ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અનુકૂલન (જીવવિજ્ઞાન)

અનુકૂલન (જીવવિજ્ઞાન) (adaptation) : વનસ્પતિ કે પ્રાણી પોતાના પર્યાવરણમાં વસવા કે ટકી રહેવાની ક્ષમતા પામે એવી પ્રક્રિયા. વારસાગત લક્ષણો નૈસર્ગિક પસંદગીની અસરોનો સમન્વય સાધે તે અનુકૂલન. દેખીતી રીતે સરખાં જણાતાં સજીવો પણ બંધારણ, કાર્યો, વિકરણ, રક્ષણ, ભક્ષણ, પ્રજનનની રીત અને વિકાસની બાબતોમાં વિભિન્ન અનુકૂલનો ધરાવે છે. અનુકૂલનમાં પોતાને અનુકૂળ પર્યાવરણમાં…

વધુ વાંચો >

અનુકૂલન (માનસશાસ્ત્ર)

અનુકૂલન (માનસશાસ્ત્ર) (adjustment) : પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અને અન્ય લોકો સાથે સંતોષકારક રીતે તે સંબંધો જાળવવા માટે વ્યક્તિ દ્વારા પોતાનામાં, અન્ય લોકોમાં કે પરિસ્થિતિમાં કરવામાં આવતા ફેરફારોની પ્રક્રિયા. સામાન્ય મનુષ્યને જીવનમાં ભાતભાતના ‘મુશ્કેલ’ લોકો સાથે પનારો પડતો હોય છે. ક્રોધી પિતા, રોદણાં રડતી માતા, ઈર્ષાળુ સગાંસંબંધીઓ, વઢકણી સાસુ, નાની…

વધુ વાંચો >

અનુકૂલન (સમાજશાસ્ત્ર)

અનુકૂલન (સમાજશાસ્ત્ર) (adaptation) : જે પ્રક્રિયા દ્વારા એક સજીવ દેહ, સમાજ, સમૂહ કે સંસ્કૃતિની અંદર આવતાં પરિવર્તનો તેમના જૈવ અસ્તિત્વને ટકાવી રાખવામાં સહાયક બને છે, તેને સમાજશાસ્ત્રમાં અનુકૂલન (adaptation) કહેવામાં આવે છે. અનુકૂલનની ત્રણ કક્ષા પાડવામાં આવી છે : (1) ભૌતિક (physical), (2) જૈવિક (biological), (3) સામાજિક. અનુકૂલનની પ્રક્રિયાને યથાર્થ…

વધુ વાંચો >

અનુકૂલન-વિકારો

અનુકૂલન-વિકારો (adjustment disorders) : વિપરીત પરિસ્થિતિમાં માનસિક રીતે ગોઠવાવાની તકલીફ. તે સ્પષ્ટ ઓળખી શકાય તેવા બનાવ કે પ્રતિકૂળ પરિસ્થિતિના પ્રતિભાવ રૂપે ઉદભવતી વિકારી પ્રતિક્રિયાઓ (maladaptive reactions) છે. આ પ્રતિક્રિયાઓ, પ્રતિકૂળ પરિસ્થિતિ સમાપ્ત થતાં કે અન્યથા મનનું સમાધાન થતાં, શમી જાય છે. આ પ્રતિક્રિયાઓને લીધે વ્યક્તિનાં સામાજિક અને વ્યાવસાયિક કાર્યોમાં ક્ષતિ…

વધુ વાંચો >

અનુક્રમણ

અનુક્રમણ (succession) : ભૂમિના કોઈ નિર્વસિત (denuded) વિસ્તાર પર ક્રમિક અને સંભવિત ક્રમે જીવસમાજ વસવાની પ્રક્રિયા. આ એક વિકાસાત્મક પ્રક્રિયા છે. નિર્વસિત વિસ્તારના નિર્માણનાં ઘણાં કારણો હોઈ શકે. આગ, પૂર, દુષ્કાળ, જ્વાળામુખીના લાવાનું પ્રસરણ તેમજ માણસ દ્વારા ઉજ્જડ વિસ્તારો સર્જાય છે. આવા ઉજ્જડ વિસ્તાર પર વિવિધ-વનસ્પતિસમૂહો ક્રમબદ્ધ રીતે વસવાટ કેળવે…

વધુ વાંચો >

અનુક્રમણી

અનુક્રમણી : વૈદિક મંત્રોના ઋષિ, દેવ આદિ બાબતો વિશેની સૂચિઓ. આવી સૂચિઓ વિષયવાર જુદી જુદી પણ હોય છે અને સર્વ વિષયોના સંગ્રહરૂપ સર્વાનુક્રમણીઓ હોય પણ છે. વૈદિક ઋષિઓનાં આજુબાજુ વસતાં કુળોમાં સચવાયેલા મંત્રોને સર્વસુલભ કરવાના હેતુથી વેદવ્યાસે તેમને સંહિતાઓમાં સંગૃહીત કર્યા ત્યારે મંત્રોના ઋષિ, દેવતા અને છંદનો પરિચય સુલભ હતો.…

વધુ વાંચો >

અનુગીતા

અનુગીતા : જુઓ, ગીતા.

વધુ વાંચો >

અનુગ્રહ દિવસો

અનુગ્રહ દિવસો (days of grace) : મુદતી હૂંડી પાક્યા પછી તેની ચુકવણી માટે આપવામાં આવતી રાહતની મુદત. આ મુદત ત્રણ દિવસની હોય છે. આ રાહત શરૂઆતમાં અનુગ્રહ રૂપે આપવામાં આવતી હતી. હવે એ ધારાકીય જોગવાઈઓથી સ્થાપિત અધિકાર રૂપે અપાય છે (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ 1881, કલમ 21 થી 25). જવાબી (એટલે…

વધુ વાંચો >

અનુચલન (Tactic movement)

અનુચલન (Tactic movement) :  બાહ્ય પરિબળો જેવાં કે પ્રકાશ, તાપમાન કે રાસાયણિક પદાર્થને લીધે નિશ્ચિત દિશામાં સમગ્ર વનસ્પતિ કે વનસ્પતિ અંગોનું થતું પ્રચલનરૂપ હલનચલન. બાહ્ય પરિબળોને આધારે અનુચલનના પ્રકારો આ પ્રમાણે છે : પ્રકાશાનુચલન (phototaxis) : એક દિશામાંથી આવતા પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે કશાધારી કે કેશતંતુમય વનસ્પતિઓ, ચલબીજાણુઓ કે જન્યુકોષો દ્વારા…

વધુ વાંચો >

અનુચલન ગતિ

અનુચલન ગતિ (tactic movement) : બાહ્ય ઉદ્દીપનની અસર હેઠળ સજીવોમાં થતું મુક્ત દિશાકીય હલનચલન. વનસ્પતિસૃષ્ટિમાં આ ગતિ સામાન્યપણે નાના અને યુગ્લિના જેવા કશા ધરાવતા જળવાસી એકકોષીય સજીવો અને પ્રજનનકોષો પૂરતી મર્યાદિત હોય છે. આ હલનચલન માટે જવાબદાર પરિબળોને અનુલક્ષીને તેમના પ્રકારો નીચે મુજબ છે : (1) પ્રકાશાવર્તક હલનચલન (phototactic movement)…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >