના કાકા. એમણે હઝરત મોહંમદને ખૂબ હેતથી ઉછેર્યા હતા. મક્કામાં ઇસ્લામના દુશ્મનોએ જ્યારે રસૂલે ખુદાને રંજાડવા પ્રયત્ન કર્યો ત્યારે એમણે પોતાના ભત્રીજાનો જાનના જોખમે પણ જોરદાર બચાવ કર્યો. છેવટે મક્કાના લોકોએ હઝરતે અબૂ તાલિબનો અને એમના કુટુંબનો બહિષ્કાર…

વધુ વાંચો >

અબૂ તુરાબ વલી

અબૂ તુરાબ વલી (જ. ચાંપાનેર; અ. 1594) : પ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘તવારીખે ગુજરાત’નો કર્તા. શીરાઝના સલામી સૈયદ કુટુંબનો નબીરો. પિતા શાહ કુત્બુદ્દીન શુકરુલ્લાહ. દાદા સૈયદ શાહ મીર તરીકે જાણીતા વિદ્વાન મીર ગ્યાસુદ્દીન, જે કુત્બુદ્દીનના સમયમાં (1451-58) ગુજરાતની મુલાકાત લઈ ગયેલા અને 1492માં પુત્ર મીર કમાલુદ્દીન સાથે ચાંપાનેરમાં વસી ગયેલા. અબૂ તુરાબ…

વધુ વાંચો >

અબૂ નુવાસ (હસન બિન હાની)

અબૂ નુવાસ (હસન બિન હાની) (જ. આઠમી સદી, અહવાઝઅરબસ્તાન) : અરબી કવિ. ખભા સુધી જુલ્ફાં લટકતાં તેથી એમને અબૂ નુવાસ કહેતા. બસરા શહેરમાં વિદ્યાપ્રાપ્તિ કરેલી. અનેક દોષોને કારણે અનેક વાર જેલવાસ ભોગવેલો. એમના કાવ્યસંગ્રહ ‘દીવાના’માં પ્રશિસ્તકાવ્યો, કટાક્ષકાવ્યો, શોકકાવ્યો, ધાર્મિક સ્તોત્રો ઇત્યાદિ છે. તેમાં વિષયોનું અને ભાવોનું પ્રચુર વૈવિધ્ય છે, પણ…

વધુ વાંચો >

અબૂ બક્ર

અબૂ બક્ર (ઈ.સ. છઠ્ઠી સદી) : પહેલા ખલીફા. નામ અબ્દુલ્લાહ બિન ઉસ્માન બિન આમિર. અટક (કુન્યાત) અબૂ બક્ર. સિદ્દીક તેમજ અતીક એમના લકબ (ઉપનામ) હતા. એમના પિતાની કુન્યાત અબૂ કહાફા હતી. છઠ્ઠી પેઢીએ એમનો વંશ હઝરત મોહંમદ મુસ્તફા સાથે ભળી જાય છે. તેઓ એક ધનિક અને પ્રામાણિક વેપારી હતા. પુરુષોમાં…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >