૧.૨૨

અવક્ષેપનથી અશોકના અભિલેખ

અવનતિપ્રેરક વિકૃતિ

અવનતિપ્રેરક વિકૃતિ [diaphthoresis; regressive (retrograde) metamorphism] : પરિવર્તિત સંજોગો હેઠળની રચનાત્મક ભૂવિકૃતિની પ્રક્રિયા. વિકૃત ખડકોના કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળેલું છે કે પરિવર્તિત સંજોગોમાં જે પુનર્રચના થાય છે તે નિમ્ન કક્ષાલક્ષી હોય. અર્થાત્ વિકૃતિની એવી વ્યસ્ત કક્ષા પણ હોય છે, જેમાં ઉચ્ચ કક્ષાની વિકૃતિમાંથી નિમ્ન કક્ષા તરફ વિકૃત ખડકોનું…

વધુ વાંચો >

અવન્તિ

અવન્તિ : સોળ મહાજનપદોમાંનું એક. ‘અવન્તિ’ એ માલવ પ્રદેશની જૂની સંજ્ઞા હોવાનું પાણિનિ તેમ મહાભારત – રામાયણ – પુરાણો – ઉત્કીર્ણ લેખો વગેરેથી જાણવામાં આવ્યું છે, જેની રાજધાની ‘અવંતિ’ કિંવા ઉજ્જયિની હતી. ત્યાંના લોકો ‘આવંત્ય’ કહે છે. ‘મહાવસ્તુ’ અને ‘લલિતવિસ્તાર’(બૌદ્ધ ગ્રંથો)માં જંબૂદ્વીપનાં સોળ જનપદોમાંના એક તરીકે એનો ઉલ્લેખ થયેલો છે.…

વધુ વાંચો >

અવન્તિકા

અવન્તિકા : જુઓ, ઉજ્જૈન.

વધુ વાંચો >

અવન્તિવર્મા

અવન્તિવર્મા (શાસન 855-883) : કાશ્મીરના ઉત્પલ રાજવંશનો પ્રતાપી રાજા. તેના સમયથી કલ્હણની ‘રાજતરંગિણી’ની માહિતી વધુ પ્રમાણભૂત હોવાનું કહેવાય છે. અવન્તિવર્માનો રાજ્યકાલ શાંતિ અને આબાદીભર્યો હતો. તેના રાજદરબારમાં વિદ્વાનોનું બહુમાન થતું. રાજાએ નવી રાજધાની અવંતીપુર વસાવી. તે સ્થળે બંધાવેલાં શિવ અને વિષ્ણુનાં બે મંદિરો આજે પણ હયાત છે. શ્રીનગરથી 29 કિમી.…

વધુ વાંચો >

અવન્તિસુન્દરીકથા

અવન્તિસુન્દરીકથા (ઈ. સ. 65૦ની આસપાસ) : સંસ્કૃત કથા. આ કૃતિના લેખક મહાકવિ દંડી હોવાનું મનાય છે. દંડીની ત્રણ રચનાઓ ‘કાવ્યાદર્શ’ (અલંકારશાસ્ત્રની કૃતિ), ‘દશકુમારચરિત’ અને ‘અવન્તિસુન્દરીકથા’ છે; જોકે ‘અવન્તિસુન્દરીકથા’ના કર્તુત્વ વિશે વિવાદ ચાલુ છે, કારણ કે અત્યારે તે ઉપલબ્ધ નથી. ગદ્યપદ્યાત્મક આ ‘કથા’માં સાત પરિચ્છેદ છે. મુખ્યત: ગદ્યમાં લખાયેલ આ કથામાં…

વધુ વાંચો >

અવન્તીપુર

અવન્તીપુર : કાશ્મીરના રાજા અવન્તિવર્માએ શ્રીનગરના અગ્નિખૂણે આશરે 29 કિમી. દૂર જેલમ નદીને કિનારે બાંધેલી રાજધાની. આ રાજધાનીના ભગ્નાવશેષોની વ્યવસ્થિત તપાસ બાકી છે. તેમાં દેખાતા અવન્તેશ્વરના શિવમંદિર તથા અવન્તીસ્વામીના વૈષ્ણવ મંદિરના ભગ્નાવશેષોને લીધે આ સ્થળ જાણીતું છે. અવન્તેશ્વરનું શિવાલય ઘણું તૂટી ગયું છે. તે મૂળ શિવપંચાયતન હોવાનું સમજાય છે. તેના…

વધુ વાંચો >

અવન્તીસ્વામી મંદિર

અવન્તીસ્વામી મંદિર : અવન્તિવર્માએ અવન્તીપુર(કાશ્મીર)માં બંધાવેલું અવન્તીસ્વામીનું મંદિર તે પૂર્વાભિમુખ વિષ્ણુ પંચાયતનનું મંદિર છે. આશરે 4૦ × 5૦ મી. મોટી જગતી ઉપર ઊભેલું આ મંદિર છે. તેની રચના માટે બે અધિષ્ઠાન અથવા જગતી ઉપર સમચોરસ બાંધેલું મંદિર આશરે 1૦ મી. × 1૦ મીનું છે. મુખ્ય જગતીના ચાર ખૂણા પર ચાર…

વધુ વાંચો >

અવપરમાણુ કણો

અવપરમાણુ કણો [subatomic (fundamental) particles] દ્રવ્યના સ્વયંસંપૂર્ણ (self-contained) બંધારણીય એકમો. આને પ્રાથમિક કે મૂળકણો પણ કહે છે. 1960-65ના સમયગાળામાં અવપરમાણુ કણોનું સંશોધન એવે તબક્કે હતું કે એને પ્રાણીસંગ્રહાલય સાથે સરખાવવું કોઈને પણ વાજબી લાગે. સોથીયે વધુ આવા કણો શોધાયા હતા. એમના ભાતભાતના વિશિષ્ટ ગુણધર્મો એટલા વિચિત્ર લાગતા હતા કે દરેકનું…

વધુ વાંચો >

અવપાત

અવપાત (fallout) : વાતાવરણમાંથી પૃથ્વી પર નીચે આવતો વિકિરણધર્મી (radioactive) પદાર્થો રૂપી કચરો (debris). આવા પદાર્થો ત્રણ કારણોને લીધે ઉત્પન્ન થાય છે : (1) કુદરતી, (2) ન્યૂક્લિયર અને થરમૉન્યૂક્લિયર વિસ્ફોટ અને (3) પરમાણુ-રિયૅક્ટરમાં ચાલતી વિખંડન(fission)ક્રિયાને કારણે પેદા થતા વિકિરણધર્મી પદાર્થો. વાતાવરણમાં કૉસ્મિક કિરણોને લીધે કાર્બન અને હાઇડ્રોજનના વિકિરણધર્મી સમસ્થાનિકો પેદા…

વધુ વાંચો >

અવમંદન

અવમંદન (damping) : દોલાયમાન (oscillating) વસ્તુ કે પ્રણાલીની કંપનગતિનું લુપ્ત કે શાંત થઈ જવું તે. કંપનો કે દોલનો અટકી જવાનું કારણ પ્રણાલીની ઊર્જાનો અપવ્યયકારી બળો મારફત થતો હ્રાસ છે; દાખલા તરીકે, ગતિમાં મૂકેલ લોલક છેવટે અટકી જાય છે; વસ્તુનાં કંપનો અટકી જતાં અવાજ શમી જાય છે અને પગની ઠેસથી ઊર્જા…

વધુ વાંચો >

અવક્ષેપન

Jan 22, 1989

અવક્ષેપન (precipitation) : દ્રાવણોને ભેગાં કરીને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી ઘન પદાર્થ છૂટો પાડવાની (precipitate) અથવા અતિસંતૃપ્ત (super-saturated) દ્રાવણમાંથી વધારાનું દ્રાવ્ય, સ્ફટિક રૂપે છૂટું પાડવાની ક્રિયા (precipitation by crystallisation). સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લૉરાઇડનાં જલીય દ્રાવણોને મિશ્ર કરતાં સિલ્વર નાઇટ્રેટના Ag+ અને સોડિયમ ક્લૉરાઇડના Cl– આયનો વચ્ચેની પ્રક્રિયાથી પાણીમાં અદ્રાવ્ય…

વધુ વાંચો >

અવક્ષેપન અનુમાપનો

Jan 22, 1989

અવક્ષેપન અનુમાપનો (precipitation titrations) : રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતા અવક્ષેપ ઉપર આધારિત અનુમાપનો. રાસાયણિક પૃથક્કરણની અનુમાપન પદ્ધતિમાં સૌપ્રથમ અવક્ષેપન અનુમાપન ગેલ્યુસેક શોધ્યું હતું. હેલાઇડ – સિલ્વર નાઇટ્રેટ, મર્ક્યુરી – થાયોસાયનેટ, ક્રોમેટ/સલ્ફેટ – બેરિયમ/લેડ, અને ઝિંક-પોટૅશિયમ ફેરોસાઇનાઇડ વગેરે અવક્ષેપન-પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવાયેલી છે. આ ઉપરાંત સિલ્વર સાઇનાઇડ દ્વારા કરાતું સંકીર્ણમિતીય (complexometric) અનુમાપન…

વધુ વાંચો >

અવચ્છેદન

Jan 22, 1989

અવચ્છેદન : પ્રતિયોગીપણાનો નિશ્ચય કરવાની ક્રિયા. અવચ્છેદ એટલે પ્રતિયોગી અથવા વિરોધી, જેનું અસ્તિત્વ તેના વિરોધી વિના સંભવે નહિ. ઘટાભાવ એ ઘટનું પ્રતિયોગી છે. ઘટ ન હોય તો ઘટાભાવ સમજાય નહિ. અવચ્છેદનો બીજા અર્થ છે વ્યાપ્તિ, નિયમપૂર્વકનું સાહચર્ય; જેમ કે, ‘જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય.’ એ પ્રમાણે ધુમાડો…

વધુ વાંચો >

અવતલન

Jan 22, 1989

અવતલન (subsidence) : ભૂપૃષ્ઠની નાના કે મોટા પ્રદેશના પેટાળમાં ગરક થઈ જવાની, બેસી જવાની કે દબી જવાની ક્રિયા. આ માટેનાં કારણોમાં મુખ્યત્વે તો ભૂસંચલનક્રિયાને જવાબદાર લેખી શકાય અને એ સંદર્ભમાં જોતાં અવતલનને એક એવા પ્રકારનું ભૂસંચલન ગણાવી શકાય, જેમાં બેસી જતા ભાગની એક પણ બાજુ મુક્ત હોતી નથી. ભૂપૃષ્ઠનો ખડકજથ્થો…

વધુ વાંચો >

અવતાર અને અવતારવાદ

Jan 22, 1989

અવતાર અને અવતારવાદ : ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે. અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ…

વધુ વાંચો >

અવધ રાજ્ય

Jan 22, 1989

અવધ રાજ્ય : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન (1707) બાદ સામ્રાજ્યના થયેલ વિઘટનને પરિણામે અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર રાજ્ય. તેમાં હાલના ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થયો હતો. તેની સ્થાપના મુઘલ પાદશાહ મુહમ્મદશાહના અમીર સાદતખાને કરી હતી (1722). સાદતખાનના મૃત્યુ (1739) પછી અવધના નવાબ બનનાર સાદતખાનના જમાઈ સફરદજંગે અવધને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું.…

વધુ વાંચો >

અવધાન કાવ્ય

Jan 22, 1989

અવધાન કાવ્ય : અવધાનશક્તિથી રચાતા તેલુગુ કાવ્યનો એક વિશિષ્ટ પ્રકાર. તેમાં કવિની ચમત્કારિક ધારણાની શક્તિની પરીક્ષા થાય છે. એકીસાથે અનેક વસ્તુઓની સ્મૃતિ સજીવ રાખીને કવિતામાં વિવિધ વિષયો શીઘ્ર ગૂંથી આપે તે અવધાન કાવ્ય. ‘અષ્ટાવધાન’ તથા ‘શતાવધાન’ એમ તેના બે પ્રકાર છે. ‘સહસ્રાવધાન’ અત્યંત વિરલ હોય છે. અષ્ટાવધાન કરનારી વ્યક્તિની ચારેય…

વધુ વાંચો >

અવધાનવિદ્યા

Jan 22, 1989

અવધાનવિદ્યા : ધ્યાન અને એકાગ્રતા વિશેની પ્રાચીન ભારતમાં ઉદભવેલી અઘરી વિદ્યા. મનુષ્યનું મન કે સ્મૃતિ એવાં છે કે મનુષ્ય એક જ ક્ષણે એક જ વસ્તુ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ઘણું કરીને તે એક વસ્તુ યાદ કરે તે જ ક્ષણે તેની સાથે બીજી વસ્તુ યાદ કરી શકતો નથી,…

વધુ વાંચો >

અવધૂત સંપ્રદાય

Jan 22, 1989

અવધૂત સંપ્રદાય : પ્રાચીન ભારતમાં વેદકાળથી જાણીતો સંપ્રદાય. અવધૂત સંપ્રદાય ઉપનિષદોમાંથી નીકળેલો છે. તેનું બીજું નામ અતીત સંપ્રદાય છે. તેનો અનુયાયી સંસારને પેલે પાર જતો રહ્યો હોવાથી અતીત અને નાતજાતનાં બંધનોને અને શાસ્ત્રના વિધિનિષેધોને દૂર કર્યાં હોવાથી અવધૂત કહેવાય છે. અવધૂતનું વર્ણન છેક ‘હંસોપનિષદ’, ‘અવધૂતોપનિષદ’ અને ‘પરમહંસોપનિષદ’ વગેરેમાં મળે છે.…

વધુ વાંચો >

અવધૂતસ્વામી નારાયણાનંદ

Jan 22, 1989

અવધૂતસ્વામી નારાયણાનંદ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા લેખક. એમની ‘રુદ્રસુધાનિધિ’ મધ્યકાલીન ઊડિયા સાહિત્યની એક અત્યંત પ્રસિદ્ધ રચના છે. એમને વિશે નિશ્ચિત માહિતી મળતી નથી, પણ અનેક વિદ્વાનો એટલું તારવી શક્યા છે કે એ પરિવ્રાજક યોગી હતા. એમણે એમની તપશ્ર્ચર્યાથી શિવ-પાર્વતીને રીઝવ્યાં હતાં અને વરદાન પણ મેળવ્યું હતું. એમને વેદ, શાસ્ત્ર,…

વધુ વાંચો >