૧.૦૯

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈથી અનુભવબિંદુ

અનુકૂલન-વિકારો

અનુકૂલન-વિકારો (adjustment disorders) : વિપરીત પરિસ્થિતિમાં માનસિક રીતે ગોઠવાવાની તકલીફ. તે સ્પષ્ટ ઓળખી શકાય તેવા બનાવ કે પ્રતિકૂળ પરિસ્થિતિના પ્રતિભાવ રૂપે ઉદભવતી વિકારી પ્રતિક્રિયાઓ (maladaptive reactions) છે. આ પ્રતિક્રિયાઓ, પ્રતિકૂળ પરિસ્થિતિ સમાપ્ત થતાં કે અન્યથા મનનું સમાધાન થતાં, શમી જાય છે. આ પ્રતિક્રિયાઓને લીધે વ્યક્તિનાં સામાજિક અને વ્યાવસાયિક કાર્યોમાં ક્ષતિ…

વધુ વાંચો >

અનુક્રમણ

અનુક્રમણ (succession) : ભૂમિના કોઈ નિર્વસિત (denuded) વિસ્તાર પર ક્રમિક અને સંભવિત ક્રમે જીવસમાજ વસવાની પ્રક્રિયા. આ એક વિકાસાત્મક પ્રક્રિયા છે. નિર્વસિત વિસ્તારના નિર્માણનાં ઘણાં કારણો હોઈ શકે. આગ, પૂર, દુષ્કાળ, જ્વાળામુખીના લાવાનું પ્રસરણ તેમજ માણસ દ્વારા ઉજ્જડ વિસ્તારો સર્જાય છે. આવા ઉજ્જડ વિસ્તાર પર વિવિધ-વનસ્પતિસમૂહો ક્રમબદ્ધ રીતે વસવાટ કેળવે…

વધુ વાંચો >

અનુક્રમણી

અનુક્રમણી : વૈદિક મંત્રોના ઋષિ, દેવ આદિ બાબતો વિશેની સૂચિઓ. આવી સૂચિઓ વિષયવાર જુદી જુદી પણ હોય છે અને સર્વ વિષયોના સંગ્રહરૂપ સર્વાનુક્રમણીઓ હોય પણ છે. વૈદિક ઋષિઓનાં આજુબાજુ વસતાં કુળોમાં સચવાયેલા મંત્રોને સર્વસુલભ કરવાના હેતુથી વેદવ્યાસે તેમને સંહિતાઓમાં સંગૃહીત કર્યા ત્યારે મંત્રોના ઋષિ, દેવતા અને છંદનો પરિચય સુલભ હતો.…

વધુ વાંચો >

અનુગીતા

અનુગીતા : જુઓ, ગીતા.

વધુ વાંચો >

અનુગ્રહ દિવસો

અનુગ્રહ દિવસો (days of grace) : મુદતી હૂંડી પાક્યા પછી તેની ચુકવણી માટે આપવામાં આવતી રાહતની મુદત. આ મુદત ત્રણ દિવસની હોય છે. આ રાહત શરૂઆતમાં અનુગ્રહ રૂપે આપવામાં આવતી હતી. હવે એ ધારાકીય જોગવાઈઓથી સ્થાપિત અધિકાર રૂપે અપાય છે (નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ 1881, કલમ 21 થી 25). જવાબી (એટલે…

વધુ વાંચો >

અનુચલન (Tactic movement)

અનુચલન (Tactic movement) :  બાહ્ય પરિબળો જેવાં કે પ્રકાશ, તાપમાન કે રાસાયણિક પદાર્થને લીધે નિશ્ચિત દિશામાં સમગ્ર વનસ્પતિ કે વનસ્પતિ અંગોનું થતું પ્રચલનરૂપ હલનચલન. બાહ્ય પરિબળોને આધારે અનુચલનના પ્રકારો આ પ્રમાણે છે : પ્રકાશાનુચલન (phototaxis) : એક દિશામાંથી આવતા પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે કશાધારી કે કેશતંતુમય વનસ્પતિઓ, ચલબીજાણુઓ કે જન્યુકોષો દ્વારા…

વધુ વાંચો >

અનુચલન ગતિ

અનુચલન ગતિ (tactic movement) : બાહ્ય ઉદ્દીપનની અસર હેઠળ સજીવોમાં થતું મુક્ત દિશાકીય હલનચલન. વનસ્પતિસૃષ્ટિમાં આ ગતિ સામાન્યપણે નાના અને યુગ્લિના જેવા કશા ધરાવતા જળવાસી એકકોષીય સજીવો અને પ્રજનનકોષો પૂરતી મર્યાદિત હોય છે. આ હલનચલન માટે જવાબદાર પરિબળોને અનુલક્ષીને તેમના પ્રકારો નીચે મુજબ છે : (1) પ્રકાશાવર્તક હલનચલન (phototactic movement)…

વધુ વાંચો >

અનુચુંબકત્વ

અનુચુંબકત્વ (paramagnetism) : પ્રબળ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતાં ક્ષેત્રની દિશામાં નિર્બળ આકર્ષણ અનુભવવાનો પદાર્થનો ગુણધર્મ. આ ઘટનાનો અભ્યાસ સૌપ્રથમ માઇકેલ ફેરેડેએ 1845માં કર્યો હતો. જો પદાર્થ આકર્ષણ લગાડેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આકર્ષાય તો તે ગુણધર્મ પ્રતિચુંબકત્વ (diamagnetism) કહેવાય. બંને કિસ્સામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોવા છતાં અસરની પ્રબળતા ઓછી હોય…

વધુ વાંચો >

અનુજન, ઓ. એમ.

અનુજન, ઓ. એમ. (જ. 20 જુલાઈ 1928, વેલ્લિનેઝી, કેરાલા) : મલયાળમ કવિ. કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ વિષય લઈ પ્રથમવર્ગમાં એમ.એ.માં ઉત્તીર્ણ. પછી મદ્રાસની પ્રેસિડન્સી કૉલેજમાં મલયાળમના પ્રાધ્યાપક. એમણે કવિ તરીકે સારી ખ્યાતિ મેળવી છે. અત્યાર સુધીમાં તેમના બાર કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે, જેમાં ‘મૂકુળમ્’, ‘ચિલ્લુવાતિલ્’, ‘અગાધ નિલિમક્કળ્’, ‘વૈશાખમ્’, ‘સૃષ્ટિ’ તથા ‘અક્તેયન’…

વધુ વાંચો >

અનુદાન

અનુદાન (grant-in-aid) : રાજ્ય સરકારો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત વગેરે સમવાયતંત્રી રાજ્યવ્યવસ્થા ધરાવતા દેશોમાં સરકારના નીચલી કક્ષાના એકમોને નાણાકીય મદદના સાધન તરીકે અનુદાન ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે રાજ્ય સરકારો કે પ્રાદેશિક સરકારોની નાણાકીય જરૂરિયાતોની સરખામણીમાં તેમને ઉપલબ્ધ નાણાકીય સાધનોનું…

વધુ વાંચો >

અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ

Jan 9, 1989

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈ (જ. 5 મે 1950, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; અ. 21 મે 1982, ગણદેવી, જિ. વલસાડ) : ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. પિતા શિક્ષક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં. અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને…

વધુ વાંચો >

અધ્વર્યુ વિનોદ બાપાલાલ

Jan 9, 1989

અધ્વર્યુ, વિનોદ બાપાલાલ (જ. 24 જાન્યુઆરી 1927, ડાકોર, જિ. ખેડા; અ. 24 નવેમ્બર, 2016, અમદાવાદ) : કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક. શિક્ષણ ડાકોરમાં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. (1947). ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. ગુજરાતી ગદ્ય, તેમાંય નાટક તેમના રસનો વિષય છે. શરૂઆતમાં…

વધુ વાંચો >

અધ્વર્યુ શિવાનંદ

Jan 9, 1989

અધ્વર્યુ, શિવાનંદ (જ. 18 ડિસેમ્બર 1906, બાંદરા, તા. ગોંડલ, સૌરાષ્ટ્ર; અ. 22 ઑક્ટોબર 1998, હૃષીકેશ) : તબીબી વ્યવસાયને આધ્યાત્મિક ઓપ આપનાર અને તે દ્વારા અસંખ્ય નેત્રયજ્ઞોનું સફળ આયોજન કરી સાચા અર્થમાં ‘ચક્ષુદાન’ કરવા માટે વિશ્વભરમાં ખ્યાતિ પામેલા ગુજરાતના સેવાભાવી તબીબ. મૂળ નામ ભાનુશંકર. પિતાનું નામ ગૌરીશંકર અને માતાનું નામ પાર્વતીબહેન.…

વધુ વાંચો >

અનનાસ

Jan 9, 1989

અનનાસ : એકદળી વર્ગના બ્રોમેલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ananas comosus  (L.) Merrill. syn. A. Sativus Schult. f. (સં. अनानास, कौतुकसंज्ञक; હિં. अनास; ગુ. અનનાસ) છે. હાલનું નવું નામ A. comosus (L) Merrill છે. કેવડા જેવાં વિશાળ વૃક્ષો. દરેક ભાગ કાંટા ધરાવે છે. તેથી ઢોર ખાઈ શકતાં નથી અને…

વધુ વાંચો >

અનર્ઘરાઘવ (નવમી સદી)

Jan 9, 1989

અનર્ઘરાઘવ (નવમી સદી) : લગભગ નવમી સદીના અંતે થયેલ મુરારિરચિત સાત અંકનું સંસ્કૃત નાટક. તેનું વિષયવસ્તુ રામાયણકથા પર આધારિત છે. મૂળ કથામાં બહુ ઓછા ફેરફાર સાથે રચાયેલ આ નાટકમાં મુખ્યત્વે શ્ર્લોકો દ્વારા રજૂઆત થઈ છે. ગદ્યાંશ કેવળ માહિતીના પૂરક રૂપે અથવા તો વર્ણનાત્મક એકોક્તિઓની રજૂઆત માટે જ પ્રયોજાયેલ છે. તેથી…

વધુ વાંચો >

અનવરી

Jan 9, 1989

અનવરી (1185 આસપાસ હયાત) : ફારસી વિદ્વાન. અનવરીની જન્મતારીખ અને તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. તે દશ્તે ખાવરાનમાં આવેલ મેહનાની પાસેના અલીવર્દ નામના ગામે જન્મેલા. તેથી શરૂઆતમાં એમણે પોતાનું તખલ્લુસ ‘ખાવરી’ રાખ્યું હતું. પાછળથી અનવરી રાખ્યું. તૂસમાં આવેલ મનસૂરીયાહ નામના મદરેસામાં તેઓ ભણેલા. તર્કશાસ્ત્ર, ખગોળવિદ્યા, ભૂમિતિ, જ્યોતિષ વગેરે…

વધુ વાંચો >

અનવસ્થા (ન્યાય)

Jan 9, 1989

અનવસ્થા (ન્યાય) : તર્કમાં સંભવિત એક દોષપ્રકાર. કોઈ અજ્ઞાતસ્વરૂપ બાબત (ઉપપાદ્ય) અંગે ખુલાસા(ઉપપાદક)ની કલ્પના તે તર્ક. એ તર્કમાં જ્યારે અનવસ્થાદોષ પ્રવેશે ત્યારે દરેક ઉપપાદક-ઉપપાદ્ય બની અનંત ઉપપાદક-પરંપરાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ અશક્ય હોઈ મૂળ ઉપપાદ્ય અજ્ઞાતસ્વરૂપ જ રહે છે. ઉપપાદક અસિદ્ધ ઠરે છે. દા.ત., વૈશેષિકો કારણમાં કાર્યનો ‘સમવાય’ સંબંધ…

વધુ વાંચો >

અનવસ્થિત શુક્રગ્રંથિતા

Jan 9, 1989

અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર…

વધુ વાંચો >

અનસૂયાબહેન સારાભાઈ

Jan 9, 1989

અનસૂયાબહેન સારાભાઈ (જ. 11 નવેમ્બર 1885, અમદાવાદ; અ. 11 સપ્ટેમ્બર 1972, અમદાવાદ) : મજૂર પ્રવૃત્તિનાં અગ્રણી, પ્રથમ સ્ત્રી-કામદાર નેતા તથા અમદાવાદ મજૂર મહાજન સંઘનાં સ્થાપક. પિતાનું નામ સારાભાઈ અને માતાનું નામ ગોદાવરીબહેન. અમદાવાદના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિના કુટુંબમાં જન્મ. તેમણે મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી ગૃહસ્થજીવનમાં પ્રવેશ કર્યો.…

વધુ વાંચો >

અનહદ નાદ

Jan 9, 1989

અનહદ નાદ (1964) : પંજાબી કાવ્યસંગ્રહ. ડૉ. ગોપાલસિંહ ‘દરદી’ના આ કવિતાસંગ્રહને 1964નો સાહિત્ય અકદામી પુરસ્કાર મળ્યો છે. સંગ્રહની કવિતાઓમાં આધુનિક યુગમાં થઈ રહેલ મૂલ્યોના હ્રાસથી થતી મનોવેદનાને વ્યક્ત કરી છે. તેમણે નૈતિક અને વૈજ્ઞાનિક મૂલ્યોની પુન:સ્થાપનાની હિમાયત કરી છે. માત્ર પ્રવર્તમાન પરિસ્થિતિનું વાસ્તવિક નિરૂપણ અને વિશ્લેષણ કરવા ઉપરાંત એક સુંદર…

વધુ વાંચો >