ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વાયુ-ઇંધનો

Jan 27, 2005

વાયુ-ઇંધનો : જુઓ ઇંધનો.

વધુ વાંચો >

વાયુ-ઉત્ખાત

Jan 27, 2005

વાયુ-ઉત્ખાત : જુઓ પવન.

વધુ વાંચો >

વાયુઓનું શોષણ (Absorption of gases)

Jan 27, 2005

વાયુઓનું શોષણ (Absorption of gases) : રાસાયણિક ઇજનેરીમાં વાયુમિશ્રણમાંથી એક અથવા વધુ ઘટકોને અલગ પાડવાની પરોક્ષ (indirect) વાયુ-પ્રવાહી-સ્થાનાંતરણ (masstransfer) વિધિ. રાસાયણિક ઇજનેરીમાં આ એક મુખ્ય પ્રચાલન (operation) છે, જે મહદ્ અંશે વિસરણ(diffusion)ના દર દ્વારા નિયંત્રિત આંતરપ્રાવસ્થા (interphase) દ્રવ્યમાન-સ્થાનાંતરણ ઉપર આધારિત છે. મિશ્રણને તેના ઘટકોમાં અલગ પાડવા માટેના ભૌતિક પ્રક્રમ(physical process)માં…

વધુ વાંચો >

વાયુગતિશાસ્ત્ર અને વૈમાનિક ઉડ્ડયન

Jan 27, 2005

વાયુગતિશાસ્ત્ર અને વૈમાનિક ઉડ્ડયન : તરલ યંત્રશાસ્ત્રની એક શાખા, જેમાં હવાની અને બીજા તરલ વાયુની ગતિ તેમજ આવા તરલોની સાપેક્ષ ગતિ કરતા પદાર્થો પર લાગતાં બળોનો અભ્યાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, હવામાં વિમાનની ગતિ, પવનચક્કીઓનો અભ્યાસ વગેરે. આમ, વાયુગતિકીમાં હવામાં થતા ઉડાણ તેમજ હવાની ગતિની ચર્ચા કરવામાં આવે છે.…

વધુ વાંચો >

વાયુચાલિત સાધનો (pneumatic devices)

Jan 27, 2005

વાયુચાલિત સાધનો (pneumatic devices) : દાબિત હવા ઉત્પન્ન કરનારાં અથવા વાપરનારાં સાધનો. ખડક-શારડી (Rock drill), ફરસબંધી ભાંગવાનું સાધન, રિવેટર, ઘડતર-પ્રેસ (forging press), પેઇન્ટ-સ્પ્રેયર, બ્લાસ્ટ-ક્લીનર અને એટોમાઇઝરમાં વાયુચાલિત સાધનો વપરાય છે. દાબિત હવાની શક્તિ નમ્ય (flexible), ઓછી ખર્ચાળ અને સહીસલામત હોય છે. આ જાતનાં સાધનોમાં, તણખા થકી અન્ય સાધનોમાં લાગતો સંભવિત…

વધુ વાંચો >

વાયુદીપ્તિ (airglow)

Jan 27, 2005

વાયુદીપ્તિ (airglow) : પૃથ્વીના પોતાના વાતાવરણ દ્વારા ઉત્પન્ન થઈ ઉત્સર્જિત થતો, ઉષ્મીય વિકિરણ, ધ્રુવીય જ્યોતિ (aurora), વીજળીના ઝબકારા (lightning), અને ઉલ્કા-હારમાળા સિવાયનો પ્રકાશ અથવા તેનું ઝાંખું પ્રસ્ફુરણ. વાયુદીપ્તિનો વર્ણપટ 100 ને.મી.થી 22.5 માઇક્રોમીટરની પરાસ(range)માં હોય છે. આમાંનો એક મુખ્ય ઘટક એ 558 ને.મીટરે જોવા મળતી ઑક્સિજનની ઉત્સર્જન-રેખા છે. વાયુદીપ્તિ એ…

વધુ વાંચો >

વાયુદેવ

Jan 27, 2005

વાયુદેવ : એક વૈદિક દેવતા. ત્વષ્ટ્રા એના જમાઈ કહેવાય છે. મરુત વાયુ સાથે સંકળાયેલા નથી છતાં સ્વર્ગની નદીઓમાંથી મરુતે વાયુને જન્મ આપ્યો એમ કહેવાય છે. પાછળના યુગમાં વાયુને વાયવ્ય કોણના રક્ષક દેવતા તરીકે સ્વીકારાય છે. મહાભારતમાં વાયુને ભીમ અને હનુમાનના પિતા તરીકે વર્ણવાયા છે. મધ્વાચાર્યના અનુયાયીઓ તેમના આચાર્ય આનંદતીર્થને વાયુનો…

વધુ વાંચો >

વાયુના નિયમો

Jan 27, 2005

વાયુના નિયમો : વાયુના જથ્થા ઉપર દબાણ, કદ અને તાપમાનથી થતી અસરોને લગતા નિયમો. માત્ર આદર્શવાયુ વાયુના આ નિયમો પાળે છે. આદર્શવાયુઓ હકીકતે કાલ્પનિક છે. તે અસ્તિત્વ ધરાવતા નથી; આથી વાસ્તવિક વાયુઓને લાગુ પડે તે માટે ઉપરના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. જો      R = વૈશ્ર્વિક વાયુ અચળાંક – J/(K…

વધુ વાંચો >

વાયુનિષ્ક્રમણ (outgassing)

Jan 27, 2005

વાયુનિષ્ક્રમણ (outgassing) : પૃથ્વીના પોપડાના અંદરના ભાગોમાંથી ભૂપૃષ્ઠ પર વાયુ બહાર નીકળવાની ક્રિયા. સામાન્ય રીતે ભૂપૃષ્ઠમાં જ્વાળામુખી-પ્રસ્ફુટન થાય કે ભૂકંપ દ્વારા ફાટો પડે ત્યારે વાયુનિષ્ક્રમણ થઈ શકે છે. એ જ રીતે બાષ્પ-જ્વાળામુખો(fumeroles)માંથી તેમજ ગરમ પાણીના ફુવારા(geysers)માંથી પણ સતત રીતે કે ક્રમે ક્રમે વાયુનિષ્ક્રમણ થતું રહેતું હોય છે. બાષ્પમુખો સક્રિય જ્વાળામુખી-પ્રદેશોમાં…

વધુ વાંચો >

વાયુનો આણ્વીય ગતિવાદ

Jan 27, 2005

વાયુનો આણ્વીય ગતિવાદ : જુઓ ગતિસિદ્ધાંત.

વધુ વાંચો >